Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિશિષ્ટ અવધિ જ્ઞાન તેમજ કેવલજ્ઞાનથી હિત છે, તે શૈલેશી અવસ્થાના અન્તિમ સમય સંબન્ધી તે નિર્જરા પુદ્ગલેના અન્યત્વને જાણે છે? અર્થાત્ આ પુદ્ગલ અમુક શ્રમણના છે અને આ નિર્જરા પુદ્ગલ અમુક સાધુ સમ્બન્ધી છે, એ ભિન્નતાને જાણી શકે છે? શું તે તે પુદ્ગલેમાં રહેલા વર્ણાદિના ભેદને અર્થાત્ નાનાત્વને ઓળખી શકે છે? એજ પ્રકારે શું તેમની હીનતા, તુચ્છતા અર્થાત્ નિઃસારતા, ગુરૂતા અગર લઘુતાને જાણે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! આ અર્થ સમર્થ અર્થાત્ આ વાત યુક્તિ સંગત નથી. છસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલેના અન્યત્વ અગર ભિન્નત્વ આદિને નથી જાણી શકતા
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શા કારણે એમ કહેવાય છે કે છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલેના અન્યત્વને, ભિન્નત્વને, હીનતાને, તુચ્છતાને તથા ગુરૂતાને અને લઘુતાને નથી જાણતા?
શ્રી ભગવાન-હે ગૌતમ ! કઈ કઈ દેવ પણ એવા હોય છે. જે તે નિર્જર પુદ્લેના અન્યત્વને, નાનાત્વને, હીનત્વને તથા તુચ્છત્વ, ગુરૂત્વ. અથવા લઘુત્વને જાણતા દેખતાનથી, એ કારણે હે ગૌતમ! એવું કહેવાય છે કે છત્મસ્થ મનુષ્ય એ નિર્જરા પુદ્ગલેના નાના– આદિને નથી જાણતા અને દેખતા પણ નથી. હે આયુષ્યમ– શ્રમણ ! તે નિર્જર પુદ્ગલે એટલા સૂક્ષમ હોય છે અને સંપૂર્ણ લેકને વ્યાપ્ત કરીને રહેલા હોય છે. તાત્પર્ય એ છે કે દેવ મનુષ્ય અપેક્ષા એ અધિક પટુ ઈન્દ્રિયવાળા હોય છે અને જયારે કોઈ કઈ દેવ પણ તે પુગલે, અન્યતા આદિને અવધિજ્ઞાનથી નથી જાણી શકતા તેમજ અવધિદર્શનથી નથી દેખી શકતા તે પછી માણસની તે વાત જ શી છે.
શલેશી અવસ્થાના અતિમ સમયવતી તે પુદ્ગલે સમસ્ત લેકને સ્પર્શ કરે છે, તેથી જ ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે–ભગવદ્ ! શું નારક તે નિર્જરા પુદ્ગલેને, જે અત્યન્ત સુમ હોય છે અને કર્મ પર્યાથી રહિત થયેલ છે, જાણે છે અને દેખે છે અને આહાર કરે છે અથવા નથી જાણતા, નથી દેખતા પરંતુ આહાર કરે છે?
શ્રી ભગવાન્-ગૌતમ ! નારકજીવ તે નિર્જરા પુદ્ગલેને નથી જાણતા, નથી દેખતા. કેવળ તેમને આહાર કરે છે. પુદ્ગલેને સ્વભાવ વિચિત્ર હોય છે, તેથી જ આ હારરૂપમાં પણ તેમનું પરિણમન થવું સંભવ છે. પણ તેમનું જ્ઞાન અને દર્શન તેમને નથી થઈ શકતું. એ જ પ્રકારે પંચેન્દ્રિય તિય સુધી જાણવું જોઈએ. અર્થાત્ નારકની જ સમાન અસુરકુમાર આદિ ભવનપતિ પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિકલેન્દ્રિ, પશે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૩૩