Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ નથી બોલતા. સત્યા મૃષા પણ નથી બેલતા. કિન્તુ અસત્યા મૃષા બોલે છે. એ પ્રકારે દ્વીન્દ્રિ, બ્રીન્દ્રિયો, અને ચતુરિન્દ્રિમાં સત્ય, અસત્ય અને મિશ્ર આ ત્રણ ભાષાએના પ્રયોગને નિષેધ સમજવો જોઈએ. તેનું કારણ એ છે કે તેમાં સમ્યજ્ઞાન નથી હતું અને બીજાને ઠગવાને અભિપ્રાય પણ નથી દેતે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! પંચેન્દ્રિય તિર્યંચ કેનિક જીવ શું સત્ય ભાષા બેલે છે યાવત શું અસત્યા મૃષા ભાષા બે લે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! પંચેન્દ્રિય તિય ચ સત્ય ભાષા નથી બેલતાં, અસત્ય ભાષા નથી બેસતાં, સત્યામૃષા ભાષા પણ નથી બોલતાં કિન્તુ એક માત્ર અસત્યા મૃષા અર્થાત્ વ્યવહાર ભાષા બોલે છે, કેમકે પંચેન્દ્રિય તિર્યંચ યથાર્થ વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરવાના અભિપ્રાયથી નથી બોલતાં, અને બીજાને ઠગવાને કે છેતરવાના આશયથી નથી બેલતા. પણ ચાહે તે ક્રોધાવસ્થા હોય, ચાહે બીજાને ઘાત કરવાની ઇચ્છાની સ્થિતિ હોય, તેઓ બધી અવસ્થાઓમાં સમાનરૂપથી જ લે છે. તેથી જ તેમની ભાષા અસત્યામૃષા જ હોય છે, જેને નથી સત્યની કોટિમાં મૂકી શકાતી અને નથી અસત્યની કેટિમાં પણ મૂકી શકાતી. તે શું બધાં પંચેન્દ્રિય તિર્યચેની ભાષા અસત્યા મૃષા જ હોય છે, અથવા તેમાં કેઈ અપવાદ પણ છે? આ પ્રશ્નને ઉત્તર આપવાને માટે કહે છે શિક્ષા આદિને છોડીને તેઓ ત્રણ ભાષાઓને પ્રયોગ નથી કરતા, કિંતુ શુક (પટ) અને સારિકા (એના) આદિ પંચેન્દ્રિયને જે શિક્ષા અપાય અથવા તેમને વિશેષ પ્રકારના ક્ષપશમ હોવાથી જાતિ સ્મરણ આદિ રૂપ કોઈ ઉત્તર ગુણની લબ્ધિ થઈ જાય અથવા વિશિષ્ટ વ્યવહાર કૌશલ્ય રૂ૫ લબ્ધિની પ્રાપ્તિ થઈ જાય તે તેઓ સત્ય ભાષા પણ બેલે છે, અસત્ય ભાષા પણ બોલે છે અને સત્યા મૃષા ભાષા પણ બેલે છે.
મનુષ્ય યાવત્ –વનવ્યન્તર-તિષ્ક અને વૈમાનિક ઇવેના સમાન સમજી લેવા જોઈએ, અર્થાત્ સામાન્ય જીવોની જે વક્તવ્યના કહી છે, તેજ આ દેના વિષયમાં પણ સમજી લેવી જોઈએ ૭ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૧૮