________________
પાદરીઓને લૂટવા અને મારવા માંડયા. પપે તેને ધર્મ બહાર મૂકો, અને તેની પ્રજાને તેના પ્રત્યે વફાદાર રહેવાના બંધનમાંથી મુક્ત કરી. છેવટે ઈ. સ. ૧૨૧રમાં પિપે તેને પતિત અને પદભ્રષ્ટ થએલે જાહેર કર્યો, અને ફ્રાન્સના રાજાને ઇંગ્લેન્ડ જીતી લેવાની આજ્ઞા કરી.
હવે ન્હનને ચિંતા પેઠી. અમીરે અને પ્રજા તેને માટે કેવી લાગણું ધરાવે છે, એ તે સારી પેઠે જાણતા હતા; એટલે આ પ્રસંગે તે પાપને નમી પડ્યું. તેણે સ્ટીફન લેંગ્ટનને ધર્માધ્યક્ષ તરીકે કબુલ રાખ્યો. અને પિપના પ્રતિનિધિને પગે પડી રાજમુકુટ તેને ચરણે ધર્યો. પિપે તેને ખેડીઆ રાજા તરીકે સ્વીકારી રાજ્ય પાછું આપ્યું. આ વાત સાંભળી ઇંગ્લેન્ડના લોકોને શરમના માર્યા નીચું જોવાનું થયું. હવે રાજ્યતંત્રમાં સુધારા થવા જોઈએ, એ જાહેર અસંતોષ લેકેએ દેખાડે.
હૅનને શરણે આવેલ જેઈ પિપે ફ્રાન્સના રાજાને પાછા જવાની આજ્ઞા કરી. ફિલિપે પાછા જવાની ના પાડી, પણ નૌકાસૈન્ય હારી જવાથી તે પાછા ગયે. જëનને તે ફિલિપની પાછળ પડી તેને માર હતું, પણ અમીએ તેની જોડે દરિયાપાર જવાની ના પાડી.
પ્રજાને સંપ અને મેગ્નાકાટ પિપ જોડેની તકરારની પતાવટ થઈ પણ તેથી ન્હેનને બહુ લાભ થયો નહિ. તેને જુલમે વધી પડયા, એટલે પ્રજા ત્રાહે ત્રાહે પોકારી ગઈ. ફ્રાન્સથી પાછા આવતાં તેણે પિતાની મદદે આવવાની ના પાડનાર અમીરેનાં ખેતરે અને ગામડાં લૂટવા તથા બાળવા માંડયાં. હવે દેશને અમીરે, પાદરીઓ અને સામાન્ય લેકે સંપી ગયા, અને સ્ટીફન લેંગ્ટને તેમની આગેવાની લીધી. એકાદ વખતે જ્હીને પાદરીઓ અને અમીને થોડા ઘણા હક આપીને ફોડવા પ્રયત્ન કર્યો, પણ તેમાં તે બહુ ફાવ્યું નહિ. વળી ઉત્તર અને દક્ષિણના અમીરેએ જરૂર પડે હથિયાર ઉપાડવાના સોગન લીધા. આ અમીરની સભા મળી હતી, તેમાં લેટને હેનરી ૧લાનો પટ કાઢીને
૧. પાદરીઓ ઉપર હૅનનો રોષ એટલો બધો વધી પડયો, કે વેલ્સના એક વતીને પાદરીની હત્યાના આરોપસર તેની પાસે તપાસ માટે આણવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું કે “તેને જવા દે, તેણે મારા શત્રુને મર્યો છે.” .. .