Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાઢે છે તેમને શું સાન્તર અર્થાત્ વ્યવધાન કરીને કાઢે છે, અથવા નિરન્તર–સતત કાઢે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! ભાષાના રૂપમાં ગ્રહણ કરેલા દ્રવ્યોને સાન્તર કાઢે છે. નિરન્તર નથી કાઢતા. તાત્પર્ય એ છે કે જે સમયમાં જે ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે સમયમાં એ દ્રવ્યોને કાઢતા નથી. જેમકે પ્રથમ સમયમાં ગૃહીત ભાષાદ્રવ્યોને પ્રથમ સમયમાં જ નથી કાઢતા, પણ પૂર્વ પૂર્વ સમયમાં ગૃહીત દ્રવ્યોને આગળ આગળના સમયમાં કાઢે છે, અર્થાત્ પ્રથમ સમયમાં ગૃહીત દ્રવ્યાને બીજા સમયમાં કાઢે છે, બીજા સમયમાં ગૃહીત દ્રવ્યોને ત્રીજા સમયમાં કાઢે છે. ઈત્યાદિ પહેલા ગ્રહણ થતા જ નિસર્ગનું થવું સંભવે છે. અગૃહીતનું નિસર્ગ થવું અસંભવિત છે. એજ આશયથી આ કહેવું છે કેનિસર્ગ સાન્તર હોય છે નિરન્તર નહીં. કહ્યું પણ છે-“ભાષા દ્રવ્યનું ગ્રહણ પ્રતિસમય નિરન્તર કોટેલ છે તે તેમના નિસર્ગ પણ નિરંતર હોવા જોઈએ. અગર નિરન્તર કહેવાય તે પછી મૂલમા સાન્તર કેમ કહ્યું છે? એ શંકાનું સમાધાન એ છે કે-સાન્તર નિસર્ગ જે કહેલું છે તે ગ્રહણની અપેક્ષાએ સમજવું જોઈએ, અર્થાત જે સમયમાં જે દ્રવ્યોને ગ્રહણ કરે છે, તેજ સમયમાં તેમને નિસર્ગ નથી થતું, જેમકે, પ્રથમ સમયમાં નિસર્ગ નથી થતું અગૃહીત દ્રવ્યના નિસગ નથી થઈ શકતે, પહેલા ગ્રહણ થતાં જ નિસર્ગ થાય છે તેથી જ નિસર્ગને સાન્તર કહેલ છે
વાસ્તવમાં તે “લઘુત્તમવિધેિ નિરંતરં નેબ્યુ અહીં ગ્રહણને નિરંતર કહેવાથી પ્રથમ સમયને છોડીને શેષ સમયમાં નિસર્ગને પણ સમજવો જોઈએ, કેમકે ગૃહીત દ્રવ્યની અનન્તર અર્થાત્ આગળના સમયમાં નિયમથી નિસર્ગ થાય છે. તેનું સ્પષ્ટીકરણ કરે છે–સાન્તર નિકળતા એક સમયમાં અર્થાત્ પૂર્વવતી સમયમાં ગ્રહણ કરે છે, અને બીજા અર્થાત્ તેના ઉત્તરવતી સમયમાં બહાર કાઢે છે, જેમાં પ્રથમ સમયમાં ગૃહીત દ્રવ્યને ત્રીજા સમયમાં કાઢે છે.
અથવા એમ સમજવું જોઈએ કે ગ્રહણ કર્યા પછી જ નિસર્ગ થઈ શકે છે. તેથી એક સમયમાં અર્થાત્ પ્રથમ સમયમાંજ ગ્રહણ થાય છે, નિસર્ગ નથી થતું કેમકે ગ્રહણ કર્યા સિવાય નિસર્ગ થઈ શકતું જ નથી. એ રીતે એક અર્થાત્ અતિમ સમયમાં કેવળ નિસર્ગજ હોય છે, કેમકે તે સમયે ભાષાને અભિપ્રાય ઉપરત થઈ જવાથી ગ્રહણ નથી થઈ શકતા. એ પ્રકારે પ્રથમ સમયમાં ફક્ત ગ્રહણ થાય છે, અતિમ સમયમાં ફક્ત નિસર્ગ થાય છે, કિન્તુ દ્વિતીય, તૃતીય આદિ વચલા સમયમાં ગ્રહણ અને નિસર્ગ બને થતા રહે છે. કિન્તુ બને ન થતા રહેવાને અભિપ્રાય એ ન સમજો કે જે સમયમાં જે દ્રવ્યોને ગ્રહણ કરાય છે, તેજ સમયમાં તેને (તેમનો) નિસર્ગ કરી દેવાય છે, પણ પ્રથમ સમયમાં ગૃહીત દ્રવ્યને બીજા સમયમાં અને બીજા સમયમાં ગૃહીત દ્રવ્યને ત્રીજા સમયમાં, એમ પૂર્વ–પૂર્વ સમયના ગૃહીત દ્રવ્યને આગલા આગલા સમયમાં નિસર્ગ થાય છે. - નિરંતર ગ્રહણ અને નિસર્ગને કાળ જઘન્ય બે સમયને હોય છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળને છે. એજ અભિપ્રાયે કહ્યું છે કે, આ ગ્રહણ–નિસર્ગના ઉપપાતથી જઘન્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૩૪