Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રૈવેયક દેવની વક્તવ્યતા નરયિકની દ્રન્દ્રિયેના સમાન સમજવી જોઈએ. સનકુમારાદિ દેવ ઓવન કરીને પૃથ્વીકાય આદિમાં ઉત્પન્ન નથી થતાં કિન્તુ પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. તેથી જ તેમનું કથન નરયિકના સમાન સમજવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામીહે ભગવન! એક એક વિજય, જયન્ત, જયન્ત અને અપરાજિત દેવની અતીત દ્રવ્યેન્દ્રિય કેટલી કહે છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! અનન્ત કહી છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! વિજય આદિ દેવોની બદ્ધ અર્થાત્ વર્તમાન કાલિક દ્રવ્યક્તિ કેટલી હોય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! બદ્ધ દ્રવ્યેક્ટ્રિ આઠ હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પુરસ્કૃત અર્થાત અગામી કાળમાં થનારી દ્રવ્યેન્દ્રિય કેટલી હોય છે?
શ્રી ભગવાહે ગૌતમ! આઠ, સેળ, ચોવીસ, અગર સંખ્યાત આગામી દ્રન્દ્રિય હોય છે, જે દેવ આગલા જ ભવમાં મનુષ્ય થઈને સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે, તેમની દ્રવ્યેન્દ્રિયે આઠ હોય છે, કિન્તુ જે એક વાર મનુષ્ય થઈને અને પાછે મનુષ્યભવ પ્રાપ્ત કરીને સિદ્ધિ પ્રાપ્તિ કરશે. તેની સેળ હોય છે, જે વયમાં એક દેવભવ અધિક થાય અર્થાત દેવ ભવથી યુત થઈને મનુષ્ય થશે ફરી દેવ થશે અને પાછા મનુષ્ય થઈને સિદ્ધ થશે, તેની ચોવીસ ભાવી દ્રવ્યેન્દ્રિય હોય છે. સંખ્યાત કાળ સુધી સંસારમાં રહેવાવાળાની સંખ્યાત આગામી દ્રવ્યક્તિ કહેલી છે.
સર્વાર્થસિદ્ધ વિમાનના દેવની અતીત દ્રવ્યેન્દ્રિયે અનન્ત હોય છે, બદ્ધ આઠ હોય છે અને ભવિષ્ય કાલિન પણ આઠ જ હોય છે. વિજય આદિ ચાર વિમાને માં ગએલ જીવ પ્રભૂત અસંખ્યાત કાળ સુધી અગર અનંતકાળ સુધી સંસારમાં રહેતા નથી, એ કારણે તેમની આગામી દ્રવ્યેન્દ્રિયે સંખ્યાત જ કહી છે, અસંખ્યાત અગર અનન્ત નથી હોતી. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ નિયમથી આગલા ભવમાં જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તેથી જ તેમની આગામી દ્રવ્યન્દ્રિયો આઠ જ કહી છે.
હવે બહું વચનની અપેક્ષાએ નિરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારકેની દ્રવ્યેન્દ્રિય અતીત કેટલી કહેલી છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! નારકની અતીત દ્રવ્યેન્દ્રિયે અનન્ત કહી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! બદ્ધ કેટલી કહી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! નારકની બદ્ધ દ્રવ્યેન્દ્રિય અસંખ્યાત છે, કેમકે બધા નારકે મળીને અસંખ્યાત છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ભાવી દ્રવ્યક્તિ કેટલી છે? શ્રી ભગવાન–હે ગૌતમ! અનન્ત છે, કેમકે ભવિષ્યમાં અનેક નારકો થશે. એજ પ્રકારે રૈવેયક દેવ સુધી કહેવું જોઈએ. અર્થાત્ અસુરકુમાર આદિ ભવન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૭૦