________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિત્તન્નવાલના ગુફામંદિરમાં
પલ્લવરાજ્યની જૈન ચિત્રકળા લેખક : શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ, પાલનપુર
ડકોટા સ્ટેટ એ દક્ષિણમાં આવેલ છે. આ રાજ્યમાં કેટલાંએક પુરાતન અતિહાસિક સ્થળોમાં મોલ અને પલ્લવવંશના રાજ્યકર્તાઓના સ્થાપિત કરેલ સ્થળો મળી આવે
છે. આમાં સિત્તનવાલની જેન ગુફામાં આલેખાયેલ જૈન ચિત્રકળા પુરાતન અને ઘણી રસદાયક છે.
આ ગુફામંદિર પુડુક્કોટા શહેરથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ નવ માઈલના અંતરે અડદીઆ જાતના પથરની મોટી ટેકરી ઉપર છે. ઉકત ટેકરી સૈકાઓ પહેલાં જેનોની માલીકીની હોવાનું જણાઈ આવેલ છે. કારણ કે ટેકરી–ટોમની દક્ષિણ બાજુ કુદરતી જમીનમાં બહુ ઊંડાણમાં ગુફા આવેલ છે, જેમાં ખડકની બહારની બાજુ પત્થરની બનાવટની સત્તર ગાદિઓ આવેલ છે તેમાં એકની ઉપર બ્રાહ્મીલિપિમાં ઈ. સ. પૂર્વે ત્રીજી શતાબ્દિને ટૂંકે શિલાલેખ કતરાએલ છે જેમાં વર્ણવેલ છે કે-આ ગુફા જેના “મુનિવાસ”ના ઉપયોગ અર્થે બનાવવામાં આવેલ છે. આ ટેકરીના પગથીઆની ઉત્તર દિશાએ એક બીજ ગુફામંદિર આવેલ છે. તેનું ખોદકામ ઈ. સ. ની સાતમી શતાબ્દિના પલવસ્થાનના જેવું દેખાય છે. જેમાં પલવ ચિત્રકળાના પુરાતન અવશેષો જોવાલાયક છે, જે કેટલાક અંશે બચવા પામેલ છે. તેમાંના એક સ્થંભ પર “દેવ નર્તકી”નું દશ્ય આલેખાયેલ છે.
પલ્લવ ચિત્રકળા. પ્ર. ડુબ્રીલે –“પલ્લવ ચિત્રકળા ” વિષે એક લેખ ઈનડીઅન એન્ટીકવરી નામના જર્નલમાં સન. ૧૯૨૩ ના માર્ચ મહિનાના અંકમાં આપેલ છે. પલ્લવ કોતરકામ અને સ્થાપત્ય સુપ્રસિદ્ધ છે. પરંતુ પલ્લવ ચિત્રકામ એ તદ્દન નવીન વિષય છે. મહાબલીપૂરમ અને મામજૂરમાં જડેલાં રંગનાં અવશેષ ઉપરથી ત્યાંનાં સ્મારકે ચિત્રિત હશે એ શંકાને સ્થાન મળ્યું, પરંતુ આ અવશેષો પલવ ચિત્રકળા (Painting) સમજવા આપણે માટે પુરતા છે. સિત્તન્નવાલમાંના પહાડમાં આલેખાયેલ પલવમંદિરમાંના મોદક ચિત્રો (Fresco)ની શોધ ઘણી અગત્યની છે. આ ચિત્ર ઉપરથી નીચેના સિદ્ધાંત બાંધી શકાય.
(૧) પલ્લવ ચિત્રકળાની પદ્ધતિ એજન્ટાનાં ચિત્રોને મળતી છે.
(૨) કલાની દષ્ટિએ આપણને મળી આવતા આ અવશેષ ઘણુ લક્ષમાં રાખવા જેવા છે, એમ જણાય છે કે પલ્લવોની ચિત્રકળા તેમની મૂર્તિવિદ્યાનકળા કરતાં વધારે સુંદર હતી.
સિત્તન્નવાસલ પુકોટાથી વાયવ્ય દિશામાં નવ માઈલને અંતરે આવેલ નાનું ગામ છે. અને તે નર્તમલૈ, મલૈયદીપટ્ટી, કુડુમિયમલૈ અને કુન્દરકેાઈલથી ચેડા માઈલને અંતરે काठियावाडी और मारवाडो व्यापारियोंके साथ हो जैनधर्म खानदेशमें आया है ऐसी कल्पना उपर्युक्त संशोधनद्वारा सर्वथा निर्मूल हो सकती है । और लगभग आठसो वर्ष पूर्व याने दक्षिणमें मुसलमानोंका आगमन होनेसे पूर्व खानदेशमें जैनधर्मका प्रसार चारों ओर हो गया था यह प्रमाणित होता है।
For Private And Personal Use Only