________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમુ આ એક સુંદર ટીકાગ્રંથ આપણને પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ સાતમી સદીને હેવાનું અનુમાન છે. જેનાચાર્ય વર્ધમાનકૃત ૨જળસ્ત્રમાધિમાં આ વૃત્તિના કર્તા વિશ્રામ્નવિદ્યાધર એવું વામનનું બીજું નામ આપે છે. હેમચંદ્રાચાર્યે પણ વિશ્રાતવિદ્યાધરનો ઉલ્લેખ કર્યો છે. વામન કૃત એક સ્ટિફનુરાસન પણ મળે છે. તે કયા વામનનું હશે તે જાણી શકાતું નથી. બીજો એક વામન જે થાઇરસૂત્ર નામના અલંકારગ્રંથન કર્યા છે તે આ ટીકાકાર વામનથી સર્વથા ભિન્ન છે એવું તવિદેએ નિર્ણત કર્યું છે.
કાશિકાન્યાસ–તે પછી જાવિત્તિ પર જિનેન્દ્રબુદ્ધિ બૌદ્ધાચાર્યને થાણ પ્રાપ્ત થાય છે. તેમને સમય નિણત નથી છતાં લગભગ ઈ. સ. ૭૦૦ ને માનવામાં આવે છે. - શાદાયન-ત્યાર પછી ફારાથન ૪૩૯ જોવાય છે. વિટાનિકાર ખાસ કરીને સૈનેન્દ્રના ઋણી છે. છતાં ઠીક ઠીક લાવ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ. શાકટાયને પોતે જ પિતાના વ્યાકરણ પર શોધવૃત્તિ રચીને સુંદર વિસ્તાર કર્યો છે અને તેમણે વ્યાકરણની પંચાંગી રચી પૂર્ણતા આણી છે. ફાટાન તેના સમયમાં લોકપ્રિય બન્યું હતું; જે તેના પર રચાયેલી ટીકાઓ અને કેટલાક ગ્રંથો પરથી જાણી શકાય છે. તેના પર વર્ધમાનસૂરિકૃત જાત્રામદધિ અને મધવધતુત્તિવગેરે સુંદર ગ્રંથ ગણાવી શકાય.
આ. શાકટાયને રાષ્ટ્રકૂટવંશીય રાજા અમેઘવર્ષના રાજ્યકાળ (ઈ. સ. ૮૧૪–૮૭૭) માં થયા છે. તેથી આ વ્યાકરણ પણ તે સમયનું માની શકાય. આચાર્ય મલયગિરિજીએ પિતાની નમૂત્ર ની ટીકા (પૃ. ૧૫)માં શાકટાયનને “રાજનીતિશામાઝળઃ” લખે છે. એટલે તેઓ ચાપનીય સંઘના આચાર્ય હતા. યાપનીય સંઘનો બાહ્યાચાર ઘણોખરે દિગંબર સાથે મળતો-ઝુલતો છે. તેઓ નગ્ન રહેતા, અને વેતાંબર આગમોને આદરની દૃષ્ટિએ જોતા. આ. શાકટાયને પિતાની સમોવૃત્તિમાં છેવત્ર, નિયુક્તિ, આદિ વેતામ્બર ગ્રંથને અત્યંત આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે. આ. શાકટાયને કેવલિકલાહાર અને સ્ત્રીમુક્તિના સમર્થન માટે સ્ત્રી અને જિમુક્તિ નામનાં બે પ્રકરણો પણ રચાં છે.૩૧ આમ યાપનીય સંઘ વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયોની કેટલીક વાતોને સ્વીકાર કરતો હતો. એક રીતે આ સંધ બંને સંપ્રદાયને જોડવા માટે શૃંખલારૂપ કાર્ય કરતો.૩૨
આ સમયે મીમાંસક કુમારિલ, જે આઠમી સદીમાં થયા તેમણે વ્યાકરણની ચીવટ ધરાવનાર બ્રાહ્મણોમાં ખળભળાટ મચાવ્યો. તેણે મદભાષ્ય અને વાવસ્થામાં ઉલ્લેખેલ “તમીઠું સ્થાન પદનીયમ્” જે લૌકિક વ્યાકરણ ભણવાનું સૂચવે છે તેનું પિતાના તત્રવત માં ખંડન કર્યું. તેમાં તેણે જણાવ્યું કે-વેદ પર પ્રતિરો એટલે વૈદિક વ્યાકરણ છે તે જ ભણવું જોઈએ. તેથી કંઈ લૌકિક વ્યાકરણ ભણવાની આવશ્યક્તા સિદ્ધ થતી નથી. એટલે તેણે વ્યાકરણની મહત્તામાં લૌકિક પરંપરાને માન્ય ન રાખતાં વેદ
२९ सप्तनवत्यधिकेष्वेकादशसु शतेष्वतीतेषु ( ११९७ ) ।
वर्षाणां विक्रमतो गणरत्नमहोदधिर्विहित : ॥ ૩૦ છે. પાઠકનો Indian Antiquary માંનો ઍક. ૧૯૧૪ના લેખ. ૩૧ આ બંને પ્રકરણે જૈન સાત્રિ સંશોધ ખંડ ૨ ના અંક ૩-૪ માં મુદ્રિત છે. ૩૨ ૫. મહેન્દ્રકુમાર ન્યાયાચાર્યની ચાચવુમુદ્વન્દ મારુ ૨ ની પ્રસ્તાવના.
For Private And Personal Use Only