Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપહરણ થાય છે. તેનું જ હવે ક્ષેત્રની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે ક્ષેત્રની અપેક્ષાએ જેમાં એક રૂપ સંમિલિત કર્યું છે, એવા મનુષ્યોથી એક શ્રેણીનું પુરી રીતે અપહરણ થાય છે. એ પ્રકારે ઉત્કૃષ્ટ પદમાં વિદ્યમાન મનુષ્યમાં અસત્કલ્પનાના અનુસાર એક રૂ૫ મેળવીને સંપૂર્ણ એક શ્રેણિનું અપહરણ થાય છે. ક્ષેત્ર અને કાળથી એ શ્રેણિના અપહારની માગણી કહે છે-જ્યારે એ શ્રેણીના આકાશ ક્ષેત્રોથી અપહારની માગણી કરાય છે, ત્યારે મનુષ્ય અસંખ્યાત હોય છે. તે આ પ્રકારેન્કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી તેમજ અવસર્પિણી કાળથી અસંખ્યાત મનુષ્યના અપહાર થાય છે. ક્ષેત્રની અપેક્ષાથી ત્રીજા વર્ગમૂળથી ગુણિત પ્રથમ વર્ગમૂળ સમજવું જોઈએ. અસત્ કલ્પનાથી અંગુલ પ્રમિત ક્ષેત્રના પ્રદેશની રાશિ બસો છપ્પન (૨૬) ને પ્રથમ વર્ગ મૂળ સળ થાય છે, તેનું ત્રીજું વર્ગમૂળ બેની સાથે ગુણાકાર કરવાથી બત્રીસ (૧૬૪=૩૨) પ્રદેશની સંખ્યા આવે છે. એટલી સંખ્યાવાળા ખંડેથી અપહરણ કરાએલી શ્રેણિ સમાપ્ત થાય છે. અહીં મનુષ્યની સંખ્યા પણ સમાપ્ત થઈ જાય છે.
પ્રશ્ન-એક શ્રેણીના ઉપર્યુક્ત પ્રમાણવાળા ખંડથી અપહરણ કરવાથી અસંખ્યાત ઉત્સપિણિ અને અવસર્પિણિયે કેવી રીતે લાગે છે?
ઉત્તર-ક્ષેત્ર અત્યન્ત સૂક્ષમ હોય છે, તેથી અસંખ્યાત ઉત્સપિણિયે-અવસપિણિ એક શ્રેણિના અપહરણમાં સમાપ્ત થઈ જાય છે. કહ્યું પણ છે-કાળ સૂક્રમ હેય છે, પરંતુ ક્ષેત્ર તેનાથી પણ અધિક સૂમ હોય છે કેમકે અંગુલ માત્ર શ્રેણીમાં અસંખ્યાત ઉત્સપિણિ સમાઈ જાય છે, અર્થાત્ એક અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં જે પ્રદેશ રાશિ હોય છે તે અસં. ખ્યાત ઉત્સર્પિણીના સમયથી પણ અધિક હોય છે.
મનુષ્યના બદ્ધ અને મુક્ત ઔદારિક શરીરમાંથી જે મુક્ત ઔદારિક શરીર છે, તેમની વક્તવ્યતા સમુચ્ચય મુક્ત ઔદારિક શરીરના સમાન સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! વૈક્રિય આદિ શરીરની પૃછા? અર્થાત્ મનુષ્યના વૈક્રિય શરીર કેટલાં હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! મનુષ્યના વૈક્રિય શરીર બે પ્રકારના હોય છે–તેઓ આ પ્રકારે છે-બદ્ધ અને મુક્ત. એ બન્નેમાંથી મનુષ્યના બદ્ધ ક્રિય શરીર સંખ્યાત છે. કેમકે ગર્ભજ મનુષ્યમાં જે ક્રિય લબ્ધિ મળી આવે છે, અને તેમાંથી પણ કઈ કેઈની જ હોય છે બધાની નહીં. એક એક સમયમાં અપહરણ કરવાથી સંખ્યાત કાળમાં બધાનું અપહરણ થાય છે, ત્યાર પછી નહીં કેમકે સંખ્યાત કાળમાં જ બધા મનુષ્યના સંખ્યાત વિકિય શરીરેનું અપહરણ થઈ જાય છે.
બદ્ધ અને મુક્ત મનુષ્યના વૈક્રિય શરીરમાંથી જે મુક્ત વેકિય શરીર છે, તેમનું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૭૬