Book Title: Munipati Charitram
Author(s): Sanyamsagar
Publisher: Simandhar Swami Jin Mandir Khatu

View full book text
Previous | Next

Page 218
________________ શ્રી મોહજિત ચરિત્રમ પરિસ્થિતિમાં આ ત્માનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે છે તેના માટે અહીં ઉત્તમોત્તમ દાક્ત આપવામાં આવે છે. તે નીચે પ્રમાણે એક અપાર સમુદ્રમાં એક મનુષ્ય ભયભીત થયેલે અહીં તહીં ભટકી રહ્યો છે. સમુદ્રના કાંઠે જવા માટે કઈક વસ્તુને શોધે છે, તે પ્રસંગે શુભકામના ઉદયથી એક પાટીયું તેણે મેળવ્યું તેની મદદથી તે ધીમે ધીમે તરે છે તે સમયે એકદમ એવું બન્યું કે— ' એક મોટા ઝંઝાવાતને પણ જલમાં પ્રવેશ થ. છતાં અત્યંત કેટે પાટીયાની મદદથી બહાર આવવા પામે છે તે વખતે કાંઠે રહેલ મનુષ્ય તેને એમ કહે છે કે- “હે ભવ્યજીવ! ધીરજ રાખીને આ તારી આગળ ચાલતી નાવ ઉપર ચઢી જઈને અનુક્રમે નાવને વહન કરતો કરતો કાંઠે લાગેલી સાંકળને પકડીને કાંઠે આવી જા અને પછી આપણે બંને આ નગરમાં જઈએ તો જ ઘણુ સુખી થઈશું " . : - આ આનંદ આપનારાં વચન સાંભળીને નાવ ‘ઉપર ચઢી જઈને યત્નપૂર્વક કાંઠે જવા માટે પાટીયાને વહાવે છે અને અનુક્રમે કાંઠાની નજીક આવીને કાંઠે રહેલા મનુષ્ય બતાવેલ સાંકળને પકડી" કાઠે રહેલા મનુષ્યને એમ કહે છે કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222