Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન્ હે ગોતમ ! જીવ સાન્તર પણ ગ્રહણ કરે છે અને નિરંતર પણ ગ્રહણ કરે છે. બન્ને પ્રકારે ભાષા દ્રવ્યને ગ્રહણ કરી શકે છે?
અગર જીવ ભાષા દ્રવ્યને સાન્તર ગ્રહણ કરે છે તે કેટલા કાળ સુધી ગ્રહણ કરતે રહે છે? અને જીવ જે નિરન્તર ગ્રહણ કરે છે તે કેટલા કાળ સુધી ગ્રહણ કરતા રહે છે? તેને ઉત્તર આપે છે–અગર જીવ ભાષા દ્રવ્યને સાન્તર ગ્રહણ કરે અર્થાત્ વ્યવધાને (અન્તર) કરી ગ્રહણ કરે તે જઘન્ય એક સમયના અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અન્તરે કરીને ગ્રહણ કરે છે. જે સદા બેલો રહે છે અર્થાત્ ભાષામાં પ્રવૃત્ત રહે છે, તેની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અન્તર સમજવું જોઈએ. તે આ પ્રકારે-કેઈ વિજ્ઞ એક સમયમાં ભાષાના પુદ્ગલેને ગ્રહણ કરે છે, બીજા સમયમાં તે પુદ્ગલને કાઢે છે, તે સમયે ગ્રહણ નથી કરતા, પાછા ત્રીજા સમયમાં ગ્રહણ જ કરે છે, કાઢતા નથી. એ પ્રકારે બીજા સમયમાં પ્રથમ સમયમાં ગૃહીત પુદ્ગલેને કાઢે છે અને અન્ય પુદ્ગલેને ગ્રહણ નથી કરતા,
શંકા-પુદ્ગલનું ગ્રહણ અન્ય પ્રયત્ન વિશેષથી થાય છે અને નિસર્ગ અન્ય પ્રયત્ન વિશેષ થાય છે. આ બન્ને પરસ્પર વિરોધી કાર્યો છે તેથી એક સમયમાં તેમનું થવું સંભવતું નથી.
સમાધાન-જીવને સ્વભાવ જ એ છે કે યદ્યપિ એક સમયમાં બે ઉપયોગને સંભવ નથી, પરંતુ એક સમયમાં ઘણી ક્રિયાઓ થઈ શકે છે. તેમના થવામાં કાંઈ અડચણ નથી. એક જ સમયમાં એક જ નર્તકી ભ્રમણ વિગેરે કરતી હાથે પગોથી વિવિધ પ્રકારની ક્રિયાઓ કરે છે, આ પ્રત્યક્ષ દેખાય છે. બધી વસ્તુઓને એક જ સમયમાં ઉત્પાદ અને વ્યય લેવામાં આવે છે. કહ્યું પણ છે–ભાષા દ્રવ્યનું ગ્રહણ અને ત્યાગના પ્રયત્ન પરસ્પર વિરોધી હેવાથી એક જ સમયમાં શા પ્રકારે થઈ શકે છે ? આ શંકાનું સમાધાન આ છે કે એક સમયમાં બે ઉપયોગ નથી થતા, પણ બે ક્રિયાઓના થવામાં શું દોષ આવે છે? કાંઈ પણ નહીં.
અથવા જીવ વ્યવધાન વિના નિરન્તર ભાષા દ્રવ્ય ગ્રહણ કરતા રહે તે જઘન્ય બે સમય સુધી ગ્રહણ કરતે રહે છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય સુધી પ્રતિ સમય વિના વ્યવધાને નિરન્તર ગ્રહણ કરે છે. કેઈ અસંખ્યાત સમયમાં એકનું જ ગ્રહણ ન સમજી લે, એટલા માટે-બ્રમનિવારણ માટે “ અનુસમય’ શબ્દને પ્રવેશ કર્યો છે. કદાચિત્ વચમાં વ્યવધાન આવતાં પણ વ્યવહારથી “અનુસખ્ય સમજી શકે છે, તેમના ભ્રમને દૂર કરવાને માટે “અવિરહિતમ' શબ્દને પ્રવેશ કર્યો છે. એ પ્રકારે પ્રથમ સમયમાં ગ્રહણ જ થાય છે. નિસર્ગ નથી થતે; કેમકે ગ્રહણ કર્યા વિના નિસર્ગ થવું અસંભવિત છે, અતિમ સમયમાં નિસર્ગ જ થાય છે. ગ્રહણ નથી થતું, કેમકે ભાષાને અભિપ્રાય જ્યારે ઉપરત થઈ જાય છે તે ગ્રહણ થતું નથી.-શેષ બીજા ત્રીજા વિ. સમયમાં ગ્રહણ અને નિસર્ગ અને સાથે સાથે થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ભાષાના રૂપમાં ગ્રહણ કરેલા જે દ્રવ્યને જીવ બહાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૩૩