________________
૧૦૮
પ્રવચન ક્રમાંક - ૪૮, ગાથા ક્રમાંક - ૫૮-૫૯ વાત ખરી કે વિચાર તમે પોઝીટીવ કરો, નકારાત્મક નહિ. સ્વીકારની ભાવના પૂર્વક તમે વિચાર કરો અને જે માણસ વિચારપૂર્વક, સમજીને સ્વીકારે છે તે માણસ જીવનમાં સાર્થકતાનો પૂરેપૂરો અનુભવ કરે છે. માટે આ ગાથામાં કહ્યું કે,
આત્માના અસ્તિત્વના આપે કહ્યાં પ્રકાર,
સંભવ તેનો થાય છે અંતર કર્યો વિચાર.
ગુરુદેવે કહ્યું, શિષ્યે તે સાંભળ્યું અને માત્ર સાંભળીને તે સ્વીકારતો નથી, પણ અંતરમાં વિચા૨ ક૨વાથી તેને લાગે છે કે આત્મા હોવાનો સંભવ ખરો. તમે જે વાત કરો છો તે પ્રમાણે આત્મા હોવો જોઈએ.
હવે જે સૂત્ર આવે છે તે ‘આત્મા છે, અને તે આત્મા નિત્ય છે' બહુ મઝાની વાત કરી. તમે તો કાયમ રહેવાના છો. તમારે બીક રાખવાની જરૂર નથી. ‘મર મર જાયે શરીરા’, આટલો તો ફાયદો થશે ને ? ઘેર જઈને કહેજો, હવે મોતની ચિંતા નથી. ઘરના પૂછશે કે શું થયું ? કેમ એમ ? તો કહેજો,
यह जीव है सदा अविनाशी, मर मर जाय शरीरा, उसकी चिंता कछु नव करना, होई अपन धर्मधीरा.
ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org