Book Title: Atmasiddhishastra Part 02
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 254
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૩ આત્માનો ભાવ પુદ્ગલના પરિણમનમાં નિમિત્ત થાય છે. અલંકારિક ભાષામાં કહેવું છે કે આત્મા અને પુગલ બન્ને મિત્રો છે. મિત્રો છૂટા પડે પણ આ પુદ્ગલ અને આત્મા સંસાર પરિભ્રમણમાં એક સમય માટે પણ છૂટાં પડતાં નથી. બેસો તો પુદ્ગલ સાથે, ઊભા થાવ અને ચાલો તો પણ પુદ્ગલ સાથે. એવું તો નથી બનતું કે ચાલો ત્યારે શરીર ઘરે મૂક્યું અને તમે ચાલ્યા ! એક છે ચેતન અને એક છે જડ. ચેતન Working Partner અને જડ Sleeping Partner છે. ચેતન દ્રવ્યમાં, આત્મામાં જ્યારે કંઈને કંઈ ભાવ ઊઠે છે ત્યારે પુગલમાં એક વિશેષ પ્રકારની રચના થાય છે. જૈન શાસ્ત્રોમાં પુદ્ગલ દ્રવ્યની અનેક વર્ગણાનું (વિભાગોનું) વર્ણન આવે છે, તેમાંની એક વર્ગણા, કાર્મણ વર્ગણા છે. જ્યારે આત્મામાં ભાવ થાય ત્યારે કાર્મણ વર્ગણા ઉપર તેનો પ્રભાવ પડે છે, એક અસર થાય છે, એક પ્રક્રિયા થાય છે, કાર્પણ વર્ગણામાં હલચલ મચી જાય છે. કંઈક રચના થાય છે અને જે રચના થાય છે તેને કર્મ રચના કહેવાય છે. પુગલમાં કાર્મણ વર્ગણામાં જ્ઞાન ગુણ નથી પણ પરિણમવાની ક્ષમતા છે, શક્તિ છે. પરિણમવાના પરિણામે તેમાં જુદી જુદી જાતની અવસ્થાઓ થાય છે. દા.ત. ગુલાબના ફૂલ સાથે કાંટાઓ કોઈએ જોડ્યા નથી. ગુલાબની પાંખડીઓ કોઈ ખીલવવા બેસતું નથી. પોતાની મેળે ખીલે છે. વિકાસ પામે છે. તેમાં રૂપાંતર એટલે ખીલવું અને કરમાવું એવું પરિણમન પણ જીવના કર્મના નિમિત્તે થયા કરે છે. મળવું, વિખરાવું, પરિણમન થવું વિગેરે પુદ્ગલનો સ્વભાવ છે. પહેલી વાત અમારે એ કરવી છે કે પુદ્ગલ સાથે જીવો છો પરંતુ તેની સાથે સંબંધ કાયમ નથી. અનેક વાર પુદ્ગલો મેળવ્યાં, ભોગવ્યાં અને છૂટ્યાં પણ ખરાં, પરંતુ એક વાત એ બની કે પુદ્ગલો છૂટ્યાં પણ આપણી આસક્તિ છૂટી નથી. જેના પ્રત્યે આપણી આસક્તિ હતી તે પુદ્ગલો છૂટ્યાં પણ હજુ તે પદાર્થ પ્રત્યેની આસક્તિ છૂટી નહિ, તેથી એ આસક્તિને લઈને આપણી યાત્રા આગળ ચાલી, અને બીજા પુગલો સાથે આપણાં સંબંધો થયા. તો એક અર્થ એ થયો કે પુદ્ગલ અથવા જડ પદાર્થ આપણી વચ્ચે આવતો નથી, પરંતુ તેના પ્રત્યે જે આપણી આસક્તિ છે તેને લીધે નવા નવા સંબંધો અને નવા નવા ખેલ શરૂ થયા. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે સમાધિશતકમાં કહ્યું છે કે, આતમ-જ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ, ઈદ્રજાલ કરિ લેખવે, મિલે નતિહાં મન-મેલ. ૪ જેને આત્મજ્ઞાન થાય છે, અને આત્મસ્વરૂપમાં જે મગ્ન છે, એને જગત દેખાય છે ખરું, પરંતુ પુગલના ખેલ રૂપે દેખાય છે, અને પુદ્ગલના ખેલરૂપે દેખાતું હોવાથી તેની સાથે એના મનનો મેળ થતો નથી. પરંતુ આપણે તો મનનો મેળ તેની સાથે કરી દઈએ છીએ. જાદુગરનો ખેલ જોઈએ છીએ ત્યારે આપણને ખેલ હોવા છતાં સાચું લાગે છે ને ? પુદ્ગલનો ખેલ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328