Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text ________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ ક્ષાયોપશમિકભાવનેઅલગ રીતેરજૂ કરતા કહ્યુંછેકે-‘તેતેકર્મના સર્વઘાતી સ્પર્ધકોના ઉદયના અભાવથી અને દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી લાયોપામિક ભાવો પ્રગટે છે.
આ અઢાર ગણોને નામ નિર્દેશ સહ ભાષ્યકાર જણાવે છે (૧) મતિજ્ઞાન (૨) શ્રુત જ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) મતિ અજ્ઞાન (૬) શ્વેત અજ્ઞાન (૭) વિભંગ જ્ઞાન (મિથ્યાત્વયુકત અવધિજ્ઞાન ) (૮) ચક્ષુદર્શન (૯) અચક્ષુદર્શન (૧૦) અવધિ દર્શન (૧૧) દાન લબ્ધિ (૧૨) લાભ લબ્ધિ (૧૩) ભોગ લબ્ધિ (૧૪) ઉપભોગ લબ્ધિ (૧૫) વીર્ય લબ્ધિ (૧૬) સમ્યક્ત્વ (૧૭) સર્વવિરતિ (૧૮) દેશ વિરતિ
૨૨
-
ચાર ઘાતી કર્મોના ક્ષયોપશમ્ થીજ આ અઢાર ગુણોનું પ્રાગટ્ય દર્શાવે છે. જેમકે ઃ – ” જ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમ થકી પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન [મિથ્યાત્વ સહચરીત જ્ઞાન] (નો ભાવ) પ્રગટે છે.
દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ થકી ત્રણ દર્શન (નો ભાવ) પ્રગટ છે. અંતરાય કર્મના ક્ષયોપશમ થકી દાનાદિ પાંચ લબ્ધિ (નો ભાગ) પ્રગટે છે. મોહનીય કર્મના ક્ષયોપશમ થકી [દર્શનમોહનીય ના ક્ષયોપશમ થકી] સમ્યક્ત્વ અને [ચારિત્ર મોહનીયના ક્ષયોપશમ થકી] બંને પ્રકારના ચારિત્ર [નો ભાવ] પ્રગટ થાય છે. (૧) મતિજ્ઞાન ઃ પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા જે જ્ઞાન થાય તે [વિશેષાર્થ : અધ્યાય : ૧ સૂત્ર ૯ માં કહેવાઇ ગયો છે]
” મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતુ જ્ઞાન તે મતિ જ્ઞાન
(૨) શ્રુત જ્ઞાન ઃ – મન અને ઇન્દ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલોચન પૂર્વક થતો બોધ. વિશેષાર્થ - અધ્યાય : ૧ સૂત્ર ઃ ૯ માં કહેવાઇ ગયો છે]
શ્રુત જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ થી પ્રગટ થતું જ્ઞાન તે શ્રુત જ્ઞાન
(૩) અવધિજ્ઞાનઃ ઇન્દ્રિય કે મનના નિમિત વિના આત્મશકિતવડે થતો રૂપી પદાર્થોનો બોધ [વિશેષાર્થ- અધ્યાય : ૧ સૂત્રઃ ૯માં કહેવાઇ ગયો છે]
x અવધિજ્ઞાનાવર કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતું જ્ઞાન તે અવિધ જ્ઞાન.
(૪) મનઃ પર્યવજ્ઞાન : અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞિ પંચેન્દ્રિય જીવોના મનનાવિચારોનો – પર્યાયોનો બોધ વિશેષ ચર્ચા અધ્યાય : ૧ સૂત્રઃ ૯ માં થયેલી છે ]
મનઃ પર્યાયજ્ઞાનવરણ કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતું જ્ઞાન તે મનઃ પર્યાય જ્ઞાન, મતિ વગેરે ચાર જ્ઞાનની પૂર્વે વ્યાખ્યા કરાયેલી છે. અહીં માત્ર તે ભાવની ઓળખ જ આપી છે.
અહીં મત્યાદિચાર જ્ઞાનાવરણીય કર્મના તમામસર્વોપાતિસ્પર્ધકોનો ધ્વસ્તઅને દેશોપધાતીસ્પર્ધકોનો સમયે સમયે વિશુદ્ધિ અપેક્ષાએ અનંત ભાગે ક્ષય તથા બીજાની ઉપશાન્તિ થાય છે. સમ્યગ્દર્શનના સાહચર્યથી તેને જ્ઞાન કહ્યું છે. તે જ આ ક્ષયોપશમજ જ્ઞાન ચતુષ્ય કહેવાય છે. તત્વાર્થ ધિગમસૂત્ર – સિદ્ધસેનીય ટીકા ભાગ ૧− પૃ ૧૪૪ (૫) મતિ અજ્ઞાન :– મિથ્યાત્વયુકત મતિજ્ઞાનવરણના ક્ષયોપશમથી પ્રગટે તે
(૬) શ્રુત અજ્ઞાન : મિથ્યાત્વયુકત શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી પ્રગટે તે (૭) વિભંગ જ્ઞાન : મિથ્યાત્વયુકત અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી પ્રગટે તે વિપરીત અવધિજ્ઞાન કે વિભંગ જ્ઞાન.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194