Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 21
________________ આપ તેને ઊભા થઇ સકારે, આસન દઈ સુખશાતા પૂછી ઉચિત વિનય અત પછી ઉચિત વિનય અવધારે, ધન તે...૧૪ રત્નાધિક આવે તબ તેને ઊભા થઈ સ. F S S = "R . 45 F F કો'ક કવિએ ગાયેલી એ પંક્તિઓને હૃદયમાં જડી દે... हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण । फुल खुशीयों के बांटे सभी को, सब का जीवन बन जाए मधुबन । મારે એ નથી વિચારવું કે, “આખી જીંદગીમાં મને શું મળ્યું છે ? બધાએ મને શું આપ્યું છે ?” મારે તો એ જ વિચારવું છે કે “મેં બીજાઓને શું આપ્યું ?” મારે તો બધાને આનંદના પુષ્પોની પ્રભાવના કરવી છે, જેની સુગંધથી બધાયનું જીવન મધુવન બની જાય. “ગુરુએ મને શું આપ્યું ? મને પાઠ આપ્યો ? મને શિષ્યો બનાવી આપ્યા? મને I વાત્સલ્ય આપ્યું? આ બધું મારે નથી વિચારવું. ભલે એમણે મને ન આપ્યું, ઓછું IT આપ્યું પણ મારે એનો વિચાર નથી કરવો. મારે તો એ જ જોવાનું છે કે “મેં ગુરુને શું આપ્યું? મેં ગુરુની સેવા કરી ? એમની જ આજ્ઞાઓ અક્ષરશઃ પાળીને એમને પ્રસન્ન કર્યા ? એમના ઉપકારો બદલ એમની પર ઉપબૃહણા કરી? મુક્ત કંઠે એમના શાસનકાર્યોની – આરાધનાની પ્રશંસા કરી? મારા Et નિમિત્તે એકાદ ક્ષણ પણ એમને ચિંતા કરવી જ ન પડે એ માટેના પ્રયત્નો મેં કર્યા? # મારે એ વિચારવું જ નથી કે “મારા સહવર્તી સંયમીઓ મને સહાયક બને છે ; 3 કે નહિ? મારા પ્રત્યે લાગણી દર્શાવે છે કે નહિ ? મારા વિકાસમાં ખુશ છે કે નહિ? શું મારા સુકૃતોની પ્રશંસા કરે છે કે નહિ ? મારા તપમાં, મારી માંદગીમાં, મારી # અશક્તિમાં, મારી મુંઝવણોમાં મને અનેકાનેક પ્રકારની સહાય કરે છે કે નહિ ? ૧ મારે તો માત્ર એટલું જ વિચારવું છે કે, હું મારા આ સાધર્મિક સંયમીઓને 3. કેટલી સહાય કરું છું? મને એમના પ્રત્યે લાગણી છે કે નહિ ? એમના વિકાસમાં મને આ આનંદ છે કે ખેદ ? એમના શિષ્યો થાય, એમના વ્યાખ્યાનો વખણાય, એ તપ- આ ધ સ્વાધ્યાયાદિમાં આગળ વધે એમાં મને હર્ષ ખરો કે નહિ ? હું એમના સુકૃતોની મા અનુમોદના કરું છું ? એમની નાની નાની ભૂલોને ભૂલી જઉં ખરો ? એમના તપ, માંદગી, અશક્તિમાં ખડે પગે સેવા કરવા તત્પર રહું છું ખરો ?” મારે એ વિચારવાનું જ નથી કે “મારા શિષ્યો મારી આજ્ઞા માને છે ? મારી સેવા કરે છે? મારી આમન્યા જાળવે છે? મારા પ્રત્યે સદૂભાવવાળા છે ? અંદરોઅંદર એ ક્ષ મારા માટે સારી વાત કરે છે ?' ણ મારે તો એ જ વિચારવું છે કે “મે એમના હિત માટે શું કર્યું ? ભક્તોને-શ્રાવકોને 1 minimummy સ્વાર્થ ૦ (૧૪) પnimatnagar

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156