________________
૨૩
ધારા શેાધવાનું કહ્યું. એથી તેમણે એક લેખ તૈયાર કરીને જણાવ્યું કે કાઈ ગુનેગાર પાદરી છે કે નહિ, તેને નિર્ણય સામાન્ય અદાલતે કરવા; જે પાદરી હાય તે ધર્મખાતાની અદાલતે તેની તપાસ કરવી, પણ પછી દેશના કાયદા પ્રમાણે સજા કરવાને માટે તેને ન્યાયની અદાલતમાં મેકલવા. આ ધારાને લેન્ડનના ધારા’ કહેવામાં આવે છે.
હેનરી એક્રેટને પેાતાના મિત્ર ગણતા હતા, તેથી તેણે ધાર્યું કે આ નિકાલમાં એકેટ સંમત થશે. પરંતુ દિવાનપદે બિરાજતા એકેટ ધર્માધ્યક્ષ થયા પછી બદલાઈ ગયા હતા. ધર્માધ્યક્ષ થયા પછી તેણે દુનિયાનું વૈભવી જીવન તજી દીધું, સઘળેા ઠાઠમાઠ મૂકી દીધા, અને અત્યંત ધાર્મિક જીવન ગાળવા માંડયું. ધર્મની બાબતમાં પાપનુંજ આધિપત્ય હાઈ શકે એમ માનીનેજ તેણે દિવાનપદ છેડયું હતું, અને ધર્મગુરુની જગા સ્વીકારી હતી. હેનરીએ એકેટની મદદથી ધર્મમાં સુધારા કરવાની આશા છેાડી દીધી. એકેટે કલેરન્ડનના ધારામાં ન છૂટકે સહી કરવાની કબુલાત આપી હતી, પણ વખત આવે તે ફરી ગયા. રાજા અને ધર્માધ્યક્ષ વચ્ચેની તકરાર વધી પડી. એકેટને પણ ઈંગ્લેન્ડમાં રહેવું સલામત લાગ્યું નહિ, એટલે તે રાતેારાત ફ્રાન્સ નાસી ગયા, અને છ વર્ષ (૧૧૬૪-૧૧૭૦) સુધી ત્યાં રહ્યો. પછી સમાધાન થવાથી એકેટ ઈંગ્લેન્ડમાં પાછે આવ્યા, પણ આવતાં વેંત તેણે રાજાના પક્ષમાં ભળેલા ધર્મગુરુઓને ધર્મ બહાર કર્યો, એટલે હેનરીનેા ક્રોધ ઝાલ્યા રહ્યો નહ. ગુસ્સાના આવેશમાં તે ખેલી ઊઠયા, “મારા રોટલા ખાનાર યેાદાએમાં કાઈ એવેા નથી, કે જે આજકાલના એ ઉત્કૃખલ પાદરીને ઉડાવી દે ?” રાજાનાં અવિચારી વેણુ સાંભળી ચાર ચેહ્વા ઉપડયા, અને કેન્ટરબરી જઈ પહેાંચ્યા. ત્યાં દેવાલયમાંજ ધાળે દહાડે ખેકેટનું ખૂન થયું: ઇ. સ. ૧૧૭૦,
એકના દુરાગ્રહ ને આંધળા પક્ષપાત, અને બીજાના અવિચારીપણાનું આવું માઠું પરિણામ આવ્યું. એકેટની હત્યાની ખબર સાંભળતાંજ હેનેરીને બહુ પશ્ચાત્તાપ થયેા. ત્રણ દિવસ સુધી ખાવું પીવું મૂકી દઈ તેણે વિલાપ કર્યાં, અને પાંચ અઠવાડીઆં સુધી કેાઈની મુલાકાત પણ લીધી નહિ. પછી તેણે પાપની માફી માગી, અને પ્રાયશ્ચિત્ત કર્યું. એકેટની કબર પાસે જઈ તેણે પોતાની પીઠ પર ચામુક મરાવ્યા. પાપે એકેટને ‘ સંત ’(Saint)ની પદવી