Book Title: Jain_Satyaprakash 1941 09 10 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 226
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીસવી અંક] પ્રાચીન ધાતુપ્રતિમાઓ ' [ ૨૧૭] મૂર્તિ ૫ અને ૬. આ બંને મર્તિઓને લગતી વિસ્તૃત માહિતી માટે “શ્રી નાગરી પ્રસારણ પત્રિકા” ના નવીન સંસ્કરણ ભા. ૧૮ અંક ૨ પૃ. ૨૨૧ થી ૨૩૧ પર પ્રસિદ્ધ થયેલ ઇતિહાસપ્રેમિ પં. શ્રી કલ્યાણવિજયજીને લખેલે “મારવાડકી સબસે પ્રાચીન જૈન અર્તિયાં ” નામને હિંદી ભાષામાં લખેલ લેખ જોઈ જવા વિનંતી છે. પ્રસ્તુત લેખને મુખ્ય આધાર લઈને મેં પણ આ માહિતી આપી છે તે માટે તેઓશ્રીનો આભાર માનું છું. મુર્તિ ૫ અને ૬ના ચિત્ર માટે અમારા તરફથી તાજેતરમાં પ્રસિદ્ધ થનાર “ભારતનાં જૈન તીર્થો અને તેમનું સ્થાપત્ય” નામના પુસ્તકનાં ચિત્ર ૨૮ અને ૨૯ જુઓ. આ બન્ને મતિઓ કાયોત્સર્ગ મુદ્રામાં સ્થિત છે. આ મૂર્તિઓ પીંડવાડ (મારવાડ)ના શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં આવેલી છે. આ અર્તિઓ પૈકીની એક મૂર્તિની પાદપીઠ પર પાંચ લીટીઓમાં સંસ્કૃત ભાષામાં એક પબદ્ધ લેખ કોતરેલે છે. મૂળ લેખની અક્ષરશઃ તલ અને તેને અર્થ નીચે આપે છે. (૨) ૩૪ નીરાત્વિવિમાન, સર્વાત્યવિમર્શ ज्ञात्वा भगवतां रूपं, जिनानामेव पावनं ॥ द्रो-चयक (૨) રોવેવ રેવ...................પિ સૈનં કાતિતં સુનત્તમ છે (૨) મરાતા વાત-જુહરિ (ગો)........વર વનાથ ગુફ सज्झानवरणलाभाय ॥ (૪) સંવત્ ૭૭૭ (૧) સાક્ષવિરામદેવ, વિશ્વવિધાથના .. शिल्पिना शिवनागेन, कृतमेतज्जिनद्वयम् ॥ અર્થ–વીતરાગ– આદિ ગુણથી સર્વજ્ઞત્વ પ્રગટ કરવાવાલી જિનેશ્વર ભગવંતોની મૂર્તિ જ છે. (એવું) જાણીને......યશોદેવ ....વગેરેએ જિનમૂર્તિઓની આ જોડી બનાવરાવો. સેંકડો ભવ પરંપરાઓમાં ઉપાર્જન કરેલ કઠિન કર્મરજ....(ના નાશને માટે તથા) સમ્યગ્દર્શન, શુદ્ધજ્ઞાન, અને ચારિત્રના લાભને માટે (થા). વિક્રમ સંવત્ ૭૪૪ માં આ મૂર્તિની જેડીની પ્રતિષ્ઠા થઈ. સાક્ષાત બ્રહ્માની માફક સર્વ પ્રકારનાં રૂપે (મુર્તિએ) નાં બનાવવાવાળા શિલ્પી શિવનાગે આ બન્ને જૈન મૂર્તિઓ બનાવી. પહેલા પદ્યમાં મૂતિદર્શનની આવશ્યક્તા બતાવી છે; બીજા પદ્યમાં મૂતિની જેડી, બનાવરાવવાળા ગૃહસ્થોનાં નામ છે જે ઘસાઈ જવાથી વાંચી શકાતાં નથી; તેઓમાંથી માત્ર યશદેવ નામ ચોકખું વાંચી શકાય છે. ત્રીજા પદ્યમાં મૂતિદર્શનથી થતા ફાયદાઓની પ્રાપ્તિ માટે પ્રાર્થના છે. જેથી લીટીમાં પ્રતિષ્ઠા કરાવ્યાનો સંવત છે અને તેની પાંચમી લીટીમાં મતિ બનાવવાળા શિ૯પી( સ્થપતિ)ની પ્રશંસા લખવામાં આવેલી છે. આ રીતે શિલ્પીના નામનો ઉલ્લેખ કઈક જ સ્થલે કરેલે મળી આવે છે. ઉપરોક્ત મહાવીરસ્વામીના દેરાસરમાં બીજી પણ છ મૂર્તિઓ આઠમા સૈકાની છે. તે છ મૂર્તિઓ પૈકીની ત્રણ મૂર્તિઓ નવ ઇંચ ઊંચી એકલમલ છે અને ઘણી જ ખંડિત થઈ જવાથી પૂજન માટે યોગ્ય નથી. આ મૂર્તિઓ હાલમાં પાછલી દેરીના કપીલામંડપમાં બે ગેખલામાં રાખવામાં આવી છે. બીજી પણ ત્રિતીર્થીઓ તે જ દેરીના મંડપની અંદર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263