SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્ય શ્રીમલયગિરિ તેમનું શબ્દાનુશાસન અને લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી, પાટણ आगमदुर्गमपदसंशयादितापो विलीयते विदुषाम् । यद्वचनचन्दनरसैमलयगिरिः स जयति यथार्थः ॥ -વાર્ય શ્રીમત્તિજૂરઃ પ્રસ્તુત સંક્ષિપ્ત લેખમાં આગમનમુકુટમણિ સમર્થ ટીકાકાર આચાર્ય શ્રી મેલગિરિ. કૃત શબ્દાનુશાસન-વ્યાકરણ પરિચય કરાવવામાં આવે છે. આ શ્રી મલયગિરિએ સંખ્યાબંધ જૈન આગમ, પ્રકરણ અને ગ્રંથે ઉપર ટીકાઓની રચના કરી છે, પરંતુ તેમની જો સ્વતંત્ર ગ્રંથરચના કોઈ હોય તો તે માત્ર પ્રસ્તુત પવૃત્તિસહિત શબ્દાનુશાસન ગ્રંથજ છે. શ્રીમલયગિરિસરિ, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રાચાર્યના વિદ્યાસાધનસમયના સહચર હતા. તેમના પ્રત્યે તેઓશ્રીનું એટલું બહુમાન હતું કે તેમણે પિતાની આવશ્યક સૂત્ર ઉપરની વૃત્તિમાં ભગવાન શ્રીહેમચંદ્રને તથા ચાંદુ સ્તુતિપુ જુવક (આવ૦ વૃત્તિ પત્ર ૧૧) એ શબ્દોથી ગુરુતરીકેના હાર્દિક પ્રેમથી સંબોધ્યા છે. આ શ્રીમલયગિરિએ મલયગિરિશબ્દાનુશાસનની રચના કરવા છતાં આપણે તેઓશ્રીને આ. શ્રી હેમચંદ્રની જેમ વૈયાકરણચાર્ય તરીકે સંબોધી કે ઓળખાવી શકીએ તેમ નથી. એ રીતે તે આપણે તેઓશ્રીને જેનપરિભાષા પ્રમાણે આગમિક કે સૈદ્ધાંતિક યુગપ્રધાન આચાર્ય તરીકે ઓળખાવીએ એ જ વધારે ગૌરવરૂપ અને ઘટમાન વસ્તુ છે. સિદ્ધાંતસાગરમાં રાતદિવસ ઝીલનાર એ મહાપુરુષે વ્યાકરણના જેવા કિલષ્ટ અને વિષમ વિષયને હાથમાં ધર્યો એ હકીકત હરકોઈને મુગ્ધ કરી દે તેવી જ છે. સમર્થ વૈયાકરણાચાર્ય ભગવાન શ્રીહેમચંદ્ર જે જમાનામાં સાંગોપાંગ સપાદલક્ષ શબ્દાનુશાસન વ્યાકરણગ્રંથની રચના કરી હોય એ જ જમાનામાં અને એ સમર્થ વ્યાકરણની રચના થઈ ગયા બાદ તરતમાં જ આચાર્ય શ્રીમલયગિરિ નવીન શબ્દાનુશાસન ગ્રંથના નિર્માણ માટે પ્રયત્ન કરે કે હિમ્મત કરે એ વાત પ્રથમ દૃષ્ટિએ આપણને સંકેચકારક તો જરૂર લાગે છે તેમ છતાં આપણને આથી એક એવું અનુમાન કરવાનું કારણ મળે છે કે આઇ શ્રીમલયગિરિઓ, ભ૦ હેમચંદ્ર જેવા પિતાના મુરબ્બીન સર્વતોમુખી પાંડિત્યથી મુગ્ધ થઈ અને કુતૂહલવૃત્તિથી પ્રેરાઈને આ શબ્દાનુશાસનગ્રંથની રચના કરી હશે; અથવા તેઓશ્રીના જીવનમાં જરૂર કોઈ એવું પ્રેરણાદાયી કારણ ઉત્પન્ન થયું હશે જેથી પ્રેરાઈને તેમણે આ વ્યાકરણગ્રંથની રચનાનું કાર્ય હાથ ધર્યું હશે. શ્રીમલયગિરિએ પિતાની વ્યાકરણરચનામાં સંજ્ઞા પ્રકરણ આદિ પ્રત્યેક વસ્તુ માટે શાક્ટાથન, ચાંદ્ર વગેરે પ્રાચીન વ્યાકરણને જરૂર લક્ષ્યમાં રાખ્યાં જ હશે, તેમ છતાં તેમણે પિોતાની વ્યાકરણુરચનાનાં મુખ્ય કેન્દ્રસ્થાન તરીકે ભગવાન શ્રીહેમચંદ્રાચાર્યના પણ બહદ્દ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy