Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 142
________________ णमो त्थु ण समणस्स भगवओ महावीरस्सामा त्थु ण समणस्स भगवओ महावीरस्स ૧૨. દોષ નં. ૧૧ – કદાગ્રહ न मा S (૧૧) કદાગ્રહ : આમ જોવા જઉં તો કદાગ્રહ અને જીદ બંને એક જ દોષ મને 5 સ્તુ લાગે છે. છતાં એમાં અતિ મહત્ત્વનો સૂક્ષ્મ ભેદ એ પાડી શકાય કે કદાગ્રહ ન શાસ્ત્રીયપદાર્થો અંગે હોય, જીદ રોજીંદા વ્યવહારમાં હોય. રોજીંદા વ્યવહારની જીદ મૈં કરતા શાસ્રીય પદાર્થો અંગેનો કદાગ્રહ એ અતિભયંકર દોષ છે, કેમ કે એ સીધી મૈં મિથ્યાત્વની જ ભેટ આપે છે. त न म ना આજે મારે એ વિચારવું છે કે પાંચ મહાવ્રતોના ભંગ કરતા પણ વધુ ભયાનક શા તરીકે લેખાતો આ દોષ મારામાં તો નથી ને ? એક જ પળમાં જિનશાસનની બહાર ધકેલી દેતો, નિર્ભવ બનાવી દેતો આ દોષ મારામાં તો નથી ને ?' શાસ્રબહુમાન| શાસ્ત્રરાગ-શાસ્રશ્રદ્ધા-શાસ્રનિષ્ઠા વગેરે વગેરે મજાના લેબલોની વચ્ચે મારામાં જાણેઅજાણે કદાગ્રહ દોષ તો ફાલ્યો-ફુલ્યો નથી ને ? તારી તદ્નેથી ચ યાત્... એ યોગબિન્દુની ગાથા મારામાં તો સાચી નથી પડતી ને ? કે જેમાં એમ દર્શાવ્યું છે કે ‘શાસ્ત્ર પ્રમાણે પ્રવૃત્તિ કરનારાઓ કેટલાક તો હકીકતમાં શાસ્ત્રના શત્રુ જ બની રહે છે...' અધ્યાત્મ સારમાં કહ્યા પ્રમાણે મારો શાસ્રબોધ - શાસ્ત્રચુસ્તતા (!) મને સંસારવર્ધક તો બનતી નથી ને ? આ રહ્યો એ શ્લોક ! 'धनिनां पुत्रदारादि यथा संसारवृद्धये । तथा पाण्डित्यद्दप्तानां शास्त्रमध्यात्मवर्जितम् ॥' કદાગ્રહના સ્વરૂપ અનેક પ્રકારના હોઈ શકે છે. + આપણા જૈનશાસ્ત્રોમાં લખેલું હોય એ જ સાચું. બીજાના શાસ્ત્રોમાં લખેલું હોય આ તે ખોટું જ હોય. 111111111111111 સ મ 21 + જૈનોમાં પણ શ્વેતાંબરશાસ્ત્રોમાં લખેલું જ સાચું. બીજા શાસ્ત્રોમાં લખેલું હોય તે ખોટું જ હોય. FFEE F ग्र 111111111111111 આ મ સ + શ્વેતાંબરોમાં પણ અમારો ગચ્છ જે અર્થો કરે છે, અમારો ગચ્છ જે પદાર્થો માને છે, એ જ સાચા... બીજા ગચ્છો જે અર્થો કરે છે, જે પદાર્થો માને છે... એ ખોટા ! એમને કંઈ આવડતું જ નથી... + મારા ગુરુ જે અર્થ બતાવે એ જ સાચો. બીજાઓ જે અર્થ બતાવે એ ખોટો. ક્ષ + હું ભણેલો છું, મારી પાસે શાસ્ત્રોનો સૂક્ષ્મબોધ છે. મેં પુષ્કળ ચિંતન કરેલું ણ (934) mmmmmm m કદામહ

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156