________________
૧૭૯
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પૂછે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે મોક્ષની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા આ ગાથામાં છે.
ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ;
વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. આ અત્યંત મહત્ત્વની ગાથા છે. આમાં બંધની પણ ચાવી છે અને મોક્ષની પણ ચાવી છે. તમને બંને ચાવીઓ આપી છે. બંધની ચાવી તો તમે વાપરી છે. હવે મોક્ષ પ્રાપ્ત કરવાની ચાવી વાપરો. તેની ચર્ચા આગલી ગાથામાં થશે. ઊંડાણથી વિચારજો. અભુત વાતો છે. તેમાં મર્મ છે. જૈન દર્શનનો નિચોડ, નિષ્કર્ષ, સાર આમાં છે. સમજવા કોશિશ કરજો. આનો ઉકેલ આ જન્મમાં જ કરવો છે. સમજશો તો ઉકેલ થશે.
ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ.દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org