Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૯
૧૫૯ રચના કરે છે. અરિહંત પરમાત્મા પાસે જઈ સંશય નિવારણ કરી પાછા ફરે છે. આહારક શરીરનો ત્યાગ કરે છે.
* પર્વ-અવધારણ અર્થમાં છે ચૌદપૂર્વધર મુનિ જ આ લબ્ધિ વિદુર્વવાને સમર્થ છે. જ વિશેષ - આ આહારક શરીર લબ્ધિ પ્રત્યય જ હોય છે -તપોવિશેષ કારણોથી ચૌદ પૂર્વધરને જ ઉત્પન્ન થઈ શકે છે
-શ્રુતજ્ઞાન ના કોઈ અતિ ગહન કે અતિ સૂક્ષ્મ વિષયમાં જયારે તે પૂર્વધર મુનિને સંશય થાય છે ત્યારે તે વિષયનો નિશ્ચય કરવા માટે આહારક શરીરની રચના કરે છે.
–જયારે સંશય નિવારણ કરવું હોય ત્યારે અરિહંત પરમાત્મા પાસે જવાની ઇચ્છા થાય છે. પણ ભગવાન કદાચ તે ક્ષેત્રમાં ઉપસ્થિત ન હોય, એવા વિદેહાદિક અન્ય ક્ષેત્રમાં હોય કે જયાં ઔદારિક શરીરથી પહોંચવું શકય ન હોય ત્યારે લબ્ધિ પ્રત્યય એવા આહારક શરીરની રચના કરવી આવશ્યક બનતી હોય છે.
-જેમણે લોકા લોકનું પ્રત્યક્ષ અવલોકન કરેલું છે, એવા અરિહંત પરમાત્મા પાસે આહારક શરીર વડે પ્રભુના દર્શન-વંદન કરીને પ્રશ્ન કરે, પૂછીને સંશય નિવારણ કરે, નિવારણબાદ પાછા મૂળ સ્થાને આવે, પાછા આવીને પોતાના ઔદારિક શરીરમાં પ્રવેશ કરીદે ( ૪ આહારક શરીર બનાવીને નીકળે ત્યારથી શરીરમાં પ્રવેશ કરે ત્યાં સુધી અંતર્મુહૂર્ત પ્રમાણકાળ થાય છે.
૪ આ શરીરની જધન્ય અવગાહના એક હાથથી કંઇક ઓછી અને ઉત્કૃષ્ટ અવગાહના પુરા એક હાથ પ્રમાણ હોય છે.
૪ આ શરીર અત્યંત સૂક્ષ્મ હોવાથી તેની ગતિમાં કોઈ પ્રતિપાત થતો નથી. * तैजसमपि शरीरं लब्धि प्रत्ययं भवति
–તૈજસ શરીર પણ લબ્ધિ પ્રત્યય હોય છે -ભાષ્યમાં આહારક શરીરની અનંતર તૈજસ શરીરનો પાઠ છે [દિગંબર આમ્નાયમાં તે તૈનસમરિ સૂત્ર રૂપે વિદ્યમાન છે.] હરિભદ્રિય ટીકામાં કહ્યું છે તેમ તૈનસ શરીર વ્યનિમિત્તાપ ને તુ વ્યિનિમિત્તમ્ gવ અર્થાત્ લબ્લિનિમિત્તક છે પણ માત્ર લબ્ધિ નિમિત્તક જ નથી.
-તૈજસ શરીરનું વર્ણન પૂર્વેસૂત્રર:૩૭મહીર વૈવિય ની અભિનવટીકામાં થયું છે.
-જે તેજનો વિકાર છે અર્થાત અવસ્થા વિશેષરૂપ છે તેને તૈજસ શરીર કહે છે. લીધેલા ખોરાકનું પાચન કરાવવું અને નિગ્રહ -અનુગ્રહ કરવામાં શરીર કાર્યકરે છે.
– જયારે આ શરીરને લબ્ધિ પ્રત્યય રૂપે સ્વીકારીએ ત્યારે તે લબ્ધિ તપોવિશેષ અનુષ્ઠાન જન્ય હોવાથી તેવું તૈજસ શરીર બધા જીવોને હોતું નથી. જયારે લબ્ધિ નિમિત્તક સિવાયનું તૈજસ તો બધાં જીવોને પૂિર્વોકત સૂત્ર રઃ૪૨ અનાદ્ધિ સન્ડ્રન્થવ માં જણાવ્યા મુજબ અનાદિ સંબંધ વાળું જ હોય છે.
જ સ્વોપજ્ઞ ભાષ્યમાં મૂળ સૂત્રના ભાષ્ય પછી ચાર વાત લખી છે. (૧)સૈનસમ-જે ઉપર કહેવાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org