Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! અબોધ બાલક અથવા અબોધ બાલિકા આહાર કરતા શું જાણે છે કે હું આ આહાર કરૂં છું કે કરી રહી છું ?
શ્રી ભગવાન–હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ એવું નથી. એ બાબતમાં પણ પૂર્વોક્ત યુક્તિ જ સમજવી જોઈએ. પરંતુ શું બધા નથી જાણતા ? તેને ઉત્તર આપવા માટે કહ્યું છે-સંજ્ઞી સિવાય! અર્થાત્ જે અવધિજ્ઞાની છે, જેને જાતિ
સ્મરણ જ્ઞાન છે અથવા જેનું મન વિશિષ્ટ પટું છે, તેમના સિવાય બીજા નથી જાણતા સન્ની તે પૂર્વોક્ત વાતને જાણેજ છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! શું મન્દકુમાર અથવા મન્દકુમારિકા જાણે છે કે આ મારા માતા-પિતા છે?
શ્રી ભગવન–હે ગતમ! એ અર્થ સમર્થ નથી. અર્થાત્ એ વાત સંગત નથી. એ વિષયમાં પણ તેજ યુકિત સમજી લેવી જોઈએ જે પહેલા કહેલી છે. તે શું બધાને એ માલુમ નથી થતું કે આ અમારા માતા-પિતા છે? તેને ઉત્તર આપેલ છે. સંજ્ઞા સિવાય જે અવધિજ્ઞાની છે, જેને જાતિસ્મરણ જ્ઞાન છે અથવા સામાન્ય પણે જેમના મન અત્યન્ત પટુ છે, તેઓ તે એ જાણે છે, કિન્તુ તેમના સિવાય અન્યને માલુમ નથી થતું કે આ મારા માતા પિતા છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! શું મંદકુમાર અથવા મન્દકુમારી જાણે છે કે આ મારા સ્વામીનું ઘર છે? ભૂલ સૂત્રમાં “અતિસારું, ને પ્રયોગ કરેલ છે. આ શબ્દ પ્રાકૃત છે અને તેને અર્થ છે સ્વામીનું કુળ અર્થાત્ ઘર.
શ્રી ભગવાનૂ-હે ગૌતમ ! અ અર્થ સમર્થ નથી. અર્થાત્ આ વાત સંગત નથી એનું કારણ પહેલા જ બતાવી દિધેલું છે. તે શું બધાને એવું જ્ઞાન નથી થતું? તેને ઉત્તર છે સંસીને છેડીને સંસીને અર્થ પહેલા બતાવી દિધેલ છે. સંજ્ઞી એ વાત જાણે છે. તેના સિવાય અન્યને એ નથી સમજાતું કે આ મારા સ્વામીનું કુલ છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! મન્દકુમાર અથવા મન્દકુમારિકા શું એ જાણે છે કે આ મારે ભટ્વદારક અર્થાત્ સ્વામીને પુત્ર છે? આ મારી ભતૃદારિક છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, અર્થાત્ તેને એ નથી માલુમ થતું એનું કારણ બતાવી દિધેલું છે. શું કોઈ પણ નથી જાણતું ? તેને ઉત્તર આપે છે-સંજ્ઞી સિવાય અર્થાત્ કેવળ સંજ્ઞીકુમાર અગર કુમારિકાને જ એ જ્ઞાન થાય છે કે અમારા સ્વામીને પુત્ર કે પુત્રી છે.
શ્રી ગૌતમસ્વામી-હેભગવદ્ ! ઊંટ, ગાય, ગર્દભ, ઘેડા, બકરા, અગર મેંઢા (ઘેટા) બોલે છે તે શું તેને એ માલુમ પડે છે કે હું આ ખેલી રહ્યો છું ?
શ્રી ભગવાન ગૌતમ ! એ અર્થ સમર્થ નથી અર્થાત્ તે નથી જાણતા કે હું આ બલી રહેલ છું. તે શું કઈ ઊંટ આદિ નથી જાણતા ? તે તેને ઉત્તર છે-સંજ્ઞીના સિવાય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૯૫