Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 81
________________ ४८ द्वितीय षोडशकम् आगमग्रहणविधिप्ररूपणम् I पारेणाधिकारिकर्तृकत्वात् प्रवचनमातृरहितस्य त्वतथात्वादागमग्रहणं अत्यन्तफलदं न भवति ॥२/९|| 'गुर्वित्यादि । गुरुपारतन्त्र्यमेव च तद्बहुमानात्सदाशयानुगतम् । परमगुरुप्राप्तेरिह वीजं तस्माच्च मोक्ष इति ॥२ / १०॥ कल्याणकन्दली सूत्रार्थग्रहणविधिरुक्तः । एतादृशागमग्रहणस्याऽत्यन्तफलदायित्वे हेतुमाह- अधिकारिकर्तृकत्वात् = प्रवचनमातृसहित - कृतयोगोद्वहनगुर्वनुज्ञातादिलक्षणाऽधिकारिणा क्रियमाणत्वादिति भावः । प्रवचनमातृरहितस्य तु अतथात्वात् = आगम-ग्रहणानधिकारित्वात् प्रवचनमातृरहितकर्तृकं आगमग्रहणं अत्यन्तफलदं न भवति, उपलक्षणात् 'गुर्वाद्याशातनाविधाय्यकृतयोगोद्वहनादिकर्तृकमकालाऽ-स्वाध्यायादिकालीनं वाऽगमग्रहणमत्यन्तापायकारी' त्यपि ज्ञेयम् । तदुक्तं टीकाकृतैव ऐंन्द्रस्तुतिचतुर्विंशतिकावृत्ती महानिधानकल्पस्य सिद्धान्तस्य विना विधिं ग्रहणेऽपायसम्भवात् [છે.૨.રૃ.૨૦/૩] તિ । ચરકસંહિતાયામપિ > યુગૃહીત क्षिणोत्येव शास्त्रं शस्त्रमिव बुधम् । सुगृहीतं तदेव ज्ञं शास्त्रं शस्त्रञ्च रक्षति ॥ -- [સિદ્ધિસ્થાન-૩૩ધ્યાય-૨૨/૪] ૨/૫ मूलग्रन्थे दण्डान्वयस्त्येवम् गुरूपारतन्त्र्यमेव च तद्बहुमानात् सदाशयानुगतं [ सत्] इह परमगुरुप्राप्तेः बीजं, तस्माच्च --> ← <-- વિશેષાર્થ :- અષ્ટ પ્રવચનમાતા એ ચારિત્રનો સાર છે. તેના નિરંતર પાલનથી આત્મામાં મોક્ષ પ્રત્યે વિશિષ્ટ આસ્થા-વિશ્વાસ પેદા થાય છે. ઘણો સંસાર ઓછો થાય પછી જ જીવને મોક્ષની શ્રદ્ધા પ્રગટી શકે છે. પ્રતિદિન દીર્ઘકાલીન આદરસહિત અષ્ટ પ્રવચનમાતાના પાલનથી સાધુને ‘હવે મારે સંસારમાં બહુ ભટકવાનું નથી. થોડા જ ભવમાં મોક્ષમાં જવાનું છે' - આ જાતની મોક્ષ પ્રત્યે વિશિષ્ટ આસ્થા પેદા થાય છે. માટે તેને સંસારભય રહેતો નથી. આવી પ્રતીતિ કરવા માટે નિરંતર આદરપૂર્વક અષ્ટ પ્રવચનમાતાનું પાલન આવશ્યક છે. તેમ જ ભવિષ્યમાં થનારા તેવા પ્રકારના વિશિષ્ટ અપાય-પતન-મોક્ષપ્રતિબંધક કર્મવિપાકોદય-ગાઢ અશુભ અનુબંધો વગેરે આદરપૂર્વક અષ્ટ પ્રવચનમાતાના પાલનથી નાશ પામવાના લીધે સાધુનું આત્યંતિક-ઐકાંતિક હિત થાય છે. - Jain Education International --> ( વિધિયુક્ત અધિકારીકક આગમગ્રહણ જ વિશિષ્ટડલદાયી બીજી એક મહત્ત્વની વાત એ છે કે આગમગ્રહણ વિધિયુક્ત અને અધિકારીકર્તૃક હોય તો જ વિશિષ્ટ ફલદાયી બને છે. આગમ-ગ્રહણનો મતલબ છે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષાદિ ક્રમથી આગમનું પરિશીલન. આવા આગમગ્રહણની વિધિ એ છે કે ભણનારા પોતાની જગ્યાએ બેઠા બેઠા દૂરથી ભગાવનાર જે બોલે તે ન સાંભળે પરંતુ ભાગનારા દરેક પોતાના આસન, કામળી, કપડા વગેરે દ્વારા વાચનાચાર્યની નિષદ્યા = ઊંચી બેઠક બનાવી, વાચનાચાર્યને દ્વાદશાવર્ત વંદન કરી, અનુભાષકને દ્વાદશાવર્ત વંદન કરી, વર્તુળાકારે [માંડલિરૂપે] વાચનાચાર્યની આસપાસ ઉભડક પગે [ચૈત્યવંદનાદિ મુદ્રામાં] બે હાથ જોડીને આદરપૂર્વક કાલવેળાઅસાય વગેરે સિવાયના સમયમાં આગમની `શાસ્ત્રની વાચના ગ્રહણ કરે. વાચનાચાર્યની સમક્ષ બધા ગોળાકારે બેસેલ હોય તો વાચનાચાર્યની દરેક ભણનારા ઉપર નજર-ધ્યાન પડે. વાચનાચાર્યની મુખાકૃતિ-હાવભાવ દ્વારા દરેક જણ તેમનો કહેવાનો ભાવ સ્પષ્ટ રીતે સમજી શકે. વાચના લેનારની મુખમુદ્રા દ્વારા વાચનાચાર્યને પણ ‘કોણ કેટલું સમજે છે ?' તેનો ખ્યાલ આવવાથી તેને અનુસારે તેઓ વિવેચન કરી શકે. વાચના લેતી વખતે સ્થાપનાચાર્ય પધરાવવા જોઇએ, કારણ કે તેની સાક્ષીએ વાચના આપવાની છે અને લેવાની છે. આનું કારણ એ છે કે તેનાથી- પરમગુરુ-ગણધર-તીર્થંકરદેવોએ કહેલું મારે કહેવાનું છે- આ સાવધાની વાચનાચાર્યને રહે. તેમ જ શિષ્યને આશ્વાસન મળે કે પરમગુરુએ કહેલું મને અહીં સાંભળવા મળશે. વાચનાચાર્યનું આસન પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ રાખવું, અતિઠંડી-ગરમીવાળા સ્થાનમાં ન રાખવું. વાચનાચાર્યની શારીરિક પ્રકૃતિને અનુકૂળ તેમ જ પ્રકાશવાળા સ્થાનમાં રાખવું, વાચનાચાર્ય પધારે તે પહેલાં શિષ્યોએ આવી જવું. આ રીતે વાચના લેનારનો ઉત્સાહવિનય-વિવેક જોઈને ગુરુને વાચના આપવાનો ઉલ્લાસ રહે અને શિષ્યને જ્ઞાન પરિણમે. આ રીતે વ્યવહારસૂત્ર વગેરેમાં આગમગ્રહણ વિધિ બતાવેલ છે. વાચનાચાર્ય વાચના આપે તે પછી વાચનાચાર્યે સમજાવેલ પદાર્થો વધુ સ્પષ્ટ રીતે મંદબુદ્ધિવાળા ભણનારાઓને ફરીથી સમજાવે તેને અનુભાષક કહેવાય. આગમગ્રહણ અધિકારીકÇક હોવું જોઈએ તેનો મતલબ એ છે કે આગમગ્રહણ કરનારા તેના અધિકારી હોવા જોઈએ. જે પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિના પાલન કરનારા હોય, યોગોહન [ોગ] કરેલા હોય, ગુરુએ તે તે શાસ્ત્ર ભગવાની રજા આપી હોય, ગુરુને વફાદાર હોય, આગમ ઉપર આદરવાળા હોય તે વ્યક્તિ આગમ શાસ્ત્ર વગેરે ભગવાના અધિકારી છે. શ્રાવકો કે ોગ કર્યા વગરના સાધુઓ આગમ ભગવાના અધિકારી નથી, વિશિષ્ઠ શ્રાવકો ૪૫ આગમમાંથી માત્ર દશવૈકાલિક સૂત્રના શરૂઆતના ચાર અધ્યયનને સૂત્રથી તથા પાંચમા અધ્યયનને અર્થથી ભાગવાના અધિકારી છે. અવિધિથી કે અનધિકારીથી ગ્રહણ કરાતા આગમાદિ શાસ્ત્રો વિશિષ્ટ ફલદાયી બનતા નથી, ક્યારેક અનર્થદાયી પણ નિવડે છે. [૨/૯] મધ્યમબુદ્ધિને આપવાનો અન્ય ઉપદેશ પણ મૂલકારથી બતાવે છે કે ગાથાર્થ :- ગુરૂષારતન્ત્ર એ જ ગુરુબહુમાનથી સદાશયયુક્ત [હોય ત્યારે] અહીં પરમગુરૂપ્રાપ્તિનું બીજ બને છે અને તેથી મોક્ષ થાય છે. [૨/૧૦] વિશુદ્ધ ગુરૂપારતંત્મ્ય પરમગુરુપ્રાપ્તિબીજ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240