Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સુધી આહારની ઇચ્છા બની રહે છે. એ પણ સભવ છે કે પૃચ્છાના સમયે આહ્વાર સંજ્ઞામાં ઉપયાગવાળા ઘણા હેાય આહાર સંજ્ઞામાં ઉપયાગવાળાઓની અપેક્ષાએ પરિગ્રહ સંજ્ઞામાં ઉપયેગવાળા સખ્યાત ગણા અધિક છે, કેમકે આહારની ઇચ્છા ફકત શરીર પાષણને માટે હાય છે, જ્યારે પરિગ્રહની અભિલાષા શરીરને માટે છે અને આયુધાને માટે પણ ડાય છે, અને તે અધિક કાળ સુધી રહે છે, તેથી પૃચ્છાના સમયે પરિગ્રહ સ`જ્ઞામાં ઉપયોગવાળા અધિક મળી આવે છે. તેમની અપેક્ષાએ ભય સ ́જ્ઞામાં ઉપયોગવાળા સખ્યાત ગણા અધિક હાય છે, કેમકે નરકમાં નારક જીવાને મૃત્યુ પર્યંન્ત ભય વિધમાન રહે છે, એ કારણે ભયસ’જ્ઞામાં ઉપયોગવાળા નારક પૂર્વની અપેક્ષાએ સખ્યાત ગણા અધિક છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! તિર્યંચ જીવ આહાર સજ્ઞામાં ઉપયુક્ત થાય છે? યાવત્ પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે? અર્થાત્ ભય, મૈથુન, અને પરિગ્રહ સંજ્ઞાએમાંથી શામાં ઉપયેગવાળાં થાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! બાહ્યકારણેાની અપેક્ષાએ ખડુલતાથી તિ``ચ આહાર સંજ્ઞામાં ઉપર્યુક્ત (ઉપયેગવાળા) થાય છે, કેમકે પ્રત્યક્ષ એવુ' જ દેખાય છે. સન્તતિભાવ અર્થાત્ આન્તરિક અનુભવના ભાવની અપેક્ષાએ તિહુઁચ ભયસંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે, મૈથુન સંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે અને પરિગ્રહ સંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે.
શ્રી ગૌતમસ્વામી:-હે ભગવન્! આહાર સંજ્ઞામાં ઉપયુક્ત યાવત્ ભય સંજ્ઞામાં ઉપયુકત મૈથુન સંજ્ઞામાં ઉપયુકત અને પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુકત તિય ચામાં કાણુ કેાની અપેક્ષાએ અલ્પ, ઘા, તુલ્ય અથવા વિશેષાધિક થાય છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ! બધાથી ઓછા તિય ચ પરિગ્રહ સ ́જ્ઞામાં ઉપયુક્ત થાય છે, તેમને પરિગ્રહ સંજ્ઞા અલ્પ કાલિક હાવાથી પૃચ્છાના સમયે થાડા જ મળી આવે છે. મૈથુનમાં ઉપયુકત તિય ́ચ પરિગ્રહ સંજ્ઞાવાળાની અપેક્ષાએ સંખ્યાત ગણા અધિક છે, કેમકે મથુન સ`જ્ઞાના ઉપયેગ પ્રચુરતર કાળ સુધી થઇ રહે છે. એમની અપેક્ષાએ ભયસજ્ઞામાં ઊપચેગવાળા સ ́ખ્યાત ગણા અધિક છે, કેમકે તેઓને સજાતીય પ્રાણિયા અર્થાત્ તિય ચા અને વિજાતિયેા અર્થાત્ તિ ચૈતર પ્રાણિયાથી ભય થયા કરે છે. અને ભયને ઉપયેગ પ્રચુરતમ કાળ સુધી રહે છે. તેમની અપેક્ષાએ પણ આહાર સંજ્ઞામાં ઉપયુકત તિયચ સખ્યાત ગણા અધિક હૈાય છે, કેમકે બધા તિય ચામાં સદા આહાર સ'જ્ઞાના સદૂભાવ રહે છે.
શ્રી ગૌતમસ્વામી હે ભગવન્! મનુષ્ય શુ આહાર સંજ્ઞામાં ઉપયુકત થાય છે ? શું મૈથુન સ ́જ્ઞામાં ઉપયુકત થાય છે? અથવા શું પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુકત થાય ? શ્રી ભગવાનન્હે ગૌતમ! મનુષ્ય ખર્ડુલતાથી મૈથુન સંજ્ઞામાં ઊપયુકત થાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૭