________________
સ
રિચર્ડઃ ૧૧૮૯–૧૧૯૯. હેનરીના મરણ પછી તેને પુત્ર રિચર્ડે ગાદીએ બેઠે. બહાદુરી સિવાંય બાપને એક ગુણ તેનામાં ન હતેા. ઇતિહાસમાં તેને ‘સિંહહૃદયને કહેવામાં આવે છે. તે ઉદાર, ભેાળે, પરાક્રમી અને અવિચારી હતા. રાજ્ય ચલાવવા કરતાં યુદ્ધ કરવામાં તે વધારે પ્રવીણ હતા. તેણે દસ વર્ષ નામનું રાજ્ય કર્યું, પણ તેમાંના ઘણા ભાગ તે તેણે લડાઈમાંજ ગાળ્યો. તેણે પેલેસ્ટાઈનની રણભૂમિ પર અદ્ભુત પરાક્રમે દાખવ્યાં હતાં, અને તેની વાત સાંભળી લેાકેાની છાતી ઉંચી આવતી હતી; પણ તે ઈંગ્લેન્ડમાં માત્ર ખે વખત આવ્યા હતા, અને તેથી દેશની રાજ્યવ્યવસ્થા પર ધ્યાન આપી શખ્યેા ન હતા. તેની ગેરહાજરીમાં દેશમાં અખેડા થયા, અને અવ્યવસ્થા ચાલી. રિચર્ચાના ભાઈ જ્યાંને તેને પદભ્રષ્ટ કરી ગાદી પચાવી પાડવાના પ્રયત્ન કર્યો, અને પરરાજ્યા જોડે મસલત કરી રિચર્ડ વિરુદ્ધ અનેક ખટપટા ઉભી કરી. ક્રુઝેડ પુરી થયા પછી રિચર્ડ ઈંગ્લેન્ડ આવતા હતા, ત્યારે રસ્તામાં આસ્ટ્રિઆના ઠાકારે તેને કેદ પકડયો, અને જર્મન શહેનશાહને સોંપી દીધા. તેણે તેને એક વર્ષ કેદમાં રાખ્યું, અને આખરે ભારે દંડ લઈને છોડી મૂકયેા. ઇંગ્લેન્ડમાં આવીને રિચર્ડે વ્યવસ્થા આણ્ણ અને જહાનને ક્ષમા આપી. ફ્રાન્સની એક લડાઈમાં તીર વાગવાથી રિચર્ડ મરણ પામ્યા. રિચર્ડની ગેરહાજરીથી દેશને એક લાભ થયેઃ એવી લાાને વહીવટ ચલાવવાની તાલીમ મળવા લાગી. લડાઈના ભારે ખર્ચના પૈસા મેળવવા પ્રધાનને લેાકસભા ખેલાવવી પડતી, અને તેમને ખુલાસા આપવા પડતા. રાજ્યતંત્રમાં પ્રજાને અવાજ હોવા જોઇ એ, એ સૂત્રનાં મૂળ આ સમયમાં નંખાયું. જ્હાનઃ ૧૧૯૯–૧૨૧૬. રિચર્ડના મરણ પછી હૅાન ગાદીએ આવ્યા. તે કપટી, ખટપટી અને દુરાચારી હતા. ખરૂં જોતાં ગાદી ઉપર તેના ભત્રીજાં આર્થરના હક થતા હતા, પણ તે બાર વર્ષના કુંવરનો હક જાળવવાની દરકાર કાને હાય ? તેમ છતાં આર્થરે ફ્રાન્સના રાજાની મદદથી ખંડ ઉઠાવ્યું; પણ તેમાં તે ફાવ્યા નહિ, અને ઉલટા કેદ પકડાયા. ભત્રીજો જીવે છે ત્યાં સુધી પોતાની સ્થિતિ સલામત નથી, એમ જાણી રાજલાભી કાકાએ તેનું ખૂન કરાવ્યું. શૈકસ્પિયરે આ પ્રસંગનું હૃદય હલાવી નાખનારૂં વર્ણન આપ્યું છે. તે વાંચનારને જ્હાનને માટે હાડાહાડ તિરસ્કાર વ્યાપે છે.