________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી
[ ર૯ ] અને ઈસુના ૬૩૬ ના વર્ષમાં] દરમ્યાન હેવી સંભાવ્ય છે જ્યારે મુનિરાજ [વર્તમાનમાં પંન્યાસજીશ્રી ] શ્રી કલ્યાણવિજયજી મહારાજ પણ પૂ. પ્રસ્તુત સૂરિવરના સત્તા સમયને સારુ આ રીતનું નિર્ણયાત્મક પ્રતિપાદન આપણી સમક્ષ મૂકે છે કે‘ભગવાન શ્રી હરિભદ્રસૂરિના સત્તાકાલમાં પૂર્વશ્રુત નાશની તૈયારીમાં હતું. પૂર્વગત મુતની તેવા પ્રકારની ખંડિત થતી દશાને જાણીને તેના કેટલાક ભાગને સંઘરી લેવાને સારુ પંચાશકાદિ વિપુલ સાહિત્યકૃતિઓને તેઓશ્રીએ રચી છે, આથી વિક્રમની છઠ્ઠી શતાબ્દિમાં તેઓની સત્તા સ્વીકારવી એ જ યોગ્ય છે, નહિતર આ વસ્તુ ઘટી શકે નહિ. વળી ભ૦ શ્રી મહાવીર પરમાત્માની ૨૭ મી પાટે આવેલા પૂ. શ્રી માનદેવસૂરિ બીજાને સત્તાકાલ આ જ છે, એટલે તેઓને પ્રસ્તુત સૂરિવરના મિત્ર તરીકે પૂર્વકાલીન ગ્રન્થકારે ઓળખાવે છે, તે પણ આથી સંગત બને છે.”
ત્યારબાદ કેટલાં વર્ષોના ગાળા પછી, પંન્યાસજી શ્રી કલ્યાણવિજયજી મ. પ્રસ્તુત રિવરના સત્તાકાલને અંગે પિતાનું પૂર્વ મન્તવ્ય [કે જેને નિશ્ચિત અને પ્રામાણિક કરવાને સારુ પિોતે તનનેડ મહેનત લઈને પ્રયત્નો કર્યા છે] બદલીને “પ્રબન્ધપર્યાલોચન”માં આ મુજબ લખાણ કરે છે: “આજ પહેલાં હું [પૂ. શ્રી ] હરિભદ્ર [ સૂરીશ્વરજી || વિક્રમની છઠ્ઠી સદીમાં મૂકનારાઓમાંનો એક હતો પણ હવે મને લાગે છે, કે એ આચાર્યને, આ ગાથાક્ત સમયથી લગભગ બસો વર્ષ પછીના સમયમાં મૂકવા વધારે યોગ્ય લાગે છે.” - પૂજનીય સુરીશ્વરજીના સત્તાકાલિને એંગે, ડે. હર્મન જેબી વગેરે પાશ્ચાત્ય શોધક પિતાની શક્તિ-સામગ્રી મુજબ કેટલુંક અન્વેષણ કરી, “ઉપમિતિકાર પૂ. શ્રીસિદ્ધર્ષિગણિના ધર્મબોધકર તરીકે પૂ. સૂરિવર’ને જણાવે છે, અને ‘પૂ. સિદ્ધર્ષિગણિના સમકાલીન એટલે વિક્રમની દશમી શતાબ્દિમાં તેઓશ્રીની સત્તાક્યાતી સ્વીકારે છે.” જ્યારે પં. શ્રી સતીશચંદ્ર, પૂ. સૂરિવરને સત્તા સમય, વિક્રમની આઠમી અને નવમી શતાબ્દિની મધ્યને સ્વીકારે છે.
५ भगवतां हरिभद्रसूरीणां समये पूर्वश्रुतस्य विलुप्यमानाऽवस्था, तां विप्रकीर्णदशामनुभवतस्तस्य कतिपयांशोपसंग्रहेण पञ्चाशकादिग्रन्थनिर्माणं च निवेद्यते, अथ चेदं तेषां विक्रमस्य षष्ठशतके एव विद्यमानत्वे संघटते नाऽन्यत्र । किं च वीरप्रभोः सप्तविंशे पट्टे समारूढस्य उपरितनसमयाधारकस्य દ્વિતીયમાનવસૂચૈિત્ર વદત્યને પ્રચાર:-શ્રી ધર્મસંઘનો પ્રસ્તાવના, પૃ. ૨૮ [૧૧૭].
૬ “શ્રી જિયારત્નસમુદાય’માં પૂ. શ્રી ગુણરત્નસૂરીજી મહારાજ ફરમાવે છે કે-ઘાતઃ શ્રીમિમિત્રનવત્ શ્રીમાનવતતઃ | આવા પ્રકારનું અને લગભગ આને મળતું કથન, પૂ. શ્રી મુનિસુન્દરસૂરિએ “ગુર્યાવલી'માં પણ કર્યું છે, તેમજ “અંચલગચ્છ પટ્ટાવલી', “પૌષ્ટ્રમિકગચ્છ પટાવલી” અને “તપાગચ્છ જી. પટ્ટાવલી” વગેરેમાંથી આવા પ્રકારના ઉલ્લેખ મળી આવે છે. જેની ધ ૫. શ્રી હરગોવિંદદાસે અને પન્યાસજી શ્રી કલ્યાણવિજયજી મહારાજે લીધી છે. .
૭ “શ્રી પ્રસાવચરિત્ર ભાષાન્તર'ની પૂર્વભૂમિકારૂપ ચરિત્રાન્તર્ગત પ્રબન્ધોની મીમાંસા કરવાને સારૂ આ નિબન્ય, પૂ. પંન્યાસશ્રીએ તા. ૧૧-૮-૧૯૩૧ માં લખ્યો છે. [શ્રી આત્માનન્દ સભા ભાવનગર દ્વારા પ્રમાશિત.]
८ पंचसए पणसीए विक्कमकालाउ झत्ति अत्थमिओ । हरिमद्दसूरिसूरो भविआणं दिसउ कल्लाणम् ।' આ ગાથાથી છઠ્ઠો શતક સિદ્ધ થાય છે.
For Private And Personal Use Only