Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાર્ય–આનાથી પહેલાં સામાન્ય રૂપથી ઔદારિક આદિ શરીરની સમુચ્ચય રૂપમાં પ્રરૂપણ કરાએલી છે. હવે નારક આદિના ઔદારિક આદિ શરીરની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારક જીના દારિક શરીર કેટલાં કહ્યા છે.
શ્રી ભગવાન !–હે ગૌતમ ! નારકેના ઔદારિક શરીર બે પ્રકારના કહેલા છે. તે આ પ્રકારે છે–બદ્ધ અને મુક્ત એ બન્નેમાં જે બદ્ધ દારિક શરીર છે, એ નારક છના નથી હતાં, કેમકે ભવના સ્વભાવથી જ તેઓમાં ઔદારિક શરીરને અભાવ હોય છે, હા ! મુક્ત ઔદારિક શરીર તેમના અનન્ત હોય છે. જેમ સમુચ્ચય મુક્ત ઔદારિક શરીરનું કથન પહેલું કહેવાયેલું છે, એજ પ્રકારે નારકના મુક્ત ઔદારિક શરીરનું પણ કથન સમજી લેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી ભગવન! નારકના ક્રિય શરીર કેટલાં કહેલાં છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકેના વિકિય શરીર બે પ્રકારના કહેલાં છે-બદ્ધ અને મુક્ત, તેઓમાં બદ્ધ ક્રિય શરીર અસંખ્યાત છે, કેમકે નારક જીવ અસંખ્યાત છે અને પ્રત્યેક નારકના એક બદ્ધ ક્રિય શરીર હોય છે, તેથી જ તેમના શરીરની સંખ્યા પણ અસંખ્યાત જ છે. એ અસંખ્યાત સંખ્યાની કાળની અપેક્ષાએ પ્રરૂપણા કરે છે.
ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળોના એક એક સમયમાં જે એક એક શરીરનું અપહરણ કરાય તે અસંખ્યાત ઉત્સર્પિણ અને અવસપિણિયામાં તેમના અપહરણ થાય, તાત્પર્ય એ છે કે અસંખ્યાત ઉત્સપિણિ અને અવસર્પિણિયેના જેટલા સમય હોય છે, તેટલા જ નારકના બદ્ધ અને વૈક્રિય શરીર હોય છે, ક્ષેત્રની અપેક્ષાએ તેઓ અસંખ્યાત શ્રેણી પ્રમાણ છે, અને શ્રેણી પ્રતરને અસંખ્યાતમ ભાગ સમજ જોઈએ. અભિપ્રાય એ છે કે અસંખ્યાત શ્રેણિયામાં જેટલા આકાશ પ્રદેશ હોય છે, તેટલા જ નારક જીવન બદ્ધ વિકિય શરીર હોય છે.
પ્રશ્ન એ છે કે સંપૂર્ણ પ્રતરમાં પણ અસંખ્યાત શ્રેણિયે હોય છે, પ્રતરના અધ ભાગમાં પણ અસંખ્યાત શ્રેણિયે હોય છે. અને પ્રતરના તૃતીય ભાગમાં પણ અસંખ્યાત શ્રેણિ હોય છે, એવી સ્થિતિમાં અહિં કેટલી શ્રેણિયે સમજવી જોઈએ.
આ જિજ્ઞાસાનું સમાધાન કરવાને માટે કહેલું છે–પ્રતરને અસંખ્યાત ભાગ. તાત્પર્ય એ છે કે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણિ હોય છે, તેટલી જ
શ્રેણિયે અહિં લેવી જોઈએ તેમનું વિશેષ પરિમાણ બતાવવાને માટે કહ્યું છે–તે શ્રેણિયેની વિભ સૂચિ અર્થાત્ વિસ્તારની અપેક્ષાએ એક પ્રદેશવાળી શ્રેણિ એટલી થાય છે,
એટલે અંગુલના પ્રથમ વર્ગમૂલને બીજા વર્ગમૂળની સાથે ગુણવાથી રાશિ સમૂહ ઉત્પન્ન થાય છે. આશય એ છે કે એક અંશુલ પ્રમાણ માત્ર ક્ષેત્રના પ્રદેશની જેટલી રાશિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૬૦