Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૮
તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે. તે સિવાય સુખ દુઃખનો અનુભવ વગેરે કરે છે તે બધું ઉપયોગને લીધેજ. તેથી ઉપયોગ સર્વ પર્યાયોમાં મુખ્ય છે.
(૩) સ્વરૂપ અને લક્ષણ વચ્ચે શો ભેદ છે?
છે સર્વ સાધારણ રીતે બંને વચ્ચે કોઈ ભેદ નથી. પરંતુ અહીં સૂત્રકાર સ્વયં બંનેને અલગ દર્શાવે છે. એટલા માટેજ અધ્યાયના આરંભે બે પ્રશ્નો મુક્યા - (૧) જીવનું સ્વરૂપ શું (૨) તેનું લક્ષણ શું? [શે નવા વર્ષા ક્ષો વા]
સર્વ પ્રથમ પાંચ ભાવો દર્શાવી જીવનું સ્વરૂપ સ્વતત્વ) જણાવ્યું અને આ સૂત્ર થકી લક્ષણ દર્શાવે છે.
હવે જે સ્વરૂપ દર્શાવ્યું તે લક્ષણ રૂપ તો હતું જ કેમકે તે ત્રેપન ભાવોને પણ જીવના અસાધારણ પર્યાય રૂપે જ જણાવેલા છે પરંતુ આ અસાધારણ (લક્ષણ) સ્વરૂપ બધા એકસરખા જણાતા નથી.
– કેટલાંક ભાવો કોઇકવાર હોય છે અને કોઈકવાર નથી પણ હોતા - કેટલાંક ભાવો સમગ્ર લક્ષ્યમાં રહેતા નથી – કેટલાંક ભાવો સમગ્ર લક્ષ્યમાં ત્રિકાળવર્તી હોય છે. આવા કારણોથી તે તે ભાવોને જીવનાસ્વતત્વ કે સ્વરૂપ કહયા, પણ લક્ષણ કહયું નથી.
જયારે ઉપયોગ એ બધાં જીવમાં સર્વકાળ અને સર્વક્ષેત્રવર્તી હોય છે. આ તેનું અસાધારણ તત્વ છે. માટે તેને “લક્ષણ'' કહયું છે.
વળી ઔપશમિક આદિ ભાવોમાં કોઈક ભાવ જીવ સિવાય [અજીવમાં પણ જોવા મળે છે. જયારે [બોધ વ્યાપાર રૂ૫] ઉપયોગ જીવ સિવાય અન્યત્ર કયાંય પણ જોવા મળતો નથી.
સંક્ષેપમાં કહીએ તો આ અધ્યાયનું પ્રથમ સૂત્ર જીવનું સાંગોપાંગ સ્વરૂપ દર્શાવે છે. જયારે પ્રસ્તુત સૂત્ર જીવને ઓળખવાની મુખ્ય નિશાની દર્શાવે છે.
U [8] સંદર્ભઃ# આગમ સંદર્ભઃ(૧) વા વો ગીવે & મા. શ. ૨ ૩. ૨૦ રૂ. ૧૨૦ (૨) નીવો ડવગો ઉો - ૧ ૩ ૫. ૨૮-. ૨૦ :
* પ્રજ્ઞા. ૫. ૨૮-જૂ. ૩૨ # તત્વાર્થ સંદર્ભઃઉપયોગના ભેદો - અ.૨ સૂક. છે અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) પંચસંગ્રહ ૧/૩ (૨) દવ્યલોક પ્રકાશ સર્ગ: ૨ ગ્લો: પ૩ (૩) દંડક ગા. ૨૩ વૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org