Book Title: Jain_Satyaprakash 1941 09 10 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 220
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બારમા સૈકા પહેલાંની પ્રાચીન ધાતુપ્રતિમાઓ [ લેખક : શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, એમ. આર. એ. એસ, અમદાવાદ ] મેં છે. રત વર્ષની ત્રણે મુખ્ય સંસ્કૃતિએમાં ઘણા પ્રાચીન સમયથી મૂર્તિપૂજાની ભાવના સંસ્કૃતિના અભ્યાસીએ માટે શ્રીયુત્ ટી. એ. ગેાપીનાથરાવે Hindu Iconography ( હિંદુ મૂર્તિવિદ્રાનશાસ્ત્ર ) નામનું પુસ્તક ચાર વાલ્યુમમાં પ્રસિદ્ધ કર્યું છે. Buddhist Iconography ( બૌદ્ધ મૂર્તિવિધાનશાસ્ત્ર ) નામનું પુસ્તક બૌદ્ધ સંસ્કૃતિના અભ્યાસીએ માટે ડૉ. વિનેયાષ ભટ્ટાચાર્ય લખ્યું છે જે આકસફર્ડ યુનિવર્સિટી પ્રેસની મુંબઇની શાખાએ પ્રસિદ્ધ કર્યું છે. પ્રાચીન જૈનાચાર્યોએ જિનમદિરના નિર્માણ અને મૂર્તિવિધાનનાં શાસ્ત્રો રચેલાં હોવા છતાં, તેમજ અનેક કળામય જિનમંદિર, જિનપ્રતિમાએ તથા અન્ય યક્ષ યક્ષિણીની પ્રતિમાએ વિદ્યમાન હાવા છતાં અને જેતેની પાસે અખૂટ સંપત્તિ હોવા છતાં જૈન મૂર્તિવિધાનશાસ્ત્રને પ્રસિદ્ધિમાં લાવવા માટે જોઇએ તેવા પ્રયત્ન કરવામાં આવ્યા નથી. ' થાડા છૂટાછવાયા પ્રયત્ના જરૂર થયા છે. દા. ત. શ્રીયુત ૫. ભગવાનદાસ જૈન, જયપુરવાળાએ ઠક્કર કૃત વાસ્તુસાર નામને ગ્રંથ ગુજરાતી તથા હિંદી ભાષાંતર સહિત પ્રસિદ્ધ કર્યાં છે, પરં'તુ શિલ્પના પારિભાષિક સર્કતા અંગે તેમાં કેટલીક ભૂલા રહી જવા પામી છે. શિલ્પશાસ્ત્રી ન`દાશ'કર મિસ્ત્રીએ પણ · શિક્ષરત્નાકર ' નામને ગ્રંથ ગુજરાતી ભાષામાં અનેક ચિત્રા સહિત પ્રસિદ્ધ કર્યાં છે. તેમાં પણ જૈન તીર્થંકરાના વર્ણના વનમાં મૂળ શ્લોકાના ભાવાની નીચે ખુલાસા આપ્યા નથી. વાદરાનિવાસી શ્રીયુત ઉમાકાત પ્રેમાનંદ શાહ ( મુંબાઇ મહાવિદ્યાલય Bombay University તરફથી Ăાલરશીપ મેળવીને) અને મુંબઈના વિકટેરીયા મ્યુઝીયમના curator શ્રીયુત શાંતિલાલ ઉપાધ્યાય પણ્ Jain lconography સંબંધી નિબંધ માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે. ડૉ. હસમુખલાલ ધી. સકળીઆએ પણ અંગ્રેજીમાં કેટલાક લેખ લખ્યા છે. ઉપરાંક્ત વિદ્વાને તથા મિત્રોને! હું અંગત પરિચય ધરાવતા હોવા છતાં ભારતભરમાં પ તે પતે અને ગામેગામ પથરાએલાં જિનમંદિરના બારીક અભ્યાસપૂર્ણ અવલોકન વગર જૈન મૂર્તિવિધાનશાસ્ત્રને પૂરેપૂરા ન્યાય આપવામાં સફળ ન થઈ શકાય એમ મને લાગે છે. હિંદુધર્મ અને બૌદ્ધધર્માંમાં સાત્ત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ પ્રકારનાં દેવદેવીઓનાં મૂર્તિવિધાન છે, જ્યારે જૈનધર્મીમાં કેવળ સાત્ત્વિક પ્રતિમા જ આરાધ્ય છે. જિનમૂર્તિઓની ખાસ વિશિષ્ટતા—પ્રાચીન ભારતીય શિલ્પીઓએ મૂર્તિએ બનાવવામાં તેના આંતરિક ભાવ અને પરિચિંતનનું દન કરાવવાની ચેષ્ટા કરી છે. આ ચેષ્ટામાં તેએએ મૂર્તિની મુખાકૃતિ જ વિશેષ સુંદર બનાવવાની અને તેમાં યેગ તથા શાંતિના ભાવ બતાવવાની વિશેષ કાળજી રાખી છે. ભારતીય કલાનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ જિનમૂર્તિમાં २७ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263