________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક | શ્રી શીલાંક સુરિ તે કેણ?
[૧૧૮] આ માન્યતા શ્રી મુનિરત્નત અમરચરિત્રને આભારી હોય એમ લાગે છે. પણ આ મંતવ્ય વાસ્તવિક હોવા વિષે શંકા રહે છે, કેમકે આયારની ટીકા વગેરેનો રચના-સમય વિચારતાં શ્રી શીલાંકરિ વિક્રમસંવત ૯૦૭–૯૩૩ ની આસપાસમાં થયેલા ગણાય અને આ તે લગભગ સે વર્ષ પૂર્વેને સમય છે.
શ્રી શીલાંકરિને કેટલાક કેટયાચાર્ય ગણે છે એટલું જ નહિ પણ વીરસંવત ૧૧૧૫ એટલે કે વિકમસંવત ૬૪૫ ની આસપાસ થયેલા શ્રી જિનભદ્રગણિના શિષ્ય માને છે. આ સંબંધમાં વિશેષ વિચાર કરાય તે પૂર્વે એ નોંધી લઈએ કે કેટયાચાર્ય એ શ્રી જિનભણિના શિષ્ય નહિ, પરંતુ એના પ્રશિષ્ય–સંતાનીય કદાચ હોય એમ એ કોટ્ટાચાર્યે રચેલી વિસે સાવસ્મયભાસની ટીકા જોતાં જણાય છે, કેમકે ત્યાં પાઠભેદને ઉલ્લેખ છે. આ કયાચાર્ય તે શ્રી શીલાંકરિ નથી. પરંતુ શ્રી હરિભદ્રસૂરિના પૂર્વગામી છે એમ આ. શ્રી આનંદસાગરસૂરિનું કહેવું છે. એમની પૂર્વગામિતા સિદ્ધ કરવા માટે તેઓ એમ કહે છે કે શ્રી હરિભદ્રસૂરિએ અંબા, કુષ્માંડી વગેરેનો વિદ્યા તરીકે અને વિદ્યારાજ હરિણકમિષીને મંત્ર તરીકે નિર્દેશ કર્યો છે, જ્યારે કેટલાચાયે કેવળ કૂષ્માંડીને વિદ્યા તરીકે અને હરિણકમિષીનો મંત્ર તરીકે ઉલ્લેખ કર્યો છે. આ પર વિશેષ ઊહાપોહ કરવો જોઈએ, પણ તે આ લઘુ લેખમાં બને તેમ નથી એટલે અહીં તો આટલે ઈસારે કરીશ અને સાથે સાથે ઉમેરીશ કે જેસલમેરની હસ્તલિખિત પ્રતિઓને સૂચીપત્ર (પુ. ૧૯૭) માં આ મુજબ નિર્દેશ છે –“ઝિનમદ્રાઉનક્ષમાશમાત્રાધા રHથતા થશેટ્યાત્રાર્ધવાવિત રિ) નમિત્ત” સદ્દગત સી. ડી. દલાલે વાને બદલે વારિની કલ્પના કરી છે, પણ તે સાધાર જણાતી નથી, કેમકે પાટણના જેન ભંડારાને લગતા સૂચીપત્રમાં વારિને જ ઉલ્લેખ છે. અત્રે એ પ્રશ્ન પૂછશ્વાનું મન થાય છે કે સમર્થિતીથી શું સમજવું ? પ્ર. વેલનકરે આ સંબંધમાં જે એમ સૂચવ્યું છે કે કેટાચાર્ય શ્રી જિનભદ્રગણિને મદદ કરી હતી તે શું વાસ્તવિક છે ? - શ્રી શીલાંકરિએ સૂયગડની ટીકાના ૨૧૮ બ પત્રમાં જે નિમિત્તશાસ્ત્રના નિર્દેશ કર્યો છે તેથી શું સમજવું એ પણ એક પ્રશ્ન છે. શું તેઓ નિમિત્તપાહુડને ઉદ્દેશીને આ કથન કરે છે ?
આ પ્રમાણે શ્રી શીલાંકરિ વિષે સમય અને સાધન અનુસાર આટલે ઊહાપોહ કરી હવે હું વિરમું તે પૂર્વે એટલી સૂચના કરીશ કે એમણે જે પહેલાં બે અંગે ઉપર ટીકા રચી છે તેમાં આવતાં અવતરણે એકત્રિત કરાવાં જોઈએ અને તેનાં મૂલ નક્કી કરવાં જોઈએ. સાથે સાથે ચઉપન્નમહાપુરિચરિય સમીક્ષાત્મક પદ્ધતિ પૂર્વક પ્રકાશિત થવું ઘટે. જો તેમ થશે તે શિલાંકસૂરિ તે કણ એને અંતિમ ઉત્તર આપી શકાશે.
૧ આમાં સૂચવાયું છે કે શ્રી જિનભદ્રગણિએ વિસાવસભાસ ઉપર પિતે જે ટીકા રચી છે તેની હસ્તલિખિત પ્રતિ ઉપલબ્ધ છે. જે એમ હોય તો એ સત્વર પ્રકાશિત થવી ઘટે. .
૨ શ્રી શીલાંકરિ અંગે “ A History of the Canonical Literature of the lainas "માં અમાંની પ્રાયઃ બધી બાબતે છુટી છવાયેલી મેં' આલેખી છે. વિશેષમાં ત્યાં આચારના એક નષ્ટ થયેલા અધ્યયનની પણ ચર્ચા કરી છે, એટલે અજીમાં એ વિષય જાણવા ઇચ્છનારે આ અંગ્રેજી પુસ્તક જેવું.
For Private And Personal Use Only