________________
પ્રસ્તાવના
૩૭
જેમ વૈયાકરણો વર્ણથી ભિન્ન સ્ફોટને અભિવ્યક્ત કરનાર વર્ગોને ધ્વનિ કહે છે તેવી જ રીતે સાહિત્યમર્મજ્ઞો શબ્દના સામાન્ય અર્થ-વાચ્યાર્થ-થી ભિન્ન કોઈ વ્યંગ્યાર્થની વ્યંજના કરનાર શબ્દાર્થ યુગલરૂપ કાવ્યને ધ્વનિ કહે છે.
મ. મ. પી. વી. કાણેનું અનુમાન છે કે, ‘“સ્ફોટ સિદ્ધાંત સંભવતઃ પાણિનિ કરતાં જૂનો છે. પાણિનિ તેમના પુરોગામી ‘સ્ફોટાયન’નો ઉલ્લેખ (અવક્છોટાયનસ્ય ।૬ - ૧ - ૧૨૩ અષ્ટા.) કરે છે. ‘વાકચપઢીય’ (૧-૪૪માં) સ્ફોટ સિદ્ધાન્ત રજી થયેલ છે.૧
ધ્વનિ અને વ્યંજના શબ્દોની પ્રાચીનતાનો અભ્યાસ કરનાર ડૉ. તપસ્વી નાન્દી જણાવે છે કે ‘‘વ્યંજના અને પ્રતીયમાન શબ્દો ઋગ્વેદમાં નથી. ઋગ્વેદમાં ‘ધ્વન્’ ધાતુ છે અને અથર્વવેદમાં ‘ધ્વનિ’ શબ્દ છે. તે અવાજના અર્થમાં છે. મલ્લૂ ધાતુ, વિ+જ્જ ધાતુ અને વ્યજ્જન શબ્દો, પછીના સમયમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં પારિભાષિક રીતે પ્રયોજાયા છે.’’
ܕ
૯. ધ્વનિના પ્રકારો અને પેટાપ્રકારો
કાવ્યના આત્મ તત્ત્વ ધ્વનિનો અભાવ નથી, તેને ભક્તિમાં સમાવી શકાય તેમ નથી, તે અનિર્વચનીય પણ નથી એમ પ્રતિપાદિત કરીને તથા ધ્વનિનું લક્ષણ આપીને, સમાસોક્તિ વગેરે અલંકારો અને ધ્વનિ વચ્ચે ભેદ દર્શાવીને આનંદવર્ધન પ્રથમ ઉદ્યોતના ઉત્તરાર્ધમાં, વૃત્તિભાગમાં, ધ્વનિના બે મુખ્ય પ્રકારોનો નિર્દેશ કરે છે. તેના પેટા પ્રકારોની ચર્ચા દ્વિતીય ઉદ્યોતમાં કરવામાં આવી છે.
તે કહે છે, ‘“અસ્તિ ધ્વનિ ! સ વાસાવિવક્ષિતવાવ્યો વિક્ષિતાન્યપવા વ્યક્ષેતિ દ્વિવિધઃ સામાન્યેન । ધ્વનિના આ બે મુખ્ય પ્રકારો છે- અવિવક્ષિતવાસ્થ્ય અને વિવક્ષિતાન્યપરવાચ્ય. પ્રથમ ઉદ્યોતના વૃત્તિભાગમાં આ બે ભેદો દર્શાવ્યા છે, કારિકાભાગમાં તેનો ઉલ્લેખ નથી. દ્વિતીય ઉદ્યોતની પ્રથમ કારિકામાં કારિકાકારે ધ્વનિના ભેદો દર્શાવ્યા છે.
ધ્વનિકાર તેનાં આ ઉદાહરણ આપે છે. (૧) સુવર્ણપુષ્પાં વૃથિવી... ઈ. આમાં અવિવક્ષિતવાચ્ય ધ્વનિ છે. તેને લક્ષણામૂલધ્વનિ પણ કહેવામાં આવે છે. (૨) શિરિનિ નુ નામ... ઈ. વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિવાળા આ ઉઠા. માં એવું સૂચન છે કે જો અધરના જેવા બિંબફળને પ્રાપ્ત કરવાનું આટલું કઠણ છે તો તારા
૧. P. V. Kane. “Hist. of SK. poetics'. p.198.
૨. Dr. Tapasvi Nandi-The origin and development of the theory of Rasa and Dhvani'-p-15,16.
“Thus early occurrences of the અર્ and વિ+અn and યજ્ઞન foreshadow the later technical use in Sk. poetics.”