Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાયિકના જીવ અનન્ત હોય છે.
શ્રી ચૈતમસ્વામી–હે ભગવન ! એક એક નારકની નરકભવની અવસ્થામાં અતીત ભાવેન્દ્રિયે કેટલી છે?
શ્રી ભગવ-હે ગૌતમ ! અનત અતીત ભાવેન્દ્રિય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવત્ બદ્ધ કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! એક એક નારકની બદ્ધ ભાવેદ્રિ પાંચ હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અનાગત ભાવેન્દ્રિય કેટલી છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! કેઈ નારકની નારક રૂપમાં ભાવી ભાવેન્દ્રિયે હોય છે, કેઈની નથી હોતી અર્થાત્ જે નારક નરકમાંથી નિકળીને અન્યગતિમાં ઉત્પન્ન થઈને પુનઃ નારકમાં ઉત્પન થનાર છે, તેની નારકપણે ભાવી ભાવેન્દ્રિય હોય છે. કિન્તુ જે જીવને વર્તમાન નારક ભવ અન્તિમ છે, અર્થાત જે નરકમાંથી નીકળીને ફરી કયારેય નરકમાં ઉત્પન્ન નથી થતું, તેની નરક રૂપમાં ભાવી ભાવેન્દ્રિ નથી હોતી. જેની છે તેની પાંચ દશ, પંદર, સંખ્યાત અસંખ્યાત અથવા અનન્ત પણ હેવ છે.
જે ભવિષ્યમાં એક વાર ઉત્પન થશે, તેની પાંચ ભાવી ભાવેન્દ્રિયે, જે બે વાર ઉત્પન્ન થશે, તેની દશ, ત્રણ વાર ઉત્પન્ન થનારની પંદર, સંખ્યાત, અસંખ્યાત અગર અનન્ત વાર ઉત્પન્ન થનારની સંખ્યાત, અસંખ્યાત અગર અનન્ત ભાવી ભાવેન્દ્રિય હોય છે.
એજ પ્રકારે અસુરકુમારોની, નાગકુમારની, સુવર્ણકુમારોની, અગ્નિકુમારની, વિધુત્કમારોની, ઉદધિકુમારની, દ્વીપકુમારની, દિશાકુમારની, પવનકુમારની અને સ્વનિતકુમારેની પણ અતીત, બદ્ધ અને ભાવી ભાવેન્દ્રિય નારકપણમાં સમજી લેવી જોઈએ. વિશેષ આ છે કે અસુરકુમાર આદિમાં નારકપણે બદ્ધ ભાવે નથી લેતી આ વિષયમાં યુતિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ.
પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક તથા હીન્દ્રિયના રૂપમાં જે પ્રકારે બેન્દ્રિયે કહી છે, એ જ પ્રકારે ભાવેન્દ્રિયે પણ કહેવી જોઈએ. વનસ્પતિ કાયિક પણે અને કીન્દ્રિય પણે પણ દ્રન્દ્રિયેના સમાન ભાવેન્દ્રિય કહેવી જોઈએ, ત્રીન્દ્રિયપણે પણ એજ પ્રકારે કહેવું જોઈએ. પરંતુ વિશેષ એ છે કે-ત્રીન્દ્રિયપણે ભાવી ભાવેન્દ્રિયે ત્રણ, છ, નવ, સંખ્યાત અસંખ્યાત અથવા અનન્ત હોય છે. ચાર ઈન્દ્રિયપણે પણ એજ પ્રકારે જાણવું જોઈએ. પરંતુ ભાવી ભાવેન્દ્રિયે ચાર, આઠ, બાર સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. એ પ્રકારે દ્રવ્યેન્દ્રિયોના વિષયમાં પણ જે ચાર ગમ કહ્યા છે, તેજ અહીં પણ સમજી લેવા જોઈએ, તે ચાર ગમ છે-વૈરવિક, તિર્યંચનિક, મનુષ્ય અને દેવ સંબંધી કહે છે કિન્તુ ત્રીજા ગમમાં અર્થાત્ મનુષ્ય સંબંધી અભિલાપમાં જેની જેટલી ઈન્દ્રિ છે. તેની તેટલીજ અનાગત ભાવેન્દ્રિમાં જાણવી જોઈએ. ચતુર્થગામમાં અર્થાત્ દેવ સંબંધી અભિલાપમાં જેવી દ્રવ્યેન્દ્રિય કહી છે, એ જ પ્રકારે ભાવેન્દ્રિય કહેવી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૮૮