________________
- જિનાગમ સ્તુતિ
(અંધત્વ ટાળવા માટે) જીવે એ માર્ગને વિચાર કર; . દઢ મોક્ષેચ્છા કરવી એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તે માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજે. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલે છે. જો કે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે, તથાપિ
જે કંઈ પણ અવશ્ય કરવા એગ્ય હતું તે તેણે કર્યું નથી; -જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. - ૧ સૂયગડાંગ સૂત્રમાં અષભદેવજી ભગવાને જયાં
અઠ્ઠાણું પુત્રને ઉપદેશ્યા છે, મેક્ષ માર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે.
હે આયુષ્યમને! આ જીવે સર્વ કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે પુરૂષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.
૧ સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે–ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરૂષે માર્ગ પામીને મેક્ષપ્રાપ્ત થયા.
એક આ સ્થળે નહી પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાને લક્ષ છે.
૧ પ્રથમ શ્રુતરકધ દિતીય અધ્યયન ગાથા ૩૧-૩૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org