Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આદિ એકેન્દ્રિયે, વિકલેન્દ્રિયે. પંચેન્દ્રિતિયો, મનુષ્ય, વનવ્યતરે, તિષ્ક અને વૈમાનિકને પણ આન પ્રાણ ચરમ અને અચરમ સમજી લેવા જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! કે એક નારક શું અહાર ચરમથી ચરમ હોય અથવા અચરમ હોય છે?
શ્રી ભગવાન - હે ગૌતમ ! કેઈ નારક ચરમ હોય છે, કેઈ અચરમ હોય છે. એજ પ્રકારે વીસે દંડકને લઈને એક વચનમાં પ્રરૂપણ કરવી જોઈએ. એજ પ્રશ્ન બહુવચનને લઈને પ્રસ્તુત કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ઘણ નારકે શું આહાર ચરમની અપેક્ષાએ ચરમ છે અથવા અચરમ છે?
શ્રી ભગવાહે ગૌતમ! આહાર પર્યાય રૂ૫ ચરમની અપેક્ષાએ પ્રરૂપણા કરવાથી કોઈ નારક આહાર ચરમ થાય છે. કેઈ આહાર અચરમ થાય છે. એ જ પ્રકારે અનવરત વૈમાનિકે સુધી ચોવીસે દંડકેને લઈને પ્રરૂપણે સમજી લેવી જોઈએ, અર્થાત નારકોની સમાનજ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિયે, પંચેન્દ્રિયતિયા મનો, વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાકેને પણ આહાર ચરમની અપેક્ષાએ ચરમ અને અચરમ કહેવા જોઈએ. સ્પષ્ટીકરણ પૂર્વવત્ સમજી લેવું જોઈએ
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! એક નારક જીવ શ્વસેવાસ અર્થાત ભાવ પર્યાય રૂપ ચરમથી શું ચરમ હોય છે? અથવા અચરમ હોય છે? ( શ્રી ભગવાનહે ગૌતમ! કઈ ચરમ હોય છે, કેઈ અચરમ હોય છે જે નારક જે ઔદયિક આદિ ભાવ પર્યાયને અન્તિમ વાર અનુભવ કરી રહેલ છે. ભવિષ્યમાં ફરી કયારેય અનુભવ કરશે નહિ તે એ ભાવની અપેક્ષાએ ભાવ ચરમ કહેવાય છે, તેનાથી જે ભિન્ન હોય તે અચરમ કહેવાય છે. કેઈ નારક ભાવ ચરમ હોય છે કેઈ ભાવ અચરમ હોય છે. એ જ પ્રકારે વૈમાનિક આદિ ચોવીસે દંડકના વિષયમાં કથન કરી લેવું જોઈએ. | શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ઘણા નારક છવ ભાવ ચરમની અપેક્ષાએ શું ચરમ હોય છે અથવા અચરમ હોય છે?
શ્રી ભગવાન ઔદયિક આદિ ભાવેની અપેક્ષાએ નિરૂપિત કરાયેલા નારક કઈ ચરમ હોય છે. કેઈ અચરમ પણ હોય છે. આ વિષયની પૂર્વવત યુક્તિ સમજી લેવી જોઈએ. નારકેના સમાનજ વૈમાનિકે સુધી ચોવીસે દંડકના જીના વિષયમાં આજ રીતે કહેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! કઈ એક નારક વર્ણ પર્યાય રૂ૫ ચરમની અપેક્ષાએ ચરમ થાય છે અગર અચરમ છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૮૦