Book Title: Jain_Satyaprakash 1941 09 10 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 145
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્ય શ્રીમલયગિરિ તેમનું શબ્દાનુશાસન અને લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી, પાટણ आगमदुर्गमपदसंशयादितापो विलीयते विदुषाम् । यद्वचनचन्दनरसैमलयगिरिः स जयति यथार्थः ॥ -વાર્ય શ્રીમત્તિજૂરઃ પ્રસ્તુત સંક્ષિપ્ત લેખમાં આગમનમુકુટમણિ સમર્થ ટીકાકાર આચાર્ય શ્રી મેલગિરિ. કૃત શબ્દાનુશાસન-વ્યાકરણ પરિચય કરાવવામાં આવે છે. આ શ્રી મલયગિરિએ સંખ્યાબંધ જૈન આગમ, પ્રકરણ અને ગ્રંથે ઉપર ટીકાઓની રચના કરી છે, પરંતુ તેમની જો સ્વતંત્ર ગ્રંથરચના કોઈ હોય તો તે માત્ર પ્રસ્તુત પવૃત્તિસહિત શબ્દાનુશાસન ગ્રંથજ છે. શ્રીમલયગિરિસરિ, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રાચાર્યના વિદ્યાસાધનસમયના સહચર હતા. તેમના પ્રત્યે તેઓશ્રીનું એટલું બહુમાન હતું કે તેમણે પિતાની આવશ્યક સૂત્ર ઉપરની વૃત્તિમાં ભગવાન શ્રીહેમચંદ્રને તથા ચાંદુ સ્તુતિપુ જુવક (આવ૦ વૃત્તિ પત્ર ૧૧) એ શબ્દોથી ગુરુતરીકેના હાર્દિક પ્રેમથી સંબોધ્યા છે. આ શ્રીમલયગિરિએ મલયગિરિશબ્દાનુશાસનની રચના કરવા છતાં આપણે તેઓશ્રીને આ. શ્રી હેમચંદ્રની જેમ વૈયાકરણચાર્ય તરીકે સંબોધી કે ઓળખાવી શકીએ તેમ નથી. એ રીતે તે આપણે તેઓશ્રીને જેનપરિભાષા પ્રમાણે આગમિક કે સૈદ્ધાંતિક યુગપ્રધાન આચાર્ય તરીકે ઓળખાવીએ એ જ વધારે ગૌરવરૂપ અને ઘટમાન વસ્તુ છે. સિદ્ધાંતસાગરમાં રાતદિવસ ઝીલનાર એ મહાપુરુષે વ્યાકરણના જેવા કિલષ્ટ અને વિષમ વિષયને હાથમાં ધર્યો એ હકીકત હરકોઈને મુગ્ધ કરી દે તેવી જ છે. સમર્થ વૈયાકરણાચાર્ય ભગવાન શ્રીહેમચંદ્ર જે જમાનામાં સાંગોપાંગ સપાદલક્ષ શબ્દાનુશાસન વ્યાકરણગ્રંથની રચના કરી હોય એ જ જમાનામાં અને એ સમર્થ વ્યાકરણની રચના થઈ ગયા બાદ તરતમાં જ આચાર્ય શ્રીમલયગિરિ નવીન શબ્દાનુશાસન ગ્રંથના નિર્માણ માટે પ્રયત્ન કરે કે હિમ્મત કરે એ વાત પ્રથમ દૃષ્ટિએ આપણને સંકેચકારક તો જરૂર લાગે છે તેમ છતાં આપણને આથી એક એવું અનુમાન કરવાનું કારણ મળે છે કે આઇ શ્રીમલયગિરિઓ, ભ૦ હેમચંદ્ર જેવા પિતાના મુરબ્બીન સર્વતોમુખી પાંડિત્યથી મુગ્ધ થઈ અને કુતૂહલવૃત્તિથી પ્રેરાઈને આ શબ્દાનુશાસનગ્રંથની રચના કરી હશે; અથવા તેઓશ્રીના જીવનમાં જરૂર કોઈ એવું પ્રેરણાદાયી કારણ ઉત્પન્ન થયું હશે જેથી પ્રેરાઈને તેમણે આ વ્યાકરણગ્રંથની રચનાનું કાર્ય હાથ ધર્યું હશે. શ્રીમલયગિરિએ પિતાની વ્યાકરણરચનામાં સંજ્ઞા પ્રકરણ આદિ પ્રત્યેક વસ્તુ માટે શાક્ટાથન, ચાંદ્ર વગેરે પ્રાચીન વ્યાકરણને જરૂર લક્ષ્યમાં રાખ્યાં જ હશે, તેમ છતાં તેમણે પિોતાની વ્યાકરણુરચનાનાં મુખ્ય કેન્દ્રસ્થાન તરીકે ભગવાન શ્રીહેમચંદ્રાચાર્યના પણ બહદ્દ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263