Book Title: Lekh Sangraha Part 06
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 524
________________ લેખ સંગ્રહ : ૬ : [ ૫૦૧ ] વ્યુત્થાન સંસ્કારની ન્યૂનતા થાય છે. એને લઈને જે ઉત્તમ દશા ઉત્પન્ન થાય છે તે પાત ંજલની પ્રશાંતવાહિતા સાથે મળતી આવે છે. ફેર માત્ર એટલેા જ છે કે પાત જલની પ્રશાંતવાહિતા અથવા બોધના વિસભાગપરિક્ષયમાં જ્યારે સમ્યગ્બધ હતા નથી ત્યારે અહીં તે હાય છે અને સાથે સાધ્યનુ સામીપ્ય હાય છે. સાલ મન અને નિરાલ બન એવા એ પ્રકારના ચેાગા બતાવ્યા તે ધર્મધ્યાન અને શુકલધ્યાનને અગે છે. ધર્મધ્યાનના આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનની વિચારણા એ પ્રકારે તેમજ પિ'ડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યેયની જે અદ્ભુત વ્યવસ્થા જૈન યાગાચાર્યોએ બતાવી છે તે સાલ અનરૂપ છે, બહુ આનંદપ્રદ હકીકત પૂરી પાડે તેવી છે અને ભાવનારૂપે અમલમાં મૂકતાં પણ ચેતનની અચિંત્ય પ્રગતિ કરાવે તેવી છે. આ ધર્મ ધ્યાનના આખા વિભાગ સાલમન યેાગમાં આવે છે. ત્યારપછી ઉન્નતિતે ક્રમમાં આગળ વધતાં શુધ્યાનના વિભાગ આવે છે, નિરાલંબન દશા બતાવે છે. એના ચારે વિભાગેામાં માહ્યઆલંબનની જરૂર નથી. પ્રથમના બે વિભાગમાં છદ્મસ્થ દશા હાય છે અને તેને અંતે કૈવલ્ય સૂર્ય પ્રગટવાથી લેાકાલેાકસ્વરૂપ દેખાય છે. ત્રીજા વિભાગવાળી સયેાગી અવસ્થાને ડે જ્યારે ચેાથા વિભાગવાળી અચેાગી દશા પ્રાપ્ત થાય છે ત્યારે પ્રાણી શૈલેશીકરણ કરી મહાસુખસ્થાન સિદ્ધની નિવાસભૂમિમાં પ્રવેશ કરે છે અને ત્યાં નિરંજન નિરાકારસ્વરૂપે ચિદાનંદ ઘનમય ચૈતન્ય સંસારાતીત મહા ઉન્નત્ત આત્મદશા અનુભવી નિરંતર આનંદ કરે છે. ત્યાં ગયા પછી સંસારભાવ કદી ફરી વાર પ્રાપ્ત થતે નથી, દુ:ખના અનુભવ થતા નથી અને ત્યાંથી પાત થતા નથી. એ દશા પ્રાપ્ત કરવી એ યાગનું

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556