Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે –હે ભગવન ! સંજ્ઞાઓ કેટલી કહેલી છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! સંજ્ઞાઓ દશ કહેલી છે -તેઓ આ પ્રકારે છે (૧) આહાર સંજ્ઞા (૨) ભય સંજ્ઞા (૩) મિથુન સંજ્ઞા (૪) પરિગ્રહ સંજ્ઞા (૫) કોઇ સંજ્ઞા (૬) માન સંજ્ઞા (9) માયા સંજ્ઞા (૮) લેભ સંજ્ઞા (૯) લોક સંજ્ઞા (૧૯) એ સંજ્ઞા
સંજ્ઞાને અર્થ છે–સંજ્ઞાન આયોગ અર્થાત એક વિશેષ પ્રકારને ઉપગ, ચેષ્ટા વિશેષ અગર પ્રયત્ન વિશેષ અથવા જેના દ્વારા જીવનું સંજ્ઞાન થાય છે, તેને સંજ્ઞા કહે છે. બન્નેમાંથી કઈ પણ વ્યુત્પત્તિ સ્વીકારાય છતાં તેને અર્થ નિકળે છે વેદનીય અને મેહનીય કર્મના ઉદયથી તથા જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મના ક્ષપશમથી આહાર આદિની પ્રાપ્તિ થવી તે સંજ્ઞા છે. તેના દશ ભેદ છે, જેમને ઉલ્લેખ પહેલાં કરી દિધેલો છે. તેમાંથી ક્ષુધા વેદનીય કર્મના ઉદયથી શ્રાસ આદિના આહારને માટે પુદ્ગલોને ગ્રહણ કરવાની જે ક્રિયા થાય છે, તે આહાર સંજ્ઞા કહેવાય છે. કેમકે તે આભગ રૂપ છે. એનાથી “આ જીવ છે એવી પ્રતીતિ થાય છે. તેથી “જ્ઞાચ નીવોડર્ચ નચા, આ વ્યુત્પત્તિ પણ ઘટિત થઈ જાય છે.
એ રીતે ભય મેહનીયના ઉદયથી ભયભીત પ્રાણીના નયન તથા મુખમાં વિકાર ઉત્પન્ન થાય, કમ્પન થવું આદિ ક્રિયા ભય સંજ્ઞા છે. પુરૂષદના ઉદયથી સ્ત્રીની અભિલાષા, એજ પ્રકારે સ્ત્રીવેદના ઉદયથી પુરૂષની અભિલાષા થવી તથા નપુંસક વેદ કે તેના ઉદયથી બન્નેની અભિલાષા થવા રૂપ ક્રિયા મૈથુનસંજ્ઞા કહેવાય છે. લેભ મોહ. નીયના ઉદયથી સંસારના કારણોમાં આસક્તિ પૂર્વક સચિત્ત તેમજ અચિત્ત પદાર્થોને ગ્રહણ કરવાની ક્રિયા પરિગ્રહ સંજ્ઞા છે. એ જ પ્રકારે ક્રોધ મોહનીયના ઉદયથી કેપ (ગુસ્સો) રૂપ પરિણતિ થઈ તે ક્રોધ સંજ્ઞા છે. માન મેહનયના ઉદયથી અહંકાર રૂપ દર્પ આદિની પરિણતિ થવી તે માન સંજ્ઞા છે. માયા મોહનીયના ઉદયથી અશુભ અધ્યવસાય પૂર્વક મિથ્યાભાષણ આદિ છલ પૂર્ણ ક્રિયા કરવી તે માયા સંજ્ઞા કહેવાય છે. લેભ મેહનીયના ઉદયથી લાલચુ બનીને સચિત અને અચિત્ત દ્રવ્યને ગ્રહણ કરવાની અભિલાષા થવી તે લેભ સંજ્ઞા છે. મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી શબ્દ આદિના અર્થ વિશેષને જાણવાની ક્રિયા ઓઘ સંજ્ઞા કહેવાય છે. ફલિત એ થયું કે જ્ઞાને પગને લેક સંજ્ઞા અને દર્શનપાનને ઓઘ સંજ્ઞા કહે છે.
સરલતાથી સમજવા માટે પંચેન્દ્રિયમાં આ સંજ્ઞાઓ સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલ છે–એકેન્દ્રિય આદિ છવામાં આ સંજ્ઞાઓ અવ્યક્ત રૂપમાં થાય છે, એમ સમજવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન કરે છે–હે ભગવન્! નારક જીવામાં કેટલી સંજ્ઞાઓ મળી આવે છે?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે - હે ગૌતમ ! નારકમાં દશ સંજ્ઞાઓ હોય છે, તે આ પ્રકારે આહાર સંજ્ઞા યાવત્ ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, કે સંજ્ઞા, માન સંજ્ઞા, માયા સંજ્ઞા, લેભ સંજ્ઞા, લેક સંજ્ઞા, અને ઓઘ સંજ્ઞા
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! અસુર કુમારેમાં કેટલી સંજ્ઞાઓ છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૫.