Book Title: Atmasiddhishastra Part 02
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 326
________________ ૨૭૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા મુક્ત અવસ્થા છે. આવો મોક્ષ છે. અને શાસ્ત્રોને એમ કહેવું છે કે આ પાંચમું પદ એટલે મોક્ષ છે એમ જેણે આનંદપૂર્વક સ્વીકાર્યું, જેનું હૈયું નાચી ઊઠ્યું, તે સમ્યગ્દર્શન તરફ વળ્યો તેમ કહેવાય. હજુ સમ્યગ્દર્શન થયું નથી પણ સ્વીકાર થયો. અને મોક્ષ છે એ સ્વીકાર જ્યારે થાય ત્યારે સાધના સાર્થક, સમર્પણ સાર્થક. અહીંથી પરિવર્તનની શરૂઆત થશે. મોક્ષ છે તેમ સ્વીકાર્યા પછી જ ખરા અર્થમાં સાધનાની શરૂઆત થશે. ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328