Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૨ સૂત્ર: ૮
૩૭. * लक्षण:- लक्ष्यतेऽनेन ईति लक्षणम्
– ઘણાં મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ જૂદો કરવા વાળા હેતુને સાધનને) લક્ષણ કહે છે
- "व्यतिकीर्णवस्तुव्यावृतिहेतुः लक्षणम्
- પરસ્પર ભળી ગયેલ હોવા છતાં જેના દ્વારા વિવલિત વસ્તુની ભિન્નતાનો બોધ થાય છે. તેને લક્ષણ કહે છે. જેમકે જીવ અને કર્મભળેલા લાગે છતાં ઉપયોગ અને રૂપ રસાદિ જીવ તથા પુદ્ગલ અલગ પડી જાય છે. – ઉદ્દિષ્ટ ના અસાધારણ સ્વરૂપનું નિરૂપણ એટલે લક્ષણ
ઉિપયોગ એ જીવનું અસાધારણ લક્ષણ છે. ૪ આ લક્ષણ ત્રિકાલ અબાધિત છે. અસંભવ અવ્યાપ્તિ કે અતિ વ્યાપ્તિ દોષથી રહિત છે. કેમકે કોઈપણ જીવ એવો નથી કે જેમાં જ્ઞાન-દર્શન ન હોય. કોઈપણ જીવમાં અક્ષરના અનંતમાં ભાગે તો જ્ઞાન રહેલું જ હોય છે. તેમજ જગતનો બીજો કોઈ પદાર્થ એવો નથી કે જેમાં જ્ઞાન અને દર્શન રહેલું હોય.
આ રીતે જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ બધાંજીવમાં હોય છે. અને જીવ સિવાય અન્ય કોઈ દ્રવ્યોમાં હોતા નથી માટે તેને જીવનો અસાધારણ ગુણ કે લક્ષણ કર્યું છે. વળી તે અદ્ભુત હોવાથી તમામ જીવોમાં જોવા મળે છે.
$ જીવ કે જેને આત્મા પણ કહેવાય છે. તે અનાદિ સિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય છે. અરૂપી હોવાથી ઇન્દ્રિયો વડે તેનું જ્ઞાન થતું નથી પરંતુ તે સ્વસંવેદન, પ્રત્યક્ષ તથા અનુમાન આદિથી થઈ શકે છે.
અસાધારણ જિજ્ઞાસુ માટે આત્માની ઓળખ કરાવતું લક્ષણ દર્શાવવા માટે જ આ સૂત્ર બનાવેલું છે.
આત્માએ લક્ષ્ય કે શેય છે, અને ઉપયોગ લક્ષણ–જાણવાનો ઉપાય છે. જગત અનેક જડ ચેતન પદાર્થોનું મિશ્રણ છે એમાંથી જડ અને ચેતનનો વિવેકપૂર્વક નિશ્ચય કરવો હોયતો
ઉપયોપ'' દ્વારા થઈ શકે છે. કેમકે ઉપર જણાવ્યા મુજબ “ ઉપયોગ” પ્રત્યેક જીવમાં અવશ્ય જોવા મળશે પણ તે જડમાં બિલકુલ જોવા મળશે નહીં.
શંકા અને સમાધાનઃ
(૧) ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર અર્થ કર્યો - તો આ ક્રિયા જીવમાં થાય છે અને જડમાં કેમ થતી નથી.?
# બોઘનું કારણ ચેતના શકિત છે. તે જીવમાં હોય છે માટે તેમાં બોઘક્રિયા થઈ શકે છે. અજીવમાં ચેતના શકિતના અભાવે બોધરૂપ થઈ શકતો નથી.
(૨) જીવ સ્વતંત્ર દ્રવ્ય હોવાથી તેમાં અનેક ગુણ સંભવે છે છતાં ઉપયોગને જ લક્ષણ કેમ કહયું?
૪ આત્મામાં અનંતગુણ પર્યાય છે. તે વાત ખરી પણ બધામાં ઉપયોગ જ મુખ્ય છે. કેમકે સ્વપરપ્રકાશ રૂપ હોવાથી તે ઉપયોગ જ પોતાનું તથા ઇતર પર્યાયોનું જ્ઞાન કરાવી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org