Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૯
૧૧
પ્રમાણ અધિકાધિક ૧લાખ યોજન, આહારક શરીરનું પ્રમાણ એક હાથ છે અને તૈજસ-કાર્મણ શરીરનું પ્રમાણ લોકમાત્ર છે.
(૬) પ્રદેશસંખ્યાઃ- સૂત્ર ૨:૩૯ તથા ૨:૪૦માં કહેવાઇ ગયા મુજબ-તૈજસ ની પેલા પેલાના શરીરોના પ્રદેશ અસંખ્યાત ગુણા છે અને છેલ્લા બે શરીરોના પ્રદેશ અનન્તગુણા છે. તેથી ઔદારિક થી વૈક્રિયઅને વૈક્રિયથી આહારક ના પ્રદેશ અસંખ્યાતગુણા છે અને આહારકથી તૈજસ તથા તૈજસ થી કાર્યણ શરીરના પ્રદેશો અનંતગુણા છે.
(૭)અવગાહનાઃ- અવગાહના-પ્રમાણ મુજબજ સમજવી જેમકે ઔદારિક ની અવગાહના ૧૦૦૦ યોજન-વૈક્રિયની ૧ લાખ યોજન વગેરે.
(૮)સ્થિતિઃ-સમયના પ્રમાણનેજ સ્થિતિ કહેવામાં આવેછે. ઔદારિક શરીરનીજધન્ય સ્થિતિ અન્તર્મુહર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩-પલ્યોપમની છે.
-વૈક્રિય શરીરની જધન્ય સ્થિતિ અન્તર્મુહર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩-સાગરોપમની છે. –આહારકની જધન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અન્તર્મુહર્તની છે
તૈજસ તથા કાર્યણ શરીરની સ્થિતિ અભવ્યોની અપેક્ષા એ અનાદિ અનંત અને ભવ્યોની અપેક્ષાએ અનાદિ સાન્ત છે.
(૯)અલ્પબહુત્વઃ- હિનાધિક પણાને અલ્પબહુત્વ કહે છે. અર્થાત્ આ પાંચ શરીરોમાં કોને ધારણ કરનારા ઓછા અને કોને ધારણ કરનારા વધુ છે તેની જાણકારીને અલ્પ બહુત્વ કહ્યું છે. સૌથી ઓછી સંખ્યા આહારક શરીરની છે. આ શરીર કયારેક હોય છે અને કયારેક ન પણ હોય. આહારકથી વૈક્રિય શરીર વાળાનું પ્રમાણ અસંખ્યાતગુણ છે. વૈક્રિયથી ઔદારિક વાળાનું પ્રમાણ અસંખ્યાતગણુ છે. ઔદારિક થી તૈજસ-કાર્યણનું પ્રમાણ અનન્તગુણહોય છે. આ ઉપરાંત દિગમ્બર ગ્રન્થોમાં સંજ્ઞા-લક્ષણ-સામર્થ્ય વગેરે દૃષ્ટિએ પણ પાંચે શરીરની ભિન્નતાનું વર્ણન આવે છે. જેમ કે સંજ્ઞા-સંજ્ઞા એટલે વિશેષ નામ-પાંચે શરીરના વિશેષનામ અલગ અલગ છે તેથી જ ઔદારિક-વૈક્રિય વગેરે નામો પડેલા છે. અથવા પાંચે શરીર પોતપોતાના નામ કર્મોદય મુજબ થયા કરે છે. જેમ કે ઔદારિકનામકર્મના ઉદય થી ઔદારિક શરીર ની રચના થાય છે. વૈક્રિયનામકર્મના ઉદયથી વૈક્રિયશરીરની રચના થાય છે વગેરે
[] [8]સંદર્ભ:- [આ સંદર્ભ મૂળ સૂત્રને આશ્રીને છે ભાષ્યને આશ્રીને નથી]
આગમસંદર્ભઃ- આહાર સરીરે ખં મંતે વિષે પળત્તે । ગોયમાં યારે પળો । प्रमत्त संजय सम्मदिट्ठि ... समचउरंस संठाण संठिए पण्णत्ते । सम. प्रकिर्णक समवाय ૨૬૪-૬૬૯-૧૬૬ શરીર પર્ Ë- પ્રજ્ઞા ૫. ૨૬ સૂ. ૨૭૩/૧-૧-૧
અહીં સમ્યગ્દષ્ટિ પ્રમત્ત સંયત કહ્યા છે. તેને આધારે ચૌદ પૂર્વધર જ સમજવું જેવિશેનો ખુલાસો સમવાયાંગ વૃત્તિમાં જોવા મળે છે.
ૐ તત્વાર્થસંદર્ભ:- પૂર્વોકત સૂત્ર ૨:૩૭ ગૌવરવૈક્રિયા. અન્યગ્રન્થસંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ સર્ગ-૩-શ્લો.૯૯, ૧૦૦
અ ૨/૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org