________________ 100 શ્રી મુનિપતિ ચરિત્રમ કંઈ કામ હોય તે જરૂર કહો.” ત્યારે ભદ્રા શેઠાણીએ કહ્યું: “હે સખી! તારે કરવા જેવું મારું કામ એ છે કે જે સંતાન તને થાય તે તારે મને આપવું અને મને - જે સંતાન થશે તે હું તને આપીશ.” ચંડાલએ સોગંદખાવાપૂર્વક શેઠાણની તે વાત સ્વીકારી. કેટલાક મહિના જતાં તે બંનેને એક જ દિવસે પુત્રો ઉત્પન્ન થયા ત્યારે ચંડાલણને ગુપ્ત રીતે પિતાનો પુત્ર શેઠાણીને આપે અને શેઠાણીએ પણ પોતાનો પુત્ર ચંડાલણીને ગુપ્ત રીતે આપ્યો. આ વાત બીજું કઈ જાણતું નથી. ચંડાલણીએ લીધેલો શેઠાણનો પુત્ર તો તે જ વખતે મરી ગયે. - હવે ધનાવહ શેઠે પિતાને ઘેર પુત્ર જન્મનો મહે-- ત્સવ કર્યો, વર્ધામણી આપવી, વિગેરે મહોત્સવપૂર્વક શેઠે તેનું બેમેતાય” એવું નામ પાડયું. અને ધીમે ધીમે. તે માટે થતાં સકલ કલાઓમાં સંપૂર્ણ થયો. : હવે અહીં રાજપુત્રનો જીવ જે દેવ હતો તેણે તે મેતાર્યને પ્રતિબંધ પમાડવા માટે રાત્રિમાં સ્વપ્નામાં આવીને કહ્યું : “હે મિત્ર! તું દીક્ષા લે. પણ તે મેતાર્ય તે બેધ પામતો જ નથી.” ' હવે અહીં આઠ મેટા શેઠીઆઓની કન્યાઓ સાથે તેનો વિવાહ કરવા માટે શેઠે સામગ્રી એકઠી કરી. વરઘોડે ચડાવ્યો. કે . . . . ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust