________________
હેનરીની પરરાજ્યનીતિઃ હેનરી- આવા મોટા રાજ્યને ધણુ હતો, છતાં તેની રાજ્યતૃષ્ણા તૃપ્ત થઈ નહિ. તેને ફ્રાન્સના રાજાની જોડે ઘણે વાર તકરારના પ્રસંગે ઉભા થતા. આખરે ખુલ્લા વિગ્રહ થશે એમ પણ લાગ્યું. પરંતુ તેની ઈછા ફ્રાન્સના રાજાની સામે મેદાનમાં પડવાની નહોતી એટલે તેની જોડે તેણે લાભકારક સંધિ કરી, અને કંચ રાજપુત્રી જોડે પોતાના પુત્રને વિવાહ કર્યો. વળી તેણે વેલ્સને કેટલેક ભાગ કબજે કર્યો; પણ એ પહાડી દેશમાં લશ્કર ઉતારવાનું કામ મુશ્કેલ હોવાથી ત્યાં સ્થાયી જીત મળી નહિ. તેણે ર્કોટલેન્ડ પર કેટલાક હુમલો કર્યો, તેમાં પણ તે ઝાઝું ફાવ્યો નહિ જો કે એક લડાઈમાં સ્કોટલેન્ડનો રાજા કેદ પકડાયો, અને તેની પાસે તેણે પિતાનું આધિપત્ય સ્વીકારાવ્યું, પણ તે પછી તેણે તેને છોડી દીધો. છેવટે તેણે આયર્લેન્ડ જીતવાનો નિશ્ચય કર્યો.
આયર્લેન્ડમાં પ્રાચીન કાળથી ગાલ ઇત્યાદિ જાતિના લેકે રહેતા હતા. ઈગ્લેન્ડની પેઠે ત્યાં પણ ઉત્તરવાસીઓ હુમલા કરતા, પણ અનેક સંકાં સુધી એ લેકે અછત રહ્યા હતા. પરંતુ દેશમાં સંપ ન હતું, અને સરદારે સત્તાને માટે લડી મરતા હતા. હેનરીએ કુસંપનો લાભ લેવાનો નિશ્ચય કર્યો. પિપે પણ તેને આયર્લેન્ડ જીતવાની રજા આપી; કેમકે આયર્લેન્ડના લોકે ખ્રિસ્તી ધર્મ પાળતા હતા એ ખરું, પણ તેઓ પિપને ધર્માચાર્ય તરીકે માનતા ન હતા. દરમિઆન હેનરીને થોડા વખતમાં આયર્લેન્ડમાં વચ્ચે પડવાને લાગ મળ્યો. ત્યાંના સરદારેમાં જે બે પક્ષ હતા, તેમાંના એકે હેનરીની મદદ માગી, અને તેના બદલામાં તેનું સ્વામિત્વ સ્વીકારવાનું વચન આપ્યું. હેનરીએ પોતાના જે સરદારને ત્યાં મોકલ્યો. તેણે દેશનો કબજે મેળવ્યો. પરંતુ હેનરીને ભય પેઠે, કે ત્યાંના સરદારે સ્વતંત્ર થઈ આયર્લેન્ડ પચાવી પાડશે; એટલે ઇ. સ. ૧૧૭૨માં તેણે આયલેન્ડ જઈ બધા સરદારોની પાસે પિતાનું આધિપત્ય સ્વીકારાવ્યું. સાથે સાથે તેણે ધર્મગુઓની સભા મેળવી અને તેમને પિપને વડા ધર્માચાર્ય સ્વીકારવાનું સમજાવ્યું. આમ જે કે હેનરી આયર્લેન્ડને અધિપતિ બન્યું, પણ તે ત્યારે ખરે સત્તાધીશ થઈ શકો નહિ; કેમકે મજબુત રાજ્ય સ્થાપવા તેનાથી ત્યાં ઝાઝો વખત રહી શકાય તેમ ન હતું.