________________
જન્મ અને બાલ્યાવસ્થા
૧૩.
સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં હાહાકાર મચી ગયે. મૂઠી ધાન્ય મેળવવા માટે માણસે જ્યાં ત્યાં રખડવા લાગ્યા, અને તેની પ્રાપ્તિ ન થતાં વૃક્ષો વગેરેનાં પાંદડાં ખાઈને પિતાને નિર્વાહ કરવા લાગ્યા. પરંતુ આમ કેટલે વખત ચાલે? એ ભીષણ દુષ્કાળે જોતજોતામાં લાખો મનુષ્યના પ્રાણ હરી લીધા અને માત્ર પુણ્યશાળીઓ જ બાકી રહ્યા. શ્રી માવજીભાઈ તેમાંના એક. હતા, એટલે આપણે તેમનું અભિવાદન કરીએ.