Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫૧ .
અધ્યાયઃ ૨ સૂરઃ ૧૨
છે અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) નવતત્વ ગાથા વૃત્તિ (૨) જીવવિચાર ગાથા ૪૩ [9] પદ્ય
સૂત્રઃ૧૦ અને સૂત્ર ૧૧ નું સયુકત પદ્ય (૧) જીવ સંસારી અને સિધ્ધ તણા એમ દ્વિવિધા
મનયુકત ને મનરહિત એમ બે સંસારી મતા મનોયુકત મનોરહિત ત્રણ સ્થાવર રૂપ છે
એમ ઘણા ભલે ભેદો આત્મા છતાંયે એક છે. U [10] નિષ્કર્ષ-સમનસ્ક સંસારી જીવો પૂર્વાપર ભાવોનો વિચાર કરવા સમર્થ હોઈ તેઓ સમ્યક્ત ગુણને પ્રાપ્ત કરવાના અધિકારી છે જિનવાણી શ્રવણ કે અન્ય નિમિત્ત પામી તેઓ આત્મ કલ્યાણ સાધી શકે છે. જયારે અમનસ્ક જીવો આત્મ કલ્યાણ સાધી શકતા નથી માટે મોક્ષેચ્છુકજીવો આ સત્ય સમજીદ્રવ્યમના અને ભાવમન થકી આત્મ કલ્યાણ સાધવા પુરુષાર્થ કરવો જોઈએ.
_ _ _ _ _ _ _
(અધ્યાય૨-સત્ર:૧૨) U [1]સૂત્રહેતુ-મનના અસ્તિત્વને આધારે જીવના બે ભેદ જણવ્યા હવે આ સૂત્ર થકી સંસારી જીવના બીજા બે ભેદ ને જણાવે છે.
0 [2]સૂત્ર મૂળ-સંસારિખાસસ્થાવર: U [3]સૂત્ર પૃથક-સંસારિખ: 28 -સ્થાવરી:
3 [4]સૂત્રસાર-સંસારી[જીવો બે પ્રકારના હોય છે ત્રસ (ગતિ કરનાર) અને સ્થાવર (ગતિ નહીં કરનાર)
[5]શબ્દ જ્ઞાનઃસંસારિ: –સંસારી-- (પૂર્વ સૂત્ર ૨:૧૦માં કહેવાઈ ગયું છે) ત્રસા:- જે હાલે ચાલે અર્થાત ગતિવંત હોય તે ત્રણ સ્થાવર:- જે સ્થિર રહે અર્થાત પોતાની મેળે ગતિ કરી શકતા નથી તે જીવો. U [6] અનુવૃત્તિઃ- નીવ શબ્દનો અધિકાર ચાલુ છે.
U [7] અભિનવટીકા- જીવોના જુદા જુદા ભેદને આ અધ્યાયમાં સૂત્રકારે ગુંથેલા છે તે રીતે આ સૂત્રમાં સંસારી જીવોના મુખ્ય બે ભેદ રજૂ કર્યા છે.
સંસારિખ:-સંસર શબ્દનો અર્થ લક્ષણ સૂત્ર ૨:૧મા કહેવાઈ ગયેલ છે. સંસાર: વેષાદ્ધિ તે સંસારિક વ્યાખ્યાનુંસાર સંસારી કોને કહેવા તે પણ ત્યાં કહેવાઈ ગયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org