Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શરીરનું જ ગ્રહણ કરેલ છે. અને ઔદારિક શરીરના રૂપમાં ગ્રહણ કરીને મુક્ત નહીં કરેલ બધા પુદ્ગલેનું ગ્રહણ કરેલું છે. પરંતુ જે ઔદરિક શરીર જીવના દ્વારા ત્યાગી દીધેલ છે, તે અનન્ત ભેદેથી ભિન્ન હોય છે. જ્યાં સુધી તે પુદ્ગલે જીવના દ્વારા નિવર્તિત ઔદારિક શરિર કાયમ રૂપ પર્યાયને ત્યાગ નથી કરતા અને બીજા કોઈ પરિણામમાં પરિણત નથી થતા, તે બધા શરીર જ કહેવાય છે. એ પ્રકારે એક એક દારિક શરીર અનન્ત અન ભેદવાળા હોવાને લીધે અનન્ત ઔદારિક શરીર કહેવાય છે. ઈત્યાદિ.
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એક–એક શરીરદ્રવ્યના દેશને શરીર કેવી રીતે કહી શકાય? તેને ઉત્તર એ છે કે મીઠાના દષ્ટાન્તથી એમ કહી શકાય છે. જેમ ખારી પણ મીઠું છે, દ્રોણ પણ મીઠું છે અને આઢક પણ મીઠું છે. એ વિગેરે વ્યવહાર થાય છે. તે જ પ્રકારે સકલ અર્થાત્ સંપૂર્ણ દારિક શરીર પણ દારિક શરીર કહેવાય છે. તેને અડધે ભાગ પણ ઔદારિક શરીર કહેવાય છે. ત્યાં સુધી કે શરીરને અનન્તમો ભાગ પણ શરીર કહેવાય છે. તેથી એ સિદ્ધ થયું કે ઔદ્યારિક શરીરને એગ્ય ગુદ્ગલેના સમુદાય પણ ઔદારિક રૂપે પરિણત થતા છતાં ઔદારિક શરીર કહેવાય છે.
પ્રશ્ન-અનન્ત કાકાશના પ્રદેશના બરાબર તેઓ અનન્ત ઔદારિક શરીર એક કાકાશમાં જ કેવી રીતે સમાય છે?
ઉત્તર–પ્રદીપના પ્રકાશની સમાન તેમને સમાવેશ થઈ શકે છે. જેમ એક દીપકને પ્રકાશ સંપૂર્ણ ભવનમાં વ્યાપ્ત બની રહે છે, અગર એ ભવનમાં અન્યાન્ય દીપક મૂકવામાં આવે તે તેમને પ્રકાશ પણ તેજ ભવનમાં સમાઈ જાય છે. એ પ્રકારે ઔદારિક શરીરનું સમાઈ જવું પણ સમજી લેવું.
હવે વક્રિય શરીરને લઈને ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્વૈક્રિય શરીર કેટલાં કહેલાં છે?
શ્રી ભગવાન-હે ગૌતમ!–વૈકિય શરીર બે પ્રકારના કહેલાં છે. તે આ રીતે છેબદ્ધ અને મુક્ત. એ બન્નેમાં બદ્ધ વિક્રિય શરીર અસંખ્યાત હોય છે. કાલથી તે અસંખ્યાતની પ્રરૂપણ કરે છે.
યદિ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના એક એક સમયમાં એક એક હૈ કેય શરીરનું અપહરણ કરાય તે સંપૂર્ણ શરીરના અપહરણ કરવામાં અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણિયે વ્યતીત થઈ જાય. તાત્પર્ય એ છે કે અસંખ્યાત ઉત્સપિણિ અને અવસરિણિયેને જેટલો સમય હોય છે, તેટલાં જ બદ્ધ વૈકિય શરીર છે. ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધ વૈકિય શરીર અસંખ્યાત શ્રેણિ પ્રમાણ છે. શ્રેણિનું પરિમાણ પ્રતરના અસંખ્યાત ભાગ માનેલું છે, તાત્પર્ય એ છે કે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણિયે થાય છે. તે શ્રેણિયોમાં જેટલા આકાશ પ્રદેશોની સંખ્યા હોય, તેટલા જ બદ્ધ વૈકિય શરીર છે. શ્રેણીનું પરિમાણ આ પ્રકારે છે–ઘનીકૃત લેક બધી બાજુથી સાત રજજુ પ્રમાણ દેય છે. એવા લેકની લંબાઈમાં સાત રાજૂ તેમની મુક્તાવલીના સમાન એક એક આકાશ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૫૫