Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ભાવી દ્રવ્યેન્દ્રિય કેટલી છે?
શ્રી ભગવાન હે ગૌતમ! કેઈની હોય છે, કેઈની નથી હોતી. જે સૌધર્મ દેવની વિજય દેવ આદિના રૂપમાં ભાવી દ્રવ્યેન્દ્રિયે હોય છે, તેની આઠ અથવા સોળ હોય છે.
સૌધર્મ દેવની સર્વાર્થસિદ્ધ દેવપણે અતીત બદ્ધ અને ભાવી દ્રવ્યેન્દ્રિયે એ પ્રકારે કહેવી જોઈએ જેવી નારક જીવની અતીત બદ્ધ અને ભાવી દ્રવ્યેન્દ્રિય કહી છે. સૌધર્મ દેવકના સમાન, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક્ર, સહસાર, આનત પ્રાણત, આરણ. અત તથા નવ રૈવેયક દેવની અતીત, બદ્ધ અને અનાગત દ્રવ્યેન્દ્રિયે સર્વાર્થસિદ્ધ પણે સમજી લેવી જોઈએ. અર્થાત્ નારકપણાથી આરંભ કરીને સર્વાર્થસિદ્ધ દેવપણા સુધી અતીત આદિ દ્રવ્યેન્દ્રિયની નવ રૈવેયક સુધી પ્રરૂપણ કરવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! એક એક વિજય, જયન્ત, જયન્ત, અપરાજિત દેવની નારકપણે અતીત દ્રવ્ય કેટલી હોય છે ? "
શ્રી ભગવાન –હે ગૌતમ! અતીત દ્રન્દ્રિયે અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! વર્તમાનમાં બદ્ધ કેટલી છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! બદ્ધ દ્રવ્યેન્દ્રિય નથી હોતી, કેમકે જે દેવ વિજ્ય દેવ આદિના ભાવમાં વર્તમાન છે, તે નારક ભવમાં વર્તમાન નથી થઈ શકતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ભાવી દ્રન્દ્રિયે કેટલી છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! વિજ્ય આદિ દેવની નારકપણે ભાવી દ્રવ્યેન્દ્રિય નથી હતી, કેમકે વિજય વિમાન આદિના દેવ ભવિષ્યત્ કાળમાં નરકમાં ઉત્પન્ન નથી થતા.
નારકપણાની સમાન અસુરકુમાર આદિ ભવનપતિના રૂપમાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયના રૂપમાં, વિકલેન્દ્રિના રૂપમાં, પંચેન્દ્રિય તિર્યચના રૂપમાં તથા મનુષ્યના રૂપમાં વિજયાદિ દેવની અતીત દ્રયેન્દ્રિયો અનન્ત છે, પૂર્વોક્ત યુક્તિના અનુસાર બદ્ધ દ્રન્દ્રિયો હોતી નથી, ભાવી દ્રન્દ્રિયે વિજય આદિ દેવની ભવનપતિ આદિના રૂપમાં તથા મનુષ્ય રૂપમાં આઠ, સોળ અથવા વાસ હોય છે. વિજ્યાદિ દેવની વાનચન્તર
તિષ્કપણે અતીત બદ્ધ અને ભાવી દ્રવ્યેન્દ્રિયો એ પ્રકારે જ સમજવી જોઈએ, જેવી નારકપણે કહી છે. વિજ્યાદિ દેવની સૌધર્માદિ દેવ પણે અતીત ઈન્દ્રિયે અનન્ત છે. પૂર્વોક્ત યુક્તિના અનુસાર બદ્ધ દ્રન્દ્રિયો હોતી નથી, ભાવી દ્ર િકેઈની હોય છે, કેની નથી હોતી. કિન્તુ જે વિજ્યાદિ દેવની સૌધર્મ પણે ભાવ દ્રયો હોય છે, તેની આઠ, સેળ, ચેવીસ અથવા સંખ્યાત હોય છે.
એ સમ્બન્ધમાં યુક્તિ પહેલા કહેવાએલી છે. ઇશાન દેવપણે તથા સનકુમાર મહેન્દ્ર બ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહસાર, આનત પ્રાણત, આરણ અને અયુત દેવપણે તથ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૭૭