________________
૪
આપી, અને આયર્લૅન્ડની જીન પછી હેનરીને મારી આપી, લેાકેા એકેટને શહીદ માની દૂર દૂરથી પણ તેની કબરની જાત્રાએ આવવા લાગ્યા. કવિ ચાસરે ‘ કેન્ટરબરી ટેઈલ્સ' માં આ યાત્રાળુઓનું વર્ણન આપ્યું છે. અંતઃ આવા મહાન રાજાનાં છેલ્લાં વર્ષે દુઃખમાં વીત્યાં. પાતાના વિસ્તીર્ણ રાજ્યને અમલ ચલાવવા માટે તેણે પોતાના ઉંમરલાયક પુત્રાને જુદા જુદા પ્રાંતાના હાકેમ બનાવ્યા, અને સૌથી મેટાને પોતાની પાસે રાખ્યા. પરંતુ તેમનામાં રાજ્યલાભ પેઠેઃ તેએ અંદર અંદર તેમજ હેનરીની સામે લડવા લાગ્યા, અને હેનરીના શત્રુએ જોડે મિત્રાચારી કરવા લાગ્યા. તેના ત્રણ પુત્રએ પોતાની માતાની શીખવણીથી બળવા કર્યાં. તેના બે પુત્રા તા મરણ પામ્યા, પણ બીજા બેએ તેની વિરુદ્ધ બળવા કર્યાં. હેનરીની બેવફા રાણીની તેમાં ઉશ્કેરણી હતી, અને ફ્રાન્સને રાજા તે મદદ આપવા તૈયાર હતા. અંગ્રેજ લશ્કર બળવાખારાને પહેાંચી વળ્યું, છતાં હેનરીએ તેમને માડ઼ી આપી. હવે તેને જીવનમાં રસ રહ્યો ન હતા, અને તેની તબીયત લથડતી જતી હતી. આવી સ્થિતિમાં તેણે બળવાખેારાની ટીપ જોવા માગી; તેમાં પેાતાના પ્રિય અને કનિષ્ઠ પુત્ર જ્હાનનું નામ સૌથી પહેલું જોઈ તે તેને બહુ લાગી આવ્યું. તે ખેલ્યો, “ હવે થવાનું હેાય તેમ થાય; મને મારી કે જગતની કંઈ પણ પરવા નથી. ” માત્ર બે દિવસ પછી તે મરણ પામ્યા. હેનરીએ પેાતાના અમલમાં ઇંગ્લેન્ડમાં કરેલું કામ ભૂલી શકાય તેવું નથી. તેની ન્યાય આપવાની પદ્ધતિ વિશાળ સ્વરૂપમાં અદ્યાપિ પર્યંત ચાલુ છે. તેની રાજ્યનીતિને હેતુ રાજસત્તાને પ્રતાપી તે બળવાન બનાવવાને હતા, અને તેથીજ ફ્રાન્સ પર ચઢાઈ કરતી વખતે ફયૂડલ ધારા પ્રમાણે અમીરા પાસેથી ચાલીસ દિવસની નેકરી ન લેતાં તેણે પૈસા લીધા હતા, અને તેમાંથી પેાતાને વફાદાર રહે તેવું લશ્કર ઉભું કર્યું હતું. તેણે રાજસભાની નવીન રચના કરીને અમીરાને નબળા પાડયા હતા. Ăાટલેન્ડ અને વેલ્સ ઉપર સ્વામિત્વને દાવા કરી બ્રિટિશ ટાપુઓની એકતા સાધવાને તેને પ્રયત્ન પુરેપુરા સફળ ન થયે, છતાં તે સ્તુત્ય તેા હતેાજ. ખરેખર, હેનરી ઈંગ્લેન્ડના પ્રતાપી, પરાક્રમી, અને મહાન્ રાજા હતા. તેણે દેશની મહત્તા વધારીને શાન્તિ સ્થાપી, અને રાજ્યવહીવટ માટે ઉત્તમ ધારા ઘડી કાઢયા,
'