Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાધનસામગ્રી ૧૮૭૨ ની વસ્તીગણતરી નજીક આવી ને ગેઝેટિયરની યોજના વસ્તીગણતરીના અહેવાલ તૈયાર થાય ત્યાં સુધી મેકુફ રાખવામાં આવી. ૧૮૭૩ માં મુંબઈ સરકારના મુખ્ય સચિવ મિ. ચેપમૅને ગેઝેટિયરની યોજના પિતાના હાથમાં લીધી ને સંગ્રાહક તરીકે મિ. એસ કેમ્પબેલની નિમણૂક કરી. જિલ્લાઓના કલેકટર અને આસિસ્ટન્ટ કલેફટ મારફતે આવેલી માહિતી તેમજ કેટલાક તજજ્ઞોએ તૈયાર કરેલા લેખેના આધારે મુંબઈ ઇલાકા અંગેના કુલ ૩૩ ગ્રંથ તૈયાર કરાયા અને પ્રકાશિત થયા.૯ એમાં ગ્રંથ ૨ થી ૮ ગુજરાતના જુદા જુદા ભાગેને લગતા છે, જે ૧૮૭૭ થી ૧૮૮૪ માં પ્રકાશિત થયા ૧૦
એની વિગત આ પ્રમાણે છે: ગ્રંથ ૨ઃ સુરત અને ભરૂચ જિલ્લા, ૩. ખેડા અને પંચમહાલ જિલ્લા, ૪, અમદાવાદ જિલે, ૫. કરછ પાલનપુર અને મહીકાંઠા, ૬. રેવાકાંઠા નાર્કેટ ખંભાત અને સુરત (એજન્સીનાં) રાજ્ય છે. વડોદરા રાજ્ય ૧૧ અને ૮. કાઠિયાવાડ. આ ગ્રંથમાં તે તે પ્રદેશને વૃત્તાંત સામાન્યતઃ આ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યો હતોઃ ૧વર્ણન, ૨. ઉત્પાદન, ૩. વસ્તી, ૪. ખેતી, ૫. મૂડી, ૬. વેપાર, ૭. ઇતિહાસ, ૮. વહીવટ, ૯, ન્યાય, ૧૦. મહેસૂલ, ૧૧. શિક્ષણ, ૧૨. આરોગ્ય, ૧૩. વહીવટી પેટા વિભાગો કે રાજ્ય અને ૧૪. જોવાલાયક સ્થળે.
આ પ્રકરણે પૈકી ઈતિહાસનાં પ્રકરણ પ્રાચીન તથા મધ્યકાલીન ઇતિહાસ માટે એ સમયની ઘણી મર્યાદિત ઉપલબ્ધ સાધન-સામગ્રી પર આધારિત છે, પરંતુ ૧૮૧૮ થી ૧૮૭૫-૮૨ ના સમય માટે સીધી પ્રમાણિત સાધનસામગ્રીતરીકે ઘણાં ઉપગી છે, વર્ણનનાં પ્રકરણ ભૂગળ અને ભૂસ્તરની દષ્ટિએ ઉપગિતા ધરાવે છે, ઉત્પાદન વસ્તી ખેતી વેપાર અને મૂડીને લગતાં પ્રકરણ એ સમયના આર્થિક સામાજિક ઈતિહાસ માટે અનેકવિધ માહિતી પૂરી પાડે છે, વહીવટ ન્યાય, અને મહેસૂલનાં પ્રકરણ રાજ્યતંત્રનાં વિવિધ પાસાં નિરૂપે છે, શિક્ષણ અને આરોગ્ય જનકલ્યાણની સરકારી પ્રવૃત્તિઓના ઇતિહાસ માટે મદદરૂપ નીવડે છે, તે પેટા વિભાગે કે રાજ્ય અને જોવાલાયક સ્થળનાં પ્રકરણ તે તે વિભાગ, રાજ્ય અને સ્થળના સ્થાનિક ઈતિહાસ અંગે વિવિધ માહિતી ધરાવે છે. બ્રિટિશ અમલના આરંભિક ઇન્સાત દસકાઓના ગુજરાતના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ માટે આમ ગેઝેટિયરના આ સાત ગ્રંથ વિપુલ અને વિવિધ માહિતી પૂરી પાડે છે, જે આ સમયના સરકારી વહીવટદારો મારફતે મળેલી છે.
આ પૈકી કાઠિયાવાડને લગતા ગ્રંથ ૮ ને લાભ ત્યાંની પ્રજાને વિશેષ મળે એ હેતુથી શ્રી. નર્મદાશંકર લાલશંકરે એનું ગુજરાતી ભાષાંતર કર્યું, જે ૧૮૮૬ માં