________________
[૪૦ ]
શ્રી કરવિજયજી कान्ता मे समतैवैका, ज्ञातयो मे समक्रियाः । बाह्यवर्गमिति त्यक्त्वा, धर्मसंन्यासवान् भवेत् ॥ ३॥
સમતા એ જ સ્ત્રી અને સાધમીંજનો એ જ જ્ઞાતિવર્ગ હવે મારાં લેખું છું. એ રીતે બાહ્ય વર્ગનો ત્યાગ કરીને આત્મા સંયમવાન્સંયમી ગૃહસ્થપણાનો ત્યાગી બને છે. ૩.
મને એક સમતા જ વહાલી સ્ત્રી છે, બીજી સ્ત્રી વહાલી નથી. સમાન ક્રિયા-આચારવાળા સાધુઓ જ મારા સગા છે, બીજા સગાનું કંઈ પણ કામ નથી. એ પ્રમાણે નિશ્ચયભાવે બાહ્ય પરિવારનો ત્યાગ કરીને ગૃહસ્થની ઋદ્ધિ પ્રમુખ દયિક ભાવના ધર્મને સંન્યાસવાન-ત્યાગવાળે થાય અર્થાત્ દયિક ભાવને છેડી ક્ષપશમભાવવાળો થાય.
એ અતાત્ત્વિક ધર્મસંન્યાસ, કહેવાય છે. તાત્વિક ધર્મસંન્યાસ તે ક્ષપકશ્રેણિમાં આઠમે ગુણસ્થાનકે હોય છે. કહ્યું છે કે
“દ્વિતીયાપૂર્વ પ્રથમતારિત્ર મહેન્દ્ર છે ” - પ્રથમ અપૂર્વકરણ સમ્યક્ત્વલાભનું અને બીજું અપૂર્વકરણું આઠમા ગુણસ્થાનકનું જાણવું. ત્યાં પ્રથમક્ત (સામગના પ્રથમ ભેદરૂપ) ધર્મસંન્યાસ તાવિકપારમાર્થિક હોય. ગદષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં એ જ બાબત કહેવામાં આવી છે.
(દયિક ભાવના ધર્મનો ત્યાગ કરવારૂપ અતાત્વિક ધર્મસંન્યાસ પ્રવ્રજ્યાના અવસરે પણ હોય છે.)
धर्मास्त्याज्याः सुसंगोत्थाः, क्षायोपशमिका अपि । प्राप्य चन्दनगन्धाभ, धर्मसंन्यासमुत्तमम् ॥ ४ ॥