Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Catalog link: https://jainqq.org/explore/036404/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યદ્વારે ચળ્યાંક 4 થે, અભય કુમાર મંત્રીશ્વર જીવન ચરિત્ર, ઉપાધ્યાય શ્રીમાન ચંદ્રતિલક વિરચિત સંસ્કૃત મહા કાવ્યનું ગુજરાતી ભાષાન્તર. ભાગ 3 જે. sim: ભાપાન્તર કર્તા–મેતીચંદ ઓધવજી શાહ. પ્રકાશક06 શેઠ નગીનભાઈ મંછુભાઇ જૈન સાહિત્યદ્વાર ફંડ માટે– ભાઈચંદભાઈ નગીનભાઈ ઝવેરી, સુરત, Lives of great men all remind us, We can make our lives sublime. (Long Fellow.) . ( મહાન પુરૂષોના જીવનચરિત્રો આપણને અનુબંધ આપે છે કે, આપણે પણ આપણા જીવનને ધારીએ તો ઉન્નત કરી શકીએ.) વીર સંવ-૨૪પ૬. વિક્રમ સંવત 1986. - . -- ઈ. સ. 1 90 આવતિ 1 લી. ના.. પણ મારા મન વિ.. " " પ્રત–૮૦૦. જ કાર જૈન સTTષમા યોજ, હો મૂલ્ય : 2, 0-12-0 : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #2 -------------------------------------------------------------------------- ________________ Serving Jin Shasan 029693 gyanmandir@kobatirth.org * આ ગ્રંથ છાપવા છપાવવા વિગેરેને સર્વ હક્ક આ ફંડના કાર્યવાહકોનેજ આધિન છે. Published ByBHAICHANDBHAI NAGINBHAI JAVERI, Published From Gopipura-SURAT. For Sheth Naginbhai Manchhoobhai Jain Sahityodhar Fund. - 0舟悠悠鸟悠谷悠悠恐 મુદ્રકઃ શા. રતીલાલ કેશવલાલ. મુથુસ્થાન શ્રી વીરશાસન પ્રી. પ્રેસ રતનપોળ, અમદાવાદ, ૐ ------ - 8 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ * શેઠ નગીનભાઈ મંછુભાઈ ઝવેરી, સુરત. જન્મ વિક્રમ 1914 સ્વર્ગવાસ વિક્રમ 1977 Jun Gun Aara કાર્તિક શુકલ 10. unratnasuri M.S. Page #4 -------------------------------------------------------------------------- ________________ એ બોલ. મંત્રીશ્વર અભયકુમાર ચરિત્રનો આ છેલ્લો ભાગ જનસમૂહ સમ્મુખ વિલંબે પણ રજુ કરતાં અમને આનંદ થાય છે. આ રસિક ચરિત્ર જેમ સા. હિત્યમાં ઉપયોગી હેઈ, સમાજ તરફથી સારો આદર મળશે, એવું ઇરછીએ છીએ. હવે પછી અમારી ગ્રંથમાળાના પાંચમા મણકા તરીકે શ્રી વિરાગ્ય રસ મંજરીનું ભાષાન્તર થોડા વખતમાં બહાર પડશે. અત્રે આ ફંડને ટુંક ઈતિહાસ રજુ કરે યોગ્ય ધારીએ છીએ. મહૂમ શેઠ નગીનભાઈ મંછુભાઇ જવેરીએ પિતાની પાછળ રૂ. 25000) પચીસ હજારની રકમ કાઢી જૈન ધર્મના પુસ્તકે પ્રસિદ્ધ કરવા માટે એક ફંડ સ્થાપવા પોતાના પુત્ર તથા બંધુઓને જણાવ્યું હતું. તેમાં તેઓશ્રીના વડિલ પુત્ર શા. મોતીચંદ નગીનભાઈએ રૂ. 5000) પાંચ હજારની રકમ આપી, જે ઉમેરતાં આ ફંડ કુલ રૂ. 30000) ત્રીસ હજારનું થયું છે. તેને મુખ્ય ઉદ્દેશ " જેન વેતાંબર મૂર્તિપૂજક” ધાર્મિક સાહિત્યના પ્રાચીન તથા અર્વાચીન ગ્રંથો મુખ્યત્વે ગુજરાતી અને હિંદી ભાષામાં પ્રગટ કરી સરતી કિંમતે વેચવાનો છે. આ સ્થળે પરમપૂજ્ય આગમારક સાક્ષર શિરોમણી આચાર્ય શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીને આભાર માનતાં અમોને હષ થાય છે. તેઓશ્રીની સલાહથીજ આ ફંડ સ્થાપવામાં આવ્યું છે. મહૂમ શેઠ નગીનભાઈ મંછુભાઈને તેઓશ્રી તરફ સંપૂર્ણ પૂજ્યભાવ હોવાથી તેઓશ્રીના ઉપદેશનું જ આ પરિણામ છે. વિ. સં. 1986 ) વૈશાખ સુદ 3 - ભાઇચંદભાઈ નગીનભાઈ જરી , ગોપીપુરા, સુરત. ) અને બીજાઓ, લી. P.P. AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ આ સ્તા વ ના. અભયકુમાર ચરિત્ર” ના ભાષાંતરને આ ત્રીજો અને છેલ્લે ભાગ પ્રસિદ્ધ થાય છે. એની કંઈક પ્રસ્તાવના લખવી ! પણ તે શી લખવી? આ ચરિત્ર ભલે એક મહાકાવ્ય છે પણ આખરે તો કથાનુવાદનેજ એક ગ્રન્થને ? એની ઝાઝી શી પ્રસ્તાવના ? વિભાગે વિભાગે નવું શું લખવાનું હોય ? જરૂર જોગી પ્રસ્તાવના પહેલા બે ભાગમાં આપી છે. તેમાંથી જાણવા જેવું વાંચકને મળી રહે છે. વિશેષ કંઈ એ રૂપે કહેવાનું હોય એમ મને લાગતું નથી. * છતાં, મારે પિતાને કંઈક કહેવું છે તે કહી લઉં : ૭૫નીય દુકાળમાં કોઈ એવે કાળ ચોઘડીએ ભાષાતર આદરેલું તે આજ ત્રીશ વર્ષે માંડમાંડ પૂરું પ્રસિદ્ધ થઈ શકે છે. પણ સચેતન જીવન્ત મનુષ્યોમાંથી કેટલાનેય ઉંમરે આવતાં પહેલાં અનેક કેસેટ રૂપી “ઘાતમાંથી પસાર થવું પડે છે અને પછીજ એ ભાગ્યશાળી જીવ હોય તો પૂરી પ્રસિદ્ધિ પામી શકે છે, તો આવા “અચેતનની તે વાતજ શી કરવી? તાત્પર્ય કે આનેય એના પ્રમાણમાં અનેક અગવડ રૂપી “ઘાતમાંથી પસાર થવું પડયું છે. તે આ .પણ આમાં મારા કેટલાક મિત્રો ટીકા કરતાં મારો દોષ કાઢે છે કે–“જે લિએ તેં આ ભાષાન્તર પુષ્કળ ટિપ્પણી–પરિ. શિષ્ટ આદિક આપી લખ્યું છે તેવી રીતની શૈલિમાં જૈન વાચ વંગને રસ ઓછો આવે. ( અને જેને કથાગ્રન્થના વાંચનારા જેન શિવાય બીજા કયાં હોય છે ?) જેને મૂળે બહુ અંશે વેપારી રહ્યા એટલે ભારે સાહિત્યને અભ્યાસ બીનજરૂરી ધારે. એમને તો હળવું બે ઘડી મેજ જેવું જોઈએ, અથવા તો કોઈ બાળવાર્તા જેવું રાસનું yed Omar. " you have really scattered pearls before swine" આ પ્રકારની મારી ટીકા કરનારાઓ છે. પણ હું તો એમને જવાબમાં, પ્રસિદ્ધ કવિવર શ્રી ભવભૂતિએ કહ્યું છે એમ– P.P. Ac. Guhratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ ये नाम केचिदिह नः प्रथयन्त्यत्रज्ञां નાનિત તે નિરિ તાતિ નૈર થના उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानथर्मा कालोऽद्ययं निरवधिः विपुलाचपृथ्वी // કહીને સાનૂન લઉં છું. શિવાય, બીજું મારે થોડુંક કહેવાનું છે તે કહ્યા શિવાય ચાલે એમ નથી. હું તો એક અધ્યયનપરાયણ વિદ્યાર્થી જેવો છું, એટલે બને એટલું સારું કરવા મથતા છતાંય, મારા કોઈ પ્રયત્નમાં ભૂલ પણ થઈ જાય છે. (જો કે કેટલુંક “બહુ સારું પણ થઈ જાય છે એમ પણ હું પોતે છાતી પર હાથ મૂકીને કહી શકું છું).” હું આ કબુલ કરું છું છતાં કોઈ ઈર્ષાર હોય છે એ ફક્ત ઈર્ષ્યાને લઈને White side પર દષ્ટિપાત પણ કર્યા વિના Dark side જ શોધે છે ને મને લોકનજરમાં હલકો પાડવા માટે મનમાન્યા પ્રયત્ન કરે છે. એમાં પિતાને અભિપ્રાય બતાવતા હોય તે બન્યું, પણ આતો જાણે પતે એકલાજ એકના એક સર્વશ્રત આધારભૂત-Authority હાયની એમ ફાંકો રાખવા પૂર્વક ટીકા કરે છે. “સારું થયું હોય એનીWhite side ની તો ઈર્ષોખરને નેંધ લેવી તો ગમેજ શેની? એવા ઈર્ષાર છિદ્રાષી–ખેડખાંપણુજ શોધવાના સ્વભાવવાળાને હું Challenge કરું છું કે–એવાએ પોતે જાતે સ્વતંત્રપણે કેઈ બ્રહત મહાપ્રમાણ ગ્રન્થનું ગુજરાતી ભાષાંતર કરી પોતાની માગધી-સંસ્કૃત અને પ્રાસાદિક ગુજરાતી ભાષાના જ્ઞાનની સમીક્ષા, પ્રસિદ્ધ અર્વાચીન સાક્ષર વર્માન્તર્ગત કોઈને સામે હેાંચે નેતરીને કરાવવી. (કેમકે છિદ્રાવેષીની જેમ વગર નેચે ઘરનું ભાતું બાંધીને કોઈ આવતું નથી.) અને કહેવાતા ચિત્રકારને, બજારમાં પરીક્ષાથે મૂકેલા ચિત્રના સબંધમાં થયેલા જેવો અપૂર્વ પૂર્યાસ્વાદ અનુભવે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ તથા ન્ “ભાણજી, પગ તળે બળે છે ઈ જોવું, એ..એ. સામે ડુંગર બળે ઈ ને જેવું, ભાણજી...” ઇત્યાદિ (શ્રી...સૂત્રે... ...શકે.ઉદેશે)! ' આભાર ! પાન નહિં વિણુ ક્ષીર, મેતીને ચારે ચરે, વિણ માન-સસરતીર, માનસ જસ માને નહિ– એવા પરમ હંસનો અને, ઉત્તરાવસ્થાએ સંદેહ ભાંગે એટલે હવે ફક્ત મારા Good right hand નો આભાર માની આ પ્રસ્તાવ બંધ કરું છું. પ્રન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - મેતીચંદ ઓધવજી. . વિ. સં. 1986 કાર્તિકી પૂર્ણિમા. ઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ અ નુ મણિ કા. સર્ગ દશમેન્ટ કઠિયારાનું કઠિન કણ. નન્દાના નંદનનું નવીન નાટક. રાજાના પુત્રો રમવામાં સમજે. માંસની મેઘવારી. અભયકુમારનાં યશગાન. “જ્ઞાનક્રિયાભ્યાં મેક્ષઃ”. અંધ અને પંગુનું પ્રસિદ્ધ દષ્ટાંત. પુણ્ય-પાપની પરીક્ષા. ધમિઠેને સુકાળ–ધણને ધણું ! અધર્મીઓને દુકાળ-માત્ર કણ! [પૃષ્ઠ 1 થી પૃષ્ઠ 22 સુધી.] સર્ગ અગ્યારમે શ્રી મહાવીરનું આગમન. નવકાર મંત્રને પ્રભાવ. “શિવકુંવરે રોગી “સેવન પુરિસે” કીધ.” " ફણિધર પીટીને પ્રગટ થઈ કુલમાળ. " વેશ્યાએ વલભ તણે સુધરાવ્યો ભવ અન્ય. અવિના કે ગોમ આત્માના અસ્તિત્વનું પ્રતિપાદન. કામલંપટ કુમારનંદી. હાસાપ્રહાસા દેવીએ. સમુદ્રવર્ણન. લોભી ગુરૂ ને લાલચુ ચેલે. કુમારનંદીને અગ્નિ પ્રવેશ. નગિલને પ્રત્યાદેશ. નંદીશ્વરદ્વીપનું વર્ણન. એની યાત્રા. શ્રી દેવાધિદેવની મૂર્તિ. રાણું પ્રભાવતીનું અપાયુષ્ય. પ્રભાવતીની દીક્ષા અને સ્વર્ગગમન. ઉદાયન રાજા–એને મુનિને ઉપદેશ અને ધર્મપ્રાપ્તિ. ગંધાર શ્રાવકની તીર્થયાત્રા. સુવર્ણગુટિકાની પ્રાપ્તિ. ચંડપ્રદ્યોતને મેળાપ. દેવાધિદેવ–શ્રીજીવતસ્વામીની પ્રતિમાનું હરણ. ઉદાયન ગૃપના દૂતનું ચંડપ્રદ્યોતની રાજસભામાં આગમન. ઉદાયન રાજાની યુદ્ધની તૈયારી–પ્રસ્થાન. માર્ગમાં જળનાં દુ:ખ. નિર્જળા પ્રદેશમાં દેવની સહાય-પુષ્કરોત્પત્તિ. રણક્ષેત્ર-દ્ધ યુદ્ધ. ઉદાયનો વિજય. તો ધર્મ રસ્તો નથી વિજયી રાજા ચંડપ્રદ્યોતને ખમાવે છે. શરદ ઋતુની શોભા. ઉદાયનનું પુનરાગમન-નગર પ્રવેશ. ઉદાયન રાજા પિષધશાળામાં. ત્યાં એની સુંદર ભાવના. નિપુણ્ય ભદ્રશેઠ અને એના અભદ્ર પુત્રનું દષ્ટાંત. , ઉદાયન નૃપતિની ભાવિ વિરાગિતા-એની ત્યાગ દીક્ષા–એનું અસુંદર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ ભાવિ. ભાવિ વિષપ્રયોગ. એ ચરમ રાજર્ષિને ભાવિ મેક્ષ. અચિ અને કુણિક બધુભાવે. અભયકુમારની દીક્ષાભાવના-દીક્ષા લેવાની પ્રબળ ઈચ્છા. * [ પૃષ્ઠ 23 થી પૃષ્ઠ 102 સુધી. ] સર્ગ બારમોઃ અભયકુમારનો દીક્ષા મહોત્સવ. દીક્ષાના વરઘોડામાં સ્ત્રીઓના આલાપસંલાપ. પ્રભુના હસ્તે વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ. દીક્ષિતને ભગવાનને ઉપદેશ. વ્રત પાલનપરત્વે રોહિણીનું દષ્ટાંત. એ દષ્ટાંત પરથી તારવેલો ઉપનય. નવદીક્ષિતની માતા નન્દાને હર્ષ ઉભરાઈ જાય છે–એની પણ પુત્રની જેમ વતગ્રહણની ઈચ્છા. પતિની (શ્રેણિકરાયની) આજ્ઞા માંગે છે–પ્રભુના હસ્તેજ દીક્ષા અંગિકાર કરે છે. ઉત્તમ ક્રિયાનુષ્ઠાન અને તીવ્ર તપશ્ચર્યાને અંતે એનો (નન્દા સાધ્વીને) મેક્ષ. સાધુની બાર પડિમા” આદિ ગુણાનું વર્ણન. તેત્રીશ આશાતના વજેવી-એનું સવિસ્તર વર્ણન. અનુક્રમે શાસ્ત્રપારંગત ગીતાર્થ અભયમુનિનો એકાકી વિહાર. એની સુંદર દેશના. મકરધ્વજ-કામદેવનું સામર્થ્ય. એના અનેક સુાટેના પરાક્રમોનું વર્ણન. ચારિત્રધર્મ રાજા અને એનો પરિવાર. બેઉ રાજાઓના પરિવાર પરિવાર વચ્ચે રમખાણ. અનંગરાજના પરિવારને પરાજય. કપાગ્નિએ સળગી ઉઠેલે અનંગરાજ. એની સિંહગર્જના. યુદ્ધની તૈયારી અને પ્રસ્થાન. એણે સામા પક્ષમાં પાઠવેલા દૂતનું અપમાન. ધુંધવાયેલા અગ્નિમાંથી આકાશ સામી જવાળા. સંવર અને મકરધ્વજના સુભટનું યુદ્ધ. સંવર અને મકરધ્વજનું યુદ્ધ. સંવરનો વિજયે. આવીને ચારિત્રરાજાના ચરણકમળમાં નમે છે. અભયમુનિની અંત્ય આરાધના–અનશન-મૃત્યુ–“સર્વાર્થ સિદ્ધને વિષે ઉત્પત્તિ. [ પૃષ્ઠ 103 થી પૃષ્ઠ 154 સુધી.] P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #10 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી સર્વજ્ઞા તા. 9 : અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. ભાગ ત્રીજો. સર્ગ 11 મે. એકદા, જેમનું આગમન કઈ અલોકિક આનંદને આપનારું છે કહેવાતું એવા, નિત્યપવિત્ર અને શમતાના ધામરૂપ યુગપ્રધાનશ્રી સુધર્માગણધર રાજગૃહનગરમાં પધાર્યા, અને કોઈના, પશુ-નપુંસક અને સ્ત્રી જાતિ-થી વિવજીત મકાનમાં ઉતર્યા. કેમકે ભાડું આપીને રહેનારા (ભાડુત) ની જેમ મુનિઓને પણ પોતાની માલિકીના મકાન હોતાં નથી. અસ્પૃદયના અદ્વિતીય સ્થાનરૂપ-એવા ઉત્તમ પુરૂષને આવ્યા સાંભળી રાયથી રંક પર્યત સર્વ જ એમનાં દર્શનાર્થે જવા લાગ્યા. અથવાતે સમુદ્રને પાર પામવો હોય તો સૌ કેઈને પ્રવહણને આશ્રય લે જ પડે છે. જોકે એમનાં દર્શન કરી ભૂમિ પર્યન્ત મસ્તક નમાવી વંદન કરીને એમને ધર્મોપદેશ શ્રવણ કરવા યથાસ્થાને બેઠા. કારણકે ભવસાગરથી તારનાર એવા ઉત્તમ તીર્થને ઘેર બેઠાં લાભ મળતું હોય તે વિચક્ષણ 1 છેલ્લા તીર્થકર શ્રી મહાવીરના ૧૧મા ગણધર. વિશેષ માટે જુઓ - આ ચરિત્રનો પ્રયત્ર ભાગ પૃષ્ટ 2 ની નોટ 8 તથા પૃષ્ટ ૩ની નોટ 1. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. મનુષ્ય એમાં કદિ પણ આળસ કરતા નથી. ગણધર મહારાજએ પણ ભવ્ય પ્રાણીઓના પ્રતિબંધને અર્થે દેવદુન્દુભિના નાદ સમાન દૂર દૂર પર્યન્ત સાંભળી શકાય એવી વાણીવડે ઉત્તમ દેશના દીધી. કહેવત છે કે હસ્તનક્ષત્રના મેઘ સર્વદા અમૃતને જ વર્ષાદ વરસાવે છે. દેશનામાં કહ્યું કે– - ભરતખંડમાં ઉત્પન્ન થતા સમસ્ત ધાન્યને એક જ ઢગલે કર્યો હોય તે ઢગલામાં કેઇ દેવતા એક ખોબો ભરીને સરસવ નાખે અને, ઉત્તમ દ્રવ્યોને અવલેહ બનાવનાર કે વૈદ્ય જેમ એ દ્રવ્યને પીસી-ઘુંટીને એકરૂપ બનાવી દે છે તેમ, એ સરસવના દાણાને પેલા ઢગલામાં એકદમ ભેળસેળ કરી નાખે–એવી રીતે કે ગમે એવી વૃદ્ધ અનુભવી સ્ત્રીઓ આવે તો ચે એ ઢગલામાંથી સરસવના દાણું વીણી જૂદા પાડવા દુર્લભ છે -તેવી જ રીતે જન્મ--જરા–અને મૃત્યુથી અવિમુકત એવી આ સંસાર–અટવીમાં ભ્રમણ કર્યા કરતો પ્રાણી પોતાને પ્રાપ્ત થયેલ મનુષ્યજન્મ જે વૃથા હારી જાય છે તે પુન: એનરભવ પામવો પણ દુર્લભ છે. માટે હે શ્રોતાઓ! તમે આ ઉત્તમ મનુષ્યભવ પ્રાપ્ત કરીને, સર્વ અરિષ્ટનું નિવારણ કરનારા ધર્મને વિષે આદર કરે. આવે મનહર ઉપદેશ સાંભળીને અનેક જીવ પ્રતિબંધ પામ્યા. એમાં જેઓ વિશેષ બુદ્ધિશાળી હતા એમણે યથાશકિત વિરતિ અંગીકાર કરી અને બીજાઓએ નિર્મળ સમ્યકcવધર્મ માત્ર અંગીકાર કર્યો. * - એ શ્રોતાવર્ગમાં એક કઠિયારે હતો. એને એ ગણધરરાયના 2. નક્ષત્ર તારાઓનો સમૂહ–જુમખો. આકાશમાં ફરતા ચંદ્રમાના માર્ગમાં આવા 27 નક્ષત્રો આવે છે. હસ્ત નક્ષત્ર એમાંનું એક છે. ચંદ્રમાનો એની સાથે યોગ થયો હોય તે વખતે જે વર્ષાદ વરસે છે તે અમૃત જેવો અર્થાત મીઠા પાણીને હોય છે એમ કહેવાય છે. 3. દુર્ભાગ્યસંકટ. 4. સાંસારિક વિષયો–ભોગપભોગના પદાર્થો ઓછેવત્તે અંશે ત્યજ્યા. (વિરતિ=સાંસારિક વિષયો તરફ અભાવ). 5. જુઓ આ ચરિત્રનો બીજો ભાગ પૃષ્ટ ૨૨૩ની નોટ. 6. દીક્ષિત મુનિ અને આર્યાએ કેવી વસતિ એટલે મકાનમાં રહેવું એ સંબધી હકીકત આચારાંગ સૂત્રના ૧૧મા અધ્યયનના પહેલા ઉદ્દેશમાં સવિસ્તર સમજાવેલી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ કઠિયારાનું કઠિન કષ્ટ. ઉપદેશની એકદમ સચોટ અસર થઈ. એટલે એણે ઉભા થઈ એમને ઉત્તમભાવપૂર્વક વિનતિ કરી–હે મુનિરાજ ! આપના ઉપદેશથી મારું મન સંસારથી વિરકત થયું છે માટે મને તે અહિંથી મારે ઉદ્ધાર થાય એવી એગદીક્ષા આપો. કહ્યું છે કે આવા સંસારત્યાગરૂપ દુષ્કર કાર્યમાં સાહસિક અને ઉત્સાહભર્યું મન જ હેતભૂત છે; માણસની ધનાઢયતા કે રંકતા હેતુભૂત નથી. ગણધર મહારાજે પણ (પાત્રની) ચોગ્યતા જોઈને એને દીક્ષા આપી. પછી એને મુનિને આચાર શીખવો શરૂ કર્યો–જેથી એની ભવસ્થિતિ દઢ થાય. હવે વાત એમ બની કે અન્ય મુનિઓની સંગાથે રાચરી અથે કે જિનમંદિરે દર્શન અર્થે જતાં આવતાં માગમાં લેક એ નવદીક્ષિત મુનિને ઉપહાસ કરવા લાગ્યા. કેમકે શ્વાનજાતિની ભસવાની પ્રકૃતિ હેાય છે-તે ભસ્યા વિના રહેતી નથી. " અહો! આણે અતિ દુષ્કર કાર્ય કર્યું છે! એનાથી શી રીતે એની એવી સંપત્તિને ત્યાગ થઈ શકો ? નિરન્તર કાષ્ટના ભારા વહીલાવારૂપ કારભારું એ જ છેડી શકે ! ચાલો, બિચારાને ઉદરપૂરણની ચિન્તા તે આળસી! હવે ભિક્ષામાં સારી રીતે ભેજન મળશે અને રહેવાનું પણું સુખ થશે. મુધાના સતત દુ:ખમાંથી છુટયે એ બહુ સારું થયું.” આવાં આવાં ઉપહાસનાં વચને લેકે એને સંભળાવવા લાગ્યા. એથી એનું મન બહુ દુભાવા લાગ્યું. કારણકે જગતમાં માણસથી જન્મ, કર્મ કે મર્મ સંબધી નિન્દાનાં વચને સહ્યાં જતાં નથી. એટલે એણે ગુરૂને અંજલિ જેડી પ્રાર્થના કરી કે, હે પ્રભુ! અહિંથી તે હવે સત્વર વિહાર કરે. મારાથી અપમાનના શબ્દો સંભળાતા નથી. ગુરૂએ પણ સર્વ વાત જાણી લઈને એનું કહેવું માન્ય કર્યું–તે જાણે નવવિવાહિતનું મન 1 જન્મની-જન્મમરણની મર્યાદા બંધાય. (કેમકે જન્મમરણના ફેરા ઓછા કરવા એજ દીક્ષા લેવાનું પ્રયોજન છે.) 2 ભિક્ષાથે ફરવું એનું નામ “ગોચરી” (ગો–ગાય ચરે એમ ચરી આવવું). ગાય ચરે છે એ પૃથ્વી પર ઉગેલું ઉપરઉપરથી ચરે છે–પાછળ બીજાં જાનવર માટે રહે છે–તેમ મુનિ ગૃહસ્થને ઘેરથી, પાછળનાને માટે રહે એવી રીતે જુજજુજ વહોરી આવે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. રાખવું પડે છે એમ નવદીક્ષિતનું પણ મન રાખવા માટે જ હોયની! આમ વિહાર કરી જવાનું ઠર્યું એટલે રાજ્યના અમાત્ય બુદ્ધિસાગર અભયકુમારની રજા માગી, કારણ કે એ ઉચિત વિવેક રાખવાથી વિદ્વાન ભકતજનનું પણ ગૈરવ સચવાય છે. ગણધરરાયના વિહારની વાત સાંભળી ઉદ્વિગ્ન થઈ અભયકુમારે વિનયસહિત પૂછયું- હે પ્રભુ! આમ એકાએક વિહાર કરવાને વિચાર કયાંથી થયે.? શું મારાં પુન્ય ખવાઈ ગયાં અને પાપ ઉદય આવ્યાં? પણ ગુરૂરાજે અતિ સર્વ ખુલાસો કર્યો, એટલે ચતુર અમાત્યે ઉંડે વિચાર કરીને કહ્યું–હે સ્વામી, આપ ફકત એક દિવસ શેકાઈ જાઓ.. પછી આપના મનમાં આવે એમ કરજે. ભક્તનું આ કથન ગુરૂથી અમાન્ય કરાયું નહિં. અભયકુમારે તે તુરત એક હિકમત શોધી કાઢી. રાજ્યના ભંડારમાંથી રને ભરેલી ત્રણ પેટીઓ મંગાવરાવીને ચાટા વચ્ચે મુકાવી. રત્નના કિરણો વડે ઝળહળી રહેલી એ મંજુષા જાણે વસુંધરાએ અભયકુમારના બુદ્ધિચાતુર્યથી પ્રસન્ન થઈને (પિતાનામાં રહેલો ) વસુનિધિ એટલે દ્રવ્યભંડાર પ્રકટ કર્યો હોયની એવી વિરાજી રહી. પછી એણે પોતાના વિશ્વાસપાત્ર માણસદ્ધારા સકળ નગરને વિષે એવી ઉદ્ઘેષણ કરાવી કે “જે જે પ્રજાજન લેવા આવે એ સર્વને અમાત્ય રને વહેંચે છે, માટે ચાલો, લઈ જાઓ અને તમારું દ્રારિદ્રય ટાળે.” આ પ્રકારને ઢંઢેરો આખા નગરમાં પીટા. એ સાંભળીને સંખ્યાબંધ પ્રજાજને વનમાંથી ઘરભણ ગાયનાં યૂથ વહ્યાં આવતાં હાયની એમ, ત્વરિતપણે આવવા લાગ્યા. એમને અભયકુમારે કહ્યું સ્ત્રી, અગ્નિ અને જળ-એ ત્રણ વસ્તુઓને ત્યાગ કરે એવો કોઈ તમારામાં હોય એને આ રત્નમંજુષા આપવાની છે. કેમકે વિજય જેમ ખરા સુભટને જ પ્રાપ્ત થાય છે તેમ એ પણ એવી ટેકવાળાને પ્રાપ્ત થાય એવી મારી ઈચ્છા છે. જોકે એ સાંભળીને વિનયપૂર્વક કહેવા લાગ્યા “જે યુવતિ, જળસ્નાન અને અગ્નિ–એટલાં વાનાં - 1 પૃથ્વી. 2. કારણકે વસુન્ધરા બહુરત્ના કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ નન્દાના નન્દનનું નવીન નાટક! ત્યજીએ તે તો પછી અમારે આ રત્નનું પ્રયોજન જ શું? પછી તે અમારે એ પાષાણુ જેવાં જ. હે સ્વામી ! ઘરમાં બકરીનું ઠેકાણું હેય નહિ ત્યાં હાથી બાંધવાને વિચાર કરીએ એ જે વૃથા છે. તે જ સ્ત્રી, નાનને અગ્નિ વિના રત્નાદિ દ્રવ્યને સંગ્રહ વૃથા છે. અભયકુમારે તે પિતાની હિકમત ફળવતી થશે જ—એમ ધારી મૂકયું હતું. એટલે લાગ જોઈને કહ્યું–તમારામાં કેઇ એ ન હોય તે પછી આ મુનિ એવા છે એને એ આપી દઊં. તમે તે જે કે જાણે પંડિત-વિદ્વાન હો એમ એને ઉપહાસ કરે છે, પરંતુ ખરેખરૂં દુષ્કર કાર્ય તે એજ કરે છે કેમકે એણે તો સ્ત્રી, સ્નાન ને અગ્નિ ત્યજ્યાં છે એટલું જ નહિં પણ ઉપરાંત આવાં અમૂલ્ય રત્નોને પણ ત્યાગ કર્યો છે. એમની તે રત્નરાશિ ને તૃણસમૂહ પર, નાગણી ને દેવાંગના પર, શત્રુ ને મિત્ર પર, સ્વજન ને પરજન પર, સ્તુતિ કરનારાને નિંદા કરનારા પર સમાન દષ્ટિ છે. આવા ઉત્તમ ચારિત્રવાન મુનિ ઉપહાસ ને નિંદાને ચગ્ય છે કે ઉલટા આદરમાન, વંદન અને સ્તુતિને પાત્ર છે? એને જરા વિચાર કરી જુઓ. મુનિજનની નિંદા કરવાથી અને એમનાં અપવાદ બોલવાથી સંસારસમુદ્રમાં કાળનાકાળ પર્યન્ત ભ્રમણ કરવું પડે છે. માટે મહાન સમૃદ્ધિને ત્યાગ કરનારા એવા મુનિજનને નમે, એમનો સત્કાર કરો, એમની સ્તુતિ કરે ! અભયકુમારનાં હિતવચને શ્રવણ કરી પશ્ચાત્તાપ પામેલા નાગરિકે કહેવા લાગ્યા “હે વિદ્વતશિરોમણિ, આપનાં વચનો અમને પ્રમાણ છે, કેમકે એ અમારે ભવભ્રમણમાંથી ઉદ્ધાર કરનારાં છે. હે મંત્રીવર, બળપુરૂષો એક સજનનો ઉપહાસ કરે એમ અમે એ મુનિવરને ઉપહાસ કર્યો એ અમારી નરી મૂર્ખતા છે. હવેથી અમે નિશ્ચયે કદાપિ એવું નિન્ય કાર્ય કરીશું નહિં. અમે મૂળથીજ 'કુવ્યવસાયને લીધે પાપમાં બુડેલા છીએ એટલે આ તે અમારે જળમાં ગળે શિલા બાંધીને ઉતર્યા જેવું થયું. તમે અમારા શ્રેષ્ઠ હિતસ્વી-ગુરૂ બનીને, જેમ ધનદેવ શ્રેષ્ઠીના પાંચસો વાહનોને 1. કનિષ્ટ પ્રવૃત્તિ-વ્યાપાર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. બળદે નદીમાંથી ઉદ્ધાર કર્યો હતો તેમ, અમારે અનીતિના માગથકી ઉદ્ધાર કર્યો છે. આમ કહી પ્રજાજન જાણે પોતાને સમસ્ત રત્નસમૂહ પ્રાપ્ત થયે હાયની, એમ પૂર્ણ હર્ષ પામી પોતપોતાને ઘેર ગયા; જેવી રીતે સોગઠાબાજીમાં, જીતનારની સંગઠીઓ ઘર” માં જાય છે તેમ. એ પછી બુદ્ધિસાગર અભયકુમારે જઈને સુધર્મા ગણધરને કહ્યું–હે ગુરૂ, લેકે હવે વિવેકાવિવેક સમજતા થયા છે માટે આપ હવે તે અમને બોધ આપવા અહિં સ્થિરતા કરો. આપના નવદીક્ષિત શિષ્ય પણ સુખે વિધિપૂર્વક વ્રતનું અનુપાલન કરે અને અમે પણ આપ અહિં સ્થિર થાઓ એટલે આપના ચરણયુગલની સેવાભક્તિ કરીએ. એ સાંભળી ગણધર મહારાજાએ પણ આશિષ આપી કે હે બુદ્ધિનિધાન, તું સત્યજ મુનિજનના હૃદયરૂપ કમળપર ભ્રમણ કરનાર ભ્રમર છે; તારાં સર્વ અનુષ્ઠાન ધર્મની ઉન્નતિ કરનારાં છે, માટે તું આ આપણું ઉત્કૃષ્ટ ધર્મની ધુરાને નિત્ય વહન કરતો ચિરંજીવ રહે. આમ અભયકુમાર પિતાના વિચિત્ર ચરિત્રથી અખિલ પૃથ્વીમંડળને ચમત્કાર પમાડતો ત્રણે પુરૂષાર્થોને સાધતે “પિતાના રાજ્યમાં પુત્ર દિવાન” નું અભિધાન સાર્થક કરતો હતે. એકદા અવસરે શ્રેણિક નરપતિ સભામંડપને વિષે બેઠે હતે. શ્રેષ્ઠ વસ્ત્રાલંકારથી વિભૂષિત થયેલી વારાંગનાઓ ચન્દ્રમાં સમાન વેત ચામરેવડે એને વાયુ ઢાળી રહી હતી. અનેક મન્ત્રીઓ, પરિગ્રહવેગ, પુત્ર પરિવાર આદિથી મંડપ ભરાઈને શોભી રહ્યો હતો. માંડલિક રાજા શ્રેણિક નરપતિના ચરણકમળ સેવી રહ્યા હતા. અને ઉત્કૃષ્ટ આનન્દ આપનારા સંવાદો ચાલી રહ્યા હતા. એવામાં રાજગૃહીના ઈન્દ્ર કહેવાતા શ્રેણિક ભૂપાળે સભાજને સમક્ષ પ્રશ્ન કર્યો " આ સમયે એવી કઈ વસ્તુ છે કે જેનું વિશેષમાં વિશેષ મૂલ્ય હાય ?" અહા ! જુઓ તે ખરા ! રાજાનું મન, પૂર્ણ સુખમય જીવન નિર્ગમન કરવાને લીધે કયાંનું ક્યાં દોડે છે! 2. વિશેષણ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #16 -------------------------------------------------------------------------- ________________ રાજાના પુત્ર રમવામાં સમજે ! ભૂપતિના પ્રશ્નનન સભાજનેએ પોતપોતાની મતિ અનુસાર ઉત્તર આપે; ફક્ત અભયકુમાર મન બેસી રહ્યો, કેમકે સુભટની સેનામાં પ્રથમ “તીર ફેંકનારાઓ રણમાં ઉતરે છે. કેઈએ ઉત્તર આપે કે હસ્તી સાથી મૂલ્યવાન છે. કેઈએ કહ્યું કે અશ્વ સૌથી મૂલ્યવાન છે. કેઈએ કહ્યું “પુષ્પ”, તે કેઈએ કહ્યું “કેસર કેઈએ વળી “વસ્ત્ર”, “કનક', કે “સુવર્ણ” કહ્યું, તે કેઈએ “વૃત”, “કસ્તુરી” કે આમ્રફળ” કહ્યું. આમ ગમે તેમ નામ આપ્યાં. ત્યારપછી, અત્યાર સુધી મિાન ધારણ કરી રહેલ અભયકુમાર, એકલું અમૃતતુલ્ય, પરિણામે શુભ અને ભવ્યજનના પરિતાપને શમાવનારૂં કયું વચન નીવડશે એને પૂર્ણ પણે વિચાર કરીને બે –જેવી રીતે મરૂદેશને વિષે જળ મહામૂલ્યવાન છે તેમ અત્યારે આપણે ત્યાં નિશ્ચય મનુષ્યનું માંસ સૌથી વિશેષ મૂલ્યવાન છે. આ મારા ઉત્તરમાં લેશ પણ સંશય કરવા જેવું નથી. અભયકુમારને ઉત્તર સાંભળીને સદ્ય ચોમેરથી પિતપોતાને મન વિચક્ષણ હતા એઓ ઈર્ષાથી એકદમ બોલી ઉઠયા-માંસ . તો સર્વથી સસ્તી વસ્તુ છે, અમારો ઉત્તર સત્ય છે, ગિરિની જેમ અમારે અચલ ઉત્તર છે ! હે રાજન ! માંસ તે શર ઋતુમાં સરોવરમાં જળ ઉભરાઈ જાય છે એમ ઉભરાઈ જાય છે. એક રૂપીઆમાં પુષ્કળ માંસ મળે છે. અભયકુમારને ઉત્તર સાંભળીને તે અમને હસવું આવે છે. પણ રાજાના પુત્ર કીડામાં જ સમજે. હે નરપતિ, સત્ય જ માનજે કે સુમતિ જન જગમાં વિરલ છે. એ સાંભળી મગધનરેશે કંઈક કોપાયમાન થઈને કહ્યું–મેં પ્રશ્ન કર્યો એમાં તમને હાસ્ય કેમ ઉત્પન્ન થાય છે ? હાસ્યનું કારણ શું છે? ઉપહાસ કરીને તમે પોતે તમારા પર વિપત્તિ હેારી છે. પણ અત્યન્ત નિર્ભય ચિત્તવાળા અભયકુમારે કહ્યું-હું સુવિચારપૂર્વક બે છું પરંતુ એ એ એ સમજ્યા નથી માટે એમ બેલે છે. એઓ કંઈ મૂખ નથી, એમનામાં સત્ય જ્ઞાન છે. એ સાંભળી શ્રેણિક નરપતિએ કહ્યું–અભય, તે કહ્યું કે તે તદ્દન અસત્ય છે. તારા 1 મરૂદેશ એટલે મારવાડમાં જળની બહુ તંગી હોય છે, તેથી ત્યાં જળ મૂલ્યવાન કહેવાય છે. Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S. Page #17 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર મનથી તું એકલો જ બુદ્ધિમાન છે પરન્તુ તે જે ઉત્તર આપે છે તે સત્યથી વેગળ છે. પિતાનાં અપમાનકારક વચન સહન કરી લઈને પણ અભયકુમાર તો હર્ષ સહિત કહેવા લાગ્યા–હે પિતાજી, આપ ભલે આ સર્વ સભાજનો સાથે સંમત થતા હો, પરંતુ એટલું તો માનજે કે હું આપને મન મૂર્ખ છું તથાપિ મારૂં વચન સત્ય છે એ હું સિદ્ધ કરી આપીશ એટલે તમે માનશે, કેમકે પ્રત્યક્ષ ઉદાહરણ વિના સત્યાસત્યનો નિશ્ચય થતો નથી. પછી એણે પોતાના ઉત્તરની સત્યતા સિદ્ધ કરવાને પિતા-રાજા પાસેથી અત્યન્ત પ્રાર્થનાપૂર્વક પાંચ દિવસની મુદત માગી લીધી. કહેવત છે કે અત્યાર વિનાના માણસેથી કંઈ ફળ નથી. પછી શ્રેણિક રાજાએ પણ સભા વિસર્જન કરીને પોતે અવધને પૂર્ણપણે વિરોધી છતાં અવરોધને વિષે પ્રવેશ કર્યો. . હવે અભયકુમારે એક તદબીર રચી: એણે નગરમાં એવી ઉષણ કરાવી કે “આજે શ્રેણિકમહારાજાને ક્ષણવારમાં કઈ મહાન યાધિ ઉત્પન્ન થયો છે. વૈદ્યરાજ કહે છે કે મનુષ્યના કાળજાનું બે યવ માંસ હોય તે એનું નિવારણ થાય. માટે હે પ્રજાજનો ! જે તમારે તમારા રાજા પ્રત્યે ભક્તિભાવ હોય તો તમે તે આપી જાઓ. આમાં તમારી કસોટી થવાને પ્રસંગ આવ્યે છે. આરામ થયેથી કૃતાર્થ રાજા તમને સદ્ય તમે ઈચ્છશે એ ? આપશે.” પણ આવી ઉદ્ઘાષણથી કોઈપણ માંસ આપવા આવવા તત્પર થયું નહીં. કેમકે જાણીબુઝીને કેણુ મૃત્યુ વ્હોરી લે ? જગતના સર્વ પ્રાણીઓને પ્રાણ હાલા હોય છે. કૃમિ એટલે ન્હાનાં જીવડાંને પણ મોત ગમતું નથી. પછી તો જેમણે આવેશમાં આવી જઈ સભાને વિષે માંસ જોઈએ એટલું મળે છે” એમ પ્રતિપાદન કર્યું હતું તે સર્વમાંના પ્રત્યેકને બોલાવીને અભયકુમારે કહ્યું " મહારાજાના વ્યાધિની ઉપશાન્તિને અર્થે અકેક યવભાર માંસ આપે, કેમકે તમે ભરસભામાં સર્વની સમક્ષ “માંસ સુલભ છે " એમ કહ્યું છે. પરંતુ એ સર્વેએ 1. (1) શત્રુના નગરને ઘેરો ઘાલવો તે; (2) અન્તઃપુર. . LAS Gunrattiasuri M.S. Jun Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ . માંસની મોંઘવારી ! અભયકુમારને કહ્યું –દયા લાવીને અમને અભયદાન આપે. તમને અમે દ્રવ્ય આપીએ અને તમે અમારા પર કરૂણું કરો ને એ માંસ અન્ય કોઈપણ પાસેથી મેળવી લ્યો. એમ કહીને, જેમને મદ સર્વ ગળી ગયે હતો એવા એ સભાજનેએ એને પુષ્કળ દ્રવ્ય આપ્યું. અથવાતો ઈશ્ન એટલે શેરડી પણ અત્યન્ત પીલીયે છીએ ત્યારે જ મધુર રસ આપે છે. આમ લેશ માત્ર પણ રેટરહિત એવા અભયકુમારે એવા પ્રકારનો ઉપાય કરીને મેળવેલું અગણિત દ્રવ્ય ફૂટબદ્ધ રાજાના આવાસને વિષે લાવીને મૂકયું. ખરેખર પિતાને અને અવરને ઉભયને અર્થ સારે એવા અભયકુમાર જેવા જગતમાં વિરલા હોય છે. પિતાનું કાર્ય સિદ્ધ કરવા માટે વળી અભયકુમારે બીજુ એ કર્યું કે આખા દેશમાં પાંચ દિવસ પર્યન્ત સર્વ કઈનું દાણ માફ કર્યું. એ સ્થળે અન્ય કોઈ હોય તો એ (દાણ) અસત્ય રીતે ઉલટું વિશેષ પણ લે. વળી ત્રીજું એણે એ કર્યું કે લોકોને ધન પણ આપીને સુખી કર્યો. આમ પાંચ દિવસમાં એણે પૃથ્વી પર કીતિનું વૃક્ષ ખડું કર્યું. અથવા અભયકુમાર જે અતુલ બુદ્ધિમાન મંત્રીજ એ કામ કરી શકે. એટલામાં અભયકુમારને આપેલી પાંચ દિવસની મુદત પૂર્ણ થઈ. અને શ્રેણિક રાજા પણ અન્તઃપુરથી બહાર આવીને રાજ્યાસને બિરા; દિવસ પતિ સૂર્ય રાત્રીને સમયે સિધુને વિષે રહી દિવસના પગમાં ગગનપર આવીને વિરાજે છે એમ. એવામાં મહેલમાં અભાગ્યમારે લાવી મૂકેલું અગણિત દ્રવ્ય એની દષ્ટિએ પડયું. એ જેeો એણે હર્ષપૂર્વક પૂછ્યું–અભય! આ કયાંથી આવ્યું ત્યારે અભયકુમારે ઉત્તર આખે-આપણા સચિવ વગેરે એ આપી ગયા છે. એ આપના શુભ કર્મનું ફળ છે. પરંતુ શ્રેણિક તે અત્યન્ત કોધ કરીને કહેવા લાગ્યા-અરે, તે બહુ જ અનીતિ કરીને નગરજનેને તલની જેમ ચગદ્યા લાગે છે; નહિં તે આમ સહસા એટલું બધું દ્રવ્ય ક્યાંથી હોય? આ પાંચ દિવસમાં તે 2 નિષ્કપટીક 3 ઢગલાબંધ. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. લુંટારાની જેમ નગરમાં લુંટ ચલાવી જણાય છે! આવું અસદવર્તન આદરીને શું તું ચિરકાળ પર્યન્ત રાજ્ય કરી શકીશ-એમ ધારે છે? શું લેકે કદાપિ કયાંઈ વણમાગ્યે પિતાનું દ્રવ્ય અને એ પણ આમ અનર્ગળ ઢગલાબંધ આપે ખરા ? તે પ્રજાને આમ પીડા ઉપજાવીને આપણા પૂર્વજોની કીર્તિને ગુમાવી છે!! એ સાંભળી અમૃત કરતાં પણ ચઢી જાય એવાં વચનવડે વિનયવાન પુત્ર અભયકુમારે પિતાને કહ્યું- હે તાત, જે આપના યશને લાંછન લાગે એવું મેં કંઈ કાર્ય કર્યું આપને ભાસતું હોય તે આપના વિશ્વાસુ ચરપુરૂષને મોકલી તપાસ કરાવે. - નિર્ભય પુત્રનાં એ વચન શ્રવણ કરીને પિતા-શ્રેણિક રાજાએ, નહોતો જેમને કંઈ પણ રાગ કે નહોતે કંઈ પણ રોષ એવા પિતાના ચર-સેવકોને રાત્રીને સમયે નગરને વિષે મુખ્યમુખ્ય માગે ફરીને અભયકુમારનાં ચેષ્ટિત પરત્વે જે કંઈ બેલાતું હોય તેની તપાસ કરવાને મોકલ્યા. એ સેવકજનેને સમસ્ત નગરને વિષે અભયકુમારનાં યશગાન ગવાતાં શ્રવણે પડ્યાં. અથવાતો સુરગિરિ મેરૂ પર્વત ઉપર સુવર્ણના ઝળહળી રહેલા પ્રકાશ શિવાય બીજું શું હાય ? આમ્રવૃક્ષ પર, ચિત્તને આહૂલાદ ઉન્ન કરનારી રમણીયતા વિના બીજુ શું હોય ? " આહા ! મેઘજળ જેમ વસુંધરાને તૃપ્ત કરે છે એમ જણે આપણને આ પાંચ દિવસમાં સર્વ પ્રકારે સુખી સુખી બનાવી દીધા છે એ રાજમંત્રી અયિકુમાર પૃથ્વી પર, ચિરંજીવ રહે ! અખિલ આકાશપ્રદેશને ચંદ્રમાં પ્રકાશમય કરે છે એમ એણે કુળને ખરેખર અજવાળ્યું છે. યોગીવરના વચનથી જેમ સતી સ્ત્રી સનાથ થાય છે એમ એ કુળદીપક રાજપુત્રથી પૃથ્વી ખરે જ સનાથ થઈ છે. નહિં તો એ રઘુવીર રામચંદ્રની પેઠે, પ્રજાજનને ઉત્કૃષ્ટ નીતિને માગે સંચરાવે કેવી રીતે ? એને બદલે જે કે અન્ય અધિકારી હોત તે એ તો ઉલટ આપણને નિશ્ચયે પીડીપીડીને દ્રવ્ય અને વૈભવથી ભ્રષ્ટ કરી, રંક બનાવી દેત. સકળ પ્રજાજનને નિર્ભય બનાવનાર, નીતિમાન અક્ષયકુમાર તુલ્ય સપને જેમને પ્રાપ્ત થયેલ છે એવા એના પીપાવન માતપિતા પણ Page #20 -------------------------------------------------------------------------- ________________ અભયકુમારનાં યશૈગાન. * - 11 પુણ્યવાન જ.” આવાં આવાં એનાં યશોગાન નાગરિકેને મુખે ગ. વાતાં શ્રવણ કરીને ચરપુરૂષોએ જઈને રાજાને સવિસ્તર નિવેદન કર્યા એટલે ગુણજ્ઞ શ્રેણિકરાય અત્યન્ત હર્ષ પામીને કહેવા લાગ્યો–પુત્ર અભય ! તારાં પરાક્રમ સર્વવિજયી છે; તારું ચરિત્ર વિદ્વાને ને આશ્ચર્યમાં લીન કરે એવું છે. લેકોને દાન દેવાથી તો તે શેષનાગ સમાન, નિષ્કલંક ઉજવળ કીર્તિ પ્રાપ્ત કરી છે. પરંતુ આ દ્રવ્ય તું લાજે છે એ જે પ્રજા પાસેથી અન્યાયે લાવ્યો હઈશ તો અપકીતિ થશે. સાંભળ, તે પ્રજા પાસેથી જ આ સર્વ દ્રવ્ય મેળવ્યું છે, છતાં યે શીતતાના ભંડાર એવા ચંદ્રમા સમાન ઉજવળ કીર્તિ તારી ગવાય છે. શ્રીકૃષ્ણ એકલા કુટકપટમાં તતપર કહેવાય છે, છતાં ચે જગતમાં એ પુરૂષોત્તમ " એવા નામથી પ્રસિદ્ધિ પામ્યા છે. એવું આશ્ચર્ય બને જ છે. તેં યે આ દ્રવ્ય અને યશ ઉભય એક સાથે પ્રાપ્ત કર્યા એ એના જેવું જ આશ્ચર્યજનક છે! બુદ્ધિ અને સાથે બળની પ્રાપ્તિની જેમ, દ્રવ્ય અને સાથે જ યશની પ્રાપ્તિ શક્ય નથી. તે આમાં તત્વ શું છે એ કહે ! પિતાને એ ગ્ય પ્રશ્ન શ્રવણ કરીને પુત્ર વિનયભર્યા અને મદ રહિત શબ્દ વડે કહ્યું “પિતાજી! સાંભળો. તે વખતે મેં સભામાં દુર્લભમાં દુર્લભ વસ્તુ મનુષ્યનું માંસ છે " એમ કહ્યું હતું એ વાત સભાજનોએ સ્વીકારી નહોતી. પરંતુ, હે પૃથ્વીનાથ, અત્યારે અહિં આપની દષ્ટિ સમક્ષ જે અનર્ગળ દ્રવ્ય પડયું છે એ સર્વ લઈને પણ સ્વજન કે પરજન કેઈએ એ પોતાના કાળજાનું બે યુવભાર માંસ પણ મને આપ્યું નહીં. એટલે રાજાએ એને મર્મ પૂછવા પરથી અભયકુમારે પાંચ દિવસમાં બનેલી સર્વ હકીકત શુદ્ધ મને અને સત્યપણે પિતાને નિવેદન કરી. એટલે એણે પોતે અને સર્વ નાગરિકોએ પણ અભયકુમારની “મનુષ્યનું માંસ સર્વથી વિશેષ દુર્લભ વસ્તુ છે”—એ વાત માન્ય કરી, એને એકમતે વિદ્વતશિરોમણિ કહી અત્યન્ત માન આપ્યું. એના પરિજનવગે પણ એની ચિરકાળ એકમુખે સ્તુતિ કરી. કેમકે આ પૃથ્વી પર સુંદર ”ને કણ “સુંદર” નથી કહેતું? એના વંશરૂપી આકાશને ઉજવલિત કરનારા સૂર્ય તરીકે એનાં યશ ગવાયા. સંતાપસમુદ્રના ઉછળતા A Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ 12 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, તરંગમાંથી ઉદ્ધાર કરનારા પ્રવાહણત રીકે એની કીર્તિ પ્રસરી. અખલિતબુદ્ધિરૂપી કમળસંતતિને વિકસાવનાર તેજસ્વી ભાનુ તરીકે એના પ્રતાપનાં ગીતગાન થયાં. સર્વ વિચક્ષણ પુરૂષોમાં અગ્રણ તરીકે એની ખ્યાતિ વૃદ્ધિ પામી. શરઋતુના ચન્દ્રમાં સમાન અમૃત વષવનારા તરીકે એનું માહાતમ્ય વિસ્તાર પામ્યું. અને ગાઢ બીડાઈ ગયેલાં નયનને ઉઘડાવી નાખનાર વેત ચિત્રક, તરીકે એ પ્રજાજનને પ્રેમપાત્ર બન્યો. પછી મહીપતિ શ્રેણિકરાયે પેલું દ્રવ્ય જેનું જેનું હતું તેને તેને તે આપી દીધું. કારણકે ગાંભીર્યગુણથી ભરેલે સમુદ્ર કદિ પોતાની મર્યાદા ત્યજતે નથી. પોતપોતાનું દ્રવ્ય મળી જવાથી પ્રજાજન પણ અત્યન્ત હર્ષ પામ્યા; કેમકે દ્રવ્યહીન મનુષ્ય ૨જ કરતાં પણ હલકે લેખાય છે. આ પ્રમાણે અનેકવિધ આશ્ચર્યકારક ઘટનાઓએ કરીને રાજગૃહીના નાગરિકોને નિરન્તર પ્રતિબંધ પમાડતે દયાપુણે દીપ અભયમંત્રીશ્વર સમય નિગમતો. એવામાં એકદા રજતગિરિ અને શીતકિરણ–ચન્દ્રમા સમાન ઉજવળ કીર્તિવાળા, અને મુક્તિરમણના હૃદયના હારરૂપ એવા અનિતમ તીર્થકર શ્રી મહાવીર ભગવાન સમગ્ર પૃથ્વીમંડળને પોતાના વિહારથી પાવન કરતા કરતા આ રાજગૃહીએ પધાર્યા. એટલે ત્યાં અન્ય અન્યથી વિશેષ વિશેષ મદવાળા ચારાનકાયના દેવેએ આવીને લોકિકદેવેના ગર્વને નિરાસ કરી સમવસરણની રચના કરી. સર્વસુર, અસુર અને મનુષ્ય જેમને નમન કરી રહ્યા હતા એવા વીરજિનેશ્વરે પણ શ્રીસંઘને નમસ્કાર કરી સમવસરણને વિષે પિતાને આસને વિરાજ્યા. તત્કાળ, વિવાહવિધિ પ્રસંગે લેકે ભરાઈ જાય છે એમ ધન્યભાગ્ય બારે પર્ષદા સમવસરણમાં ભરાઈ ગઈ. નિરતર પાપકાર્યોથી દૂર વસતો શ્રેણિકભૂપતિ પણ પ્રભુ આવ્યા 1 કઈ ઓષધી હશે. 2 ના તિગ્રસ એમ કહીને ચતુર્વિધસંધને નમસ્કાર કરબનો તીર્થકરેનો આચાર છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનક્રિયાખ્યામ્મન્ના | જાણ એમને વંદન કરવાને આ; અને વિશિષ્ટ સ્થિર ભક્તિ વડે ભગવાનને પ્રણિપાત કરીને સભામાં ઉચિત સ્થાને બેઠે. કારણ કે સદ્બુદ્ધિવાળા પ્રાણુંઓ આવા જંગમતીર્થને પામીને પિતાના જન્મને સાર્થક કરે છે જ. ચચ્ચાર કેશ પર્યત સંભળાતી વાણીવડે જિનેશ્વરે ધર્મદેશના દીધી. અથવા રનના નિધાનમાંથી અનેક અનેક પ્રકારના રત્નોના રાશિ નીસરે છે. દેશનામાં પ્રભુએ કહ્યું કે હે પ્રાણીઓ, જે તમારે મુક્તિવધુને વરવાની અને દુઃખસમુદ્રને તરવાની ઈચ્છા હોય તો નિરન્તર જ્ઞાન અને ક્રિયા–ઉભયને વિષે આદર કરે. એ બેમાંથી ફક્ત એકનાથી કંઈ પણ ઈષ્ટ સિદ્ધિ થશે નહીં. કેમકે કઈ પણ વાહન ફક્ત એક જ ચક્રથી પદમાત્ર પણ ચાલી શકતું નથી. એક પંડિત પુરૂષને પણ પોતાને સિદ્ધાન્ત સ્થાપવા માટે અન્વય અને વ્યતિરેક બેઉ વાનાં જોઈએ છીએ. જેમ સારા પાકની આશા રાખવા માટે ઉત્તમમાં ઉત્તમ સાધન-સામગ્રી જોઈએ છીએ તેમ. આ વાતના સમર્થનમાં, અંધ અને પંગુના બે પ્રસિદ્ધ છાત છે તે તમે એકાગ્ર મને શ્રવણ કરો: કઈ નગર પર શત્રુરાજાએ આક્રમણ કર્યું એના ભયે પ્રજા જન વનમાં નાસી ગયા. કેમકે દેવતાઓ પણ ભયના માર્યા ચેદિશ જતા રહે છે તે પછી આ માનવીઓની શી બીસાત ! એકદી ત્યાં પણ લુંટારા ચાર લોકોનો ભય લાગ્યો. કેમકે દુ:ખમાં ડુબેલા હોય છે એવાઓને વિપત્તિ પાછળ લાગેલી જ રહે છે. સર્વ લેકે વનને વિષે ગયા હતા પરંતુ એક અન્ય અને એક પંગુ-બે જણ કયાંય પણ ગયા નહોતા. કેમકે એમને ભયની ગંધ પણ નહોતી એટલે કે સ્થળે નગરમાં રહ્યા હતા. કેમકે ભક્ષક જન્તુઓને વિષે શ્રેષ્ઠ એવો કીટક કદિ કેદરાપર બેસતું નથી. હવે ચેર લેક લોકેનું સર્વ ધન લુંટી ગયા પછી વળી ત્યાં અગ્નિદેવે દર્શન દીધાં. કહેવત જ છે કે ભાગ્ય વિફર્યું હોય ત્યાં અનેક આપત્તિઓ આવી પડે છે. અગ્નિને કોપ થયો જાણીને પેલે અન્ય હતો તે ભૂમિપર રહેલા મત્સ્યની પેઠે, દયાજનક સ્થિતિએ પહોંચે, એનું કટિવસ્ત્ર ઢીલું પડી ગયું અને પોતે અગ્નિની સમક્ષ જ ચાલ્યો, કેમકે પ્રવૃત્તિ કર્યા વિના કોઈનું કલ્યાણ થયું સાંભળ્યું નથી, વળી ચાલવાની શક્તિ રહિત પેલે પંગુ અગ્નિ Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ 14 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. જોયા છતાં પણ દશે દિશાઓમાં જોઈ રહ્યો. કહ્યું છે કે વિદ્વાનોની સભામાં, સારાં વચન ન કહેતાં આવડે એવો માણસ મન જ ધારણ કરે છે. પંગુએ પેલા અને કહ્યું–તું જાય છે ખરો, પણ કદાચ અગ્નિમાં પડવાથી પતંગની જેમ તારા પ્રાણ જશે. મારાં ચક્ષુઓ સાજા છે, અને તારા ચરણ સાજા છે, જેમ કેઈનામાં માનસિક બળ હાય, ને કેઈનામાં શારીરિક બળ હોય તેમ. માટે તું જે મને તારી પીઠ પર બેસાડીશ તે આપણે ઈચ્છિત સ્થળે અક્ષત પહોંચી જઈશું. કેમકે ઉપાય જાણનારનું આ પૃથ્વી પર લેશ પણ અનિષ્ટ થતું નથી. અધે એ વાતની હા કહી એટલે ચતુર પંગુ સદ્ય એની પીઠપર આરૂઢ થયે, તે જાણે એની અપંગતા જ પગ કરીને કેઈ અતિ સુંદર રાજ્યાસને આરૂઢ થઈ હોયની ! આમ વિકટ માર્ગ પર પણ લેશ પણ ખલન વિના ચાલ્યા જતા અન્ધને પંગુએ ઈષસ્થાને પહાંચાડ, કેમકે ઉપાય ઉત્તમ હોય તો એ શા માટે ફળિત ન થાય? - (વીર પ્રભુ સંસદાને સંબોધીને કહે છે) એ પ્રમાણે જ્ઞાન અને ક્રિયા ઉભય સાથે હોય તો નિશ્ચયે કાર્યસિદ્ધિ થાય છે. આ અન્વય જ્ઞાન થયું. હવે વ્યતિરેકી જ્ઞાન વિષે સાંભળે. એકદા કેઈ નગરમાં કયાંય અગ્નિ સળગી ઉઠે. એના સર્વવિજયી ધગધગાટ એટલો ભયંકર રીતે વધી ગયે કે સમસ્ત વસ્તુઓ એના સપાટામાં આવી ગઈ. લેકે પણ એ જોઈ અતિશય આકંદ કરવા લાગ્યા અને કાકુળ હૃદયે પોતાનું દ્રવ્ય આદિ ત્યજી દઈને જ્યાં ત્યાં પલાયન કરી ગયા, એમ કહીને કે આપણે જીવતા જાગતાહઈશું તો દ્રવ્ય કયાં પુન: નથી ઉપાર્જન કરી શકાતું? એ નગરમાં બે અંપગ હતા. એક અન્ય અને બીજે પંગુ. એ બે વ્યક્તિનાં હિનભાગ્યને લીધે કેઈને એમનું સ્મરણ થયું નહિં. અથવા તો ચારલોકો કઈ ગંઢનું હરણ કરી જતા હોય ત્યારે શૈર્યવાન એ પણ ક માણસ એની પાછળ દોડે છે? બેઉ અપંગમાં એક અંધ હતો, એ ચાલતો ચાલતો અગ્નિની એકદમ નિકટમાં–સમીપમાં બળી જઈ મૃત્યુ પાપે. કેમકે વૃદ્ધિ પામતા આવતા અગ્નિને, સામે જઈને વશ્ય કરવાને કેણ સમર્થ હોય ? એજ વખતે પેલે પંગુ પણ " અગ્નિ Jun Gun Aaradhak Trus Page #24 -------------------------------------------------------------------------- ________________ અંધ અને પંગુનું પ્રસિદ્ધ દષ્ટાન્ત. મારી નિકટ આવતો જાય છે” એમ આર્તસ્વરે આકંદ કરતો એજ અગ્નિમાં બળી મૂઓ. અથવા પ્રાણુને પોતાનાં કરેલાં કર્મો ભોગવ્યા વિના છુટકે છેજ કયાં ? - આ દષ્ટાન્તમાં અંધ અને પંગુ બેઉ એકત્ર થઈ પરસ્પર સહાયકર્તા ન થયા તો કંઈપણ કરી શક્યા નહિ ( અને વિનાશ પામ્યા ) તેજ પ્રમાણે જ્ઞાન અને ક્રિયાનું સમજવું. બાણપરથી શર છોડવામાં પણ બેઉ હસ્તની એકત્ર સહાય વિના કયાં ચાલે છે? માટે મોક્ષ પ્રાપ્ત કરવું હોય તે પવિત્રતાનાં એકલાં જ સ્થાન રૂપ જ્ઞાન અને ક્રિયામાં સર્વ વિવેકી જાએ ઉઘુક્ત રહેવું જ જોઈએ. આ પ્રમાણે શ્રી મહાવીરે ઉપદેશ આપે, એ શ્રવણ કરીને ભકિતમાન શ્રેતાઓ એમને નિર્મળ વૃત્તિએ સાષ્ટાંગ નમન કરી પિતતાને સ્થાને જવા લાગ્યા. એમનામાં એક આકાશગામી વિદ્યાધર હતો એ પણ જવા તૈયાર થયે, પરન્તુ (આકાશમાં) ઉડવાને પ્રયન કરતાં તે સદ્ય નીચે ભૂમિપર પડયે. જેમ તોફાનમાં સપડાઈ ગયેલું નાવ ઉછળીને પાછું પાણુ પર પડે છે એમ ઉડવા જતાં નીચે પડી ગચો. એટલે એ વિદ્યાધરનું મુખ નિસ્તેજ થઈ ગયું. એ સમજી ગયે કે એને પોતાની વિદ્યાનું વિસ્મરણ થયું છે. એણે વિશેષ વિશેષ પ્રયત્ન કરી જોયા પરંતુ સર્વ નિષ્ફળ ગયા. એટલે તે જાણે એ કરી જ ગયો. આમ બન્યું એ જોઈને શ્રેણિક નરેશ્વરે ત્રિકાળજ્ઞાની પ્રભુને પ્રશ્ન કર્યો–જિનદેવ, પાંખો પૂરી ન આવી હોવાને લીધે પક્ષી, અને મહાવાયુને લીધે વહાણ ઉચે ચઢે છે ને સદ્ય પાછું પડે છે એવું આ ખેચર-વિદ્યાધરને થાય છે એનું કારણ શું? ભગવંતે ઉત્તર આપે–એને એની આકાશગામિની વિદ્યાના પાઠનું વિસ્મરણ થયું છે માટે એમ થાય છે. બેમાંથી એક ઔષધની ગેરહાજરી હોય છે તો પ્રવીણ વૈદ્યને પ્રયોગ પણ કયાં ફળીભૂત થયે દીઠે? પણ આવી વિદ્યા અને એના મંત્ર ઐહિક સુખને આપનારા છે ખરે, પણ એટલા માટે જિનધર્મનું તંત્ર હીન અને વ્યર્થ છે એમ ગણું એને ઉવેખી એ મંત્રોના પાઠની પાછળ સુજ્ઞજનોએ Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ અભયકુમોર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. આગ્રહ રાખવે નહિ. આત્મહિતૈષી જીવ સદા એવી વિશેષ વિશેષ વિદ્યાપ્રાપ્તિ માટે પ્રયત્ન પણ કરે નહિ. કારણકે અધિક વિદ્યા રસલાલુપી જીભની જેમ અનેક અનર્થોનું મૂળ છે. જુઓ, કોઈ મૂખજો કદાપિ ભવભયભંજન શાસ્ત્રસૂત્રોનો અભ્યાસ કરતાં એકાદ અક્ષર મૂકી દે અથવા એકાદ અક્ષર નો ઉમેરી દે તો વૃષપર્વાહિની' એ પદને જેમ અર્થભેદ થઈ જાય છે તેમ, જિનભગવાને ઉપદેશેલાં અનુષ્ઠાન-ક્રિયામાં પણ ભેદ પડી જાય છે અને એમ થવાથી જ્ઞાનના સુખરૂપી મુક્તાફળની દેનારી મુક્તિ પણ દુઃપ્રાપ્ય બને છે. અને એ મુક્તિ-મોક્ષ પ્રાપ્ત ન થાય તે દીક્ષા લીધી શા અર્થની ? પછી તો દીક્ષા એટલે “દરપુરણાર્થે ભિક્ષા” એમ કહેવાય. એમ બેઉ વાત કડવી ઝેર લાગશે. માટે એમ તે નજ કરવું. વિદ્યાધર સંબંધી વૃત્તાન્ત શ્રવણ કરીને સુબુદ્ધિ અભયકુમારે એની પાસે અમૃતથી પણ અધિક મિષ્ટ વાણીવડે કહ્યું “જે ઉચિત લાગે તો તમારી નિરવદ્ય વિદ્યા મારી આગળ ભણી જાઓ.' વિદ્યારે એ વાત બહુ હર્ષ સહિત અંગીકાર કરી અને અભયકુમારની પાસે એને પાઠ કરી ગયે. અને અભયકુમાર પણ એ સાંભળી, હૃદયમાં સ્થાપી, વિદ્યાધરની પાસેજ પાછો પૂર્ણ પણે બોલી ગયે. કારણકે એના એકજ પદથી સર્વ પદોનું અનુમાન કરવાની (પદાનુસારિણી) શક્તિ અભકુમારમાં હતી. વિદ્યા આપી એટલે તે, કઈ માણસ દુ:ખ પરંપરાથી એકદમ મુક્ત થાય, ને તેથી અત્યંત હર્ષિત થાય એવી રીતે વિદ્યાધર અત્યાનંદ પામ્યા. વળી એણે અભયકુમારને એની સાધના કરવાની રીતિ પણ કહી. પછી સર્વજનો પર ઉપકારનો વર્ષાદ વરસાવનાર એવા અભયકુમારની અનુજ્ઞા લઈ, સર્વ કર્મથી મુક્ત એવા સિદ્ધની જેમ, આકાશને વિષે ઉડ અને મનના કરતાં પણ અધિક વેગથી પિતાને સ્થાને પહોંચી ગયે. અહિં અભયકુમાર પણ મળેલી વિદ્યાની સાધના કરીને પરમ ખ્યાતિ પામ્યા. 1, આ પદમાં વૃષ (ઔષધી વિશેષ), gધ (કમળ) અને દિમાની (દિમ-કાર) એ ત્રણ શબ્દ છે. એ પદનો અર્થ એ નીકળે કે વૃષ અને પવાને જેમ હિમ (દઝાડે છે-બાળી નાખે છે) તેમ...........મુખ માણસ એ પદને , ગૃપ, વ, મહિમા, માની કંઈ એવી રીતે છુટું પાડીને અનર્થ કરે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ પુરય પાપની પરીક્ષા. - 1 આમ કૈરવમળસમાન ઉજવળ કીર્તિના કારણભૂત અનેક અનેક ઉત્તમ કાર્યો કરીને રાજપુત્ર અલયકુમાર પ્રજાજનોને સતત આશ્ચર્યમાં લીન કરતો હતો. આ શ્રેણિકરાજાનો સભામંડપ સર્વમન્ત્રીઓના શિરેમણિ–નન્દારાણીના પુત્ર–અભયકુમાર અને સમૃદ્ધસામન્તો વગેરેથી નિરન્તર વિરાજી રહેતા અને રાજા આવીને સિંહાસન પર બેસતે તે વખતે એ જાણે સર્વ દેવોને અધિપતિ સાક્ષાત્ ઈન્દ્ર પિતે હેય એવો શેભતો. વળી ધર્મનો મર્મ જાણનારાઓમાં અગ્રણી, વાચાળ અને બુદ્ધિશાળી અભયકુમારની સાથે અનેક વિધ, અમૃતથી પણ મિષ્ટ એવા વાર્તાલાપ કરી સભાજનેનાં મન અત્યન્ત રંજિત કરતો અને જેમાં આનન્દ અને હર્ષની જ વાતો હોય એવા સુંદર વિનોદમાં કાળ વ્યતીત કરતો. એકદા સુવર્ણસિહાસને આરૂઢ થયેલા એ ગર્વિષ્ટ નરપતિએ સભાસમ્મુખ હાસ્યપૂર્વક પ્રશ્ન કર્યો “મનુષ્ય કેટલાક ધર્મિષ્ટ હોય છે અને કેટલાક પાપિષ્ટ પણ હોય છે તો કહે કે એ બેમાં વિશેષ સંખ્યા કેની હશે " ? બુદ્ધિસાગર અભયકુમાર તો નિરૂત્તર રહ્યો, પણ શેષ સભાજનોએ ઉત્તર આપ્યો “હે નાથ, પાપિષ્ટ વિશેષ હોય છે; ધર્મિષ્ટ જીવ ઓછા હોય છે. કેમકે બજારમાં પણ રૂ કપાસના ઢગલાને ઢગલા દેખાય છે, અને રતાદિક અપ હોય છે.” પછી અત્યન્ત વિચારશીલ અભયકુમાર મનનો ભંગ કરીને બોલ્યો “હે પિતાજી, એ કથન અસત્ય છે; ધર્મિષ્ટ વિશેષ હોય છે ને પાપિષ્ટ ઓછા હોય છે. " અહો! નિશ્ચયે કઈક સૂરિઓ જ એના જેવા (બુદ્ધિશાળી ) હશે. એણે વિશેષ ઉમેર્યું કે " હે તાત, જે મારું વચન સત્ય નથી એમ કહેતા હોય તો બહેતર છે કે સભાજને સત્વર પરીક્ષા કરે, કારણકે પરોક્ષ જ્ઞાનવડેજ આ સર્વે અને કહે છે, સત્યવાત તે પ્રત્યક્ષ પ્રમાણવાળી હોય એજ કહેવાય.” એ સાંભળીને સી કહેવા લાગ્યા “હે સ્વીમિન, એમજ કરે, સત્વર પરીક્ષા કરો.” અથવાતાં શ્રેષ્ઠ સમૃદ્ધિવાળા સ્વામીને કયે સેવક " ચિરં જીવ, ચિર જીવ” એમ નથી કહેતો ? 3 PP. Ac. Guniratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. - અભયકુમારે પણ પછી પોતાનું કથન સત્યતાવાળું છે એવું સિદ્ધ કરવાને એક વિચિત્ર યુકિત રચી: એક શંખના વર્ણસમાન ઉજજવળ અને બીજું મેઘના વર્ણ જેવું કૃષ્ણ–એમ બે દેવાલય બન્યાવ્યાં; તે જાણે સજજનની કીર્તિ અને દુર્જનની અપકીર્તિનાં સ્મરણસ્તંભો ચિરકાળે પ્રકટ થયાં હાયની ! પછી નિત્ય એકજ મા ઉભા રહીને એણે દાંડી પીટાવીને ઉઘેષણ કરાવી કે નગરમાં જે જે ધર્મિષ્ટ માણસે હોય એમણે સર્વેએ હસ્તને વિષે બળિ લઈને સત્વર વિનાશકાઓ, હંસપક્ષીઓ માનસ સરોવરે જાય છે તેમ Aવેત દેવાલયમાં જવું; અને જેઓ પાપિષ્ટ હોય એમણે, શૂકર એટલે ભુંડ પંકપૂર્ણ ખાબોચીઆએ જાય છે એમ કૃષ્ણવર્ણા દેવાલયમાં જવું. ( 5 6 અભયકુમારની એ પ્રકારની આજ્ઞા સાંભળીને તરતજ પુષ્કળ માણસો વેત દેવાલય તરફ આવવા લાગ્યા; બજાર ખુલે ત્યારે સંખ્યાબદ્ધ માણસો જેમ કયવિક્રય કરવા આવે છે એમ. આવનારાઓ એ દેવાલયને એક દ્વારેથી પ્રવેશ કરતા હતા અને બીજે દ્વારે નીકળતા હતા; જેવી રીતે ચક્રવતી રાજાનું સકળસૈન્ય સર્વથા રૂધ્યગિરિની વિશાળ ગુહામાં પ્રવેશ કરીને સામે દ્વારે નીકળે છે એમ. લોકો બહાર નીકળતા એમનામાંના પ્રત્યેકને રાજાના સેવકે પુછવા લાગ્યા–કહે ભાઈ, તું ધર્મિષ્ટ કેવી રીતે; કહે ભાઈ, તું ધર્મિષ્ટ કેવી રીતે? એટલે એકે કહ્યું “હું કૃષિકાર છું. અપંગ વગેરેને સારી રીતે અનાજ આપું છું. વળી આ પક્ષિગણ પણ મારા ધા ય ઉપર જ નિવહ કરે છે. શું દાનના દેનાર રાજાને કે શું પ્રજાને, શું ગૃહસ્થને કે શું સાધુને, અથવા એ શિવાય અન્ય જનોને પણ ત્યાં સુધી જ સર્વ સારાં વાનાં છે કે જ્યાં સુધી મારા કોઠારમાં પુષ્કળ ધાન્ય હોય છે. આવું જે ધાન્ય–એને ઉત્પન્ન કરનારે હું ધર્મિષ્ટ કેમ નહિં "? વળી અન્ય એક જનને પૂછતાં એણે ઉત્તર આપે " બ્રાહ્મણ છું... નિત્ય હું મારાં ષટ્કર્મનું અનુપાલન કરું છું. નિત્ય અજાદિકનો વધ કરીને, અન્ય જનોને દુષ્કર એવા યજ્ઞ-હવન કર્યા કરું છું. અને એ , અજાઆદિ પશુઓ પણ હવનમાં હોમાવાથી સ્વર્ગે જાય છે અને વિવિધ દેવાંગનાઓની પદવી પ્રાપ્ત કરે છે. નિશદિન શુદ્ધ અગ્નિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust . Page #28 -------------------------------------------------------------------------- ________________ મિને સુકાળ-ધણને ધણું ! હોમને લીધે સકળ દેવગણને હું રંજિત કરું છું અને એ દેવે પણ તુષ્ટમાન થઈને પૃથ્વીને વર્ષાદથી તૃપ્ત કરે છે એટલે એમાં ધાન્યની નિષ્પત્તિ થાય છે અને લેકે સુખે જીવન ગાળે છે. વળી લોકે વિવાહાદિક પણ મારાં જેમાં આપેલાં લગ્ન પ્રમાણે કરે છે અને પાણિગ્રહણ પણ કરાવું છું—એટલેજ એઓ સંસારસુખનો ઉપભોગ કરીને સ્વર્ગનો હેતુ–એવી પુત્રરૂપ સંતતિ પ્રાપ્ત કરે છે. વેદના પાઠથી પવિત્રિત બ્રહ્માના મુખ થકી નીકળેલા બ્રાહ્મણને કેઈપણ પ્રકારનું દુ:ખ હેતું નથી, માટે એ નિરન્તર પાપથી અલિપ્ત રહે છે; પંકયુકત જળથી જેમ પદ્મ-કમળ અલિપ્ત રહે છે તેમ.”, ' ' . | વળી અભયકુમારના સેવકોના પ્રશ્નના ઉત્તરમાં એક ત્રીજા જણે કહ્યું “હું ક્ષત્રિય છું. મારા નિયમના અનુપાલનને લીધે હું શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણથી પણ ચઢી જાઉં છું. હું શત્રુને કદિ પીઠ દેખાડતા નથી, અને પડેલા શત્રુપર કદિ પ્રહાર કરતા નથી. ક્ષત્રિય રક્ષણ કરે છે એટલે જ સર્વલક પોતપોતાના ધર્મકાર્યો નિર્ભયતાથી કરી શકે છે. માટે આવી ક્ષત્રિયજ્ઞાતિને વિષે જમેલે મારા જેવો માણસ ધર્મિષ્ટ કેમ નહિં " ? વળી એક પ્રજાજને એમ ઉત્તર આપે કે “હું કેઈપણ પ્રકારના મનોવિકારોથી રહિત એવો વૈશ્ય છું. પશુપાલન આદિ મારી પ્રવૃત્તિ છે તે હું કર્યા કરું છું; વળી રાજયમાં કર પણ ભરું છું. તો એ કરતાં વિશેષ સુંદર તમે શું માગો છે”? કેઈએ વળી એમ કહ્યું કે “હું વ્યાપારી વણિક છું. રાત્રીદિવસ મારી દુકાને બેસી રહીને હિંગ, તેલ આદિ વસ્તુઓ સ્વચ્છ અને સાફ કરી વેચીને દ્રવ્ય ઉપાર્જન કરું છું અને આનન્દથી રહું છું. મેઘ પૃથ્વીને જળથી તૃપ્ત કરે છે તો હું યે યથાશતિ ભિક્ષુકોને કંઈ કંઈ આપીને સંતોષ પમાડું છું. કહો, ત્યારે હું ધર્મિષ્ટ ખરો કે નહીં "? વળી એક બીજાએ કહ્યું કે “હું વૈદ્ય છું. મલ, મૂત્ર, નાડી આદિની સંપૂર્ણ પરીક્ષા કરીને લંઘન, કવાથ, તસઉકાળેલું જળ આદિ પ્રયોગો વડે વાત-પિત્ત-જવર, લેબ્સ વગેરે વ્યાધિઓનું નિવારણ કરીને લેકને નીરોગી બનાવું છું;-જે કામ કરવાને દેવે પણ સમર્થ નથી. કહો ત્યારે, આવા જીવિતદાન આપનારા : મારા જેવાને ધર્મ ઉત્કૃષ્ટ નથી”? પછી વળી એક અન્ય જનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. પૂછતાં એણે કહ્યું-હું કલાલ છું. કેને ઉત્તમ સુરા-મદ્ય આપું છું. ને એઓ એ આનન્દપૂર્વક હશે હશે પીયે છે. આમ એમને સુખ ઉપજાવનારે હું ધર્મિષ્ટ જ કહેવાઉં. મારી નિન્દા કરે એજ પાપિચ્છ.” એક બીજાએ વળી કહ્યું “હું કેટવાળ છું. લેક પાસેથી ન્યાયપૂર્વક દ્રવ્ય કઢાવું છું. કેમકે ઉન્માર્ગે જનારા પાસેથી હું દ્રવ્ય લઈને વળતી શિક્ષા આપું છું (કે ફરી એ એવે માર્ગે ન જાય) ત્યારે કહો, એક અત્યન્ત નૈષ્ઠિક યતિની જેમ હું ધર્મિષ્ટ ખરે કે નહિં "? છે. હાલ આ પ્રમાણે અકેકને પૂછતાં સર્વેએ પોતપોતાને ધર્મિષ્ટમાં ગણાવ્યા. અરે! એક મરણોન્મુખ ખાટકી આવ્યે એણે યે કહ્યું કે હું ધર્મિષ્ટ છું. છાગ–ગાય આદિ પ્રાણીઓને સ્વેચ્છાએ હણીને પછી આપી દઉં છું. બહેન, ભાણેજ અને સર્વે જ્ઞાતિજનોને એમનું ઉત્તમ માંસ આપું છું. વળી પ્રાહુણ આવે તો એમને પણ વિનાસંકોચે આપું છું. અને શેષ રહે એ વેચી નાખું છું. એમ કરવાથી સર્વે માંસાહારીઓ અત્યંત હર્ષ પામે છે. ત્યારે કહો, હું ધર્મિષ્ટ કેમ નહી”? આમ વેતદેવપ્રાસાદમાં પ્રવેશ કરીને સંખ્યાબદ્ધ પ્રજાજનોએ પોતપોતાની ધર્મિષ્ટ જીવોમાં ગણત્રી કરાવી. અથવાતો અસત્ય પંથના અનુયાયીઓ પણ પોતાને ક્યારે નિર્ગુણ સમજે છે ? - પણ અપવાદ તરીકે બે શ્રાવકો એવા નીકળ્યા કે જેમણે કૃષ્ણવણું પ્રાસાદમાં પ્રવેશ કર્યો અને તક્ષણ મહાન આશ્ચર્ય લકેના અન્તઃકરણમાં પ્રવેશ કર્યો. બેઉ જણ પ્રવેશ કરીને સામે દ્વારે નીસરતા હતા ત્યાં દેવતાઓથી પણ અધિક તેજસ્વી એવા શ્રેણિકભૂપતિના સેવકોએ એમને પૂછયું “અરે ભાઈઓ, તમે વળી શું દુષ્કૃત્ય કર્યું છે કે આ કૃષ્ણમન્દિરને વિષે પ્રવેશ કર્યો? પોતપોતાના મનથી પોતપોતાને ધર્મિષ્ઠ કહેવરાવીને અન્ય સર્વ કે તે Aવેતમંદિરમાં ગયા હતા.” - એ સાંભળીને એ બેઉ શ્રાવકો વિષાદપૂર્વક કહેવા લાગ્યાઅમને ખેદ થાય છે કે અમે મહા પાતકી છીએ. કેમકે અમે ગુરૂ સમક્ષ મદ્યપાનવિરમણવ્રત અંગીકાર કરીને પુન: ખંડિત કર્યું છે. માટે હે રાજપુરૂષો, અમે પરમ નિકૃષ્ટ, પાપાત્મા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ અધર્મિઓને દુકાળ-માત્ર કણ! 1 આવ્યા એ ઉચિત જ કર્યું છે. કેમકે સર્પ અને લુટારાઓનું આ જ સ્થાન હોય. આમાં તે કેવળ સાધુઓને જ ધન્ય છે કે જેઓ ભાવપૂર્વક અને નિશ્ચળપણે વ્રત ગ્રહણ કરે છે અને ગ્રહણ કરેલું પાછું યાજજીવ નિવેહે છે. વળી જેમનામાં શ્રાવકનાં લક્ષણ હોય એમને ધન્ય છે, જે પ્રતિજ્ઞા લઈને એનો પાછો નિર્વાહ કરનારા હોય એમને ચે ધન્ય છે, અને જેઓ સર્વદા સુગ્રહ એ સ્થલ પણ અભિગ્રહ કરે એમને ચે ધન્ય છે ! વળી અભિગ્રહ કરીને પુન: ખંડિત કરે એના કરતાં પ્રથમથી જ અભિગ્રહ ન કરનારા સારા. આપણા આભૂષણમાં રસ ન હોય એનું કંઈ નહીં; પરન્તુ રત્નજડિત હોય એમાંથી રત નષ્ટ થઈ જાય એ સારું નહીં. અમને એજ ખેદ થાય છે કે આ મનુષ્ય જન્મ અને એની સાથે શેકસંતાપ આદિને ટાળનાર એવું શ્રી તીર્થકરનું શાસન પ્રાપ્ત કરીને પણ અમે અમારો અભિગ્રહ ખંડિત કર્યો. અમે આવાં અકાર્ય–પાપ કયો છે એ કારણથી લોકોના દેખતાં આ કૃષ્ણપ્રાસાદમાં પઠા. કારણકે પાપિછોનું પાપ પ્રકટ થાય એ સારું, ને ધર્મિોનો ધર્મ ગુપ્ત રહે એ સારો“પાપિષ્ટ મનુ વિશેષ છે અને ધર્મિષ્ટની સંખ્યા અપ છે”—એવું સભાજનનું કહેવું બુદ્ધિનિધાન અભયકુમારના કથનને સંગત જ છે. કેમકે યુક્તિયુક્ત વચન કેને સંમત નથી હોતું. એણે જે કેવળ યુક્તિ વાપરીને ઉલટું કહ્યું છે એનો અર્થ અમે એવો કરીએ છીએ કે " પાપિષ્ટ મનુષ્યો સર્વદા પિતાને ધર્મિષ્ટ ગણે છે; ફક્ત ધર્મિષ્ટ છે જ પોતાના દોષ જાણે છે ”—એ કથનની વાસ્તવિકતા સમજાવવાને માટે એણે એમ કહેલું હોવું જોઈએ. અથવાતો એના જેવા અત્યંત ગંભીર પુરૂષનું મન વિદ્વાન પંડિતોમાંથી પણ ઘણા થોડા જ કળી શકે છે. પછી તો પ્રજાજનોએ રાજપુત્ર અભયકુમારની પ્રશંસા કરી કહ્યું. “હે મંત્રીશ્વર, બુદ્ધિના સાગર એવા તમે જ ઉત્તમ વચનોરૂપી કિરણીવડે તે જેનિધિસૂર્યની પેઠે જગરૂપી કમળપુષ્પને પ્રબુદ્ધ કરે છે. શ્રીમતી નન્દારાણીના પુત્ર, તમે આ સૂર્ય, ચન્દ્રમા, નક્ષત્રો, દ્વીપ, સમુદ્ર, પૃથ્વી અને હેમાદ્રિની હયાતિ પર્યન્ત ચિરંજીવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. રહો, અતુલ રાજ્યલક્ષ્મી પ્રાપ્ત કરે અને જગને આનન્દ પમાડે. ' ' , , - આમ શ્રેષ્ટબુદ્ધિનું નિધાન એવો અભયકુમાર એક મુનિવરના જેવા પવિત્ર, અનુપમ કાર્યો કરી કરીને, તથા શંખ-કુન્દપુષ્પ આદિ જેવી ઉજ્વળ ઘટનાઓ ઉપસ્થિત કરી કરીને નિરન્તર લેકનાંચિત્તને આશ્ચર્યમાં લીન કરતે., - , , , , }" સર્ગ 11 મા. . છે ર એ .:: સ 11 '! પિતાના રાજ્યની દિવાનગિરિ કરતા પુત્રે હવેતો પિતાના અનેકવિધ આશ્ચર્યકારક બુદ્ધિચાતુર્યપૂર્ણ પરાક્રમે વડે પૂર્વજોને પણ વિસરાવી દીધા. રાજા પ્રજાનાં એકત્રિત કાર્યોમાં પણ નિષ્પક્ષપાતપણે વર્તન કરી ઉભયનું હિત ચિન્તવી દશે દિશાઓમાં ન્યાયઘંટા વજડાવી. રાજતંત્રમાં અકથ્ય નિપુણતાના ગે વિપત્તિનાં વાદળાંનો સંહાર કરી, લઘુ બધુઓનાં કટુ વચનોને પણ સહી લઈ, “શિષ્ટ પુરૂષોની રક્ષા અને દુષ્ટજનોને શિક્ષા” એ સૂત્ર નિત્ય હૃદયકપાટ પર ખડું ને ખડું રાખી, ધર્મ, અર્થ અને કામ-એ ત્રણ પુરૂષાર્થને યથાકાળ સાધ્યા કર્યા. સકળ રાજ્યકાર્યભાર એક હસ્તે ચલાવતાં છતાં પણ રાજ્યસંપત્તિનો માલિક થવા ન ઈચ્છયું. જળમાં નાવ પિતે તરે છે અને બીજાઓને તારે છે એમ એણે પોતે ધર્મપરાયણ રહી અન્યને પણ ધર્મપરાયણ કર્યા. બાહ્ય શત્રુઓને તેમજ ક્રોધાદિ અભ્યન્તર શત્રુઓનો વળી એ સંપૂર્ણ પરાજય કર્યો કે એ એની સામે આંખ ઉંચી જ ન કરી શક્યા. આમ પ્રસ્તાવ થઈ રહ્યો છે એવામાં એકદા શ્રેણિકરાયે પ્રદપૂર્ણ વચનવડે અભયકુમારને કહ્યું-વહાલા પુત્ર, હું સમજું છું કે રાજ્યપાટ ભેગવવાની તને લેશમાત્ર પૃહા નથી, તોયે હું કહું છું કે હવે વત્સ, તું રાજ્યનું સ્વામિત્વ ગ્રહણ કર. તારા જેવો અનુપમબુદ્ધિશાળી, મહા પરાક્રમી જયેષ્ઠ પુત્ર છતાં, અન્યને રાજ્ય અપાય નહીં. ભાર વહેવા માટે ઘેરીને જ ધુંસરીએ જોડાય. હવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરનું આગમન. :) . 23 તે મારી ઈચ્છા ચિન્તારત્નના માહાત્મ્યને પણ જિતનાર શ્રીવીરનાં ચરણકમળની ઉપાસના કરવાની થઈ છે. પુત્ર, મેં રાજ્ય બહુ ભેગવ્યું. પરલોક પણ સાધવો જોઈએ. આ પતિત પંથને વિષે મૂખેજને જ મમત્વ ધરીને પડ્યા રહે.” એ સાંભળી અભયકુમારને કાંતો ખલ પુરૂષના મુખમંડન જેવું પૂજ્ય પિતાની આજ્ઞાનું ખંડન કરવું રહ્યું, કાં તો વિશાળ સંસારસાગરમાં રગદોળાવું રહ્યું. “હા કહે તો હાથ જાય, ના કહે તો નાક ક્યાય ”—એવા સંકટમાં, વિચાર કરતાં કંઈ ઉપાયનું સ્મરણ થઈ આવવાથી એણે કહ્યું “આપે જે મને આદેશ કર્યો તે બહુ ઉત્તમ છે. વળી ઉચિત અનુચિત અન્ય કેણ સમજે એમ પણ છે? પરંતુ આપ કિચિત્ કાળ રાહ જુએ. હું સમય આવ્યે આપને કહી દઈશ. મારે કહેવાનું સ્થાન આપ જ છે.” છે એવામાં ત્રણ જગતના નાયક, અખિલ વિશ્વને આનન્દદાયી શ્રી વીરજિન, સંસારી જીવોના હિતાર્થે પૃથ્વી પર વિચરતા વિચરતા, ઉદાયન નૃપતિને પ્રત્રજ્યા આપી, મરૂદેશમાંથી જાણે અભયકુમારનાં પુણ્યથી આકર્ષાઈને આવ્યા હોયની એમ ત્યાં રાજગૃહી નગરીમાં પુનઃ પધાર્યા. અમર નિર્જર દેવોએ તત્ક્ષણ સમવસરણની રચના કરી. કારણકે દેવોને ચિન્તવન માત્રથી જ સર્વ કાર્યો સાબિત થાય છે. સર્વત્ર સુવર્ણની પવિત્રતા સૂચવતા હોયની એમ નવાં નવાં સુવર્ણકમળાપર ચરણયુગલ મૂતાં મૂકતાં પ્રભુએ પૂર્વારેથી સમવસરણમાં પ્રવેશ કર્યો. એમને જોતાં વેતજ સર્વ કેઈનો મેહ-ભ્રમ ટળી ગયે, સંસારની અસારતા જણાઈ, સત્યનો ભાસ થયો. પ્રભુ પણ પછી “નમો નિશ્ચય” એમ કહીને, પ્રતિબોધ દેવા માટે આસને બિરાજ્યા. કેમકે પ્રતિબોધ એટલે દેશનારૂપી નદી ભગવાનરૂપી પર્વતમાંથી વહે છે. એટલામાં તો દેવ, મનુષ્ય અને તિર્યંચસુદ્ધાં સમૂહબદ્ધ પ્રભુને વંદન કરવાને આવવા લાગ્યા. ફક્ત નરકના જીવો પરાઘીન એટલે બિચારા શું કરે ? પ્રભુ પધાર્યા એજ સમયે ઉદ્યાનપાલકે જઈને શ્રેણિકરાયને વધામણ આપી કે–“હે દેવ, ત્રણ જગતના સ્વામી, સુરાસુરેને પણ વંદ્ય, સકળ કર્મદળના સંહારક, ધર્મપ્રવર્તક, કેવળજ્ઞાની ચરમ તીર્થકર શ્રી વીરપ્રભુ પધાર્યા. શ્રી મહાવીરના 1 જુઓ પૃષ્ટ 12 ની કુટનેટ 2. Jun Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મત્રીશ્વરનું જીવન ચરિત્ર. આગમનની વાત સાંભળીને ભૂપતિને અત્યન્ત ઉલ્લાસ થયે; અને, તેથી એવા હર્ષના સમાચાર લાવનાર બાગવાનને પ્રેમપૂર્વક દાન દીધું અને અસંખ્ય પુણ્ય ઉપાર્જન કર્યું. પછી “આજે નિશ્ચયે મારી સકળ લક્ષ્મીની સાર્થકતા થશે કેમકે જિનેદ્રને વંદન કરવા જવાના ઉત્તમ કાર્યમાં એનો ઉપયોગ થશે” એમ વિચારી અત્યાનન્દ સહિત, જાણે દશે દિશાઓને પૂરી નાખતો મહાસાગર વહ્યો આવતો હાયની એમ, સમગ્ર સામગ્રી સાથે પ્રભુને સમવસરણે આવ્યા. સકળકળાકૌશલ્યનિષ્ણાત અભયકુમાર પણ પિતાની શંકાનું નિવારણ કરવાની અત્યન્ત ઉત્સુકતાને લીધે હર્ષસહિત પિતાની સાથે સમવસરણે ગયે. ત્યાં ઉંચા સિંહાસન પર વિરાજેલા સુવર્ણ સમાન ગૌરવર્ણ જિનેશ્વરની, પોતાના સમગ્ર પરિવાર સહિત ત્રણ પ્રદક્ષિણા દત મગધપતિ શ્રેણિકરાય, જાણે સુમેરૂ–હમાચળની આસપાસ તારામંડળ સહિત ફરતો શીતઘુતિ–ચંદ્રમા જ હોયની એ શોભી રહ્યો. પછી ત્રણ જગતના નાથની સ્તુતિ કરી એમને વન્દન કરી ધર્મ શ્રવણ કરવા ઊંચિત સ્થાને બેઠે. ભગવાને પણ જનગામિની વાણીવડે ભવ્યજનોને ઉપદેશાત્મક ધર્મ સંભળાવવાનો આરંભ કર્યો છે. આ આધિ, વ્યાધિ ને ઉપાધિથી ભરેલા સંસારમાં એક ધર્મ માત્ર જ સારભૂત હોઈ સમગ્ર દુ:ખને નિવારનાર છે. પંચ પરમેષ્ઠીને હદયના સત્ય ભાવસહિત નમસ્કાર કરવો એ ધર્મનું મૂળ છે; રાજા જેમ રાજ્યના સાત અંગેનું મૂળ કહેવાય છે તેમ. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એમ પાંચ પરમેષ્ઠી છે. અરિહંત, સર્વમાં પ્રથમ પૂજાને યોગ્ય છે–એઓ કર્મરૂપી અરિ એટલે શત્રુને હણનારા હોવાથી “આરહંત' કહેવાય છે. સર્વ કર્મરૂપી બીજને પુન: ન ઉગે એવી રીતે બાળી નાખીને એમને (કર્મ) ક્ષય કરે તે “સિદ્ધ). તે પંદર પ્રકારે છે. સ્ત્રીસિદ્ધ, સ્વસિદ્ધ, અન્યસિદ્ધ, ગૃહિસિદ્ધ, લિંગસિદ્ધ, એકસિદ્ધ, તીર્થસિદ્ધ, તીર્થંકરસિદ્ધ, અતીર્થસિદ્ધ, પંસિદ્ધ, પંઢસિદ્ધ, અનેકસિદ્ધ, પ્રત્યેકસિદ્ધ, સ્વયંબુદ્ધ 2 સ્વામિ, અમાત્ય, સુહત, કાલ, રાષ્ટ્ર, દુર્ગ અને સેના–એ સાત રાજ્યનાં અંગે કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Page #34 -------------------------------------------------------------------------- ________________ , ધર્મના મૂળરૂપ નવકારમંત્ર–એને પ્રભાવ. સિદ્ધ અને અન્યબોધિતસિદ્ધ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ આચાએ યુક્ત જેઓ છે એઓ આચાર્ય કહેવાય છે. નિરન્તર સ્વાધ્યાય અને અધ્યાપન આદિમાં ઉદ્યત રહેનારા–એ ઉપાધ્યાય અને ક્રિયાઓનું અનુપાલન કરી મોક્ષ સાધે છે એ સાધુ કહેવાય છે. આ પાંચ પરમેષ્ઠીનું પ્રત્યેક મનુષ્ય દિવસે ને રાત્રી એ, સુખમાં તેમજ દુ:ખમાં, હર્ષમાં ને શેકમાં, ઘરની બહાર તેમજ અંદર, ક્ષુધાતુર હો કે તૃપ્ત હો ત્યારે યે, અને જતાં કે આવતાં સર્વદા ધ્યાન ધરવું. દહીંનો સાર જેમ વૃત છે અને કાવ્યનો સાર જેમ ધ્વનિ કાવ્ય છે તેમ સર્વધર્માનુષ્ઠાનોનો સાર પરમેષ્ટીનમસ્કાર છે. એ પરમેષ્ઠીનમસ્કારનું જે પૂર્ણભાવસહિત સ્મરણ કરવામાં આવે તો અગ્નિ જળસમાન થઈ રહે છે, ભુજંગ પુષ્પની માળા થઈ જાય છે, વિષ અમૃતતુલ્ય બને છે, કૃપાણ એટલે તલવાર કંઠાભરણહાર બની જાય છે, સિંહ હરિણ સમાન શાત થઈ જાય છે, શત્રુ મિત્રરૂપ બને છે, દુર્જન સજજનરૂપ બને છે, અરણ્ય જાણે વસવા યોગ્ય ગૃહો હોય એવાં બની જાય છે, ચોરલેકે લુંટારા મટી રક્ષણ કરનારા થાય છે અને પ્રતિકુળ ગ્રહો હોય એ પણ અનુકુળ થાય છે. એટલું જ નહિં પણ, દુષ્ટ શકુન થયાં હોય તોયે ઉત્તમ શકુનનું ફળ મળે છે, દુષ્ટ સ્વનોને સ્થળે શ્રેષ્ઠ સ્વપનોનું ફળ પ્રાપ્ત થાય છે, ડાકિની પ્રેમવત્સલા માતા જેવી બની રહે છે, વિકરાળ વેતાળ-ભૂતાદિ પણ પિતા સમાન માયાળુ થઈ જાય છે, અને દુષ્ટ મંત્ર તંત્રમંત્રાદિ પ્રયોગ પોતાની શકિત ત્યજી નિષ્ફળ બને છે–કંઈપણ અશુભ કરી શકતાં નથી. કેમકે સહસ્ત્રકિરણવાળા સૂર્યનો ઉદય થયે ઘુવડ પક્ષીને ગુપ્તસ્થાને અન્ધકારમાં જઈ રહ્યા વિના છૂટકો નથી. માટે સુજ્ઞજનોએ નિદ્રામાં કે જાગૃતાવસ્થામાં, સ્થિર થઈ બેઠા હો કે ગમનાગમન કરતા હો, માર્ગમાં કંઈ ખલનાં થાય કે વળી છીંક આવે ત્યારે કે એ મહામંત્રનું સ્મરણ કરવું. આ નમસ્કારના 1 અભ્યાસ કરવો અને કરાવવો. 2 ધ્વનિકાવ્ય,xxxxxx, અને ચિત્ર કાવ્ય—એમ ત્રણ પ્રકારનાં કાવ્યો છે. એ ત્રણમાં ધ્વનિકાવ્ય સૌથી ઉત્તમ છે. - કેમકે એમાં વાર્થ કરતાં વ્યંગ્યાથે ચઢી જાય છે. 3 યિા , Y P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ ને વિષે નિ હતો પરોવાથી એને અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર પ્રભાવથી આ લોકમાં અર્થ, ઈષ્ટ વસ્તુ આદિની પ્રાપ્તિ થાય છે, અને પર જન્મ પણ ઉત્તમ કુળમાં જન્મ થાય છે, સ્વર્ગ મળે છે અને મોક્ષ પણ નજદીક આવે છે. આ નવકારમંત્રના પ્રભાવ ઉપર એક કથાનક છે તે શ્રવણ કરે - પૂર્વ ક્રિયાનુકાનને વિષે નિરન્તર ઉદ્યત એવો કેઈ જિનભક્ત શ્રાવક હતો. એને એક પુત્ર હતો પરંતુ એ પુત્રમાં પિતા કરતાં સર્વ વિપરીત ગુણો હતા. એ ભારેકમી હોવાથી એને “ધર્મ” નું નામ પણ ગમતું નહીં. કેમકે ધર્મવિષયે “વાસના " જ હેતુ છે; શ્રાવકના કુળમાં જન્મ થવાથીજ, “ધર્મ” પ્રાપ્ત થયે કહેવાય નહીં. પુત્રને “ધર્મ” માં દોરવાને માટે પિતા એને કહેતો કે ભાઈ, ઘેર બેસી રહ્યો છે ત્યારે દેવમન્દિરે તો જઈ આવ, પરન્તુ એ કશું માનતો નહીં. છેવટે એણે એને ઉત્તમ નમસ્કારમંત્ર શીખવ્યું અને એને કહ્યું કે વત્સ, આ એક પરમ વિદ્યા છે, માટે તારે આપત્તિ સમયે એનું ધ્યાન ધરવું. એ તારું દુ:ખ નિવારણ કરશે. પુત્રે પિતાનું એ કહેવું માન્ય રાખ્યું એટલે એને કંઈક નિરાંત થઈ. પછી કેટલેક કાળે એનું મૃત્યુ થયું. પિતા પંચત્વ પામ્યા એટલે વનહસ્તીની જેમ નિરંકુશ એ કુબુદ્ધિ પુત્ર જેવા તેવા માણસો સાથે હરવા ફરવા લાગ્યા. એવામાં કઈ દુબુદ્ધિ ત્રિદંડીએ એને જે. એણે જાણ્યું કે એ “બત્રીસ લક્ષણો પુરૂષ છે એટલે પોતાના સ્વાર્થને માટે એના ઘરની આગળ પિતે એક ઘર લીધું; અને દાનભજન-સન્માન આદિવડે એની સાથે પરમ મૈત્રી કરી. એકદા એ ત્રિદંડીએ એને કહ્યું–જે તું એક પણ અંગ છેદાયા વિનાનું –અક્ષત મૃતક લઈ આવતો હું તને કુબેર સમાન સમૃદ્ધિવાન બનાવી દઉં. ધનના લેભી વણિકપુત્રે પણ એની શોધમાં ફરતાં કોઈ વૃક્ષ પર પોતાને જોઈતું હતું એવું મનુષ્યનું મૃતક જોયું; અને એ વાત પેલાને કહી. એટલે કૃષ્ણ ચતુર્દશીને દિવસે એ મૃતકને કેાઈ ભયાનક મશાનને વિષે લઈ ગયા. ત્યાં એના (મૃતકના) હાથમાં ત્રિદંડીએ એક ખર્શ આપયું, અને વણિપુત્રને એ મૃતકના ચરણ તળાસવા બેસાડો. પછી એ પાખંડીએ એ (વણિકપુત્ર) ના વધે, માટે જાપ જપવા માંડે એટલે મૃતકના શરીરમાં કોઈ વ્યન્તર અધિષ્ઠિત થયો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #36 -------------------------------------------------------------------------- ________________ “શિવકુંવરે યોગી “સોવનપુરિસો” કીધ.” અને મૃતક ઉછળવા માંડયું. હાથમાં પગવાળા મૃતકને પિતા તરફ ઉછળતું જોઈ વણિકપુત્ર ભયભીત થયે. આવી આપત્તિમાં એને પિતાએ કહેલ “નમસ્કાર મંત્રનું મરણ થઈ આવ્યું એટલે એનું ધ્યાન ધરવા લાગ્યો. એટલે પેલે વેતાલ ભૂમિપર પડ્યો અને પાખંડી આશાભંગ થયે. છતાં એણે વિશેષ વિશેષ જાપ જપવા માંડયો. વણિક પુત્રને પણ “મંત્ર” પર વિશ્વાસ બેઠો એટલે એ એને વારંવાર સંભારવા લાગ્યા. મૃતક પુન: ઉછયું અને પુન: ભૂમિપર પડયું. ત્રિદંડી તો સ્તબ્ધ થઈ ગયે અને પેલાને પૂછવા લાગ્યા–અરે તું કંઈ (મંત્ર આદિ) જાણે છે? પેલાએ ના કહી. કેમકે “અજાણપણું” બતાવવાથી વખતે (આ લોકમાં) છુટી જવાય છે. યમના આહાન માટે પાપિષ્ટ ત્રિદંડીએ સારી રીતે જાપ જપવા માંડયા અને વણિપુત્રે પણ શ્રદ્ધા બેસવાથી પોતાના મંત્ર”નો એક ચિત્તે જાપ શરૂ રાખે. વેતાળ ત્રીજીવાર ઉછળે અને કોપાયમાન થઈને ત્રિદંડીનો ખર્ગવતી શિરછેદ કર્યો, સુથાર કાષ્ટનો છેદ કરે એવી રીતે. એટલે તો એ પાખંડી પાપિષ્ટ ત્રિદંડીનું શરીર “સુવણેમય બની ગયું. એ વખતે તે એ “સુવર્ણ પુરૂષને ત્યાંજ ગુપ્તપણે રાખી દઈને રાત્રીએ પુન: આવી વણિપુત્ર પિતાને ઘેર લઈ ગયે. આમ નવકારમંત્રના પ્રભાવથી એ ધનવાન થયે. અન્યથા એનોજ વધ થઈને “સુવર્ણ પુરૂષ” થઈ જાત. પછી ધર્મનો આવો ઉત્કૃષ્ટ પ્રભાવ જોઈને એ ધર્મપરાયણ થયો. ( શ્રી વીરપ્રભુ કહે છે) આ અર્થ એટલે દ્રવ્ય પ્રાપ્ત કરનાર શ્રાવકનું “દષ્ટાન્ત” તમને કહ્યું. હવે એ મંગથી કામ એટલે ઈષ્ટપ્રાપ્તિ કેમ થાય એ દષ્ટાન્ત કહું છું તે એક ચિત્તે શ્રવણ કરે:– પૂર્વે જિનેશ્વરપ્રણીત ધર્મને વિષે તનમનથી લીન એવી એક અહંન્દાસી નામની શ્રાવિકા હતી. એનો સ્વામી હતો એ મિચ્ચાદષ્ટિ હતો. તુલ્યોગ તો પ્રારબ્ધશાળી વિના અન્યત્ર કયાં હોય છે ? ધર્મનો ઠેષી હતો એટલે એણે તો અન્ય સ્ત્રી પરણવા માટે ઈચ્છા કરી પરંતુ એક સ્ત્રીની હયાતિમાં એને કઈ પિતાની કન્યા આપવા નીકળ્યું નહીં. આમ થવાથી એ એનો ઘાત કરવાની કે યોજના કરવા લાગ્યો. અને એટલા માટે એણે એકદા એક ઘડામાં Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #37 -------------------------------------------------------------------------- ________________ આ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. ગુપ્તપણે સર્ષ આચ્ચે, અને ભોજન આદિની સમાપ્તિ પછી રાત્રે પિતાની પીને કટાક્ષમાં કહ્યું–ગજગામિની, પેલા ઘટમાં હું પુષ્પ લેતો આવ્યો છું તે જરા મને આપ. પતિદેવના કુટિલ આશય નહી જાણનારી સ્ત્રી એ લેવા ગઈ અને અન્ધકાર હતો માટે પંચપરમેષ્ટીનું સ્મરણ કરવા લાગી. નવકાર મંત્ર ભણતાં ભણતાં જ એણે ઘડામાં હાથ નાખે. તે વખતે એનો પ્રિય (1) સ્વામિનાથ પણ પિતાના મનોરથોનું ધ્યાન ધરી રહ્યો હતો. અહંદુદાસીએ હાથ નાખે તે વખતે જ શાસનદેવીએ પેલો ભુજંગ અપહરી લઇને એને સ્થળે સુવાસે મઘમઘી રહેલી પુષ્પની માળા મૂકી દીધી–એ માળા એણે જઈને પતિને અર્પણ કરી. “આ કે અન્ય સ્થળેથી લઈ આવી કે શું થયું? " એવી શંકા થવાથી પતિરાજ પોતે ઉભે થઈને ઘડે હતો ત્યાં ગયો. ઘડામાં જુએ છે તે સર્પ ન મળે, એની નાસિકાએ તો કુસુમેનો હેકાટ આવ્યું. તત્ક્ષણ પશ્ચાત્તાપને લીધે પોતે પ્રિયાના ચરણમાં પડ અને એને સર્વ વૃત્તાન્ત અથેતિ કહી સંભળાવ્યો અને સાથે કહેવા લાગે– શ્રીમતી, મેં દુષ્ટ તારે બહુ અપરાધ કર્યો છે માટે તે સતી છે તે સર્વે ક્ષમા કર. પછી એણે પ્રસન્ન થઈ એને ગૃહની સ્વામિનીને પદે સ્થાપી, અને એના પ્રતિબંધથી પોતે પણ શુદ્ધ શ્રાવક થયો. ત્યારપછી વળી શ્રીવીરપ્રભુએ નવકારમંત્રના પઠનથી આરોગ્યની (પણ) પ્રાપ્તિ થાય છે એ ઉપર એક (ત્રીજું) દષ્ટાન્ત આયું - આ પૂર્વે એક નદીને તીરે કઈ નગર હશે. તે નદી પર કોઈ એક પ્રજાજન એકદી શરીરચિન્તાને અર્થે ગયે. ત્યાં એણે નદીના જળમાં તણાતું જતું એક બીજપૂર (બીજોરું) જેયું. એટલે એણે એ લઈ લીધું તે જાણે સાક્ષાત્ એનું “લાદય” કર્મ અને પ્રાપ્ત થયું હોયની ! એ એણે જઈને રાજાને અર્પણ કર્યું, અને રાજાએ એ પિતાના રસોઈયાને દીધું. રસોઈયાએ એને સમારી સુધારી શાક બનાવી. ભજન અવસરે રાજાને પીરસ્યું. શાકના વર્ણ અને સુગંધથી હર્ષિતમને એ સમગ્ર એણે પ્રાશન કર્યું અને એના લાવનારપર તુષ્ટમાન થઈ એને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #38 -------------------------------------------------------------------------- ________________ “ણિધર ફીટીને પ્રગટ થઈ ફુલમાળ.” સારી બક્ષિસ આપી. પછી વળી પોતાના નાગરિકોને કહ્યું–આ બીજોરાનું મૂળ ઉત્પત્તિસ્થળ શોધી કાઢે. રાજાની આજ્ઞા થઈ એટલે એઓ પણ ભાતું બાંધી નદીપર જઈ તીરે તીરે ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં એક ઉદ્યાન એમની નજરે પડયું એમાં બીજેરાનું વૃક્ષ હતું એ જોઈને કહેવા લાગ્યા–આ વૃક્ષ તે પૂર્વથી જ દેવતાધિષ્ઠિત છે. એનું ફળ ગ્રહણ કરે એનું મૃત્યુ જ સમજવું એ વિના ફળ લઈ શકાશે નહીં. એમ વિચારી, સર્વેએ આવી રાજાને એ વાત કહી. પણ રાજાને એ ફળની એવી તીવ્ર અભિલાષા થઈ હતી કે એણે તો કહી દીધું–તમારું ગમે એમ થાઓ, મરો યા જી; પરન્તુ મને ફલ લાવી આપે. રાજાને એમ બોલવામાં શો બાધ હોય ? પારકું મસ્તક અને પારકે ભુર ! એટલે લોકોએ પણ સર્વે પ્રજાજનોનાં નામવાળી જૂદી જૂદી ચીઠ્ઠી લખીને એક ઘડે લાવી એમાં નાખી. એમાંથી રોજ એક ચીઠ્ઠી કાઢતાં એ જેના નામવાળી હોય એણે પેલા વનમાં જઈ એ ફળ ત્રોડી, બહાર રહેલાઓને આપી દેવું એમ નક્કી કર્યું. ફળ ત્રેડી આપનાર ભલે ત્યાં સદ્ય મૃત્યુ પામે. એમ કરતાં કરતાં કાળસમાન વિકરાળ એ બહુ સમય વ્યતીત થયો. રોજ એક જણ ફળ ત્રોડી આપે અને ત્યાં જ મરણશરણ થાય. એવામાં એકદા એક શ્રાવકના નામવાળી ચીઠ્ઠી આવી. પણ રાજાથી કોણ છૂટી ગયું છે? એ શ્રાવકે વિચાર કર્યો કેકદાચિત્ એ વૃક્ષનો અધિષ્ઠાયક કઈ વ્રત લઇને વિરાયું હોય એવો દેવતા હોય તો એ નવકારમંત્રના શ્રવણથી પ્રતિબોધ પામે ખરે. - એમ વિચારી મુખકોષ બાંધી ત્રણ નૈવિકી કરી નમસ્કાર મંત્રનો ઉચ્ચાર કરતાં કરતાં એણે વનવાટિકામાં પ્રવેશ કર્યો. એટલે વૃક્ષ પર રહેલા યક્ષને મંત્ર સાંભળીને સ્મરણ થયું કે હું પૂર્વભવે જિનધન૨ત હતો પરંતુ ધર્મને વિરાધવાથી યક્ષ થયો છું. હા ! મને અત્યન્ત ખેદ થાય છે. જે આણે મને નમસ્કાર મંત્ર સંભળાવી જાગ્રત ન કર્યો હોત તો હું આમ સદાકાળ જીવોનો વધ કરીને સંસારસાગરમાં રઝળી મરત. હવે આ શ્રાવક મારે ધર્મદાતા ગુરૂ થયો માટે એ નિશ્ચયે મારે પૂજવા યોગ્ય છે. એમ વિચાર કરીને એને વન્દન કરીને કહેવા લાગેહે શ્રાવકશિરોમણિ, હવે તમારે કોઈએ અત્રે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. આવવું નહીં. તમારે જોઈએ છીએ એ હું મેકલાવ્યા કરીશ. પછી એ શ્રાવકે પણ એ વાત રાજાને જઈને કહી. અને એણેયે સન્તુષ્ટ થઈ એને બહુ દ્રવ્ય આપ્યું. પછી વ્યતર પણ પ્રત્યેક દિને રાજાને ઓશીકે બીજપૂર ફળ મૂકી જવા લાગ્યા; કેમકે દેવતાઓ પ્રતિજ્ઞા પાળનારા છે. આમ નમસ્કારમંત્રના પ્રભાવથી એ શ્રાવકે લક્ષ્મી અને આરોગ્ય ઉભય પ્રાપ્ત કર્યા. જીવિતસમું બીજુ આરોગ્ય કયું? એ પ્રમાણે “નમસ્કાર” નું ઈહલેકસંબંધી ફળ સમજાવીને પુન: શ્રીવીરે એનું પરલોકસંબંધી ફળ જણાવવા માટે કહ્યું કે - વસન્તપુર નામનું નગર હતું. ત્યાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. એ નગરમાં એક જૈનધર્મ પાળનારી લીલાવતી નામે વેશ્યા રહેતી હતી. એ નિત્ય ચંડપિંગલ નામના એક ચોરની સાથે વિલાસસુખ ભેગવતી. એકદા એ ચેરે રાજાના જ મહેલમાં ખાત્ર દઈને એક અમૂલ્ય હાર ઉપાડ કેમકે ચેરલોકેનું સાહસ કંઈ જેવું તેવું હોતું નથી. હાર લાવીને એણે વેશ્યાને આવે અને વેશ્યાએ પણ એ ગોપવીને પોતાની પાસે રાખ્યો. એક સમયે નગરજનોએ મળીને મોટો ઉદ્યાનિકામોત્સવ (ઉજાણું) આરંભે. વેશ્યાઓ, દાસીઓ વગેરે પણ શ્રેષ્ઠ આભૂષણો ધારણ કરીને બગીચામાં ગઈ. આ લીલાવતીએ પણ પોતે સૌથી શ્રેષ્ઠ ગણાવા માટે પેલે હાર પહેરી લીધે. તેજાતેજન અંબાર એવો એ હાર ભાળીને અન્ય વેશ્યાઓને અત્યન્ત આશ્ચર્ય થયું. પરંતુ એવામાં, રાજાની જે રાણીને એ હાર હતો એની દાસીની એ તરફ દષ્ટિ ગઈ, અને એણે એ ઓળખે. કારણકે ચોરી ગમે એટલી ગુપ્ત રાખ્યા છતાં ચોથે દિવસે પ્રકટ થયા વિના રહેતી નથી. રાજાને પોતાને આ વાતની ખબર પડી એટલે એણે પૂછ્યું કે એ વેશ્યા કોની સાથે રહે છે? એના પ્રત્યુત્તરમાં એને જણાવવામાં આવ્યું કે એ વેશ્યા ચંડપિંગળની સાથે રહે છે. એ સાંભળીને રાજાએ સત્વર એને શલિપર સૂઢાવ્યો. - હવે વેશ્યા તો શ્રાવિકા હતી એટલે એણે “મારા વલ્લભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #40 -------------------------------------------------------------------------- ________________ વેશ્યાએ વલ્લભતણો સુધરાત્રે ભવ અન્ય. 31 ચડપિંગળને મારે અર્થે શલિ મળી છે ? એમ વિચારી એનું હિત ચિન્તવીને એને પંચપરમેષ્ટી મંત્ર સંભળાવ્યું. અને એને વિશેષમાં કહ્યું–હે પ્રિય, તું આ વખતે એવું નિદાન એટલે “નિયાણું” કર કે તું અહિંથી મૃત્યુ પામી આવતા જન્મમાં રાજપુત્ર તરીકે જન્મ લે. ચારે પણ એના વચન પરથી એવું નિદાન કર્યું અને શુભ ધ્યાને મૃત્યુ પામ્યા. પુનર્જન્મમાં એનો જીવ રાજાની પટ્ટરાણીની કુક્ષિએ આવ્યો અને પિતાના મનોરથની સાથે ગર્ભને વિષે વૃદ્ધિ પામતો પણ સમયે પુત્રપણે ઉત્પન્ન થયે. વાત અકસ્માત્ એમ બની કે , પેલી વેશ્યા લીલાવતી જ પ્રારબ્ધયોગે આ રાજશિશુને રમાડવા રહી. વેશ્યાતિ મહાચતુર એટલે એણે વિચાર્યું કે ચેડપિંગળના મૃત્યુનો અને રાણીને ગર્ભ રહ્યાનો એકજ સમય છે. તો આ રાજપુત્ર ચડપિગળનો જીવ હશે કે કેમ ? એ વિચારે એ એકવાર એને રમાડતી રમાડતી બોલી ગઈ કે “ચડપિંગળ, રડે છે શા માટે ? બાળકને તો એ વખતે પોતાના નામેચ્ચાર સાંભળીને પોતાની પૂર્વજાતિનું મરણ થયું. એટલે અનુક્રમે વયે વૃદ્ધિ પામતો રાજ્યકાર્યભારને ગ્ય થયો અને પિતાના મરણ પછી રાજયાસને બેઠે ત્યારે નમસ્કારમંત્રનો પ્રભાવ સમજી એમાં ભક્તિપૂર્વક શ્રદ્ધા રાખી એણે જિન ધર્મ અંગીકાર કર્યો. પ્રાન્ત એણે અને ગણિકાએ બન્નેએ સંસારસાગરનો પાર ઉતારનારી જેની દીક્ષા ગ્રહણ કરી અને ચારિત્રનું સભ્યપ્રકારે પાલન કરી સ્વર્ગ પ્રાપ્ત કર્યું. આમ નવકારમંત્રના પારલૌકિક ફળ વિષે એક દષ્ટાન્ત આપી શ્રી વીરપ્રભુએ વળી એક અન્ય દષ્ટાન્ત પણ આપ્યું તે આ પ્રમાણે - પૂર્વે એક મથુરા નામની નગરી હતી એમાં એક જિનદત્ત નામનો શ્રાવક વસતો હતો. નગરીમાં એક “હુંડિક” નામનો ચોર નિરન્તર પ્રજાના ઘરમાં ખાત્ર દેતો. પરન્તુ એ એકદા નગરરક્ષક (પોલિસ) ના હાથમાં સપડાઈ ગયો એટલે એને શૂળીએ ચઢાવવામાં આવ્યો. એની પાસે એના સંબંધીમાંથી કોણ આવે છે એની તપાસ રાખવા રાજપુરૂષો નિકટમાં ગુપ્ત ઉભા રહ્યા. એવામાં દયાનિધિ જિનદત્ત શ્રાવક એ માર્ગે થઈને જતો હતો એની પાસે રે તૃષાતુર હાઈને જળ માગ્યું. જિનદત્ત એને કહ્યું–આ હું તને સંભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. બાવું છું તે નવકારમંત્રનો ઉચ્ચાર કર્યા કર એટલામાં જળ લઈ આવું. હું જળ લઈને આવું એટલામાં જે તે એ ભૂલી જઈશ તો હું તને જળ આપીશ નહીં. શ્રાવક જળ લેવા ગયા અને પાછળ ચારે એ પદ સંભાય જ કર્યો. પરંતુ એને જળ લઈ આવતાં જોવા છતાં અને મને હમણાં જ જળ મળશે એમ સમજીને એને હર્ષ થયા છતાં, એના તો જળ પીધા વિના જ પ્રાણ ગયા. કેમકે રાજાના માણસોએ જિનદત્ત શ્રાવકને ચોરને અન્નપાન લાવી આપનાર તરીકે રાજ્યનો ગુન્હેગાર ગણીને બન્દીવાન બનાવ્યું. એટલે રાજાએ એને પણ શૂળીએ ચઢાવી દેવાનો આદેશ કર્યો. પણ વાત એમ બની કે પેલા ચિરના નવકારમંત્રનો ઉચ્ચાર કરતાં કરતાં પ્રાણ ગયા હોવાને લીધે એ યક્ષ થયો. એ યક્ષે પોતાનાં ઉપકર્તા શ્રાવકને અવધિજ્ઞાનનો ઉપગ દઈ દુ:ખ પૂર્ણ સ્થિતિમાં જોઈ, એક મહાન પર્વતને ઉપાડી નગરને માથે લટકતો રાખી અન્તરિક્ષમાં કહ્યું–હે દુષ્ટ ભૂપતિ અને માનવો, આ ભક્તિમાન શ્રાવક મારે ઉપકારક ગુરૂ છે એને તમે મુક્ત કરે. અન્યથા તમારે આકાશે કે પાતાળે ક્યાંય પણ મોક્ષ નથી. એ સાંભળી રાજાએ અને સર્વ પ્રજાએ એ યક્ષની વારંવાર ક્ષમા માગી અને જિનદત્ત પણ છુટ્યો. ખરી વાત છે કે ન્યાય તો પ્રાણને ભેગે જ મળે છે. પછી લોકેએ એ યક્ષનું એક મન્દિર પણ ત્યાં બનાવરાવ્યું. . શ્રી વીરજિનેશ્વર સમવસરણને વિષે દેવ, મનુષ્ય અને તિર્યોની પર્ષદા સમક્ષ આ પ્રમાણે દષ્ટાતો આપી, નમસ્કારમંત્ર ઉત્તમકુળને વિષે જન્મ અપાવનાર અને સ્વર્ગને પણ હેતુરૂપ છે એમ બતાવી આગળ કહે છે કે “વળી એ પંચમેષ્ઠી નમસ્કારના પ્રભાવથીજ પ્રાણુઓને શાશ્વત સુખ બક્ષનાર એવો મોક્ષ ભૂતકાળને વિષે પ્રાપ્ત થયા છે, વર્તમાનકાળમાં પ્રાપ્ત થાય છે અને ભવિષ્યકાળને વિષે પ્રાપ્ત થશે. ઉત્કૃષ્ટ મોક્ષસુખના અભિલાષી ભરત–રવતમહાવિદેહાદિ ક્ષેત્રોના સર્વ મનુષ્ય એ “નમસ્કાર” નો પાઠ કર્યા જ કરે છે. જે માણસ શ્રદ્ધાસહિત એ મહામંત્રના એક લક્ષ જાપ કરે અને શ્રી સંઘની પૂજા કરે એ નિશ્ચયે તીર્થકર થાય છે. જે પ્રાણીને એના પર રતિ એટલે પ્રેમ નથી એણે ગમે એટલી તપશ્ચર્યા કરી હોય, એણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાસ કે સોના 33 ગમે એટલે અભ્યાસ કર્યો હોય કે શાસ્ત્ર શ્રવણ કર્યો હોય, અથવા ગમે એટલી ક્રિયા કે અનુષ્ઠાન કર્યા હોય તો એ વ્યર્થ છે. નમસ્કારમત્ર તો ચતુર્દશી પૂને ઉદ્વરેલો સાર છે માટે જ વિદ્વાન અને પંડિતો એને વિષે પ્રયત્નશીલ રહે છે. વળી મરણોન્મુખ અવસ્થામાં અન્તસમયે તો એનું વિશેષ ધ્યાન ધરવું. કેમકે એવી સ્થિતિમાં એજ માત્ર ઉત્કૃષ્ટ આયુધ-શસ્ત્ર છે; જેવી રીતે ઘરમાં અગ્નિ લાગ્યો હોય એ વખતે ઘરનો ધણી અન્ય સર્વ દ્રવ્યાદિ જતાં કરીને સર્વવિપત્તિથી રક્ષણ કરનારું એક ફક્ત રત્ન જ ગ્રહણ કરે છે, અથવાતો જેમ કોઈ શત્રુને પરાજય કરવાને સુભટ એક અમોઘ શસ્ત્ર જ ગ્રહણ કરે છે તેમ. વળી એવી અન્તાવસ્થાને સમયે, સર્વે પૂર્વધરે આવે તોયે સકળશાસ્ત્રોની પરાવર્તન કરવાને શક્તિમંત થતા નથી. માટે એ સર્વે દ્વાદશાંગી વરજીને આ એના ઉદ્ધારનું એકાગ્રચિત્ત ધ્યાન ધરે છે. આ નમસ્કારમંત્ર ભવિજન પદ્માસન કરી હસ્તયુગલને યેગમુદ્રાએ જોડી રાખીને પછી ગણે. નવકારમંત્ર ગણવાનો ઉત્સર્ગ થકી આ જ વિધિ છે. જે એ વિધિએ ન ગણી શકે એણે પાંચે પ્રથમ અક્ષરે (રિહંત), તિ (PS), મા (વાર્થ), 3 (પાધ્યાય), સી (6) એમ ત્રિાસ નું ચિતવન કરવું. એટલું કરવાની પણ જેનામાં શક્તિ ન હોય એણે મ્ એવા એક અક્ષરનું ચિન્તવન કરવું. કારણ કે એ ગોમૂની વ્યુત્પત્તિમાં અરિહંત, અશરીરી (સિદ્ધ), બાચાર્ય, ઉપાધ્યાય અને મુનિ સર્વ આવી જાય છે. વાચા કુંઠિત થવાથી અથવા ગાઢ અનારોગ્યતાને લઈને એટલું પણ ન બોલી શકે એવાએ અન્ય પાસે એ મધુર સ્વરે બોલાવીને ભાવસહિત સાંભળો. જે મહાત્માને અન્તકાળે આ નવકાર મંત્ર પ્રાપ્ત થાય એણે સમજવું કે એનાં દુ:ખદેહગ દૂર ટળ્યાં અને સુખસંપત્તિ આવીને ભેટી. મહાભાગ્યશાળી પ્રાણીને જ મરણ સમયે નમસ્કારમંત્રના અક્ષરો શ્રવણે પડે છે. ભરસમુદ્રમાં અથડાતા રઝળતા સર્વે મનુષ્યને નૌકા કયાં મળી જાય છે? વળી આ નમસ્કારમંત્ર પિતા, માતા, ભગિની, બધુ, સાદર અને મિત્રની જેમ પરમ ઉપકારી છે; સર્વે મંગળ 1. “પૂર્વના વિસ્તૃત અર્થ માટે જુઓ આ ચરિત્રનો બીજો ભાગ પૃષ્ટ 231, 5 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. વસ્તુઓમાં પહેલે પદે છે. વળી એનું નિત્ય ધ્યાન ધરનાર પણ એક મંગળરૂપ જ છે. માટે પોતાનું હિત ઈચ્છનારા સર્વ કેઈએ એના ધ્યાનને વિષે પૂરો આદર કરવો. પ્રભુની, આવી જગતનું કલ્યાણ કરનારી અમૃતમય દેશના શ્રવણ કરીને શ્રોતાવર્ગ નમસ્કાર પર પૂર્ણપણે આસક્ત થયો. કેમકે જિનેન્દ્રોને પ્રયાસ સદા સફળ જ હોય છે. આમ પ્રભુ રાજગૃહીમાં સ્થિર રહ્યા ત્યાં સુધી એમને મુખેથી પ્રતિદિન “ધર્મ” નું શ્રવણ કરતા પ્રજાજન પરમ આનન્દ પ્રાપ્ત કરતા જણાવા લાગ્યા. એકદા સુબુદ્ધિમાન અભયકુમારે પ્રભુ પાસે જઈ વન્દન કરી મધુર શબ્દોમાં આત્મસિદ્ધિગર્ભિત સ્તવના કરી કે “હે જિનેશ્વર, આપના શાસનની બહાર રહેલા (જેનેતર) લેકે એમ કહે છે કે “આકાશમાં પુષ્પો હોય છે એ વાત જેવી મિથ્યા છે એવી જ આત્માના અસ્તિત્વની વાત મિથ્યા છે; પ્રમાણને અભાવ છે માટે. એ લેકે પૂછે છે કે તમે સ્ત્રી, પુરૂષ, અશ્વ, હસ્તી આદિને પ્રત્યક્ષ જુઓ છો એ પ્રમાણે એ આત્માને તમે કયાંય પ્રત્યક્ષ જોયો ? વળી અનુમાનથી પણ એ (આત્મા) નું જ્ઞાન થવું અશકય છે. કારણ કે એ (અનુમાન) ત્યારે જ નીકળી શકે કે જ્યારે આપણી પાસે સાધ્યની સાથે લિંગ અને કવચિત્ દષ્ટાન પણ હોય; અને અહીં તો આત્મરૂપ સાધ્યની સાથે કંઈ પણ લિંગ દેખાતું નથી. વળી આત્મા જેવી અન્ય કોઈ પ્રસિદ્ધ વસ્તુ પણ નથી કે જેની એને ઉપમા આપી શકાય. વળી “આત્માનું અસ્તિત્વ” પ્રતિપાદન કરવા સંબંધી આગમાં પણ અન્ય અન્ય વિરૂદ્ધતા નિવેદન કરેલી છે તો એના પર પણ શી આસ્થા રહે? વળી એના વિના ઉપપદ્ય ન થાય એવું પણ કંઈ નથી, કે જેથી અર્થોપત્તિથી પણ એ (આત્મા) જાણી શકાય. આમ પાંચે પ્રમાણેને અભાવ છે એમ બતાવીને વિરૂદ્ધ પક્ષવાળાએ આત્મા નથી " એમ . સિદ્ધ કરે છે. પણ એમનું એ મન્તવ્ય અસત્ય છે. - " હું કહું છું કે આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવાને માટે પૂરતાં પ્રમાણ છે. ‘સુખી છું, હું દુ:ખી છું, હું જ્ઞાની છું” એમ કહીએ છીએ એજ એના અસ્તિત્વનું પ્રત્યક્ષ પ્રમાણ. વળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #44 -------------------------------------------------------------------------- ________________ આત્માના “અસ્તિત્વ નું પ્રતિપાદન. એ આત્મા અનુમાનથી પણ શેય છે; કેમકે સુખ દુ:ખ આદિ ધર્મો, એમનામાં ધર્મત્વ છે માટે, કેઈને આશ્રયીને રહેલા હોવા જોઈએ. જેમકે નવ્યત્વ (નવીનપણું), વૃત્તત્વ (ગોળાકારપણું) એવા જે “ઘટ” ના ધર્મ છે એ “ધમી " ઘટને આશ્રયીને રહેલા છે. હવે આ સુખદુઃખાદિ ધર્મો દેહાદિને આશ્રયીને તો નથી રહ્યા કેમકે એમ કહેવામાં “બાધક” આવે છે; માટે એ “ધર્મો " જે “ધમી ”ને આશ્રયીને રહેલા છે એ “ધમી " એજ નિશ્ચયે આત્મા. વળી આ આત્મા ઉપગવાન છે, કર્મોનો કર્તા છે, ભોક્તા છે, શરીરથી ભિન્ન છે–ઈત્યાદિ લક્ષણોએ જ્યારે લક્ષિત છે ત્યારે એ ઉપમાનગોચર કેમ ન થાય? સાધચ્ચેથી જ નહીં, પરંતુ વૈધચ્ચેથી પણ એનું ઉપમાનગોચરત્વ છેજ. વળી આગમને વિષે યે આદિમાં, મધ્યમાં કે અન્તમાં ક્યાંઈ પણ એના અસ્તિત્વની સામે વિરૂદ્ધતા નથી. એમાં તો ઉલટું “મટુ ધેનુ” એવું આ ત્માનું વિશેષણ બતાવ્યું છે. માટે આગમ એટલે શાસ્ત્રો પણ એનું અસ્તિત્વ નિશ્ચિત જ કરે છે. વળી " અર્થપત્તિ થી પણ એ આત્મા ગમ્ય છે કેમકે જે આત્મા ન હોય તે પછી પરલોક કોનો? પુણ્યપાપ પણ કોનાં, અને સુખદુ:ખ તથા બંધમોક્ષ પણ કેનાં ? વળી “અનુપત્તિ” થી પણ, આત્મા છે” એમ બોધ થાય છે કેમકે વિરૂદ્ધ કહેતાં, સુખાદિ ભોગવનાર અન્ય કેણ હોય ? એમ તો ન કહેવાયને, કે આહાર લે દિવસે જમના, અને શરીર વધે રાત્રે જમનારાનું ? આમ પાંચે પ્રમાણેથી, હે પ્રભુ, આત્માનું અસ્તિત્વ પ્રતિપાદિત થયું. પરંતુ આપના શાસનની બહારના મૂઢ લેકે કંઈ સમજતા જ નથી. આપના જેવાના પ્રસાદથી જ ભવ્યજનો વસ્તુને યથાસ્થિત સમજે છે. સૂર્યનો ઉદય થાય છે ત્યારે જ વસ્તુ જેવા હોય તેવા સ્વરૂપમાં દેખાય છે. તો હે ભગવાન, હવે આપ મારા પર એટલી કૃપા કરો કે મારી બુદ્ધિને વિષે નિરન્તર આસ્તિકપણું રહે. આ પ્રમાણે જિનેશ્વરની સ્તુતિ કરી અભયકુમારે વળી દેશનાને અને પ્રભુને વન્દન કરી વિજ્ઞાપના કરી કે હે સ્વામિન, કેવળજ્ઞાનીઓમાં જેમ જંબુસ્વામી ચરમ કેવળી થયા છે એમ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #45 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર રાજર્ષિઓમાં કયા રાજા ચરમ રાજર્ષિ થશે? પ્રભુએ ઉત્તર આ —હે અભયકુમાર, અન્તિમ રાજર્ષિ સપૂર્વોક્ત બિન્દુસારની જેમ ઉદાયન નૃપર્તિ થશે. વળી “એ ઉદાયન કેણ” એવા અભયકુમારના પ્રશ્નના ઉત્તરમાં જિન ભગવાને મન્થન કરાતા મહાસાગરના ધ્વનિ સમાન ગંભીર ધ્વનિથી કહ્યું - A આ ભરતક્ષેત્રમાં જ રત્નાકર સાગરના તટપર સવે રમણીયતાનું સ્થાન એ સિધુવીર દેશ આવેલ છે. ત્યાં એક જ વાર વાવણું કર્યા છતાં પૃથ્વી વારંવાર પાક આપે છે–એવી એ બહબહુ રસાળ છે. ત્યાં વળી કદિ દુષ્કાળ તો દષ્ટિએ જ પડતો નથી, પોતાના વૈરિ જળપૂર્ણ મહાસાગરનું નામ સાંભળીને જ હાયની એમ. વસતિવાળા ગામમાં કોઈ પણ પ્રજાજનને ઘેર આવી ચઢેલે અજાણ્યા પન્થીજન પણ ભેજન પામ્યા વિના જતો નથી. એ દેશની કેટલી પ્રશંસા કરવી? ત્યાંના વસનારા સર્વે અત્યન્ત ત્રાજુપ્રકૃતિવાળા છે. ત્યાં તસ્કર કે શત્રુરાજાના સૈન્યને લેશ માત્ર ભય ન હોવાને લીધે જેનું નામ તેવા જ ગુણવાળું “વીતભય” નામનું નગર છે. એ નગરમાં કંપ તો પ્રાસાદના શિખર પર આવેલી ધ્વજાઓમાં જ છે, પારૂધ્ય પત્થરમાંજ છે. વળી તીણતા ખડ્ઝમાં જ, ખળ તલના વિકારમાં જ, બંધન કાવ્યમાં જ, વિયેગ સ્વપ્નમાં જ, ચિન્તા ધર્મોપાર્જનમાં જ, વર્ણસંકરતા વિચિત્ર ચિત્રક્રિયામાં જ અને મદ હસ્તીઓમાં જ છે. લેકમાં એમાંનું કંઈ નથી. કંઈ પણ દોષ જેવું પ્રજામાં ગણે તો ફક્ત એ જ કે સર્વજન પરદુ:ખે દુ:ખી છે. * એ નગરમાં કમળ જેવાં સુંદર વિસ્તીર્ણ લેનવાળે, છતાં લેચનની લેશ પણ ઈર્ષ્યા વિનાનો, અન્ય મુક્તમુનિ જ હાયની એ ઉદાયન રાજા રાજ્ય કરે છે. કુક્ષત્રિએ ત્યજી દીધેલી વીરવૃત્તિ ચોમેરથી આવીને એને જ હર્ષસહિત આલિંગન દઈને રહી છે; એકજ પતિની સ્ત્રી (સતી સ્ત્રી) પોતાના પતિને આલેષીને રહે છે એમ. એ ઉદાર નરપતિના કમળપુષ્પસમાન મૃદુ એવા બેઉ પ્રકારના 1 ખળ– 1) તલને ખોળ, (2) ખળપુરૂષ. 2. (1) મૃદુ–કામળ કર-હસ્ત; (2) મૃદુ હળવો કર-વેર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #46 -------------------------------------------------------------------------- ________________ આ કામલંપટ કુમારનન્દી. 37 કરને લીધે એની સર્વ પ્રજા સુખી છે. એનું ચિત્ત વિષયાસકત છતાં એ વિષયલંપટ નથી. પરદારાથી નિવૃત્ત છતાં પણ પરદારાસકત છે. જેને એકલે ન્યાય જ પ્રિય છે એવા આ રાજાના દેશમાંથી અપમાનિત થઈને અન્યાય તે મુખ બતાવવા ઉભે રહ્યા વિના જ જાણે દેશાન્તરમાં જતો રહ્યો છે. વીતભય પ્રમુખ ત્રણસોને ત્રેસઠ નગરને, સિન્ધસવીર આદિ સેળ દેશને અને મહાસેન વગેરે દશ મુકુટધારી સામન્તને અધિપતિ છતાં એ અન્ય રાજાઓ પર પણ વિજય મેળવ્યા કરે છે.' - આ ઉદાયન રાજાને દીપકની શિખાની જેવી પ્રભાવાળી, સ્નેહમયી, બુદ્ધિમતી પ્રભાવતી નામે પટ્ટરાણી હતી. ઉત્કૃષ્ટ શીલ એજ એનાં અલંકાર હતા, અને શીલને પણ એ અલંકારભૂત હતી; જેમ હેમમુદ્રાને મણિ અલંકારભૂત છે અને મણિને પુન: હેમમુદ્રા છે એમ. જાણે પોતાના સહોદર શીલ પ્રત્યે અત્યન્ત વલ્લભતા ધરાવતી હાઈ એને પોતાના અંકને વિષે બેસાડવા માટે (રાણુ પાસે) આવી હાયની એવી એ (રાણી) ની લજજાળુતા પણ બહુ વિરાજી રહી હતી. ક્ષીર, ડિડીરપ અને ચંદ્રમાના કિરણોથી પણ અધિક નિર્મળ કુળમાં જન્મેલી ચેટક રાજા જેવાની પુત્રીને માટે વિશેષ શું કહેવું ? બસ એટલું જ કે એ ધુરંધર શ્રાવિકા હતી, એનું સમ્યક્દર્શન ઝળહળી રહ્યું હતું અને એણે ઉત્તમ કાર્યો કરી કરીને તીર્થને ઉદ્યોત કર્યો હતો. આ આ પ્રભાવતી રાણીથી રાજાને અભીચિ ( અભિજિત્ ) નામનો પુત્ર થયે હતો. તે અત્યન્ત શૂરવીર હતા, તે જાણે અભિજિત્ નક્ષત્રને વિષે એનો જન્મ થયો હતો માટે જ હોયની ! યુવરાજપદે આ અભીચિ જ હતો. વળી રાજાને કેશિ નામને એક ભાણેજ હતો. હવે ચંપાનામની નગરીમાં કુમારનદી નામનો એક સુવર્ણ કાર રહેતો હતો. કુબેરની જેમ એ અસંખ્ય દ્રવ્યનો સ્વામી હતો. પ્રકૃતિથી એ પારાવતની જે અતિ કામલંપટ હતો. પરંતુ આવા 3. વિષય 1) રાજ્ય, દેશ; (2) કામભોગ. 4. પરદારાસત શત્રુને રંજાડવામાં આસક્ત. 5 સમુદ્રના ફીણ 1 પારેવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ ' અભયકુમાર માંત્રીશ્વરનું જીવન ચરિત્ર, વિવિધ વિડમ્બના ઉપજાવનારા વ્યસન છોડ્યા છે પણ કોને? હરકોઈ રૂપવતી કન્યા એના દષ્ટિપથમાં કે શ્રવણપથમાં આવતી એને એ પાંચસો સુવર્ણ આપીને પણ પોતાની પત્ની બનાવતે. દ્રવ્યના લેભથી લેકે પણ એને કન્યા આપતા. આમ એણે પાંચસો સ્ત્રીઓનો મેળ કર્યો. પણ કામી પુરૂષોની આવી જ રીતિ હોય છે, એમાં કંઈ આશ્ચર્ય નથી. એ સ્ત્રીઓની સાથે પોતે એક એકતંભી પ્રાસાદને વિષે રહેતો છત સુખવિલાસ ભોગવતો. પોતે જાતે ઉપાર્જન કરેલા ભગવૈભવ ભોગવતાં માણસને અટકાવે કોણ? વળી એ ખ્યાળુ સ્વભાવવાળે હોવાથી પોતાની સ્ત્રીઓને બહાર નીકળવા દેતે નહીં નરકમાંથી બહાર નીકળવા ઈચ્છતા નારકીના જીવની જેમ. આ કુમારનંદીને પાંચ શુદ્ધ અણુવ્રતધારી નાગિલ નામનો શ્રાવક મિત્ર હતે. અથવાતો પૃથ્વી પર સવેત્ર નિર્ગુણી જનો જ વસે છે એમ નથી. ' હવે, મહાસાગરમાં એક પંચશૈલ નોમન દ્વીપ છે જે જાણે, એ સમુદ્રનું મધ્ય ખોળી કાઢવાના આશયથી એની અંદર રહ્યો હાયની ! એ દ્વીપમાં બે સમાનરૂપાકૃતિવાળી વ્યન્તર દેવીએ રહેતી હતી, તે જાણે પરસ્પર પ્રીતિ બાંધવાને એકત્ર મળેલી સરસ્વતી અને લક્ષ્મી જ હાયની ! આ દેવીએ પોતાના સ્વામી એ દ્વીપના અધિપતિ-વધુમાલીની સંગાથે કીડાસુખ ભોગવતી રહેતી હતી; જેવી રીતે ગંગા અને પાર્વતી શિવની સંગાથે ભેગવે છે એમ. એક સમયે દેવનો સ્વામી ઈન્દ્ર નંદીશ્વરદ્વીપે તીર્થયાત્રા નિમિત્તે જવા નીકળ્યો એટલે એના આદેશથી આ બે દેવીઓ પણ પિતાના પતિસહવર્તમાન ચાલી નીકળી. એમને આમ સાધર્મિક મેળાપ થયો એ પણ એમનાં ધન્યભાગ્યે જ સમજવાં. પણ એજ સમયે એક અનિષ્ટ વૃત્તાન્ત બન્યો કે વિન્માલી શૈલભ્રષ્ટ પાષાણની જેમ સહાયહીન ક્ષણમાત્રમાં શ્રુત થયો અને બેઉ વ્યક્તદેવી ભર્તાવિનાની થઈ પડી. એમ થવાથી મહાકસમુદ્રમાં નિમગ્ન થયેલી બન્ને ચિન્તવવા લાગી કે “આ તે આપણને શાન્તિ મેળવવા જતાં વેતાળ આવીને ઉભો રહ્યા જેવું થયું. ત્યારે હવે આપણે અન્ય કોઈને પ્રલોભનમાં નાખી આપણે પતિ બનાવીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ 39 પચશૈલ ની હાસા પ્રહાસા દેવીઓ. કેમકે નાથ વિનાની સ્ત્રીઓને લેક તરફથી પરાભવ પામવાનો સંભવ રહે છે. આમ પતિ મેળવવાની આકાંક્ષામાં આકાશમાં ફરતાં ફરતાં એમની દષ્ટિ ચંપાનગરીમાં પેલા પાંચસે સ્ત્રીઓ સંગાથે કીડા કરી રહેલા કુમારનંદી પર પડી. એટલે “કામીપુરૂષોને કામ (દેવ) રૂપી પ્રલોભનથીજ લુબ્ધ કરી શકાય” એમ વિચારી એ સ્ત્રીલંપટ સોનારને પોતાના ગ્રાહમાં લેવાનો નિશ્ચય કરી આકાશમાંથી સત્વર એની પાસે ઉતરી ઉભી રહી. અહો ! સ્વાર્થ પ્રાણું પાસે શું નથી કરાવતો? આકાશમાંથી નીચે ભૂમિપર, અને ભૂમિ પરથી ઉચે આકાશમાં સ્વાર્થ પ્રાણુને લઈ જાય લાવે છે. સ્વર્ણકાર તો દીવ્યકાન્તિવાળી એ ઉભયદેવીઓને જોઈ કામાધીન થઈ “અહા ! આ તે શું કામદેવ દગ્ધ થવાથી પતિવિહીન થયેલી રતિ અને પ્રીતિ ચેદિશ બ્રમણ કરતી અહિં આવીને ઉભી છે. અથવા ત્રાષિના શાપથી ભ્રષ્ટ થઈ ભૂમિપર આવી પડેલી રંભા અને તિલોત્તમા ( અસરા) છે?” આમ સંકલ્પવિકલપ કરતો હર્ષપૂર્ણ ચિત્તે એમને પૂછવા લાગ્યપુણ્યરૂપી લાવણ્યની સરિતા જેવી, અને લલિત લલનાઓના શિરેમણિ જેવી તમે કોણ છે ? દેવીઓએ ઉત્તર આપે—હે મત્યેકના માનવી, અમે હાસા અને પ્રહાસા નામની દેવીએ છીએ. એમના, મધુપાનથી ઉન્મત્ત થયેલી કોકિલાના જેવા સુંદર મનહર મધુર સ્વરથી મુગ્ધ બની જઈ એમના સન્મુખ જેઈજ રહી સુવર્ણકાર તો તક્ષણ મૂછ પામ્યા. શત્રુનું કામ કરતો કામદેવ કામિજનને બીજું આપે કે શું? પછી મૂછ વળી એટલે એણે એમની સંગાથે ક્રીડા કરવાની ઈચ્છાથી પ્રાર્થના કરી કે કામ જવરથી તપી રહેલા એવા મને તમે તમારા સંગમરૂપ જળવડે શીતળતા પમાડે. દેવીઓએ ઉત્તર આપો—જે તારે અમારું પ્રોજન હોય તે અમારી સાથે પંચશેલ દ્વીપે ચાલ. એમ કહીને બેઉ જણીઓ જાણે ધનુષ્યપરથી બાણ છુટયું હોય અથવા પાશ માંથી પક્ષી છુટયું હોય એમ સત્વર આકાશમાં ઉડી ગઈ. ' ' પૂર્ણપણે કામદેવના પાશમાં આવી ગયેલો કુમારનંદી તો એ જઈ કંઈક વિચાર કરી સદ્ય સુવર્ણની ભેટ લઈ નૃપતિ પાસે જઈ કહેવા લાગ્યું–હે રાજન, મારે પંચશૈલ દ્વીપે જવું છે. રાજાએ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #49 -------------------------------------------------------------------------- ________________ 40 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. સંમતિ આપી એટલે એણે નગરમાં સર્વત્ર ઉોષણા કરાવી કે જે કેઈ કુમારનન્દીને પંચશેલ દ્વીપે લઈ જશે એને એ નિઃસંશય એક કોટિદ્રવ્ય આપશે. એ ઉદ્ઘોષણા સાંભળી એક વૃદ્ધ જીણેકાય નાગરિકે વિચાર્યું–અહો ! આજે મને વૃતનાં ભોજન મળ્યાં, મારું પ્રારબ્ધ હજુ પ્રકાશે છે ખરું એનું કોટિદ્રવ્ય લઈ, પુત્રોને આપી, યશ અને કીર્તિ ઉભય સંપાદન કરાવનારું સાહસ કરી, પડુંપડું થઈ રહેલા મારા માનવદેહનું અન્તિમ ફળ લઈ લઉં. કારણકે નાસી જતા પામર ઉંટનો જે લાભ મળે એ લઈ લેવો કહ્યો છે. એમ વિચારી એ વૃધે પડહને સ્પશીને સુવર્ણકાર પાસેથી કોટિદ્રવ્ય લીધું. પરંતુ એમાં શું? પ્રાણના વિક્રય બદલ અનેક કટિ મળે તોયે નિરર્થક. એ સર્વ દ્રવ્ય પછી પેલાએ પોતાના પુત્રને આપ્યું. કેમ ન આપે ? સ્ત્રી અને સંતાનો શિવાય અન્ય કોને અર્થ ( આપવાને) સર્વે લેક દ્રવ્ય ઉપાર્જન કરે છે? ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા બેઉ (વૃદ્ધ અને સુવર્ણકાર) પછી, માર્ગમાં જોઈએ એ અન્નપાનાદિ સર્વસામગ્રી લઈને સત્વર સમુદ્રતટે ગયા. અનર્ગળ જળનો રાશિ મહાન સમુદ્ર ખેડવો હતે માટે ત્યાં વૃધે શુભ કર્મ જેવું નિછિદ્ર અને ખળ પુરૂષના હદય જેવું નિપ્પર પ્રહણ તૈયાર કરાવ્યું. વિજય મેળવવા નીકળેલા સૈન્યની જેમ એ પ્રારંભે સ્થિરતા રાહત ઝોલાં ખાતું હતું. એની બેઉ બાજુએ ઉપરાઉપર દઢ કાષ્ટના ફલક એટલે પાટીયાં મૂક્યાં હતાં, અને એનાં બને–આદિ અને પ્રાન્તભાગ દ્વિતીયાના ચન્દ્રમાની જેવા વળેલા હતા. આપણું ગૃહોને હોય છે એમ એના પર સર્વગ ઢળતું આચ્છાદન હતું. એના મધ્યમાં વકત્ર કહેવાતા ' સ્તંભે ઉભા કર્યા હતા. એને ચોમેર નાળીએરીની છાલવતી મઢી લીધેલું હતું, અને ખીલા વગેરેવતી દઢ કર્યું હતું. વચ્ચે વચ્ચે શાભિતો સુંદર કુવાન સ્તંભ હતો, તે જાણે એ વૃદ્ધની કીર્તિરૂપી વલ્લરીને આરોહણ કરવાનેજ હોયની ! વળી એ પ્રવહણમાં વિશુદ્ધ શણનો બનાવેલે, એના વેગમાં વૃદ્ધિ કરનાર મહા વિસ્તારવંત વેત સઢ હતો, તે જાણે ચાંદીનો પટ હાયની એ શોભી રહ્યો હતો. - પછી પીઠનો પવન જોઈને એકદા પ્રવહણે નાંગર ઉપાડયું, સ્વર્ણકાર અને વૃદ્ધ બેઉ એના પર આરૂઢ થયા અને પ્રવહણે સમુ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #50 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રવર્ણન. દ્રમાં પ્રવેશ કર્યો. જળમાર્ગપર મત્સ્યોના સમૂહને સમૂહ એમની દષ્ટિએ પડતા. કેટલાંક તો હર્ષથી મુખમાં જળ લઈ, પ્રભાતસમયે ગુજરાતવાસીઓ દંતધાવન વેળાએ કરે છે એમ એ જળના જાણે કોગળા કરતા. કેટલાંક વળી સમુદ્રની સપાટીની નીચે જતા રહેતા અને પુનઃ ઉપર આવતા. વળી બીજા એવા પણ હતા કે જેઓ સર્પની જેમ પોતાની જ જાતિનાંને ગળી જતા. કેટલાંક સરલપણે, વહાણ ચાલતું એની સંગાથે કીડા કરતા ચાલ્યાં આવતાં હતાં તો કેટલાક તરંગેની ઉપર ને ઉપર રહીને જાણે આનન્દ કરતાં હતાં. કેટલાંક જળના સંક્ષેભને સહી ન શકવાથી બહાર કીનારા ઉપર નીકળી પડતા; સ્મારણાદિ (કિયા) ના સહી શકનારા સાધ્વાભાસ જેમ ગચ્છ બહાર નીકળી જાય છે એમ. કેઈ અજગરની જેમ કુત્કાર કરી રહ્યા હતા, તો કેઈક વળી, હસ્તીઓ શેલની સાથે (મસ્તક) અફાળે છે એમ, પ્રહણની સાથે મસ્તક અફાળી રહ્યા હતા. આમ મની વિવિધ ચેષ્ટાઓ નીહાળતાં નીહાળતાં અને પોતપોતાની વાર્તા કહેતાં કહેતાં સ્વર્ણકાર અને પેલા વૃધે સંસારની જેવો દસ્તર મહાસાગર બહુ ઉલંઘન કર્યો. તે સમયે વૃધે કહ્યું–હે મિત્ર, કિનારા પર આવેલું પેલું વટવૃક્ષ જોયું કે ? એ પર્વતની તળેટીમાં ઉગ્યું છે, ઉત્તમ રાજ્યની જેમ એના મૂળ ઉંડાં ગયાં છે અને યદુવંશની શાખાઓની જેમ એની શાખાઓ અત્યન્ત વિસ્તારવાળી છે. આ આપણું વહાણ એ વૃક્ષની નીચે પહોંચે ત્યારે તારે શાખામૃગની જેમ એની શાખાએ વળગી જવું. કારણકે અહિં સમુદ્રમાં હવે એવા મહાન આવતે આવશે કે જેમાં સપડાઈ જઈ આપણું વહાણ ભાંગી નાશ પામશે અને હું કે તું કઈ જીવતા રહેશું નહીં. પેલા પંચશેલ દ્વીપથી પ્રતિદિન ભાખંડ પક્ષીઓ યામિક એટલે પહેરેગીરની જેમ સંધ્યા સમયે એ વૃક્ષ પર આવીને રાત્રી નિર્ગમન કરે છે. ત્રિપાદ એટલે ત્રણ ડગલાવાળા વામનાવતારના વિષ્ણુની જેમ એ ભારંડપક્ષીઓ ત્રિપાદ એટલે ત્રણગા હોય છે માટે તારા - 1 વાનર. 2 સમુદ્રમાં જળ કઈ કઈ સ્થળે વર્તુલાકારે–દંડાળામાં ફર્યા કરે છે એ “આવર્ત કે ભમરી કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust. - Page #51 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. શરીરને એ પક્ષીના વચલા પગ સાથે વસ્ત્રવતી મલગાંઠની જેમ દઢ બાંધી વળગી રહેજે. એટલે પ્રભાત થયે જ્યારે એ વૃક્ષપરથી ઉડીને પંચશેલ દ્વીપે જશે ત્યારે તેની સાથે તુંયે ત્યાં પહોચી જઈશ. સ્મરણમાં રાખજે કે તારે દઢપણે વળગી રહેવાનું છે. જે વિસ્મરણ થયું તો સમજજે જે પરમાચાર્યના ક્ષુલ્લક-શિષ્યની જેમ નીચે કઠોર ધરણી પર પડીશ અને તારાં હસ્તપાદ આદિ ભાંગશે. એ સાંભળી સ્વર્ણકારે “આ પરમાચાર્ય વગેરેની શી વાત છે” એવો પ્રશ્ન પૂછવાથી વૃદ્ધે કહ્યું– ' પૂર્વે કોઈ આશ્રમને વિષે પરમાચાર્ય નામે તાપસ રહેતો હતો. એને એક શિષ્ય હતો. પણ ગુરૂ શિષ્ય બેઉ જણ મૂર્ખ હતા. એકદા સ્વર્ગમાંથી કામધેનુ ધરણપર આવી તેને જોઈને ક્ષુલ્લકના મનમાં અત્યન્ત આશ્ચર્ય થયું. કામધેનુ તો આવીને તત્ક્ષણ પાછી શ્યામ ગગનતળમાં ઉડી ગઈ પણ એ પરમાચાર્યને ક્ષુલ્લક–શિષ્ય ક્યાંથી એના પુચ્છને વળગી પડયે અને અત્યન્ત સુખના સ્થાનરૂપ સ્વર્ગને વિષે પહોંચે. ઉત્તમ ભેદક આદિનો આહાર કરતો કેટલાક દિવસ એ ત્યાં રહ્યો. વળી કામધેનુ પૃથ્વી પર આવી ત્યારે એ પણ એના પુચ્છનું અવલંબન કરીને પૃથ્વી પર આવ્યો. એને જોઈને હર્ષ પામી ગુરૂએ ગાઢ ઉત્કંઠા સહિત પૂછયું-વત્સ, તું હમણાં જોવામાં આવતો નહોતો તે કહે, ક્યાં ગયો હતો ? શિષ્ય ઉત્તર આપેહે પ્રભો, હું તો કામધેનુની સાથે, પુણ્યહીન જનને દુર્લભ એવા સ્વર્ગમાં ગયે હતો અને ત્યાં મને તો સુરરાજ–ઈન્દ્ર માદક આદિનું મિષ્ટ ભોજન જમાડતા હતા. એ સાંભળી એ વાતમાં શ્રદ્ધા ઉત્પન્ન થવાથી ગુરૂને પણ સ્વર્ગમાં જઈ માદક જમવાને વિચાર થયે. ગુરૂનું મન જાણું શિષ્ય કહ્યું–આપને વિચાર બહુ શ્રેષ્ઠ છે. વળી તે સ્વામિન્ ! તમે કહો તે આપણું યજમાનને ય સ્વર્ગમાં લઈ જઈએ. ભલે ત્યાંના મિષ્ટાન્નને સ્વાદ એ પણ લે. એ પણ આપણે આશ્રિત જ છે ને. એ પરથી ગુરૂએ “કલ્યાણકારી કાર્યમાં વિરોધ શે” એમ કહીને ચંદ્ર, આદિત્ય, મહાદેવ, મધુસૂદન વગેરે યજમાનોને બોલાવી સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. યજમાનો પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #52 -------------------------------------------------------------------------- ________________ લેભી ગુરૂ ને લાલચુ ચેલો. 43 ગુરૂને મહાન ઉપકાર માની સ્વર્ગમાં જવા તૈયાર થયા. એટલે ગુરૂએ શિષ્યને કહ્યું–તેં સ્વર્ગને માર્ગ જે છે માટે તું ધેનુને પુછે વળગ, હું તારી પાછળ તને વળગીશ અને આ યજમાને અનુક્રમે મને અને પરસ્પર વળગી જશે. એમ નક્કી કરી, એ પ્રમાણે અનુક્રમે પરસ્પર વળગી જઈ ધેનુની પાછળ આકાશને વિષે ચાલવા લાગ્યા. માર્ગને વિષે ક્ષુલ્લકને ગુરૂ વગેરેએ પ્રશ્ન કર્યો–સ્વર્ગમાં મેદક કેવા અને કેવડા હોય છે? એ પરથી ક્ષુલ્લક હર્ષના આવેશમાં માદક આવા-આવડા હોય છે એમ બતાવવા પિતાના હસ્ત પ્રસાર્યા. ક્ષુલ્લકની આવી મૂર્ખતાને લીધે સર્વ કઈ ભૂમિપર પછડાઈ પડ્યા; અને કોઈના હસ્ત, તો કોઈના ચરણ અને કેઈના દાંત ભાંગી ગયા અને અત્યન્ત દુઃખે પીડાતા ઘર ભેગા થયા. પછી ચિરકાળે મહા પ્રયાસે સાજા થયા. " ( વૃદ્ધ પિતાના મિત્રને કહે છે ) માટે કુમારનદી, તું આ મુલકની જેમ મૂખોઈ ન કરતાં, ભારંડને પગે દઢપણે વળગી રહેજે એટલે તું નિર્વિઘપણે પંચશેલે પહોંચી જઈશ. સુવર્ણકારે પણ વૃદ્ધનું સર્વ કથન માન્ય કર્યું. દેવીઓને મળવાની મૂર્ખાઇભરી હોંશમાં આટલાં જોખમ વહોરીને અહિં સુધી આવ્યો એને એ વૃદ્ધનું કહેવું હવે સર્વ પ્રકારે મસ્તકપર ચઢાવ્યા વિના છુટકે જ ક્યાં હતો? એટલામાં તે પ્રવહણ વટવૃક્ષની હેઠળ આવી પહોચ્યું અને કુમારનન્દી એની શાખાએ વળગી પડ્યો, તે જાણે, “તું યક્ષનો આવાસરૂપ છે તો યક્ષિણીએ ક્યાં છે એ મને દેખાડ” એમ વૃક્ષને કહેવાને જ હોયની ! એજ વખતે નૌકા આવર્તમાં સપડાણું અને એના ભાંગીને ટુકડા થઈ ગયા. સ્વર્ણકાર તો આખી રાત્રી વડની શાખાને વળગી રહ્યો. આશામાં ને આશામાં આખો જન્મારે સુદ્ધાં એમ વળગી રહેનારા માણસો પણ હોય છે. પછી પ્રભાતે, ઉડવાની તૈયારી કરતા કેઈ ભારંગને મધ્યસ્થ એટલે વચલે પગે સ્વર્ણકાર વળગી પડ્યો. અથવા તો આ પૃથ્વી પર કેણ એવા હોય કે જે મધ્યસ્થને આશ્રય ન લે? સ્વર્ણકાર એ પક્ષીને વળગી પડે એ જાણે, ભવિષ્યમાં મળનારા દેવ જન્મમાં Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #53 -------------------------------------------------------------------------- ________________ 44 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. એને ઉડવું પડશે માટે એની અગાઉથી અજમાયશ કરવાને જ હાયની ! આગળ દીર્ધ ચંચુયુક્ત મુખ અને પાછળ અતિ વિસ્તૃત પુચ્છ, વળી બેઉ બાજુ પહોળી પ્રસારેલી પાંખે-એવા પક્ષીને ચરણે વળગી આ આકાશમાર્ગે જતે કુમારનન્દી–આ દશ્ય, નાળવું નીચે હોય એવાં ચાર પત્રોવાળાં આકાશકમળના દૃશ્ય સમાન મનહર લાગતું હતું. (અલ્પ સમયમાં) વિશુદ્ધ પક્ષદ્વયવાળા, સુમન-3 માર્ગગામી સજજનની જેમ એ પક્ષીએ એ વિહળ સુવર્ણકારને એને ઈષ્ટ સ્થાને પહોંચાડ્યો. ત્યાં પહોંચતાં જ કામિજનરૂપી હસ્તીની પાશ જેવી, અત્યન્ત સોન્દર્યયુક્ત હાસાપ્રહાસા યક્ષિણઓ એ મદનાતુર કુમારનન્દીની દષ્ટિએ પડી. * એમને નિહાળીને મ્હારાં ધન્યભાગ્ય કે આવી દેવીઓ સંગાથે હું આજે કીડાસુખ અનુભવીશ” એવું ચિન્તવન કરતા એ સ્વર્ણકારને વિના વિલમ્બ દેવીઓએ કહ્યું–દેવતાની આકૃતિઓ કોતરેલી હાય એવાં આભૂષણે મૃત્યુલેકના માનવીને યંગ્ય ન હોય એમ અમારા જેવી દેવીઓ તારા જેવા મનુષ્ય શરીરીના ઉપગને પાત્ર નથી. એ સાંભળીને પેલે તો વિલક્ષ થઈ ચિન્તવવા લાગ્યોહા ! મારી પાંચસે સ્ત્રીઓએ ગઈ અને આ દેવીઓ એ જાય છે! કૅશ ને કુહાડી બેઉ ગયાં! મેં આમના રૂપથી મોહિત થઈને મારી સર્વ સ્ત્રીઓને ત્યજી દીધી એ મેં ઉચે આકાશમાં રહેલા મેઘને જોઈને, મારી પાસે રહેલા જળપૂર્ણ ઘટને ભાંગી ક્રેડી નાખ્યા જેવું કર્યું છે !" આમ ચિન્તવી રહેલા કુમારનંદીને પુન: યક્ષિણીએ કહ્યું–જે તું અગ્નિપ્રવેશ કે અન્ય કંઈ એવું કરીને દેવરૂપ પ્રાપ્ત કરે તો અમારે પતિ થઈ શકે, અને એમ થાય તો અમે તને નિત્ય માનવજનને દુષ્માપ્ય એવાં દીવ્ય સુખને લહાવો લેવરાવીએ.” એ સાંભળીને એણે કહ્યું–હું એકાકી ક્યાં જાઉં અને શું કરું?” એટલે યક્ષિણીઓએ એને હંસની જેમ હસ્તપર બેસાડીને ક્ષણવારમાં ચંપાનગરીના ઉદ્યાનમાં લઈ જઈ મૂક્યો. આમ જે સ્થળેથી - 1 શુદ્ધ, ઉજ્વળ. 2 માતાનું અને પિતાનું એમ બે-પક્ષ; બે પાંખ 3 શુદ્ધ અંતઃકરણના માર્ગ; દેવતાને મા–આકાશમાર્ગ. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #54 -------------------------------------------------------------------------- ________________ કુમારનંદીને અગ્નિપ્રવેશ–નાગિલનો પ્રત્યાદેશ. આવતાં માસને માસ વીત્યા હતા તે સ્થળે નિમેષમાત્રમાં પહોંચી ગયો. જોકે એ તો એને સદ્ય ઓળખી કાઢ્યો અને પૂછયું કે અરે ભાઈ, તે ઘર પ્રાણ બરાબર હતું છતાં એને છોડીને આટલા બધા દિવસ સુધી તું ક્યાં ગયે હતો? એટલે એણે, વ્યાસમુનિએ રામકથા કહી સંભળાવી હતી એમ પોતાની સર્વ વીતકકથા એમને મને કહી સંભળાવી. પછી હાસાપ્રહાસા યક્ષિણુઓના સન્દર્યમાં અતિ મુગ્ધ થયેલ હોઈ એણે, જાણે સુવર્ણની સાથે સ્પર્ધા કરવાને જ હોયની એમ અગ્નિપ્રવેશની તૈયારી કરી. આ કામ - આ વખતે એને મિત્ર પરમશ્રાવક નાગિલ હતો એણે આવીને એને ઉપદેશનાં શબ્દો કહેવા માંડ્યા. કારણ કે ધર્મમિત્રની આવે પ્રસંગે જ ખબર પડે છે. એણે શિક્ષા આપી કે મિત્ર, તે આ લેકે ઉપહાસ કરે એવું શું આદર્યું ? તારા જેવાઓ તે લેકે પ્રશંસા કરે એવું કંઈ સુંદર કાર્ય કરે. તે વિષયાધીન થઈને નિરર્થક મનુષ્યજન્મ ગુમાવવા નીકળે છે એ સુવર્ણના કાચબાને માટે મહાન પ્રાસાદને ત્રોડી પાડી નાખવા જેવું કરે છે. જે તે કામભોગની લાલસાએ આ વ્યવસાય આદરી બેઠા હો તો એ માટે તો તારે પાંચસો જેટલી પત્નીઓનું સાધન છે. દેવીઓને ભવિષ્યમાં પત્ની બનાવવા માટે આ તારી વર્તમાન સ્ત્રીઓને ત્યજી દેવા તૈયાર થયો છે એ તારું કાર્ય, ઉદરમાં રહેલી વસ્તુને માટે, હાથપર રહેલી વસ્તુને ત્યાગ કરવા જેવું મૂર્ખતાભરેલું છે. ભોગવિષય પરત્વે પણ તું જિનભગવાનપ્રત ધર્મને અનુસરીને ચાલ. કેમકે પાંચજ પૈસા માગવાનો પ્રસંગ આવ્યો હોય તો તેયે સજજન પાસે માગવા, અન્ય પાસે નહીં–એમ કહ્યું છે. જિનેશ્વરનો ધર્મ ફક્ત મોક્ષ પ્રાપ્ત કરવાનું જ સાધન છે એમ નથી; અર્થ અને કામની પ્રાપ્તિ પણ એનાથી થાય છે, કેમકે કોઢવધિ દ્રવ્યનું દાન કરવાની જેનામાં શક્તિ હોય છે એને મન એક શી ગણત્રીમાં ? તને તારી અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ થશે, પણ સાથે અગ્નિજનિત પીડા પણ ભોગવવી પડશે. ક્ષપણકર સ્વર્ગે તો જશે પરંતુ લોકોની નિન્દા, તિરસ્કાર અને નિભૂસ્ના 1. રામાયણ. 2. એક ક્ષપણુક ભિક્ષુની વાર્તા છે એમાંથી આ દષ્ટાન્ત આપ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ 46 . ! અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર પામીને જ. નિવિદ્યપણે ઈષ્ટવસ્તુઓને આપનાર કેઈ હોય તો એ કેવળ જૈનધર્મ જ છે. હદઉપરાંત વ્યાજ લેનારા હોય એ પણ જે આપ્ત એટલે વિશ્વાસપાત્ર અને પ્રતિષ્ટાવાળા હોય તેજ સુખકારક થાય. માટે હે મિત્ર, અજ્ઞાન જનજ પસંદ કરે એવા આ મૃત્યુથી પાછા વળ. કારણ કે એ વિષની પેઠે પરિણામે અત્યન્ત ભયંકર છે. હમણાં તે ધર્મ, અર્થ અને કામ–એ ત્રણ પુરૂષાર્થ સાધવામાં તત્પર રહે. પછી જ પંડિતને એગ્ય એવું મૃત્યુ તારું થશે અને તે એ સ્વીકારી લેજે. એવું મૃત્યુ ઉત્તમ મૃત્યુ કહેવાય અને એજ પુનઃ પુનઃ જન્મમરણને મૂળમાંથીજ છેદે છે. કેમકે મર્મને જાણનારે ગત્રિય જ ગોત્રિયનો નાશ કરી શકે છે. આ પ્રમાણે મહાત્મા નાગિલે બહુ બહુ રીતે નિવાર્યો છતાં સ્વર્ણકાર તો નિદાનપૂર્વક અગ્નિમાં પ્રવેશ કરી મરણધીન થયે. એના જેવું બીજું કરે એ શું? એ સુવર્ણની જ પરીક્ષા કરી જાણતો હતા. કામદેવરૂપવૈરિના પાશમાં ગ્રહાયે હોવાથી એ ધર્મનો મર્મ લેશ પણ જાણી શક્યું નહીં. પણ આવું મૃત્યુ અંગીકાર કરીને એણે પંચશૈલનું સ્વામિત્વ મેળવ્યું એ જાણે એને તો કલ્યાણકારી થયું. કોઈને માગ્યા છતાં યે નથી મળતું એમાં તો પૂરી ન્યૂનતા. નાગિલશ્રાવકને તો આવું અજ્ઞાનતાભરેલું મૃત્યુ જોઈને અત્યંત નિર્વેદ થયે. અથવા તે આવા જીને પદે પદે વૈરાગ્ય થાય છે. એણે તત્ક્ષણ ગૃહવાસ ત્યજીને ત્યાગી દીક્ષા ગ્રહણ કરી, અને પોતે પરીષહાને લીલામાત્રે કરીને સહન કરવા તૈયાર થઈ ગયે. સાધારણ માણસે ન પાળી શકે એવું ચારિત્ર નિરતિચારપણે પાળીને ચઢતે પરિણામે મૃત્યુ પામી એ અશ્રુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. ત્યાંથી એણે અવધિજ્ઞાનનો ઉપયોગ દઈને જોયું તો પોતાનો મિત્ર, જે પણ દેવપણે ઉત્પન્ન થયો હતો એ, હાસાપ્રહાસા સાથે ભોગવિલાસ જોગવી રહ્યો હતે. હવે, જાણે ભવસમુદ્રમાં અથડાતા જીવોને માટે વિશ્રામસ્થળરૂપ હોયની એ, જંબુદ્વીપથી આઠમો નંદીશ્વર નામનો વલયા કાર દ્વીપ છે. એ દ્વીપના બરાબર મધ્યભાગમાં, ચારે દિશાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ - નન્દીશ્વરદીપનું વર્ણન. '3 - 7 ચાર અંજનાગિરિ પર્વતો છે. એ પર્વતોની ચોરાશીસહસ્ત્ર જન ઉંચાઈ છે અને એ પૃથ્વીની નીચે એક સહસ્ત્ર યોજન ઉંડા ગયેલા છે. વળી તળભાગમાં એમનો વિસ્તાર નવહજાર ને ચારસો (મતાન્તરે દશહજાર ) જનપ્રમાણ છે, અને છેક મથાળે સહસ્ત્ર જનપ્રમાણ છે. ઉપરથી નીચે ઉતરતાં પ્રત્યેકચોકને એમનો વિસ્તાર ત્રણ અઠ્ઠાવીશાંશજન વૃદ્ધિ પામતો જાય છે, અને નીચેથી ઉપર જતાં એટલેજ ઘટતો જાય છે. પૂર્વદિશામાં “દેવરમણ, " દક્ષિણમાં નિત્યદ્યોત,” પશ્ચિમમાં “સ્વયંપ્રભ,” અને ઉત્તરે “રમણીય " અંજનાગિરિ છે. એમનાથી, લક્ષલક્ષયજનને અન્તરે, લક્ષજનના વિસ્તારવાળી અને સહસ્ત્રયજન ઉંડી, ચેદિશ ચચ્ચાર નિર્મળ જળે ભરેલી મનહર પુષ્કરિણી આવેલી છે. મંદિષેણ, ગોત્પા , સુદર્શના, નદા, નંદોત્તરા, સુનંદા, નંદિવર્ધના, ભદ્રા, વિશાલા, કુમુદા, પુંડરીકિણ, વિજયા, વૈજયન્તી, જયન્તી અને અપરાજિતા-આવાં એ સોળેનાં નામ છે. એમનાથી પાંચસો જનને અંતરે પાંચસો જનના વિસ્તારવાળાં અને દશસહસ્ત્ર યોજન દીર્ઘ વન આવેલાં છે. પૂર્વે “અશક', દક્ષિણે " સપ્તપર્ણક, પશ્ચિમે " ચંપક” અને ઉત્તરે “આમ્ર વન છે. વળી ઉપર ગણાવી એ સોળ પુષ્કરિણ એટલે વાવની અંદર દશસહસ્ત્ર જન વિસ્તૃત, ચોસઠ સહસ્ત્ર યોજન ઉંચા, અને સહસ્ત્ર જન જળની અંદર–એવા સોળ સ્ફટિકમય, પલ્યાકૃતિ “દધિમુખ” નામના પર્વતો છે. ચારે અંજનાગિરિ' તથા સેને “દધિમુખ” ઉપર સે યોજન દીધું, પચાસ એજન વિસ્તૃત અને બહોતેર જન ઉંચા, તોરણ અને ધ્વજાઓયે યુક્ત અત્યન્ત સુંદર જિનમંદિર છે. - આ મન્દિરને દેવ, અસુર, નાગ અને સુપર્ણ નામના કાર છે, અને એ જ નામના એમના રક્ષક દેવતા છે. દ્વારા સર્વે સોળ જન ઉંચાં અને આઠ જન પહોળાં છે. દ્વારે દ્વારે ચિત્તને આ લાદ ઉપજાવનારા કળશે છે; “મુખમંડપ”, “પ્રેક્ષામંડપ” આદિ મંડપ છે; તથા મણિપીઠ, ધ્વજ, સ્તૂપ, પ્રતિમા અને ચૈત્યપાદપ છે. સર્વ જિનભવનને વિષે આઠ યજન ઉંચી અને સેળ એજન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. લાંબીપહોળી મણિપીઠિકાઓ છે. એ પીઠિકાઓની ઉપર પ્રમાણયુક્ત રસમય દેવછંદ આવેલા છે. એપર અનેક પાપોને હરનારી, પર્યકસંસ્થાનવાળી એકસો ને આઠ મનહર જિનપ્રતિમાઓ છે. એ પ્રતિમાઓનાં હૃષભ, ચંદ્રાનન, વારિષેણ અને વકૅમાન–એવાં નામો છે. આ સર્વ પ્રતિમાઓની રક્તપ્રવાળ સમાન કાન્તિ છે અને અંતરત્નમય નખ છે. એમનાં નાભિ, જિન્હા, તાલુ, શ્રીવત્સ, ચૂશ્ચક, અને હસ્તચરણના તળ સૂર્યકાન્ત મણિ સમાન દેદીપ્યમાન છે; પાંપણ, તારા, “મથુ, ભૂલતા, કેશ, અને રોમરાજિ રિઝરત્નમય છે; ઓષ્ટ પ્રવાલમય છે; દંતપંક્તિ સ્ફટિકમય છે; શીર્ષઘટી વાય છે, અન્દરથી પ્રવાળ સમાન રક્ત કાન્તિ વિસ્તારતી નાસિકા સુવ- * ર્ણમય છે; પ્રવાળ સમાન રક્ત પ્રાંતવાળાં નેત્રે અંતરત્નમય છે. આમ અનેક મણિમયી જિન પ્રતિમાઓ ત્યાં વિરાજે છે. તીર્થપતિના આવા આવા બિમ્બની સરમુખ હસ્ત જેડી રહેલી નાગ યક્ષ ભૂત અને કુંડધારી બબ્બે પ્રતિમાઓ બેઊ પાર્શ્વભાગમાં બબ્બે ચામરધારી પ્રતિમાઓ અને પૃષ્ઠભાગમાં અકેક છત્રધારી પ્રતિમા છે. વળી ચંદનના ઘટ, સુવર્ણના કુંભ, ઘંટા, દર્પણ, પુષ્પની ચંગેરિકા, ઉત્તમ આસન છત્ર આદિ પણ હોય છે. - વાવોની વચ્ચે વચ્ચે બબ્બે બબ્બે થઈને કૂલ બત્રીશ એવા અન્ય પણ રતિકર પર્વતો છે. એમની ઉપર પણ પૂર્વવત્ બત્રીશ દેવમંદિરે છે. આ ચૈત્યને વાંદરાને ખેચરદે પર્વતિથિએ જાય છે. વિદિશામાં પણ સહસ્ત્ર જન ઉન્નત અને દશ સહસ્ત્ર જનના વિસ્તારવાળા રતમય સુંદર ગળાકૃતિ પર્વતો છે. એમનાથી લક્ષ જનને અન્તરે ચતુર્દિશામાં ઈશાનેન્દ્રની દેવીઓની, જમ્મુદ્વીપના જેવી આઠ આઠ, મણિની શાળાઓથી વીંટલાયલી રાજ્યધાનીઓ છે. એમાં પણ જિનબિમ્બસમન્વિત જિનાલય છે. આ પ્રમાણે એકંદર બાવન પર્વત પર બાવન જિનાલયે છે. આવા નંદીશ્વર દ્વીપની યાત્રા કરવાને દેવે પોતપોતાના પરિવાર સહિત ચાલ્યા. એમનું મન તો ત્યાં એમની પૂર્વેજ પહોચી ગયું હતું. ત્યાં ઇંદ્રની આજ્ઞાથી હાસાપ્રહાસાએ નૃત્યનો આરંભ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભય કુમાર મોરનું જીવન ચરિત્ર ( 4) * કેમકે એક સાધારણ નૃપતિની આજ્ઞાનું ઉલ્લંધન થઈ શકતું નથી તે સુરેન્દ્રની આજ્ઞાને લેપ કેમ થાય? ત્યાં એ બેઉ યક્ષિ ઓએ પોતાના સ્વામી વિદ્યુમ્ભાલીને કહ્યું- હે નાથ, તમે વસુદેવની જેમ સદ્ય પટ૭ બજાવવા માંડે. એ સાંભળી મને પણ આજ્ઞા કરનાર કેાઈ જગતને વિષે છે શું ?" આમ ગર્વ સહિત એણે હુંકાર કર્યો. પણ એ હુંકાર કરતો રહ્યો અને પટ ઉચકાઈને, પુત્ર પિતાને કઠે વળગે એમ એને ગળે લાગી ગયો. વિદ્યુમ્માલીએ પટડ ઉતારી કાઢી નાંખવાનું કહ્યું, પરંતુ એક સુશિષ્ય નિર્ભને પામ્યા છતાં ગુરૂની સન્નિધિથી ખસે નહીં એમ એ એને ગળેથી ખસ્યા નહીં. એટલે એ યુદ્ધમાંથી નાસી આવેલા ક્ષત્રિયની જેમ અથવા શિક્ષા પામેલા વાદીની જેમ લજવાઈ જઈ નીચું જોઈ રહ્યો. એ પરથી એની સ્ત્રીઓએ એને કહ્યું–પ્રિય ! લજા છેડે, પંચશેલના અધિપતિઓ પરાપૂર્વથી એ કરતાજ આવ્યા છે. પત્નીઓએ આ પ્રતિબોધ આપીને એની પાસે રૂચિવિના પણ પટલ વજડા અથવા તે બાળકને પણ બળાત્કારે કટુ ઔષધ કયાં નથી પાવામાં આવતું ? સ્ત્રીઓ મધુર સ્વરે ગાન કરતી હતી એમની સાથે તાલમાં પટહ વજાડો વજાડતો ચાલતે વિદ્યુમ્માલી દેવતાઓની નિકટમાં પહોંચે. આહા? જે સંગીતક કરીને માનવીઓ દ્રવ્ય મેળવે છે એ સંગીતક આવા આભિયોગિક દેવતાઓને મુધા-મફત કરવું પડે છે–એ એક વિચિત્રતાજ છે. ' હવે દેવ સમાજને વિષે વિઘન્માલીદેવને મિત્ર નાગિલ દેવ પણ આવ્યો હતો. એ પૂર્વભવના નેહને લીધે એને મળી વાતચિત કરવા આવ્યું. વિદ્યમાલી તો એનું તેજ જોઈ સહન કરી શકાય નહી; અત્યન્ત કપિલ માનવી સૂર્યનું તેજ ખમી શકતા નથી એમ. એટલે જાણે શત્રુના સૈન્યના ભયથી જ હોયની એમ એ નાસી જવા લાગ્યું. તેથી એ અશ્રુતદેવે પ્રભાત સમયના દીપકની જેમ પિતાનું તેજ સંહયું અને વિદ્યુમ્ભાલીને પૂછયું કે હે દેવ, કંઈ ઓળખાણ પડે છે કે નહીં? પેલાએ ઉત્તર આપે-હું એ ક્યાંનો ગર્ભ શ્રીમંત કે તમારા જેવા સુરેન્દ્ર સમાન દેવને ન જાણું? પણ એને Page #59 -------------------------------------------------------------------------- ________________ ખા (57). સંદીશ્વર દ્વિપની યાત્રા સભ્યપ્રકારે ઓળખાણ પડી નથી એમ જાણે એણે એને પ્રતિબધવાને અર્થે પોતાનું અસલ નાગિલ શ્રાવકનું રૂપ ધારણ કર્યું અને કહ્યું-મેં વાર્યા છતાં તેં અગ્નિ પ્રવેશ કર્યો તેથી તું આવે અલ્પદ્ધિવાળા દેવ થયે છે. કારણ કે જેવો વ્યાપાર એવું ફળ મળે છે. હે મિત્ર, મારી પાસે હતાં એ સર્વે ઉપાયરૂપી શસ્ત્રો મેં હિમ્મત હાર્યા વિના ફેંકયા પરંતુ તેને એક પણ લાગ્યું નહીં. એટલે તારી એવી ચેષ્ટાને લીધે મને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી જેની દીક્ષા ગ્રહણ કરી અને અશ્રુત દેવલોકમાં દેવપણે હું ઉત્પન્ન થયે છું. કેમકે એવી દીક્ષા મોક્ષ સુદ્ધાં અપાવવાને શક્તિમાન છે. આ મદ્ધિક દેવતાની વાત સાંભળીને, પિતે જાણે સર્વસ્વ ગુમાવ્યું હોય એમ એને અત્યન્ત ખેદ થયે અને કહેવા લાગ્ય-અહે, મેં તારા જેવા પરમ મિત્રનાં વચનની અવગ ના કરી. કુદેવત્વ પામેલા મારા જેવા અમે હવે હાથ ઘસવા રહ્યા જેવી રીતે કેઈ ધનુષ્યધારીને રણક્ષેત્રમાં ધનુષ્યની દેરી ત્રુટી જવાથી થાય છે એમ. પરંતુ મહદ્ધિક નાગિલ દેવે કહ્યું હવે શોક કો વૃથા છે. કેમકે ગઇ તિથિ બ્રાહ્મણ પણ વાંચતા નથી. પણ હવે તારે શું કરવું એ કહું, સાંભળ-જે ભવ્યજીવો પરમહર્ષ સહિત જિનેશ્વરના બિસ્મ ભરાવે છે એમને સ્વર્ગ અને મેક્ષનાં સુખ હસ્તગત જેવાં છે, માટે તારે ચિત્રશાળામાં કાર્યોત્સગે રહેલા ભાવસાધુ-મહાવીરની એક પ્રતિમા કરાવવી અને એ કરાવ્યા પછી અન્ય પણ જિનબિ કરાવવાં કે જેથી અન્ય ભવને વિષે તને દુર્લભ એવું પણ બધિરન પ્રાપ્ત થાય. જેઓ શ્રદ્ધાપૂર્વક ત્રણે કાળ જિનબિમ્બની પૂજા કરે છે એમનાં દુ:ખ દારિદ્રરૂપી શૈલે વજપાત થવાથી જ હોયની એમ સર્વથા ચુર્ણ થઈ જાય છે. એને કુનિને વિષે તે જન્મ થતજ નથી, અને અન્ય પણ સર્વ અશુભ એનાથી દૂર દૂર નાસી જાય છે. આ - હાસા પ્રહાસાના ભર્તા પેલા વિદ્યુમ્માલી દેવે, પુત્ર પિતાની આજ્ઞા મસ્તકે ચઢાવે એમ, મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયેલા નાગિલમિત્રની આજ્ઞા પહેષભેર સ્વીકારી અને નંદીશ્વર દ્વીપની યાત્રાથી Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભય કુમારે મંત્રીશ્વરનું જીવન ચરિત્ર (પ) પિતાને કૃતાર્થ માનતે દેવ પણ ઉત્તમ કર્મ ઉપાર્જન કરીને પાછો વળ્યો. ત્યાર પછી ઉત્તમ આશાઓથી ઉછળી રહેલા અન્તઃકરણવાળાએ વિદ્યુમ્માલીએ અમને ક્ષત્રિયકુંડગ્રામમાં ગ્રહસ્થાવાસમાં કાન્સ રહેલા જોયા, એટલે મહાહિમવત પર્વતે જઈ ત્યાંથી ગશીર્ષચંદન લાવી એની અમારી યથાદષ્ટ મૂર્તિ બનાવી અને એને સુંદર રીતે અલંકૃત પણ કરી. વળી એજ ચંદનને તક્ષણ સંપુટ પણ બનાવીને એને વિષે એ પ્રતિમા સ્થાપન કરી. હવે કોઈ એક પ્રહણ લવણસમુદ્રને વિષે જળમાર્ગ કાપતું 'જતું હતું એને પ્રચંડવાયુને લીધે જળ કલ્લોલ પર ઉછળતાં પડતાં સમુદ્રમાં જ છ માસ વીત્યા. વિના ચમકારા થયા કરતા હતા. અને મેઘની ઘોર ગર્જના ને લીધે સમુદ્રનાં જળ સંભિત થતાં હતાં એટલે વહાણ અત્યન્ત ડામાડોળ થવા લાગ્યું. અતિ ભારે વજનના નાંગરોથી નાંગરાયેલું હતું છતાં પણ પ્રચંડ વાયુને લીધે આકાશમાં ઉછળવા માંડયું અને ક્ષણમાં ઉપર જતું અને ક્ષણમાં પુન: નીચે આવતું તે જાણે હીંચોળા ખાતે હાયની એમ દીસવા લાગ્યું. વળી આવર્ત એટલે જળ કુંડાળામાં ગોળગોળ ફરવા લાગ્યું તે જાણે હલેસાં રૂપી હસ્ત વડે નૃત્યકારની જેમ નૃત્ય કરતું ચક્રાકારે ફરતું હાયની એમ જણાવા લાગ્યું. વારંવાર વિકરાળ વાયુના સપાટાથી ઘસાઈ ઘસાઈને કઈ કઈ જગ્યાએ નાંગર પણ માનવેની જીવન દેરી ની જેમ ત્રુટવા લાગ્યા મદ્યપાન કરવાથી ઉન્મત્ત થયેલા માણસની જેમ વળી ક્ષણમાં અત્યન્ત ત્વરાએ તો ક્ષણમાં અતિ મંદપણે ચાલવા લાગ્યું અને કયારેક તે સ્થિરજ થઈ ઉભું રહેવા લાગ્યું. ઉછળતા તરંગોનું જળ અંદર પ્રવેશ કરી પાછું ખળખળ અવાજ કરતું બહાર નીકળતું તે જાણે પ્રહણ પિતે સમુદ્રમાં બુડી જવાના ભયને લીધે રૂદન કરતું હોયની એમ દેખાવા લાગ્યું. આવા આવા ઉત્પાતને લીધે વહાણું હાથમાં ન રહ્યું એટલે વહાણના સુકાની અને નાવિક. મુછગત થયા. હલેસાં મારવાવાળાઓએ પણ રાત્રીને વિષે ચરn લેકે ધન લુંટવા Page #61 -------------------------------------------------------------------------- ________________ (પ) વિદ્યુમ્માલીએ વહાણના અધ્યક્ષને આપેલી મૂર્તિ. આવતાં પહેરેગીરે કરી મુકે છે એ કોલાહલ કરી મૂકે. અંદર વણિ વ્યપારીઓ હતા એમણે લોભને લીધે પોતાના રત્ન આદિ સાર દ્રવ્ય મુખને વિષે. મસ્તકને વિષે, કટિવસ્ત્રમાં અને કુક્ષી આદિ જગ્યાએ રાખી લીધું. વહાણનો નાયક અત્યં. ન મુઝવણમાં પડ અને ઉતારૂ સર્વે પોત પોતાના ઈષ્ટ દેવનું મરણ કરવા લાગ્યા. પ્રવહણની આ દુર્દશા, વિધુમ્માલી દેવતા આકાશને વિષે જતો હતો. એની દષ્ટિએ પડી. એટલે એણે સદ્ય સર્વ ઉત્પાતનું નિવારણ કરી વહાણના અધ્યક્ષ આદિ સર્વનાં મન શાન્ત પાડયાં કયાં પામર માનવો અને ક્યાં સામર્થ્યવાન દેવજાતિ ! વળી પછી એણે પ્રત્યક્ષ થઈને એને પોતાની પાસે રહેલી દેવાધિદેવની પ્રતિભાવાળી પેટી સુપ્રત કરી અને કહ્યું–હે મહાભાગ, તું હવે સુખેથી સિધુ તરી શકીશ. તું અહિંથી સિન્ધ સૌવીર દેશને વિષે આવેલા વિતભય નગરે જ જે ત્યાં નગરના મહાટા ચોકમાં રહી “હે કે, આ પેટીમાં મારી પાસે દેવાધિદેવની પ્રતિમા છે તે તમે લઈ જાઓ. એ પ્રમાણે તું ઉષણું કરજે. આ પ્રમાણે નાવિકને કહીને વિધુમ્માલી દેવ અન્તર્ધાન થયે. અને પ્રતિમાના પ્રભાવને લીધે વહાણ પણે, બુદ્ધિમાન માણસ શાસ્ત્ર ને પાર પામે છે (પારંગામી થાય છે) એમ સત્વર સમુદ્રને પાર પામી ગયું. વિતભય નગરે પહોંચી, પિતાની પાસેની પેટી લેકેની દ્રષ્ટિસમક્ષ રાખી, વહાણના અધિપતિ વણિકે દેવતાના કહ્યા પ્રમાણે ઉધેષણ કરી. એ સાંભળીને ત્યાંને તાપસ ભક્ત રાજા ઉદાયન પોતે, અન્ય તાપસે, પરિવ્રાજક અને વિપ્રો સુદ્ધાં એકત્ર થઈ ગયા. પ્રતિમાં બંધ કરેલી પેટીમાં હતી માટે પેટી ઉઘાડવાને, લેકે વિષ્ણુ, બ્રહ્મા, બુદ્ધ આદિ પિોતપોતાના દેવનું સ્મરણ કરીને પેટીપર કુહાડા આદિ વડે પ્રહાર કરવા લાગ્યા, એમ કહીને, કે “હે રૂદ્રાક્ષ અને કુંડિકાના ધારણહાર, સાવિત્રીપતિ, હંસવાહન ચતુર્મુખ બ્રહ્યા અને દર્શન દ્યો. હે વસુંધાપતિ, સધાતક, . Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભય કુમાર મંત્રોનું જીવન ચરિત્ર, (પ૩ ). લક્ષમીરમણ, સમુદ્રશાયી કૃષ્ણ દેવ અમને દર્શન ઘો. તમારા તીર્થની અવમાનના થતી હોવાથી પૃથ્વી પર અવતરેલા, હે ! કરૂણાસાગર બુદ્ધદેવ, અમને દર્શન આપે. " આમ વિવિધ દર્શન વાળાઓએ વિવિધ દેવનું સમરણ કરી તીણ પરશુ આદિ વડે પ્રહાર કર્યા પરન્ત પેટી તે જાણે વા હાયની એમ લેશ પણ ભેદી શકાઈ નહીં ઉલટું એમ થયું કે પર્વ પર દ—શલ વડે પ્રહાર કરનાર હસ્તીના દતુશળજ ભાગી જાય એમ, પ્રહાર કરનારાઓના કુહાડા જ, દઢ ખંડમય હતા છતાં, ભાંગી જવા લાગ્યા. “લાગ્યું તે તીર, નહિંતર થું” એમ ગણુને પણ અનેક જણાએ પ્રહાર કરી જોયા પરંતુ સર્વે વિલક્ષ થઈ હારીને હેઠા બેઠા. ઉદાયન નૃપતિ પોતે પ્રભાતને આવેલે એ ચે આ આશ્ચર્ય જોઈ રહ્યો હતો. સમય વખત કેાઈની વાટ જેતે નથી એટલે પ્રભાત વીત્યું અને મધ્યાન્હ થયે તેથી સહસ્ત્ર કીરણ વાળે સૂર્ય પણ " અરે લેકે, તમે પૂરા મુખ છે તમારી બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે કે જેથી તમે ત્રણ જગતને વંદનિક એવા દેવાધિદેવને મુકીને સામાન્ય જનેએ માનેલા અદેવેને સંભારો છે અને એમ કરીને એઓ તમને દર્શન દે એમ માગે છે " એ પ્રમાણે ક્રોધાયમાન થઈ કહેતું હોયની એમ અત્યન્ત તપવા લાગ્યા. એ વખતે ભજનવેળા વીતી ગઈ છતાં હજુ સ્વામિનાથ ભેજનાથે કેમ ન પધાર્યા, એમ કહી રાણું પ્રભાવતીએ દાસીને રાજા પાસે મોકલી. પરંતુ રાજાએ ઉલટી રાણીને, આશ્ચર્યકારક ઘટના બની રહી હતી એ જેવા ત્યાં બોલાવી. નિઃસીમ સ્નેહ તે આનું નામ ! પેમી રાજાએ પ્રિયા–રાણીને સર્વ વૃત્તાના અતિ વર્ણવ્યા. કેમકે એવી (ગુણવતી) સ્ત્રીને એવી ઘટના કહેવી એ ચોગ્ય જ છે. પતિદેવને કહેલે વૃત્તાન્ત શ્રવણ કરીને, રાણી પ્રભાવતી જે પરમશ્રાવિકા હતી એણે કહ્યું–હે નાથ, આપે કહ્યા એ બ્રહ્મા પ્રમુખ દેવો કંઈ દેવાધિદેવ ન કહેવાય. દેવાધિદેવ તે ફક્ત એકજ છે અને એ અહેતુ જિનદેવ છે. કેમકે, જુએ ! છખંડ AC. Gunratnasuri M. Page #63 -------------------------------------------------------------------------- ________________ (54) શ્રી દેવાધિદ્રવની મૂર્તિની પ્રગટતા. યુકત પૃથ્વીને નેતા હેય એજ ચક્રવતી' કહેવાય છે, અન્ય નહીં આ સંપુટ-પેટીમાં દેવાધિદેવ જિનભગવાનની જ મૂર્તિ હોવી જોઈએ અને એમ હોવાને લીધેજ, બ્રહ્મા વગેરેનાં નામ લઈ સંભારી દર્શન માગનારાઓને, એ પ્રતિમાએ દર્શન નહીં દીધાં હોય. જુઓ, આપણે મનુષ્ય પણ, કેઈ આપણને અન્ય નામે બોલાવે છે ત્યારે કયાં ઉત્તર આપીએ છીએ ! માટે સ્વામિનાથ અને નાગરિકે ધ્યાન રાખો કે હું જિનદેવને સંભારીને “દશન આપો” એમ કહું છું અને બતાવી આપું છું કે એ પેટીમાં જિનની પ્રતિમા છે. પ્રભાવતીના એવા કથનથી લેકે એકતાને જોઈ રહ્યા. એણે તે, જાણે પેટીને કઈ ગુપ્ત સાંધે હોય એ શોધી કાઢવાને માટે જ હેયની એમ પ્રથમ એના પર યક્ષકઈમનું સિંચન કર્યું, પછી અંજલિ ભરી પુષ્પ ચઢાવી નમન કરી, અંજલિ જોડી રાખી, કુદષ્ટિ–અજ્ઞાનીઓને મદ ભંજન કરતી બધી–હે વીતરાગ પ્રભુ હે સર્વજ્ઞ દેવાધિદેવ, મને દર્શન ઘો. પ્રભાવતીએ આટલે શબ્દોચ્ચાર કર્યો ત્યાં તે કુંચી વડે તાળું ઉઘડી જાય એમ, સંપુટ ઉઘડી ગયું અને એમાંથી, જેમ છાપ ઉઘાડતાંજ મોતી નીકળે છે એમ, ગોશીષચંદનની પ્રતિમા નીકળી કે જેના ઉપર ચઢાવેલાં પુપપુષ્પમાળા આદિ તાજા બીલકુલ અણકરમાયેલાં હતાં. લેકે તેએ અમેદપૂર્ણ અને વડે એ જોઈ રહા. “અહા આ અહંન જ જગત્રયને વિષે દેવાધિદેવ છે કે જેનું નામ માત્ર લઇને સ્મરણ કર્યાથી પ્રતિમાઓ દર્શન દીધાં એમ કહી જયજયના શબ્દોથી દિશાઓને ગજાવી મૂકી. રાણું પ્રભાવતીએ પણ ભક્તિપૂર્વક પ્રતિમાને વન્દન કરીને, સાક્ષાત્ સરસ્વતી જ હાયની એમ સ્તુતિ કરવા માંડી –હે આધિઉપાધિ વિમુક્ત સંયમૂર્તિ પ્રભુ ! હે અજ્ઞાનતિમિર ભાસ્કર, દયાસિધુ, જગબધુ ભગવાન, તમે આ જગત્રયને વિષે જયના વ. હે જિનનાયક, નાના પ્રકારના શસ્ત્રો, અક્ષમાળા અને કંચનકામિનીનો સર્વથા ત્યાગ કરીને આપે બાપને વિષે ઈર્ષા, મેહ, અને રાગને સર્વચા અભાવ છે એમ સિદ્ધ કરી આપ્યું છે આપની Page #64 -------------------------------------------------------------------------- ________________ અભય કુમાર મધરનુ વન ચરિત્ર. ( 15 ) શાન્ત. દાન્ત અને નિરંજન મૂર્તિ જ કહી આપે છે કે આપને વિષે નિ:સંશય દેવાધિદેવત્વ છે જ. ( આ પ્રમાણે ત્રણ જગના નાથની પ્રતિમાની સ્તુતિ કરી પછી રાણીએ પેલા નાવિકના અધ્યક્ષનું પણ પોતાના ન્હાના બધુની જેમ સારું સન્માન કર્યું. ચેટક રાજાની પુત્રીને વિષે એ વાત્સલ્યભાવ હોય એમાં આશ્ચર્ય પણ શું ? ત્યારપછી એણે એ પ્રતિમાને વિજાપતાકાથી વ્યાસ એવા નગરના મુખ્ય મુખ્ય માર્ગોએ થઈને લઈ જઈ અન્ત:પુરને વિષે પધરાવી. એ વખતે સ્થળે સ્થળે વારાંગનાઓ કુદડી ફરતી રાસ રમતી નૃત્ય કરી રહી હતી, ગાવે લેક ગાયન કરી રહ્યા હતા, અને સર્વ આચા, બન્દિજનો પ્રમુખ જયજય મંગળ કરી રહ્યા હતા. આમ પ્રભાવના કરવાનું કારણ એ કે પ્રભાવના પણ દર્શનનું એક અંગ છે. પછી ત્યાં એણે એક શુદ્ધ દેવસ્થાન બનાવરાવી પોતાના અન્ત:કરણને વિષે જ સ્થાપતી હોયની એમ, એ પ્રતિમાને સ્થાપી (પ્રતિષ્ઠા કરી) અને નિરન્તર સ્નાન કરી ઉજવળ વસ્ત્ર પહેરી એની ત્રિસંધ્ય પૂજા કરવા લાગી, એ વખતે રાજા ઉદાયન વીણા વગાડતે અને ' રાણું પિતે પ્રતિમાની સમક્ષ ઈન્દ્રાણુની પેઠે કરૂણરસ ભર્યું નૃત્ય કરતી. આ પ્રમાણે નિત્ય સંગીતક કરવામાં તત્પર રહેતી, પાપમળ દૂર કરતી અને માનવજન્મને સફળ કરતી પ્રભાવતી સમય. નિર્ગમન કરતી હતી. . . * એવામાં એક અદ્દભૂત ઘટના બની. એકદા રાજા ઉદાયન રાગ-સ્વર-મૂછનાને વ્યક્ત કરતો વીણું વગાડતો હતો અને રાણ ગાઢ હર્ષભર અભિનયપૂર્વક નૃત્ય કરતી હતી તે વખતે રાજાએ જોયું કે કેતુની જેમ રાણીને મસ્તક જ ન મળે. આવું અશુભ-અરિષ્ટ જોઈ ભાવી દુઃખની શંકા થવાથી, રાજાના હાથમાંથી, જીર્ણ ભીંતમાંથી પત્થર પડી જાય એમ, વીણને ગજ પડી ગયા. તતક્ષણ સંગીતક બંધ પડવાથી હર્ષોલ્લાસ છિન્નભિન્ન થઈ જવાને લીધે પ્રભાવતી, પતિપર પૂર્ણ ભક્તિવાળી હતી છતાં, ક્રોધાયમાન થઈ; અને કહેવા લાગી–હે નાથ, શું નૃત્યના તાલમાં P. Ac. Gunratnasuri M. Page #65 -------------------------------------------------------------------------- ________________ ( પછ) રાણી પ્રભાવતીમા અલ્પ આયુષ્યનાં ચિહ, મારી કંઇ ટી તમોએ દીઠી કે તમે રસિક છતાં આમ સદા વીણા વગાડતા અટકી ગયા? આમ આગ્રહપૂર્વક પૂછાયેલા પ્રશ્નનો રાજાએ દુ:ખપૂર્ણ હદયે મહાકણે ઉત્તર આપે. કેમકે પ્રિયજન સંબંધી અમંગળ વાત નેહીઓથી કઈ રીતે કહી જાય? પરંતુ રાણીએ તે એ સાંભળી લેશ પણ ધૈર્યને ત્યાગ કર્યા વિના રાજાને કહ્યું–આવા દુર્નિમિત્ત પરથી હું મારું આયુષ્ય હવે અલ્પ શેષ રહ્યું છે એમ સમજુ છું. પરન્તુ જન્મથીજ એકલા ધર્મકાર્યમાં જ તત્પર રહેલી હેવાથી મને મૃત્યુને લેશ પણ ભય નથી. આ અપશુકન મને તે ઉલટુ હર્ષદાયક છે કારણ કે એ મને હવે સંસાર ત્યજી ચારિત્ર-દીક્ષા ગ્રહણ કરવાને પ્રેરે છે. એમ કહી મુખપર લેશ પણ ગ્લાનિનાં ચિન્હ પ્રકટ નહાતાં એવી રાણ પછી પોતાને સ્થાને ગઈ. નિર્વાણ સમય નિકટમાં આવે છે ત્યારે દીપકની શિખા પણ ઉલટી વિશેષ પ્રકાશિત થાય છે એ વાતથી કેણ અજાણ્યું છે? જિનધર્મના તત્વજ્ઞાનથી અજાણ્યો રાજા તે અત્યન્ત ખેદ કરવા લાગ્યા. જિનભગવાનના અનુયાયીઓ શિવાય અન્ય મતવાળાઓમાં વિવેકાવિવેક દેખાય પણ ક્યાંથી? એકવાર વળી એમ બન્યું કે રાણું જિનબિમ્બની પૂજા કરવા નિમિત્તે નાન કરી તૈયાર થઈ અને દાસીએ એનાં વસ્ત્રો એની પાસે લાવી ધર્યો. એ વસ્ત્રો અરિષ્ટના કારણે રાણીની દ્રષ્ટિએ રક્ત દેખાયાં. મોટા માણસોને પણ અવસાન સમયે પ્રકૃતિમાં વિપર્યય થાય છે એ કથન પ્રમાણે, રાણું દેવપૂજાના વસ્ત્રો દાસી અનુચિત કેમ લાવી એમ થયાથી, એના પર ક્રોધાયમાન થઈ અને એ ક્રોધના આવેશમાં એણે એના ભણું એક દપણ ફેંકયું. એ દર્પણના કારી પ્રહારે દીનદાસીના પ્રાણ લીધા. કારણ કે આયુષ્ય ક્ષીણ થવા આવ્યું હોય છે ત્યારે માણસના બેઠા બેઠા પણ પ્રાણ જતા રહે છે, ને આયુષ્ય વિદ્યમાન હોય તો મહાન શસ્ત્રો પણ એને કંઈ નથી કરી શક્તાં. ક્ષણવાર પછી પ્રભાવતીએ જોયું તે એજ વસ્ત્રો અને ઉજવળ જણાયાં. પિત્તને ઉદ્વેગ જતું રહ્યા પછી મા| ણસને, શંખ એના મૂળ શુદ્ધ ઉજવળ વર્ણમાં વિતરણ છે એમ Page #66 -------------------------------------------------------------------------- ________________ આ પ્રભાવલીની દીક્ષા અને સ્થગ કામન ( પિલ') આથી તે રાણું પોતાની જાતની નિદા કરતી કહેવા લાગી અહે પંચેન્દ્રિય જીવની હત્યારૂપ પાપ કરનારી મારા જેવીને અત્યન્ત ધિક્કાર છે ! અન્યની હત્યા કરવાથી નરકે જવું પડે છે તે આતો સ્ત્રી હત્યા થઈ એ મને શાની બીજે લઈ જાય? કારણ કે તાલપુ વિષને તે એક અણુ માત્ર જ સદ્ય પ્રાણઘાતક નીવડે છે માટે હવે મારે ચારિત્ર અંગીકાર કર્યા વિના શુદ્ધિ નથી. મશીથી મલિન થયેલ વસ્ત્ર દુધ વિના અન્ય શાથી શુદ્ધ થઈ શકે ? આમ તીવ્ર પશ્ચાત્તાપ કરતી પતિદેવ પાસે જઈ સર્વ વાતને ઉલ્લેખ કરી વિશેષમાં કહેવા લાગી કે-હે નાથ, એક ઘટના તે તમે નજરે નિહાળી, અને બીજી આ વસ્ત્રના વર્ણના વિપર્યાસની ઘટના એ ઉભય પરથી મને હવે મારું આયુષ્ય અ૯પ છે એમ સમજાય છે માટે હે પ્રાણવલ્લભ, મારે ચારિત્ર ગ્રહણ કરવું છે એમાં તમારે કંઈ વિઘન ન ઉપસ્થિત કરવું. જુઓ શાસ્ત્રમાં રાજ્ય સંપત્તિ, દેવ સંપત્તિ અને પ્રિયજનને સંગ-આ સર્વ સુલભ કહ્યાં છે, પરંતુ વિરતિ એટલે ત્યાગ ભાવ એ અત્યન્ત દુર્લભ કહ્યો છે. માટે કૃપા કરીને વાત્સલ્ય ભાવે મને સમ્મતિ આપે એટલે હું મારું કાર્ય સાધું. રાજાએ પણ રાષ્ટ્રના આવા આગ્રહને લીધે સંમતિ આપીને કહ્યું કે–તારી નિર્વિદને કાર્ય સિદ્ધિ થાઓ. જા, તારી ઈચ્છા પૂર્ણ કર. વળી જે તે ગમે ત્યારે સ્વર્ગે જાય તે તે સમયે તારે તારાં દીવ્ય સુખ ઘડીભર પડતાં મૂકીને પણ અહીં આવી મને દીપકની જેમ જાગ્રત કરવો. રાણીએ પણ એ વાત અંગીકાર કરી. પછી દાન દઈ પુરવાસીઓને સંતુષ્ટ કરી એણે ચારિત્ર ગ્રહણ કર્યું. અને સાથે જ અનશન આદર્યું. કેમકે મૃત્યુ નિકટમાં આવી ઉભું જાણ્યા પછી ભેજનની આશા કેવી ? એ પછી અનશનને અને મૃત્યુ પામી ત્યાંથી એને જીવ પહેલા દેવલોકમાં મહદ્ધિકદેવતા પણે ઉપન્યા કેમકે શું આ લોકમાં કે શું પરકમાં, રાજ્ય તે હેટાઓનું જ છે. પાછળ, દેવતાએ આપેલી પ્રતિમાનું પૂજન આદિ દેવદત્તાનામની એક કુજા દાસી હતી તે કરવા લાગી. પૂર્ણ ભાગ્યોદય વાળાને જ આવે પ્રસંગ પાસ થાય છે. એ સાથો સાથ સ્મરણમાં રહેdhak Trust , Page #67 -------------------------------------------------------------------------- ________________ (58) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. - હવે પ્રભાતીને જીવ દેવતા થયો હતો એણે પોતે વચન આવ્યું હતું એને અનુસરીને રાજાને પ્રતિબોધ આપે પરન્ત એ પ્રતિબંધ લાગ્યો નહિ કેમકે હેતુની હયાતિ છતાં પણ કવચિત્ ફળાત્પત્તિ થતી નથી. એમ પણ બને છે. એટલે એણે અવધિજ્ઞાનથી ‘હું, એ આ રીતે જાગ્રત થશે–પ્રતિબોધી શકાશે " એમ તક્ષણ કેઈ યુક્તિ વિચારી, નાટકને વિષે નટ લે છે એમ તાપસનો વેષ લીધે. અને જાણે નરપતિને આજે કંઈ ફળ થશે એવું સુચવતે હાયની એમ હસ્તને વિષે દીવ્ય અમૃત ફળે લઈને રાજા પાસે આવ્યું. આવીને એણે એ ફળની એની પાસે ભેટ કરી છે કે દેવતાઓ ફળ આપે એમાં કંઈ વિરમય કારી તે નથી જ, પતે તાપસને ભક્ત હતો એટલે એણે પણ તાપસે આપેલ વસ્તુનું બહુ માન કર્યું. અથવા તે લેકરૂઢિજ એવી છે કે ગુરૂ કંઈ પ્રસાદ આપે એનું સૈ કેઈએ બહુમાન કરવું એવાં સુપકવ, સુગન્ધી, અને સ્વાદિષ્ટ ફળનાં પ્રાશનથી રાજાની ઇન્દ્રિયોને અત્યન્ત હેક થયે અને " આવાં ફળે મેં ક્યાંય જોયાં કે સાંભળ્યા પણ નથી. તે પૃથ્વી પરના મનુષ્યોને દુર્લભ એવા કલ્પ વૃક્ષના ફળ સમાન આ ફળ કયાં મળે છે ? એમ તાપસને પૂછયું. એટલે તાપસ રૂપ ધારી દેવતાએ ઉત્તર આપ-નરેદ્ર, તારા નગરની નિકટમાં આવેલા આશ્રમમાં જ આ ફળે થાય છે, અથવા તે પૃથ્વીને વિષે નિધાને જ્યાં ત્યાં પ્રત્યેક સ્થાને ભરેલાં જ છે. બહુ ઉત્કૃષ્ટ હોવાથી એ મેં તને ભેટ ધર્યો છે. કારણ કે તું પણ એક લોકપાળ છે અને સર્વ આશ્રમને વળી ગુરૂ છે. એ ફળ નિકટના જ આશ્રમમાં થાય છે એ સાંભળી રાજાનું ચિત્ત એ આશ્રમે જવાને બહુ ઉત્કંઠિત થયું. એટલે તાપસ દેવે પણ એને સદ્ય નગર બહાર એકાકી લઈ જઈ એક ઐન્દ્ર જાલિક–જાદુગરની જેમ, અનેક તાપસેથી ભરેલ આશ્રમ નજરે દેખાડ, ત્યાં મને હર ફળેથી લચી ગયેલાં વૃક્ષે જે “અહે આજે તે યથેચ્છ–તૃપ્તિ પર્યન્ત ફળાહાર થશે " એમ કહી વૃક્ષપરથી ફળ લેવા દોડ. કારણ કે PVAc Gunratnasuri Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉદાયન રાજાને મુનિએ આપેલ ઉપદેશ (58 ) આ રસલપટ જીલ્ડ હેટ હેટાના પણ માન મૂકાવે છે. રાજા હજુ તે પહાએ ન પહોંચે ત્યાં તે કૃતિમ આશ્રમના કૃત્રિમ તાપસે એને મુષ્ટિ પ્રહાર કરવા લાગ્યા. એટલે એ તે શુરવીર છતાં એકાકી હાઇને ભયભીત થઈ પલાયન કરી ગયો. વીર્ય ઉભરાઈ જતું હોય છતાં પણ વિવિધ કર્મોના આવરણ હોય તે પ્રાણીની કેવી દશા થાય છે એ જોયું ? ભયને કારણે પલાયન કરી જતાં, દર્પણ સમાન નિર્મળ અત:કરણ વાળા ઉત્તમ સાધુએ રાજાની નજરે પડયા. એમણે એને નિર્ભય કર્યો અને એ પણ એમને શરણે ગયે. એટલે એકલા ધર્મિષ્ટ એવા એ મુનિએ એ એને શાન્ત કરી અમૃત તુલ્ય મિષ્ટ મનહર ધર્મોપદેશ સંભળા : , , : આ અસાર સંસારમાં ભાવ શત્રુઓથી પરાજય પામી હેરાન થતા પ્રાણીઓને મોક્ષ પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તે એમણે એક ફક્ત ધર્મનું શરણ લેવું એ ધર્મનું મૂળ સભ્યત્વ છે. સમ્યક્ત્વ એટલે સુદેવ, સુગુરૂ અને સત્ય ધર્મને વિષે રૂચિ. બુદ્ધિમાન મનુષ્યએ દેવ તથા ગુરૂને ઓળખવા જોઈએ, અને તત્વને જાણવા જોઈએ. , જેમકે રાગ, અરતિ, રતિ, દ્વેષ, પ્રમાદ, ભય, જન્મ, ચિન્તા હાસ્ય, જુગુપસા, શોક, મિથ્યાત્વ, અજ્ઞાન, દર્પ, વિષાદ, અવિરતિ, નિદ્રા અને અન્તરાય-એ અઢાર દો જેનામાં ન હોય એજ દેવ સમજવા. વળી નિરન્તર બ્રહ્મચર્ય પાળનાર, કરૂણું મય જીવન નિર્ગમન કરનાર, શત્રુ અને મિત્રમાં સમભાવ વાળા તૃણ અને સ્ત્રી જનને એક ગણનારા તથા સુવર્ણ અને કાષ્ટને સમદષ્ટિએ જેનારા હોય એ ગુરૂ સમજવા. વળી તો જાણવા જોઈએ એમ કહ્યું–એ તો નવ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બન્ધ અને મોક્ષ. ધર્મને વિષે શંકા નો ત્યાગ, આકાંક્ષાને ત્યાગ, અનિશ્ચયન ત્યાગ ને મૂઢદષ્ઠિનો ત્યાગ એમ આ ચીર ત્યાગ, તથા વૃદ્ધિ કરણ, સ્થિરતા, સાધર્મિક વાત્સલ્ય અને પ્રભાવના એમ થઈને કુલ આઠ, દર્શન એટલે um Aaradhakrust Page #69 -------------------------------------------------------------------------- ________________ (0) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. ધર્મના ચારો છે. એ આઠેનું સમ્યકત્વની નિર્મળતાને અર્થે. પરિપાલન કરવું. આઠમાં વળી તમારે-રાજાઓને વાત્સલ્ય અને પ્રભાવનાને વિષે વિશેષ ધ્યાન આપવું કારણ કે તમે–રાજાઓ. સમર્થ કહેવાઓ. એટલે તમે એ વિશેષ પ્રકારે કરી શકે. વળી પ્રભાવક પુરૂષોમાં પણ રાજાઓને ગણાવ્યા છે. વાત્સલ્ય ' ના બે પ્રકાર છે. દ્રવ્ય વાત્સલ્ય અને ભાવવાત્સલ્ય. સાધમિક બધુએને અન્ન, પાન, દ્રવ્ય, વસ્ત્રો અને પુષ્પ આદિ આપવા એ દ્રવ્યવાત્સલ્ય. જે સર્વને “જિનભગવાન્ ? એ એકજ દેવ હાય અને “ક્રિયાને વિષે તપુર” એવા એકજ ગુરૂ હાય-એએજ સાધર્મિક કહેવાય અન્ય નહીં. નમસ્કાર માત્રજ જાણતા હોય | એવા સાધર્મિકને પણ પરમ પ્રેમ પૂર્વક બધુ તુલ્ય ગણ, બધુથી પણ અધિક ગણવે. સાધર્મિકની સાથે વળી કદિ પણું વિવાદ, કલહ, યુદ્ધ કે વેર ન કરવું. જે નિર્દય થઈ. ક્રોધમાં આવી જઈ સાધર્મિક પર પ્રહાર કરે છે એ જગદ્ બાંધવ શ્રી જિન પ્રભુની આશાતના કરે છે વિધવિધ જાતિમાં જન્મેલા અને વિધ વિધ સ્થળના નિવાસી એવા સુમતિ સાધમિકે પર શ્રીમંતોએ કે વિદ્વાનેએ દ્રવ્યદાન કે જ્ઞાન દાન રૂપ ઉપકાર કરવો એ અતિ પ્રસંસા પાત્ર છે, સુંદર છે, ? અને વળી પુણય બંધને હેતુ છે રામે વજુયુદ્ધ અને ભરત ચક્રવતીએ સકળ સંઘનું જેવી રીતે વાત્સલ્ય કર્યું છે તેવું સર્વ કેઈએ કરવું. સાધમિકે ને અન્ન પણ ન મળતું હોય અને એમ થવાથી સીદાતા હોય ત્યારે સામ વાનું શ્રાવકે એ ભોજન કરવું કપે નહીં. વળી ધર્મ કાર્ય કરવામાં જેઓ નિશ્રેતન જેવા થઈ ગયા હોય એમનામાં ચૈતન્ય લાવી ધર્મને વિષે સ્થિર કરવા એનું નામ " ભાવવાત્સલ્ય.’ જેમકે, ભાઈ, તમે ગઈ કાલે સાધુને ઉપાશ્રયે કે જિનમન્દિરે પણ દેખાયા નહીં એનું શું કારણ ? “એના ઉત્તરમાં જે એ કંઈ કાતુક-નાટક ચેટક જોવા ગયેલ હોવાનું કે તેવું અન્ય કંઈ કારણું બતાવે તે એને 5 મિષ્ટ શબ્દો વડે સમજાવ કે તમારા જેવા વિવેકાવિવેકના જ્ઞાનવાળાએ પ્રમાદ કરવો ઉચિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #70 -------------------------------------------------------------------------- ________________ આ ઉદાયન રાજાને ધર્મ પ્રાપ્તિ અને ગધાર શ્રાદ્ધની તીર્થયાત્રા (61) નથી. આ મનુષ્ય જન્મ દુર્લભ છે એમાં ચે વળી ધર્મ વિશેષ દુર્લભ છે. અને એમાં ચે તે આવી સાધુ કે શ્રાવકની સર્વ સામગ્રી પામવી એ તે સર્વથી દુર્લભ છે. કેમકે જીવિત, યાવન અને લક્ષમી આદિ સર્વ અનિત્ય છે. દુર્લભ મનુષ્ય જન્મ પામીને જે ધર્મને વિષે પ્રમાદ કરે છે એ અમૃતની કુપીને પગ દેવામાં ઢાળી નાખ્યા જેવું કરે છે; હસ્તી પાસે ઈશ્વન–કાણ વહેવરાવ્યા જેવું કરે છે, સુવર્ણને થળે માટીનું ઢેકું મૂકયા જેવું કરે છે, અને કાગડાને ઉડાડી મૂકવાને ચિન્તામણિ ફેંકયા જેવું કરે છે. આવું આવું કહીને સાધમિકને પ્રતિબોધ પમાડવો. હે રાજન્ આમ બેઉ પ્રકારના વાત્સલ્ય વિષયે તમારે ચિત્ત લગાડવું - હવે પ્રભાવના વિષે. ધર્મને પ્રભાવ વધારો એનું નામ પ્રભાવના. તીર્થ યાત્રા, રથયાત્રા, પૂજા વગેરેથી જિનેશ્વરના તીર્થ હોય એની યાત્રા કરવા જઈને, એમની રથયાત્રા કરાવીને, એમની પૂજા ભણાવવાનું વગેરે કરીને, તથા એમના પ્રસાદ એટલે મન્દિર બન્ધાવીને ધર્મને પ્રભાવ વધારો. હે નૃપતિ, ભવ્યપ્રાણુઓ ભાવનાએ ચઢીને આ પ્રભાવનાઓ કર્યા કરે છે, શત્રુના મર્મને જાણનારે જેમ એ શત્રુને ભેદી શકે છે તેમ, ભવ એટલે પુન: જન્મ પુન: મરણને ભેદ એટલે વિચ્છેદ કરી શકે છે. આ ઉપદેશ દઈને મુનિઓએ એ ઉદાયન નૃપતિને એવી રીતે પ્રતિબંધ પમાડો કે એને જૈન ધર્મ સર્વ ધાતુઓએ પરિણતિ પામ્યો–નસે નસે ઉતરી ગયો. એને હવે લાગ્યું કે મને આજે સુધી ધૂતારાઓની જેમ તાપસએ ઠપે છે. એટલે એણે હિંસક તાપસનું દુષ્ટ દર્શન ત્યજીને અહિંસાપ્રધાન જિનદેવના શાસનને સ્વીકાર કર્યો. અને " આજે મારાં ધન્યભાગ્ય. આજે મારો આત્મા પવિત્ર થયો, આજે હું કૃતકૃત્ય થયે. " એમ કહેવા લાગ્યો. વિષ ત્યજીને અમૃતનું ભજન કરનાર નિ:સંશય પૂર્ણ પ્રશંસાને પાત્રજ થાય છે. - આ બધું થવા દીધા પછી પ્રભાવતીને જીવ–દેવતા વાદળાંમાંથી સૂર્ય બહાર નીકળે એમ રાજા પાસે પ્રકટ થયે, અને બધો Jun Gun Aaradhak Trust Page #71 -------------------------------------------------------------------------- ________________ (62) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, વૃત્તાન્ત એને નિવેદન કરી ધર્મને વિષે સ્થિર કર્યો. અને પછી તરતજ પાછો અતર્ધાન થઈ ગયે. રાજા તે આવું ઈ આશ્ચર્યસ્તબ્ધ બની આમ તેમ જોવા લાગ્યા. એટલામાં તે દેવતાઓ વિફર્વેલું માયાજાળનું દશ્ય બદલાઈ ગયું: ન મળે કંઈ આશ્રમ, કે ન મળે કેઈ સાધુસુનિ. એને બદલે પોતાની જ સભા રાજાની દૃષ્ટિએ પડી. . - આ ઘટના બની તેજ દિવસથી આ ઉદાયન રાજા પરમ ધર્મિષ્ટ શ્રાવક થયે, ધાર્મિક જનેની, કઈ પણ એક નિશ્ચિત ખાણ હોતી નથી ( કે જેમાંથી રતનાદિની પેઠે ઉત્કૃષ્ટ જીવે નીકળ્યા જ કરે. એમની તે આ પ્રમાણે અકેક કરતાં કરતાં સંખ્યા વધે ) હવે ગાન્ધાર નામના એક દેશમાં કોઈ ગાન્ધાર નામનો જ, શ્રાવક વસતા હતા. એ એક ક્ષણ પણ પાપની ગંધ સુદ્ધાં સહન કરી શકતે નહીં. એકદા એ ગાન્ધાર વૈતાઢયપર્વત પર રહેલી અરિહંતની પ્રતિમાને વંદન-પૂજન કરવાની ઇચ્છાએ એ પર્વતની તળેટીએ ગયે. અહા ! મનુષ્યને કયા મારથ નથી થતા ? તળેટીએ પહોંચીને એ અન્નપાણીને ત્યાગ કરી ( ઉપવાસ આરંભી ) શાસન દેવતાનું ધ્યાન ધરીને બેઠે. કેમકે આવા મોટા અભીષ્ટ મનોરથની સિદ્ધિને અર્થે એમ કર્યા વિના અન્ય ગતિ નથી. એનું એવું ઉગ્ર સાહસ જે શાસન દેવતાએ તુષ્ટ માન થઈ એના મનોરથ પૂર્ણ કર્યો. એને ઉપાડી પર્વત પર લઈ જઈ, ભક્તિપૂવક વંદનાદિ કરી રહ્યા પછી, પુન: દેવતાએ એને નીચે લાવી મૂકો, કેમકે એગ અને ક્ષેમ, બનેવાનાં નિશ્ચય દેવતાના હાથમાં છે. વળી એને એણે મન:કામના પૂર્ણ કરનારી એકસોને આઠ ગુટિકાઓ આપી. અથવા તો એવા ધર્મિષ્ટ પ્રાણીઓ પ્રતિ દેવતાઓ વાત્સલ્યભાવ દર્શાવે એ ગ્યજ છે. પછી ગાન્ધારે પણ અજમાયશ દાખલ એ ગુટિકાઓમાંથી એક ગુટિકા હાંમાં નાખી એવું ચિન્તવન કર્યું કે હું વિતભય નગરને વિષે જઈ જીવસ્વામીની પ્રતિમાને વદન કરું. આમ ચિતવ્યું કે તક્ષણ એડ દેવતાની Page #72 -------------------------------------------------------------------------- ________________ સુવા ગુટિકા અને ચંડપ્રદ્યોતને મેલાપ (3) જેમ વીતભય નગેરે પહોંચી ગયો. ત્યાં પેલી કુજ દાસી દેવદત્તા, જેના દેહની પ્રભાવતીના સંગથી ભવિષ્યમાં કેઈ અવર્ણનીય પ્રભા થવાની છે એણે એને એ પ્રતિમાના દર્શન કરાવ્યાં. ગાન્ધારને વળતેજ દિવસે કઈ વ્યાધિ થઈ આવ્યું. એટલે દેવદત્તાએ ઉત્તમ ઔષધ-પચ્ચ આદિ વિધિ વડે એની પરમ આદરપૂર્વક શુશ્રષા–ચાકરી કરી, અને રાત્રીને દિવસ પરિશ્રમ વેઠીને એને તદુરસ્ત બનાવી દીધો. અથવા તે આયુષ્ય હોય એને ઉપાય છે. કૃતજ્ઞ ગાજ્યારે પણ બદલામાં પોતાની પાસેની સર્વ ગુટિકાઓ એને આપી દીધી. કહ્યું છે કે ઉપકાર કરવાથીજ મહન્ત પુરૂષોની કપા મેળવી શકાય છે. દેવદત્તાને પણ આ મનવાંછિત પૂરનારી ગુટિકાઓ પ્રાપ્ત થઈ એ એની દેવપૂજાનું જ સલ્ફળ સમજવું. પછી મહામતિ ગાભ્યારે તે પોતાનું અલ્પ આયુષ્ય જાણીને દુર્ગન્ધની જેમ ગૃહસ્થાશ્રમ ત્યજી દઈ પ્રવજ્યા ગ્રહણ કરી. તે જ ક્ષણે રૂપ સૌન્દર્યને ઈચ્છતી કુજા દેવદત્તાએ સૌન્દર્ય રૂપી અંકુરોને ઉ. ત્પન્ન કરવાને મેઘસમાન=એવી એક ગુટિકા મુખને વિષે નાંખી. એના પ્રભાવથી એ સદ્ય દીવ્ય રૂપધારી સુંદરી થઈ ગઈ; જેવી રીતે વિશ્વકર્માની હસ્તકળાથી પૂર્વે સૂર્યની મૂર્તિ થઈ ગઈ હતી એમ. આ દેવદત્તાની કાન્તિ જે ગુટિકાના પ્રાગથી સુવર્ણવણી–સોના જેવી થઈ તે ગુટિકાને તે વખતથી જનસમાજ સુવર્ણ ગુટિકા એ નામથી ઓળખે છે. કુજા તે પિતાનું નવીન સુંદર રૂપ જોઈ વિચારવા લાગી:–જ્યાં સુધી મને સુંદર રૂપાકૃતિવાળા ભર્તાર ન મળે ત્યાં સુધી આ મારી રૂપસંપત્તિ અરણ્યમાં ઉગેલી માલતીની જેમ વૃથા છે. આ મહીપતિ ઉદાયન ઘણે યે ઉદાર શુરવીર અને રૂપવાનું છે પરંતુ ગંગાને જેમ ભગીરથ, તેમ મારે એ પિતાતુલ્ય છે. મારી સનમુખ આ અન્ય ભૂપતિઓ એ છે પરંતુ એઓ તે, તારા જેમ ચંદ્રમાના–અને ગ્રહો જેમ સૂથના સેવકે છે એમ, ઉદાયનના સેવકે છે. એવા એકાદ સેવકરાજાને મારા પતિ તરીકે સ્વીકારું એમાં મારી ખ્યાતિ નહિં થાય કેમકે હણીને નામે અશ્વનું મૂલ્ય અકાય છે. માટે હવે શ્રેષ્ઠ Jun Gun Aaradhak Trust Page #73 -------------------------------------------------------------------------- ________________ (4) શ્રી અભય કુમારે મળીશ્વરનું જીવન ચરિત્ર, ભૂપતિ તે ચંડપ્રદ્યોતરાજા છે એ મારે ભર્તાર થાઓ એમ ચિનવીને એણે એક ગુટિકા માં નાખી. માગીએ એટલું મળે એમ હોય ત્યારે શા માટે ઓછું માગવું એ કહેવત જ એણે તે ધ્યાનમાં રાખી. વળી એક વખત ગુટિકાના પ્રયોગથી સુંદર રૂપ થયું એટલે લાભ થયો એટલે લેભ વધ્યો અને સુંદર ભતર મેળવવાને માટે પ્રયાસ આદર્યો. મહામાં. ગુટિકા નાખી એટલે એના અધિષ્ઠાયક પેલા દેવતાએ, રૂપસુંદરી બનેલી દેવદત્તાનું ચિન્તવેલું સિદ્ધ કરવાને માટે અવન્તિપતિ–ચંડપ્રદ્યોત રાજા પાસે જઈ, દૂતીકાર્ય કર્યું પેલી દેવદત્તા દાસીના રૂપસૌન્દર્યનું ઉત્કૃષ્ટ. વર્ણન કર્યું કે-હે રાજન્ એની આગળ તારૂં સમસ્ત અન્તઃપુર કશી ગણત્રીમાં નથી. કેમકે એને પગને અંગુઠે બાંધેલી પણ અન્ય સ્ત્રી સભતી નથી. આ સાંભળીને ચંડપ્રદ્યોતનરાજા સદ્ય એનાં દર્શન કરવા અત્યંત ઉત્કંઠિત થયો, વિદ્વાન્ માણસ જેમ રમ્યા કથા કહેવાતી હોય એને વિષે ઉત્કંઠિત થાય છે એમ. એણે તે સવર એક દૂતને એની પાસે મોકલ્યો, કેમકે મોટા માણસ, સ્વાર્થ હોય છે ત્યાં, હાનાના પણ યાચક બને છે. એ તે જઇને રૂપસુંદરી બની ગયેલી પેલી દાસીને કહ્યું–અમારો સ્વરૂપવાન રાજા ચંપ્રદ્યોત તારાપર મોહિત થયે છે; અને તારી, સાથે સુખ ભેગવવા ઈચ્છે છે. એના ઉત્તરમાં એ કિન્નર કહીએ મધુર સ્વરે કહ્યું- પ્રદ્યતન એ નામે ખ્યાતિ પામેલા પ્રોત એટલે પ્રકાશને કેણું ન ઈચછે ? પરન્તુ એણે પોતે અહીં આવીને મને એનું રૂપ બતાવી જવું જોઈએ. કેમકે બજારમાં પણ જે વસ્તુ લઈએ છીએ એ એને રૂપરંગ જોયા પછી જ લઈએ છીએ. તે જઈને આ વૃત્તાન્ત એના સ્વામીને કહો એટલે એ તે એના સન્દર્યની વાત સાંભળીને અતિ હિત થયેલ હોવાથી રાત્રીને સમયે પિતાના “અનલગિરિ” નામના હસ્તી પર આરૂઢ થઈને દેવદત્તા પાસે એ આવી પહોંચે. અથવા તે સમયની પાછળ દર વહ્યો જ આવે છે એ તન સત્ય વાત છે. બેઉની દષ્ટિ મળી કે સદ્ય એમનાં મન પણ પિતાની મેળેજ વિના યને AC. Gunratnasuri M.S. 2 Page #74 -------------------------------------------------------------------------- ________________ જીવત શ્વામીની પ્રતિમા સાથે સુણ ગુટિકાનું હરણ, (5) ' પરસ્પર મળી ગયાં; ચતુર તુણનારાથી તુાયલા બે વસ્ત્રો પર- . ૫ર મળી જઈ એકરૂપ થઈ જાય છે એમ. પછી પરમ પ્રેમ પૂર્વક ચંડપ્રદ્યોતન નરપતિએ કહ્યું–હે મૃગનયની સુંદરી, હવે તું : મારે નગરે ચાલ જેથી હું દેશ-કાળ અને થીતિને અનુસરીને તારા સર્વે અભીષ્ટ મને પૂર્ણ કરું. દૂર રહલાઓનાં તો જવાં અને આવવાં પૂરતાં જ કાર્યો થાય; એમાં કંઈ એમને વિશેષ સ્વાર્થ સિદ્ધ થાય નહીં, દેવદત્તાએ ઉત્તર આપે-હે સ્વામિનાથ હું આવવાને તૈયાર છું. પરંતુ મારી એક વાત સાંભળે-જેમ ઝુંટણુક પશુ મનુષ્યની ઉમાવિના જીવી શકતો નથી એમ હું મારા દેવાધિદેવની પ્રતિમા વિના રહી શકું એમ નથી. માટે શ્રીખંડની–ચંદનની એક અન્ય પ્રતિમા કરાવીને લાવે. અધિકારીના આ દેશના જે ચેટિકાનેએ આદેશ એણે પણ માન્ય કર્યો અને અન્ય પ્રતિમા કરાવવા માટે ચેટિક પાસેની પ્રતિમા નીરખી નીરખીને જોઈ, કેમકે એમ જોયા વિના એવી બીજી કરાવવી એ . કેવી રીતે બની શકે ? છે . પછી તે પ્રેમસાગરમાં નિમગ્ન એવા એ દંપતીએ યથેચ્છ વિલાસસુખ અનુભવ્યું અથવા તે નવીન વસ્તુ પ્રાપ્ત થયે સર્વ કોઈને એને વિષે રાગ થાય છે જ. જેણે આકાશમાર્ગ ઉલંઘન કર્યો છે એવું અને સ્વપતારપરિચ્છેદ વાળ રાજા, રાત્રી વીત્યે,, ચંદ્રમા જેમ પશ્ચિમ દિશાએ પહોચે છે એમ, પિતાની નગરીએ આવી પહો. આવીને સદ્ય, પિતે જોઈ હતી એવી પ્રતિમાના અનુસારે અન્ય ચંદનમયી ઉત્કૃષ્ટ પ્રતિમા બનાવરાવીપછી લક્ષમી પતિ કૃષ્ણ વાસુદેવ કૌસ્તુભ મણિને ધારણ કરે છે એવી રીતે એ નવી બનાવરાવેલી પ્રતિમાને, હૃદયપર ધારણ કરી ચંડપ્રદ્યોતન અનલગિરિ હસ્તીપર આરૂઢ થઈ પાછે ઉદાયન રાજાને નગરે આવ્યું, આવીને, દેહધારી મોહિની મંત્ર હાયની એવી એ પ્રતિમા ચટિકાને સેપી–આપી. ચેટિકા દેવદત્તાએ પણ અવન્તીના સ્વામી આ ચંડપ્રદ્યોતનને વિષે પિતાનું મન આસક્ત થયેલ હોવાથી, ઉદાયન રાજાના મહેલમાં જે શ્રેષ્ટપ્રતિમા હતી એ લઈ લીધી Page #75 -------------------------------------------------------------------------- ________________ ( 6 ) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર અને એને સ્થાને આ નવી પ્રતિમા મૂકી દીધી પછી ચંડપ્રદ્યોતન રાજા પણ ધર્મ અને કામની જોડી હાયની એવી એ પ્રતિમા અને દેવદત્તા–ઉભયને હસ્તીપર બેસારી પોતાની રાજધાની પ્રત્યે પાછા આવ્યા. ત્યાં એ ચેટિકા-દેવદત્તા પ્રભાવતીની જેટલી જ ભક્તિસહિત પ્રતિમાની ધૂપ-પુષ્પ-ફળ વગેરેથી પૂજા-અર્ચા કરવા લાગી. પાછળ “વિતભય” નગરમાં ઉદાયન રાજા પ્રભાતે સ્નાન વિલેપન આદિ કરી શ્રેષ્ઠ અખંડ ઉજવળ વસ્ત્ર પહેરી દેવગૃહમાં દેવાધિદેવની પૂજા કરવા ગયો. ત્યાં એણે, પ્રતિમા પર ચઢાવેલા પુ-પુષ્પમાળાઓ આદિ જે નિરન્તર અશ્લાન–કરમાયા વિનાના તાજાં જ રહેતાં એ, આજે દોષિત મનુષ્યના મુખની જેવાં પ્લાન કરમાઈ ગયેલાં–જોયાં. એટલે એ “હા! આ શું થયું” એમ ખેદ કરતો વિચારમાં પડે કે આ એ પ્રતિમા નથી. આ તો એનાથી વિલક્ષણ પ્રકારની છે. રાજા સા નિ યથા દૂન પાક્ષિા | 20 || - વળી પિતાનુંજ ધન માનીને નિધિની જેમ પ્રતિમાનું પડખું છોડતી જ નહોતી એ દેવદત્તા ચેટી પણ અહિં દેખાતી નથી. હસ્તીઓને હવે મદ જતે ર જણાય છે અને એ સાધુની જેમ વિરક્ત થઈ ગયા હોય એમ લાગે છે એટલે અનિલગ હસ્તીજ અહિં સુધી આવ્યે. અને એની સહાયથી માલવપતિ ચંડપ્રોતન પ્રતિમાં અને દાસી બેઊને લઈ ગયો છે. સ્ત્રીઓનું ચેરીથી હરણ કરી લઈ જવાને એને જ અભ્યાસ છે. કલપના અને અનુમાનથી સત્ય જાણું લઈ ઉદાયનનૃપતિએ પ્રદ્યતન રાજા પાસે એક ચતુર વાચાળ દૂત મોકલ્યા. કારણ કે આવી બાબતમાં રાજાઓને એવો ધર્મ છે. એ પ્રવીણ દૂતે જઈને સભામાં બિરાજેલા માલવપતિની સમક્ષ કંઈક મૃદુ અને કંઈક કર્કશ શબ્દોમાં કહ્યું કે હે રાજન, જગતને વિષે એકલો વીર શિરોમણિ અને એકલેજ શરણાગત રક્ષક એ જે–સિધુસવીર આદિ અનેક દેશને સ્વામી ઉદાયન નરેશ તેને હું દૂત Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉદાયનના દૂતનું ચડપ્રદ્યોતની સભામાં ગમન. (67) છું. એણે જ મને આપની પાસે મોકલ્યું છે. અને એમની જ આ જ્ઞાનુસાર મારે આપને કંઈક કહેવું છે. મારી દાસી પ્રત્યે તમને પ્રેમ હતો અને તેને તમારા ઉપર પ્રેમ હતો તે ભલે તે તમારી જ છે. મારો સ્વામી કેાઈની ચોગ્ય ઈચ્છાને પ્રતીકાર કરતે નથી. પરન્તુ હે વિવેકજ્ઞ, તમે દેવાધિદેવની પ્રતિમા લઈ ગયા છે એ અમને પાછી સેપે. કેમકે એ પ્રતિમા મારા રાજા જેવા પરમ જિનભક્તને ત્યાંજ શોભે. (રહે એ એગ્ય છે.) વળી હે અવન્તીપતિ, મારા પ્રભુના અન્ય પણ અનેક રને અહિ વિરાજી રહ્યાં છે. (એમને વિષે કંઈ કહેવાનું નથી)–પણ આ પ્રતિમા તે મૂળથી જ એમની છે માટે એને વિષે કહેવાનું છે. માટે એ અમારી અનુપમ પ્રતિમા અમને સેપી ઘો. એમાંજ તમારું કલ્યાણ છે. કેમકે મારે સ્વામી શત્રુને પહેલો અપરાધ શિશુના અપરાધની જેમ સહન કરી લે છે. પણ જો તમે આ કથન નહિં માને તો એનું પરિણામ તમને કષ્ટદાયક થશે. કેમકે કદાપિ ક્યાંય પણ કેસરિ-સિંહને છંછેડા સાર નથી. ઉદાયનનૃપતિના દૂતનાં તીવ્ર વચનથી જેને અંગેઅંગ અ-' ત્યન્ત ક્રોધ વ્યાપી ગયો હતો એવો પ્રદ્યોતનભૂપતિ કહેવા લાગ્યા –હે દૂત, તું નિશ્ચયે ધાનપાલની સભામાં ઉછરી મોટો થયો છે. નહિં તે આવા અસંબદ્ધ વાકયે તારા મુખમાંથી નીકળે નહીં. તારી પાસે જે આવાં વચને બેલાવરાવે છે તે તારે સવામી વળી તારાં કરતાંયે ચઢી જાય એ હશે. તમારી આપેલી ચેટિકા મારા ઘરમાં રહેશે એમ તમે ધારો છે શું ? અરે! લક્ષ્મી કદિ કેઈની આજ્ઞાનુસાર (કેાઈના) ઘરમાં રહી છે ખરી? શું હું લઈને એ મારી પાસે પ્રતિમા પાછી માગવા નીકળ્યો છે? હાથીના મુખમાં ગ્રાસ પેઠે એ કણ બહાર કઢાવવા સમર્થ છે ? “આ પ્રતિમાં એની છે અને આ રત્નો આનાં છે” એવું એવું જે તમે કહે છે એ પણ અસત્ય છે કેમકે એ સર્વ એક ખડ્ઝ ને વશવત છે. વળી આ પ્રતિમા તે હું મારા ભુજદંડના બળથી અહિં લાવ્યો છું તે અવર-માંડળિક–રાજાની પેઠે હું કેમ પાછી છું ? P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ - - ( 68), શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. મેં અનેક દર્જય રાજાઓને પણ વશ કર્યા છે એ વાત શું તારા સ્વામી નથી જાણતા કે વારંવાર સામર્થ્યની વાત કયો કરે છે? એ સાંભળીને માલવપતિની પાસે ઉદાયન રાજાના તે પણ અત્યન્ત તીક્ષણ તીક્ષણ શબ્દ બાણને પ્રહાર કર્યો. કેમકે સભા વચ્ચે નાચવા નીકળવું ત્યાં બુરખો નાખી ઑાં શું છુપાવવું? એણે કહ્યું–હે ભૂપતિ, એ વાત સત્ય છે કે મારા રાજાએ આપને દાસી નથી આપી. પણ એ એક સત્ય વાતની સાથે આ એક બીજી પણ સત્ય વાત છે કે (એણે તમને દાસી નથી આપી તે) હવે તમને દાસ્ય આપશે. તમારી પાસેથી એ મહાબળ. રાજા બળપૂર્વક પ્રતિમા પાછી લેશે. હસ્તીના કુંભસ્થળમાં રહેલાં એવાં મુક્તાફળ પણ શું કેસરિસિંહ બહાર નથી કાઢી શકતો ?' વળી તમે સર્વ વસ્તુ ખર્શને જ વશવતી છે” એવું જે કહ્યું તે તે અમે સવિશેષ પ્રમાણ કરીએ છીએ, પરંતુ ખØ તે મારા રાજાનુંજ, અન્યનાં તે લેખંડના ખંડ-ટુકડા માત્રજ. એ સિવાય તમે જે ભુજદંડના સામર્થ્યની વાત કરી એ હવે ( યુદ્ધમાં) જણાશે. “કેણ શુરે ને કોણ નહિં એની પરીક્ષા તો રણક્ષેત્રમાં જ થાય છે. વળી ધુંધુમાર આદિ રાજાઓએ જે તારે માથે વીતક વિતાડી છે તે મારે રાજા જાણે છે. માટે હવે મૌન રહે. તમારું સર્વ પરાક્રમ જાણ્યું. હવે બહુ આડમ્બર રહેવા દ્યો. કારણ કે બાંધી મૂઠી લાખની. હે રાજન, જે મારું વચન અસત્ય નીવડે તે હું સત્ય- . મેવ શ્વાનપાળેને ઉછેરાયેલે ખરે. પરંતુ તમારું વચન અસત્ય નીવડે તો તે તમે પણ તમને કંઈ કહેવાય નહિં. આટલું આટલું કહેતા છતાં તમે મારું વચન માનતા નથી, પણ એમાં કાંઈ આશ્ચર્ય નથી: પાકે ઘડે કયાંય કાંઠા ચઢતા નથી. - દૂતનાં આવાં આવાં અપમાનકારક વચનેએ તે અવન્તીપતિના ચિત્તમાં ધમધમી રહેલે ક્રોધાગ્નિ પ્રજવલિત કર્યો. એથી આક્રોશ સહિત કહ્યું–અરે દુરાચારી દૂત, જા, તારા રાજાને કહેહું પ્રતિમા નથી આપતા; ને સંગ્રામ માટે સજ છું.' તે દૂતચીઠ્ઠીને ચાકર, એટલે તને જવા દઉં છું. નહિંતર તને શિક્ષા .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ દૂતનું વીતભય ગમન ઉદાયનની યુદ્ધની તૈયારી. (6) કર્યા વિના છોડત નહિં. પછી એણે પોતાના માણસોને અજ્ઞા કરવાથી એમણે એને ગળે પકડીને બહાર કાઢી મૂકો. * દતે પછી સત્વર આવીને પિતાના રાજાને યથાસ્થિત વાત નિવેદન કરી. કેમકે સેવકજનેએ સવામીને અસત્ય વાત કહીને ઠગવા ન જોઈએ. દૂતનું કહેવું સાંભળીને, સમુદ્રના તરંગે જેમ વાયરે ઉત્પન્ન થવાથી ક્ષોભ પામે એમ, સભાસદે સર્વ ક્ષોભ પામ્યા. હું શત્રુ પર વિજય મેળવીશ, શત્રુને અવશ્ય પરાજય કરીશ 'એવી રાજપુત્ર-અભીચિના મનની વાત બહાર પ્રકટ કરતી હાયની એમ એના ભાળ પ્રદેશને વિષે ત્રણ રેખા પ્રકટી આવી. રાજાના ભગિની પુત્ર-ભાણેજ કેશીનું પણ ઉદય પામતા રયેના જેવું લાલચોળ અંગ થઈ ગયું. ક્રોધાવિષ્ટ જેસિંહે પણ આ હમણુંજ' શત્રુને એના દેશમાંથી હાંકી કાઢું છું એમ સૂચવતા હાયની એ દીર્ધ નિ:શ્વાસ મૂકો. દૂતાવળ સુભટ વળી વૈરિને દાંત વડે પણ પકડીને પરાજય કર જોઈએ એમ સૂચવતે હેયની એમ દાંત વડે હઠ કરડવા લાગ્યો. સિંહબળ તે પિતાના સ્કંધ અફાળવા લાગે તે જાણે એમ સૂચવવાને કે હું શત્રુને આ મારા સ્કંધના બળથી જીતી લઈશ. સભામાં એક સિંહ સામે મહા પરાકમી સિંહ નામે હતો એ તે “શત્રુ ગમે એટલે પડખાં-મિત્રનાં બળવાળો હશે તે પણ મારી પાસે એની શી ગણના?” એમ કહીને એને ઉપહાસ કરવા લાગ્યો. સભામાં એક આહવા નામને હતો એ વળી “હું યુદ્ધક્ષેત્રમાં (પીઠ નહીં બતાવતાં) શત્રુ સમક્ષ હૃદય સ્થળ ધરીશ” એમ કહેતે હેયની એમ પ- . તાનું ઉન્નત હદય બતાવવા લાગ્યા (છાતી કાઢવા લાગ્ય) સમ'રાંગણમાં તત્પર એવો એક સમર નામને હતે એ પોતાની તજેની હલાવવા લાગે તે એમ સૂચવવાને હાયની કે શત્રુઓ. મારી એક આંગળી પ્રમાણ છે. એક ત૫સિહ નામને હતા એ તે વારંવાર પોતાના વક્ષ:સ્થળ પર હાથ ફેરવવા લાગ્યો તે જાણે એને એમ કહતે હોયની કે તારીજ દ્રઢતાથી વૈરિને પરાજય કરવાનું છે માટે તે દ્રઢ થજે.એક પરબલ નામને સુભટ તો ત્રના બળવા ઉપાય કરવામાં સહાયની એમ Jun Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ ( 7 ) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. રિપુના સૈન્યને સંહાર કરવાને માટે જાણે એની સંખ્યા કેટલી છે એની ગણત્રી કાઢત હાયની એમ પોતાના બેઊકર પીસવા લાગ્યો. એક પૃથ્વીસિંહ નામને સુભટ તે ક્રોધમાં પૃથ્વીને પાદ પ્રહાર કરવા લાગ્યો, એમ કે તે અદ્યાપિ મારા શત્રુઓને તારા ઉસંગમાં કેમ રાખી બેઠી છે? એક કર્ણ નામને ચોદ્ધો પુનઃ પુન: મસ્તક ધુણાવવા લાગ્યો તે જાણે એટલા માટે કે હજુ સુધી શત્રુ પર વિજય મેળવવા માટે જવામાં કેમ વિલમ્બ કરાય છે. શત્રુ કયાં છે, મારી નજરે પાડો કે જેથી હું એને શિક્ષા કરું એમ એક ચતુર્ભુજ નામને મલ્લ ચેદિશ દ્રષ્ટિ ફેરવવા લાગ્યું. આ પ્રમાણે સભામાં સર્વત્ર સંભ થઈ રહ્યો એ જોઇને પૃથ્વીપતિ ઉદાયન રાજાએ સર્વેને સંબોધીને કહ્યું-તમે શાંત, થાઓ. તમારી સર્વની ઈચ્છા અનુસાર વર્તન કરીશું. એમ કહીને સદ્ય એણે આદેશ કર્યો. એટલે એવા કાર્યમાં હતા એ માણસ એ તક્ષણ એટલા બળથી એ ડંકે વગાડ કે પૃથ્વીતળની સાથે રિપુના હૃદય પણ કપાયમાન થયાં અને એના નાદથી સર્વે દિશાઓ પૂરાઈ ગઈ. - ભેરીને નાદ સાંભળીને મહાવતે અત્યન્ત હર્ષ સહિત જ, ગમ પર્વતે હેયની એવા હસ્તીઓને તૈયાર કરવા લાગ્યા. દ્રઢ અપાંગવાળા અશ્વારે વળી સિધુ-કેકાણું-વાલિક આદિ દેશની ઉત્પત્તિના અને સજ્જ કરવા લાગ્યા. રથિકે સુદ્ધ જંગમ દેવનિવાસ હોયની એવા વજા અને કળશવાળા પોતાના રને તૈયાર કરીને માર્ગને વિષે લાવી રાખવા લાગ્યા. આટલા દિવસ અમારા સ્વામીનું અન્ન ખાઈને અમે હવે જ એને સારી રીતે બદલો વાળી આપીશું એમ ઉત્સાહપૂર્વક કહેતા હોય એમ ધનુષ્ય ભાણ–ખરા આદિ શસ્ત્રોથી સજજ થયેલા પદાતિ-પાયદળના સૈનિકે હર્ષમાં આવી જઈ પુનઃ પુનઃ નાચવા કુદવા લાગ્યા. પછી જેતિકશાસ્ત્રના જાણુ એવા દેવજ્ઞ પંડિતાએ આપેલા ઉત્તમ લગ્ન, મહાવત નરેશ્વરને માટે સજજ કરેલ પદ્મહસ્તી નિયુક્ત સ્થળે લઈ આવવા ગયે તેજ ક્ષણે એ અતિશય મદમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ઉદાયન રાજાનું યુદ્ધ અર્થે ગામન ( 7 ) આવ્યો; વાદને વિષે જેમ એક સામર્થ્યવાન વાદી મદમાં આવે છે એમ સિંદુર આદિ વિવિધ વસ્તુઓથી વિભૂષિત-એવા એ હસ્તીપર નૃપતિ આરૂઢ થયે, તે જાણે શરીરધારી (સાક્ષાત્ ) વિજય ઉપર આરૂઢ થયે હાયની! પછી છત્રધારી સેવકે એના છત્રાકાર મસ્તક ઉપર છત્ર ધર્યું એ પણ ચગ્ય જ થયું કેમકે સમાન ગુણવાળાઓને પરસ્પર સંબંધ શોભેજ છે. એ છત્ર એ વખતે લોકોની દ્રષ્ટિએ જાણે બેવડું હાયની એમ લાગ્યું તે જાણે ઉભય–બેઉ રાજ્યનાં છત્રે એકત્ર થઈ (વિજયી) રાજાની મસ્તક પર રહ્યાં હોયની! વળી વારાંગનાઓ નૃપતિને ચામર ઉરાડતી હતી તે જાણે, “હે મહારાજા, તું મારા પર આક્રમણ કરવા આવીશ નહીં”—એમ કહી એને શાન્ત કરવાનું પ્રતિપક્ષી ચતુર કળાબાજ રાજાએ પ્રથમથી જ પિતાના તરફ કર મોકલાવી દીધે હાયની એમ ભાસ થતું હતું. વળી એની આગળ, પાછળ અને બાજુએ સૈનિકોને પરિવાર સજજ થઈ ઉભો હતે. આવી આવી અનેક સમૃદ્ધિને લીધે તે જાણે સાક્ષાત્ દિવસ્પતિ ઇન્દ્ર પૃથ્વી પર ઉતરી આવ્યે હાયની એ વિરાજી રહ્યો હતે. પછી ઉત્તરોત્તર કલ્યાણકારી અને વિજય પ્રાપ્તિ સૂચક ઉત્તમ શકુને થતાં જોઈ હર્ષિત થઈ ઉદાયન મહારાજા નગરની બહાર નીકળ્યો. અશ્વો ચાલતાં ચાલતાં માર્ગમાં પૃથ્વીને પોતાનાં કઠેર ખરીઓ વડે ખોદી નાખવા લાગ્યા તે જાણે કઠોર ચરણવાળા રાજાઓની પણ આવી જ અવસ્થા થાય છે એમ સૂચવન કરતા હોયની ! રથને સમૂહ પણ ચકોના આઘાત વડે ધરણને ફાડી નાખવા લાગ્યો તે જાણે પૃથ્વીની નીચે રહી એના ભારને ધારણ કરી રહેલ શેષનાગનાં દર્શન કરવાને માટે જ હાયની! પાછળ ચાલનાર હસ્તીઓ વળી અશ્વો તથા રથએ ખોદી નાખેલી પૃથ્વીને પુન: દુરસ્ત કરતા આવતા હતા તે જાણે એમ સૂચવવાને કે ન્હાનાઓએ બગાડેલું પુનઃ મમ્હોટાઓ સુધારી લે છે. જેમના પર માણસે સવાર થયેલા છે એવા, અને વેગમાં ચાલવાને લીધે બેઉ બાજુએ હવામાં ફરફરી રહેલાં સુંદર પક્ષો વાળા દઢ શરીરી Jun Gun Aaradhak Trust Page #81 -------------------------------------------------------------------------- ________________ (72) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવને ચરિત્ર, ઉંટો વારંવાર નીચી ઉંચી ડોક કરતા હતા તે જાણે આકાશને વિષે ઉડવાને ઇચ્છતા હોયની એમ ભાસ થતો હતે. ધન અને ધાન્યથી ભરેલાં અનેક વાહને પાછળ વહ્યાં આવતાં હતાં તે જાણે પૃથ્વીમાંથી પ્રકટ થઈને નિધાને રાજાની સાથે ચાલ્યાં આવતાં હોયની ! ઉદાયન મહારાજાની પાછળ જ જાણે એના. જેવા એક દાનેશ્વરી શુરવીર પૃથ્વી પતિને સહાય કરવાને માટે દશ દિફ પાળે પૃથ્વી પર ઉતરી આવ્યા હોયની એવા, મહાસેના આદિ દશ મુકુટબંધ રાજાઓ વિરાજી રહ્યા હતા. એ વખતે વળી ભાસ્કર સૂર્યદેવતા પણ રાજાના સૈન્યના ચાલવાથી ઉડેલી રજ વડે ઢંકાઈ ગયે તેથી " અહો, બહુ સારું થયું કે આ ધૂળે મને છુપાવી દીધો, અન્યથા એ રાજા મને જોઈને મારે પણ પરાભવ કરવા આવત” એમ જાણે ખુશી થતા હાયની. પણ અમને તે એમ લાગે છે કે શર એટલે તીરેએ ભરેલાં ભાથાને પિતાના અંગ પર બાંધી લેતા ધનુષ્યધારીઓને જોઇને સૂર્યદેવને શંકા થઈ કે રખેને એઓ મારાં પણ શર બાંધી લેશે એવું ચિત્તવીને એણે પિતાનાં સહસ્ત્રશર એ વખતે ઉડતી ધુળના સમૂહને વિષે ગેપવી દીધાં હશે. આ પ્રમાણે માર્ગને વિષે વિષમ (વસ્તુઓ) ને સમ કરતી, અને સમવસ્તુઓને વિષમ કરતી નદી વહી આવતી હોયની એમ ઉદાયન રાજાની સમસ્ત સેના પરમ ઉત્સાહ પૂર્વક વહી આવતી : હતી એવામાં એ રાગદ્વેષ મુક્ત માનવજાતિ મમત્વમાં આવી જાય છે. એમ નિર્જલ પ્રદેશમાં આવી પડી. તેથી જળના અભાવને. લીધે વૈરિણું હાયની એવી તૃષાથી પીડાતા સમસ્ત સૈનિકે પરા.. ક્રમશાળી છતાં અત્યન્ત દુઃખી થવા લાગ્યા. અને જળ અને જળનું જ ધ્યાન ધરતા કઈ કઈ સ્થળે અપમાત્ર શમી આદિ વૃક્ષની છાયા મળી એ છાયાને આશ્રયે પડયા. તૃષાને લીધે અંધ જેવા બની ગયેલા કેટલાક તે અન્ય . કંઈ ઉપાય ન જોઈને, સન્નિપાતથી પીડાતા હોયની એમ જ્યાં ત્યાં આળોટવા લાગ્યા; અને એ તૃષા શમાવવાને વૃક્ષનાં પત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak Trust Page #82 -------------------------------------------------------------------------- ________________ થ્રીપુષ્પરાત્પત્તિ, . (73) તથા આમળાંનાં ફળ કે અન્ય મળી આવી એવી હરકે ઠંડી વસ્તુઓ મુખમાં નાખવા લાગ્યા. જળ નહિં મળવાથી દીન જેવા બની ગયેલા સકળ સૈન્ય જીવનની આશા પણ છેડી, કારણ કે જળ હોય તો જ જીવન છે. પણ એટલામાં તે રાજાએ, પ્રભાવતી જે અત્યારે દેવતા સ્વરૂપે સ્વર્ગમાં હતી એનું સ્મરણ કર્યું. કારણ કે પ્રાણ કઠે આવ્યા હોય ત્યારે સંજીવની જ સોધવી પડે છે. એ દેવતા પણ મરણમાત્રથી જ રાજાની સમક્ષ આવીને ઉપસ્થિત થયે; વશ કરેલું ચેટક-મૂતપ્રેત જેમ સિદ્ધપુરૂષની સમક્ષ આવી ખડું થાય છે એમ આવીને દેવતાએ તક્ષણ ત્રણ હેટાં પુષ્કર જળથી ભરી દીધાં અને સાથે ત્રિભુવનને કીર્તિથી ભરી દીધું. વાવે ભરાઈ ગઈ એટલે સૈનિકે તૃપ્તિપૂર્ણ જળપાન કરીને સુખી થયા. કહ્યું છે કે જેમ પ્રાણુના દુર્ભાગ્યની સીમાં નથી તેમ એના ભાગ્યની પણ સીમા નથી. આ પ્રમાણે દેવતાએ રાજાને વિપત્તિથી પાર ઉતાર્યો અથવા તે એને ભવિષ્યમાં ભાવ-પત્તિથી પણ નિસ્તાર કરનાર એજ છે. આમ એનું કાર્ય સિદ્ધ કરી દઈને તક્ષણ દેવતા અન્તર્ધાન થયે. અથવા તે દેવહદયથી ઉત્પન્ન થયેલ પ્રકાશ પ્રકટ રહે પણ કેટલો વખત પછી, બળ જેનું વૃદ્ધિ પામ્યું છે એવા આ ઉદાયન રાજાએ આગળ પ્રયાણ કર્યું. અથવા તે સત્પરૂએ કદિ પાછાં પગલાં કર્યો સાંભળ્યાં છે? એમ કરતાં જ્યારે પ્રદ્યતન રાજાના દેશના સીમાડામાં ઉદાયને પ્રવેશ કર્યો ત્યારે ભયને લીધે. ભાણેભાણું અથડાઈ કુટવા લાગ્યા અને લોકોએ જ્યારે જોયું કે શત્રુનું સૈન્ય આવી પહોંચ્યું છે ત્યારે તે હવે આપણું શું થશે એનીજ ચિતા કરવા લાગ્યા. વળી વાહને મેઘાં થઈ ગયા, ખોરાકિ આદિની વસ્તુઓનું પણ બહુ મૂલ્ય બેસવા લાગ્યું, સમગ્ર વસ્તુઓની અછત થઈ પડી. ઉદાયન રાજા તે સર્વ પ્રજાનું પોતાની પ્રજા સંતતિની જેમ પાલન કરવું જોઈએ એવી ન્યાયદષ્ટિ રાખી દેશને લેશ પણ ઉપદ્રવ કર્યા વિના શત્રુ-ચંડપ્રદ્યોત–ની રાજ્યધાની P.P.Ac Gunratnasuri રીકે Badharbour Page #83 -------------------------------------------------------------------------- ________________ ( 7 ) શ્રી અક્ષય કુમાર મોશ્વરનું જીવન ચરિત્ર. ઉજયિની સુધી આવી પહોંચ્યા. અને મહંત પુરૂ કરતાં પણ અધિક ગુણવાન નર પૃત્રીમંડળ પર કૈક પડયા છે એ વાતને સત્ય કરી બતાવી. - હવે ચંડપ્રોત પણ ગર્વ આણુને સામે યુદ્ધ કરવા ઉતરી પડે. તુરતજ પોતાના સૈન્યના બે ચતુથે ચતુર્થ ભાગ એકત્ર મોકલીને વૈરિની સેનાને આગળ આવતી અટકાવી. એણે પછી પ્રયાણ માટે ભેરી વગાડવાનો આદેશ કર્યો તે એમાંથી પોતાના સ્વામીનું અનિષ્ટ સૂચવતે હાયની એ કર્કશ નાદ નીકળવા લાગે. વળી પટ્ટહસ્તીને સજજ કરી લાવવામાં આવ્યા ત્યાં, એના પક્ષવાળાને પરાજય થવાને છે એમ પોકારતી હોયની એવી છીંક કેઈને આવી. વિજયધ્વજ આવ્યો એયે કયાંક પછ. ડાઈને આવ્યું એ પરથી જાણે એમ સૂચિત થયું કે હવે એના માલિકના ભાગ્યમાં પછાડા જ છે. છત્ર લઈને આવનાર છત્રધર સેવક પણ તે વખતે ઠેશ વાગવાથી ભૂમિ પર લેટી પડે. સુભટેનાં ભાલપ્રેદેશમાં ચંદનના ત્રિપુંડૂક કરવામાં આવ્યાં પણ તે તે ક્ષણવારમાં સુકાઈ ગયાં તેથી જાણે એમ સૂચિત થયું કે એમને વીર રસ જ જાણે શુષ્ક થઈ ગયા છે. સૈનિકે સજજ થયા ત્યાં તે પ્રથમથી જ એમના શરીરમાંથી પ્રસ્વેદ ગળવા લાગ્યો એણે જાણે એમ સૂચવ્યું કે એમનું પરાક્રમ જ ગળી જવા લાગ્યું છે. પછી યુદ્ધની શરણાઈ વાગવી શરૂ થઈ એમાંથી નીકળતા કરૂણ સ્વર જાણે એમ સૂચવતો હતો કે ભવિષ્યમાં આવી પડનારી વિપત્તિની શંકાથી એ રૂદન કરી રહી છે. વળી રાજાને પ્રતાપ સૂચવતે દાહ-તાપ ચેમેર શરૂ થયો અને દિશાઓ સર્વે પણ જાણે રજસ્વળા હોયની એમ રેજોમય થઈ રહી (ધૂળ ઉડવા લાગી) સૈન્યના ભારથી જ થયે હેયની એમ વળી ધરતીકંપ થયે, અને ચંડપ્રદ્યોતના પ્રતાપનો પાત થયે હોયની એમ દિવસે પણ ઉકાપાત થયે. આ ઉપરાંત અન્ય પણ અનેક અશુભ શુકન થયાં એને યુદ્ધથી નિશ્ચયપૂર્વક વારતો હેયની એમ વાયુ પણ પ્રચંડ પણે સામે વાવા લાગ્યા અને નગરમાંથી બહાર Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉદયન મહારાજા અને ચડપ્રદ્યોતનું ઇંદ્ધ, (પ) નિસરતાં જ કાળો નાગ આડે ઉતર્યો, તે જાણે વિધાતાએ એના બનને માટે રજુ તૈયાર કરી એની દૃષ્ટિએ પાડયું હેયની! આમ એને યુદ્ધથી નિવારવા અનેક કુશકુને થયાં છતાં એને ન માની માની રાજાએ પ્રયાણજ કર્યું. આ શકુને જ ન્યાયાધીશની જેમ ન્યાય આપી રહ્યાં છે માટે યુદ્ધ ન કરવા જતાં પાછા ફરો-એમ અનેક રાજ્યાધિકારીઓના પણ અવાજે આવવા છતાં, રાજા અહંકારે ભરેલ હોઈ અટક નહિં. કેમકે કર્મ પ્રમાણે જ બુદ્ધિ થાય છે. પછી તે રામ અને રાવણનાં સૈન્ય સામસામાં આવ્યાં હાયની એમ એ બેઉ નૃપતિઓનાં સૈન્ય યુદ્ધમાં ઉતરી પડયાં, અને પોતપોતાના સ્વામિઓનું ઈષ્ટ કરવા તત્પર બની સન્તુષ્ટપણે નાચતાકુદતા ઉભયપક્ષનાં સુભટોએ સિંહનાદ કર્યો. ચંડપ્રદ્યોતે પિતાના સેનાપતિ વિગેરેને બોલાવી, પિતે જાણે દેવતાઓને ગુરૂ બૃહસ્પતિ હાયની એમ, એમને શિક્ષાવચને કહ્યાં અરે સુભટે, તમે સ્પેન પક્ષી અનેરાં ન્હાનાં પક્ષિઓનો શિકાર કરે છે એમ, તમારા જવલંત પરાક્રમ વડે અનેક બળવાન રાજાઓને પરાજય અનેકવાર કર્યો છે. પરંતુ આ ઉદાયન અત્યન્ત બળવાન છે, એને પક્ષ સમર્થ છે, એટલે એ દુર્જય છે. તમે સ્પેન છે તે એ વિનતાસુત–ગરૂડ છે. એને પુત્ર અભીચિ એકલો જ સંખ્યાબદ્ધ સુભટને નમાવવા સમર્થ છે. તમે સર્વ ભલે ગજરાજ છે પણ એ કેસરીસિંહ છે. વળી એને ભાણેજ કેશી છે એ જેમ એક મુનિ લીલામાત્રમાં પોતાના સમસ્તવાળને ઉખેડી નાખે છે એમ એ રમતાં રમતાં આપણા સૈન્યને ઉખેડી તોડી નાખે એવે છે. એના અન્યબધુઓ પણ શત્રુને પાણું પાય એવા છે, માટે એઓ કુંભકર્ણની જેમ તમને સંગ્રામમાં ત્રાહિ ત્રાહિ પોકરાવશે. એના પક્ષના મહાસેન વગેરે દશ મુકુટધારી રાજાઓ છે એઓ તે વળી એવા ભુજબળવાળા છે કે આ દશ દિપાળો દશ વિવિધ દિશાઓમાં વાસ કરી રહ્યા છે એ જાણે એમનાથી ભયભીત થઈને નાસી જઈ ત્યાં રહ્યા હોયની ! એના અન્ય સા - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ (76) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, મન્ત છે એઓ. મેં એવા બળવત્તર છે કે દેવતાઓ પણ એમના આગળ પાણી ભરે. એમનામાં ઉતરતામાં ઉતરતે સામન્ત પણ એક સહસ્ત્ર સુભટને પુરો પડે એવે છે. આમ બાબત છે માટે હે વ્હાલા સુભટે, તમારે એકમના થઈ એવી રીતે યુદ્ધ કરવાનું છે કે શત્રુઓને પરાજય મળે અને તમને વિજયપતાકા પ્રાપ્ત થાય... * આ બાજુએ વીતભયનગરીના સ્વામી ઉદાયન રાજાએ પણ પોતાના સૈનિકોને ભણાવવામાં કંઈ કચાશ રાખી નહીં. કારણ કે સર્વ કેઈને અન્યને પીરસાય મોદક પોતાને પીરસાયલા કરતાં મહોટે લાગે છે. ? : | એ સમયે રણક્ષેત્રને વિષે યુદ્ધનાં તરી આદિ વાજીત્ર એવાં પૂર્ણજોસથી વાગવા લાગ્યાં કે જાણે હમણાં જ આખા બ્રહ્માંડને ફાડી નાખશે. સંગ્રામને માટે વૃદ્ધિ પામતા ઉત્સાહથી સૈનિકનાં શરીર ઉછુવાસ પામ્યાને લીધે એમનાં બખ્તર પણ જાણે જીર્ણ રજુએ હાયની એમ ત્રત્રમ્ ત્રુટવા લાગ્યાં. અશ્વોને ગર્વપુર્વક ગ્રહણ કરતા વીરપુરૂષે તૈયાર થઈ ગયા અને એ અશ્વોએ પણ પિતાની પીઠપર પર્યાણ નખાતાં હર્ષસહિત હેષારવ કર્યો. રથવાળાઓએ રથને વિષે શસ્ત્ર ભર્યો, અને પાયદળ પણ બખ્તર ચઢાવી શસ્તબદ્ધ થઈ તૈયાર થઈ ગયું. વળી. એ વખતે, એમનાં પૂર્વજોનાં પરાક્રમનું સમરણ કરાવતા, આદરેલા યુદ્ધકાર્યને પુરેપુરું નિર્વહન કરવાનું ફળ સમજાવતા, વારંવાર ઉત્સાહ વધારવાને એમનાં પરાક્રમોનું કીર્તન કરતા, ખડીથી શ્વેત બનાવેલા હસ્તે વાળા, વાચાળ ભાટબારોટે. હસ્તિ, અશ્વ, રથ અને પાયદળએમ પ્રત્યેક સૈન્યમાં ફર્યાફર કરવા લાગ્યા, નગરને વિષે રાત્રી સમયે પહેરેગિરે ફર્યા કરે છે એમ. | તુરતજ ભાલેભાલાવાળા, ત્રિશૂળે ત્રિશૂળવાળા, બાણાવળીએ બાણાવળી, શક્તિએ શક્તિવાળા, દંડવાળા, મુદુગરે મુદગરવાળા, ચક્રધરે ચક્રધર, તલવારીઓએ તલવારીઓ-કઈ રથમાં બેઠેલા, કેઈ અશ્વ પર સવાર થયેલા, કેઈ હરતી પર આરૂઢ થયેલા અને વળી કઈ પાદચારિ પણુ-પિતા પોતાનાં જ્વલંત પરાક્રમ .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉદાયના મહારાજા અને ચંડપ્રદ્યોતનું યુદ્ધ. ( 77; ) દર્શાવતા, પસંદગી પ્રમાણેના હરિફ પ્લાઓ સાથે એમના નામ: લઈલઈને, યુદ્ધ કરવા સામસામા આવ્યા; એવામાં અસાધારણ કરૂણામૃતના સાગર એવા સિલ્વદેશપતિ ઉદાયન રાજાએ ક્ષણવાર ચુદ્ધ બન્ધ રખાવી, પોતાના એક કુશળતને સત્વર ચંડપ્રદ્યોત રાજાની પાસે મોકલ્યા. એ દૂતે જઈ પોતાના સ્વામીનું કહેલું, એને કહી સંભળાવ્યું. “હે બળવાન નરપતિ, જેમ પ્રાણુઓને અને એમનાં કર્મોને છે એમ વૈર તે માટે અને તારે છે. તેઓ આ દાવાનળ યુદ્ધથી. અન્ય નિરપરાધી માનવીઓને શા માટે સંહાર થવા દે? મમત્ત સાંઢ પરસ્પર અફળાય-ઝટકાય ભલે, પણ એને લીધે વૃક્ષે કચચરઘાણ શા માટે થવા દે? માટે હે રાજન, પ્રભાતે આપણે બે જ એકાકી યુદ્ધમાં ઉતરીએ. તે વખતે જેને વિજય થાય એને પરાક્રમસૂચક તિલક કરી, પરાજય પામેલાએ સન્માન આપવું. વળી આપણે એ યુદ્ધ રણક્ષેત્રમાં ફક્ત રથમાં બેઠાં બેઠાં જ કરવું.” ચંડપ્રદ્યોતે પણ દૂતનું એ કહેણું માન્ય રાખ્યું. : - આમ ઉભય પ્રતિપક્ષીઓ પરસ્પર સંમત થવાથી, એમનામાંના એક-ઉદાયને સદ્ય પ્રતીહારદ્વારા પિતાના સૈનિકને યુદ્ધ શરૂ કરતાં બંધ રાખ્યા. એટલામાં તે સમસ્ત વૃત્તાન્ત સર્વત્ર પ્રસરી ગયો. ઉભય રાજાઓ પરસ્પર દંદયુદ્ધ કરશે એ વાત સર્વેએ સાંભળી. અને સે કઈ વળતા દિવસનું સિંહયુદ્ધ જેવાને તલપાપડ થઈ રહ્યા, પ્રતીહારના કહેવાથી રથ, અશ્વ અને ગજરાજ વગેરે સર્વ રણક્ષેત્રમાંથી પાછા ફર્યા. કૃષણના દ્રવ્યની જેમ તલવારો કેશાધીન થઈ, પુસ્તકોના પાનાંની જેમ, ભાલાંઓ બંધાઈ ગયાં, પ્રત્યંચા પરથી " ધનુષ્ય અને ધનુષ્ય થકી તીર ઉતારી જાણે ખાલી રાડાં હોય એમ ભાથામાં ભરી લેવામાં આવ્યાં, અને મુગો પણ હેઠે મૂકાઈ ગયા. પરંતુ રાજા–ઉદાયનના તે તે સુભટને તે આમ બનવાથી જાણે વજન પ્રહાર થય હાયની એમ થયું. એ એ વિચારમાં પડયા કે એવો કેણુ શત્રુ અત્યારે આવી સલાહ કરાવવા માટે નીકળી આવ્યા ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #87 -------------------------------------------------------------------------- ________________ (78) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, અમારે તો બહુ બહુ વખતથી ઈએલ આ યુદ્ધ પ્રસંગ વિદ્વાનોને યાત્રાના ઉત્સવની જેમ માંડમાંડ પ્રાપ્ત થયો હતો એ યુદ્ધનો નિષેધ કરાવીને અમારા રાજાના દુષ્ટ અવળા સલાહકારે તે અમારું સર્વસ્વ, અરે, અમારું જીવિતવ્ય પણ હરી લીધું છે. હવે અમારા રાજને આ ચંડપ્રદ્યોત જે શત્રુ કોણ ઉત્પન્ન થશે કે જેની સાથે યુદ્ધ કરીને અમે અમારા મરથ પૂર્ણ કરી શકીશું? અમારે આયુધાભ્યાસ, અમારું શસ્ત્રધારણ અને અમારું ભુજબળ એ સર્વ વાનાં સ્થળને વિષે કમળ ઉગાવવાના પ્રયત્નની જેમ વૃથા નિષ્ફળ થતાં જોઈ અમને બહુ ખેદ થાય છે ! અમે અમારા માલિનું અન્ન અણહકનું ખાધું ઠરે છે. અમારો અહિં ઉપગન થયે તે હવે ક્યાં થશે ? આવા આવા ચિન્તવન–વિચાર કરવાપૂર્વક નિ:શ્વાસ મૂકતા અને વીલે મોંએ એઓ રણક્ષેત્રમાંથી પાછા વળ્યા. પણ બીજું કરે ચે શું? સેવકોએ સ્વામીને આધીન રહેવું જ એ વખતે ચંડપ્રદ્યોતરાજાએ પણ પ્રતીહારદ્વારા કહેવરાવીને પિતાના સર્વ સિનિકને યુદ્ધને આરંભ કરતા નિવાર્યા. બીજે દિવસે ઉઠીને સ્નાન કરી શુદ્ધથઈ ઉદાયનરાજાએ સુગંધિ દિવ્ય-પુષ્પ વગેરેથી જિનબિાની પૂજા કરી, વજથી પણ ન ભેદી શકાય એવું દુર્ભેદ્ય કવચ અંગપર પહેરી લીધું અને પોતે જોકે અખિલ જગતનું રક્ષણ કરવાને સમર્થ હતો છતાં, પોતાના મસ્તકના રક્ષણાર્થે શિર રક્ષક એટલે ટપ ધારણ કર્યો. વળી પીઠે વિવિધ શરેથી ભરેલાં બે ભાથાં બાંધી લીધાં અને બળવંત વામણુજામાં દંડ ગ્રહણ કર્યો. આમ સજજ થઈ રથમાં બેસી, બન્દિજનોનાં નરપતિ, તું સુખી રહે તારે વિજય થાઓ એવાં મંગળિકસૂચક આશીર્વચને શ્રવણ કરતો કરતો પ્રભાતસમયે જ રણક્ષેત્રને વિષે આવી ઉભારહ્યો. કેમકે સત્પરૂ સર્વદા પિતાનું વચન પાળેજ છે. પણ ચંડપ્રદ્યોત તો એને રથમાં બેસી આવતો જોઈ, એ રથારૂઢ થવાથી પરાજિત થે મુશ્કેલ છે એમ ધારી પતે અનિલવેગ હસ્તીપર બેસીને ત્યાં આવ્યો. એવા નિષેધેલા વાહનપર આરૂઢ થયેલા એ ચંડપ્રદ્યોતને ઉદાયને તત્કૃણુ કહી વાળ્યું કે જે P.P. Ac. Gunratnasuri M.S. JunGun Aaradhak Trust Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉદાયન રાજનો જય અને સંદેશ તરફ ગમન ( 7 ). ભલે તું વચનભંગ કરીને હસ્તીપર આરૂઢ થયે તથાપિ પ્રતિજ્ઞાને લેપનાર મુનિજનની જેમ તારે પણ મેક્ષ નહિં થાય. વળી તે આમ તારંજ વચન ત્રોડ્યું માટે તું તે પહેલેથી જ હારી ચુક્યો છે હવે તે, ચંડપ્રદ્યોત, તું કંઈક ભદ્રસ્વભાવી થા; અને આવું અસદ્વર્તન ત્યજી દે. " એટલું સંભળાવીને સદ્ય ઉદાયન રાજાએ વૈરિઓની શ્રવણેન્દ્રિયને ફાડી નાખનારે ધનુષ્યને ટંકારવ કર્યો. પછી જાણે શત્રુને ઘેરી લેવાને માટે જ હાયની એમ એણે દક્ષતા વાપરી રથને સતત વર્તુળાકારે ફેરવ્યા કરવાનું સારથિને કહી દીધું. એ સ્થીતિમાં લેક એને ન ભાળી શકયા ભાથામાંથી તીર કાઢતાં, કે ન દેખી શક્યા બાણપર એ તીરેનું અનુસંધાન કરતાં, કે ન જોઈ શકયા આકષીને એ તીર છોડતાં લોકોને તો એકધારે ધબંધ વરસતા ઉત્તરાના મેઘની જેવી તીરની સતત વૃષ્ટિ જોઈને જાણે એમ જ શંકા થઈ કે આ તે શું બાણાવળી અર્જુન પુન: પેદા થયે ! વળી ચંડપ્રદ્યોતના અસ્ત્રોને તો એણે જ્યાં ત્યાં એકદમ અસ્તવ્યસ્ત કરી ફાવવા દીધાં જ નહીં; જેમ કોઈ પ્રવીણ તર્કશાસ્ત્રી પ્રતિવાદિએ બતાવેલા દોનુ મૂળમાંથી જ નિરાસન કરી નાખે છે એમ. એમ કરતાં એણે શત્રુના અનિલ વેગ હસ્તીના ચારે ચરણે પોતાના તીવ્ર બાણાથી વીંધી નાખ્યા અને એમ કરીને એ હસ્તીના માલિકનું મન પણ વધ્યું—એને મનભંગ કર્યો. આમ બાણના શાથી એ ગજરાજ એવો ઘવાયે કે ચરણ વગરના માણસની જેમ એકપણ પગલું ભરી શક્યો નહીં અને ખટકારપૂર્વક ' ધરણીપરપડે; જેમ જીવડાંઓએ થડકેરી ખાધાને લીધે વૃક્ષ પડી જાય છે એમ એટલે ઉદાયને ચંડપ્રદ્યોતને સત્વર હસ્તી પરથી પાડીને જીવતો પકડી લીધે. ખરે જ ચત્ત ધર્મ તતો ગયા પછી રોષમાં જ એના લલાટમાં “દાસી પતિ એવા વિવર્ણ અક્ષરાની મુદ્રા દેવરાવી. એનું સકળ સૈન્ય જોઈ રહ્યું. એક દેરે પણ એણે તે નહીં. કેમકે નિર્ણાયક સેના હતભાગ્ય જ હોય. આવી રીતે ચંડપ્રદ્યોતને સ્વાધીન કરી પછી, જે સ્થળે પ્રતિમાં હતી ત્યાં વિતભયનો વિજ્યી રાજા પહોંચીને એને નમસ્કાર કરી પૂજન-અર્ચન કરી Jun Gun Aaradhak Trust Page #89 -------------------------------------------------------------------------- ________________ (80) શ્રી અભય કુમાર મંત્રીશ્વર જીવન ચરિત્ર.. એને લેવા જાય છે ત્યાં શાશ્વતીની જેમ એ ઉપાડીશું નહી–ચાલી જ નહીં. એટલે વિશેષ પ્રકારે પૂજા કરી અંજળી જોડી વિજ્ઞાપના કરી. કેમકે દેવો પ્રત્યે વિજ્ઞાપના જ હોય. (વિજ્ઞાપના શિવાય) કોઈ અન્ય લાભ હાય નહીં. એણે કહ્યું–હે સ્વામિન! મેં આ સર્વ કર્યું તે તમારે માટે જ–તમને મારે ત્યાં લઈ જવા માટે જ કર્યું છે. કેમકે ખોવાઈ ગયેલું ચિતારત્ન પુન: હસ્તગત કરવા માટે કોણ પ્રયત્ન નથી કરતું? હે જિનેન્દ્ર, તમે હવે મારા દેશમાં પાછા આવતા નથી તે શું તમે મને ભાગ્યહીન જોયો કે મારામાં ભક્તિ ન ભાળી? એના ઉત્તરમાં એના અધિષ્ઠાયક દેવે કહ્યું–હે નરેન્દ્ર, તું વિષાદ ન પામ. તારું નગર ભવિષ્યમાં રેતીના મેદાનરૂપ થઈ જવાનું છે તેથી જે હું ત્યાં આવવાની ના કહું છું. અધિષ્ઠાયકદેવતા જેમને હોય છે એવા જિનબિ અને અન્ય બિમ્બ વચ્ચે આ પ્રકારનું અન્તર હોય છે. હે રાજન, તારા જે શ્રાવક શિરેમણિ તો ભાગ્યવાનું જ છે કારણ કે દેવાધિદેવને વિષે તારી આવી અનુપમ ભક્તિ છે. અધિષ્ઠાયક દેવતાની એવી વાણી સાંભળ્યા પછી તે નિરૂપાય બની વિષાદ ત્યજી પ્રતિમાને વન્દન કરી, પોતાનું કાર્ય સિદ્ધ થયું નહીં તોયે, રાજા પોતાની રાજ્યધાની તરફ પાછો ચાલી નીકળ્યો. પણ બન્દિવાન કરેલા ચંડપ્રદ્યોતને સાથે લઈ પ્રયાણ કરતાં માર્ગ કાપતાં જાણે એના રેષાગ્નિને શાન્ત કરવા માટે જ વર્ષોત્રાબેસી | ગઈ. “અરે પૃથ્વી, તારે સ્વામી તે બન્ધનમાં પડે, છતાં તું રસાતળ કેમ નથી જતી એમ કહે તો હાયની એમ વર્ષાદ એ - પૃથ્વીને પોતાની સ્થળ ધારા વડે ભેદવા લાગ્યો. મેઘ સતત એક ધારે વરસવા માંડયો એટલે કુતીર્થિકના પંથની જેમ માર્ગો સર્વે - પંકિલ થઈ ગયા. એટલે રાજા ઉદાયનને પડાવ નાંખીને માર્ગમાં જ રહેવું પડયું. એના સપક્ષી દશ મુકુટધારી રાઓ પણ અહીં સાથે જ હતા એ એનું ધુળનો કોટ બનાવીને રક્ષણ કરવા લાગ્યા. ત્યાં રહ્યા એટલે એ સ્થળ એક નગર થઈ રહ્યું અને દશ રાજાઓએ ઉભું કર્યું માટે દશપુર” (મંદસોરનામથી પ્રસિદ્ધ થઈ Page #90 -------------------------------------------------------------------------- ________________ == == = = શ્રી ઉરાથન મહારાજાના પ્રતિ સાથે ક્ષામણ, (81). અત્યારે પણ વિદ્યમાન છે. ત્યાં ઉદાયને ચંડપ્રદ્યોતને ભેજનાદિથી સર્વદા સારો સત્કાર કર્યો. એમ વર્ષાકાળ સુખે નિર્ગમન કરતાં, જાણે ચંડપ્રદ્યોતના સપુણ્યને લીધેજ હોયની એમ પર્યુષણ પર્વ આવ્યાં. પર્યુષણ પર્વ આવ્યા એટલે શ્રાવક શિરોમણિ ઉદાયને રાજાએ ઉપવાસનાં પચ્ચખાણ કર્યા. કેમકે એક ઉતરતામાં ઉતરતો શ્રાવક પણ એ દિવસે કંઈક પણ પચ્ચખાણ કર્યા વિના રહેતો નથી. પછી રાઈએ ચંડપ્રદ્યોતને જઈ પૂછયું–મહારાજ, તમે આજે ભેજન લેશે કે કેમ? એનું એવું વચન સાંભળીને એને તે ત્રાસ છુટ. કારણ કે શત્રુના સ્વાધીનમાં રહેલાઓને પદે પદે ભયનું કારણ રહે છે. પણ એણે તો “આજે આ મને પુછવા આવ્યો છે એનું કંઈ સારું પરિણામ લાગતું નથી. વધ કરનારાઓ જેવું પશુંનું કરે છે એવું કદાચિત્ એ મારું કરશે. નીશ્ચયે દાઝયા ઉપર ડામ જેવો એ મારો ઉપહાસ કરે છે " એમ ચિન્તવીને ઉત્તર આપો કે " આજે તું મને પુછવા આવ્યા છે તો શું આજે કંઇ વિશેષ છે ? નિત્યના કાર્યમાં આવી અન્યથા પૃચ્છા શી ?" રઈઆએ એ સાંભળી કહ્યું–આજે પર્યુષણ પર્વ છે માટે અમારા રાજાને અને અન્તઃપુર તથા સર્વ પરિવાર સુદ્ધાને ઉપવાસ છે માટે તમને પૂછ્યું છે. હે રાજન, જે તમે જમવાના હો તે તમારે માટે રસોઈ કરું. કારણ કે જેવા અમારા સ્વામી એવા જ તમે અમારા મનથી અમારા સ્વામી છે. એ સાંભળીને એને શંકા થઈ કે કદાચિત્ હું એકલો જમનારે હોઉં ને મને આ લેકે વિષ આપે તો શું થાય ? એમને અપર માતા સંબંધી નેહ સારી રીતે જાણું છું. આમ ચિન્તા થવાથી એણે રયાને ઉત્તર આપે ભલા માણસ, બહુ સુંદર થયું કે તે મને આ પર્વનું સ્મરણ કરાવ્યું. અમે પણ પૂર્વે આ પર્વ દિવસે ઉપવાસ કરતા. પણ અત્યારે ધ્યાન ન રહ્યું કારણ કે ધર્મ સુખી માણસેના ચિત્તમાં જ હોય છે. મારા માતપિતા શ્રાવક ધર્મ પાળતા. તો હુંયે આજે ઉપવાસ કરીશ. આ હકીક્ત જઈઆએ જઈને ઉદાયન રાજાને નિવેદન કરી ઉદાયને તે હાસ્યપૂર્વક કહ્યુ-પ્રદ્યોત વળી ક્યારને શ્રાવક! વ્રત P.P. Ac. Gunratnasuri M. Jun Gun Aaradhak Trust Page #91 -------------------------------------------------------------------------- ________________ (82) શ્રી અક્ષય કુમારે માત્રા શ્વરનું જીવન ચરિત્ર, * * પચ્ચખાણ તો એનાથી નાસીને કયાંયને કયાંય જતા રહે છે! એ ઉપવાસ કર્યાનું કહેતો હશે એ ફક્ત ભયને લીધેજ ! પર્વ દિવસની ગણત્રી એ એનું વૃથા બહાનું છે. જેમ પૂરી લઈ આવ્યો , હિાય કાક, ને નામ દેવાય આદિત્યનું—એના જેવું આ થાય છે. ગમે તેમ છે, એ જેવો તેવો પણ હું એને મારે કરીને રાખીશ. કેમકે જ્યાં સુધી એ બન્ધનમાં છે ત્યાંસુધી મારે પર્યુષણ કલ્પ નહીં. આવો ઉત્કૃષ્ટ દિવસ પ્રાપ્ત થયે પણ મારા જે જે કઈ કષાય ત્યજે નહીં એ ખોટો નામધારી શ્રાવક કહેવાય, એનામાં સમ્યકત્વનો લેશ પણ ન સમજે. આમ વિચારપૂર્વક પશ્ચાત્તાપ કરી ઉદાયન રાજાએ ચંડપ્રઘોતની પરાધીનતા અળસાવી છુટો કરી એને સ્વાધીનતા સેંપી. કારણ કે જિનભગવાનના શાસનમાં, ક્ષમા આપવી અને ક્ષમા માગવી–એ ધર્મને સાર છે. વળી એના લલાટમાં જે છાપ પડાવી હતી તે ન દેખાય એટલા માટે, ત્યાં ઉદાયને જાણે ઘાવ રૂઝવવાને માટે હાયની એમ, એક સુવર્ણપટ્ટ બન્ધાવ્યો. પૂર્વે રાજાઓને મસ્તકે મુકુટ આભરણનું કામ સારતા, પણ આજની ચંડેપ્રદ્યોત સંબંધી આવી ઘટના પછી એ સ્થાન સુવણપટ્ટે લીધું. વળી બીજું પણ ઉદાયને એ કર્યું કે એને એને માળવાદેશ પાછો મેં કારણ કે પ્રતિજ્ઞા પૂરણની વાત હોય ત્યાં મહા પુરૂષે અન્ય વસ્તુને લોભ ત્યજી દે છે. સિધુનાથ ઉદાયનના આવા નિદેશથી ચંડપ્રદ્યોતને, રામચંદ્રના બેસાડવાથી જેમ બિભીષણને રાજ્ય મળ્યું હતું એમ, પિતાનું રાજ્ય પુન: હસ્તગત થયું..' આમ વૃત્તાન્ત બની રહ્યો છે એવામાં ઘનરસને સ્વચ્છ અને પ્રિય બનાવતી જાણે નિર્મળાખરા કમળાક્ષી વરવધુ હોયની એવી શરઋતુ આવી પહોંચી. ક્ષીરહિમ આદિ વસ્તુઓના જેવા ઉજવળ મેઘ આકાશમાં, ભવા લાગ્યા, તે જાણે બજારમાં રહેલા રૂના પિંડ હાયની ! વળી, જેની અંદર અનેક કમળપુષ્પ ઉગી નીકળ્યાં છે એવી કમળ તળાવડીઓ પણ, એ ઋતુની કૃપાથી આપણે નિર્મળતા પ્રાપ્ત કરી છે એમ સમજીને સહસ્ત્ર નેત્રો બનાવીને Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #92 -------------------------------------------------------------------------- ________________ શરદ ઋતુ અને શ્રી ઉદયનને સ્વનગરમાં પ્રવેશ. (83). મદભર થઈ સર્વત્ર એની શેભાને નીહાળી નીહાળીને જોઈ રહી હોય એમ વિરાજી રહી. મેઘના જુથમાંથી છુટી બહાર નીકળેલ દેદિપ્યમાન સૂર્ય તે જાણે અગ્નિના તાપમાંથી બહાર કાઢેલો સુવર્ણને પિંડ હાયની એમ પ્રકાશ રહ્યો. ચંદ્રમાં પણ જાણે સૂર્યને પ્રતિસ્પદ્ધિ હાયની એમ, એ સૂચે દિવસના ભાગમાં તપાવેલી પૃથ્વીને રાત્રીને સમયે પિતાના શીતળ કિરણે વડે ઠંડી પાડવાનું પિતાને લાયકનું કાર્ય કરવા લાગ્યો. હંસપક્ષીઓ સૌન્દર્ય ગુમાવી બેઠેલા સરવરેને ત્યજી દઈ, નવીન સિન્દર્ય જેમણે ધારણ કર્યું હતું એવા સરવરે પ્રત્યે ઉડી જવા લાગ્યા. કેમકે જગમાં સર્વ કેઈને લેભ હોય છે. કૃષિકારે હાથમાં ગેણે લઈ મોટેથી બેલી બોલીને ધાન્યના ક્ષેત્રોનું રક્ષણ કરવા લાગ્યા; કેમકે ધન પ્રાણ સમાન છે શેરડીના ક્ષેત્રનું રક્ષણ કરનારાઓ ક્ષેત્રમાં રહ્યા રહ્યા જાણે શેરડીના અમૃત રસપાનથી પ્રાપ્ત થયેલા હાયની એવા મધુરસ્વરે ગીત લલકારી રહ્યા હતા. મદોન્મત્ત બળદના યૂથ જાણે ખરજ મટાડવાની હાયની એમ પોતાના આગલા પગવતી ભૂમિ બેદી રહ્યા હતા અને શૃંગાવડે. નદીના તટપર પ્રહાર કરી રહ્યા હતા. વળી વર્ષાકાળમાં જે નદીઓ પૂર આવ્યાને લીધે જેસબંધ વિહેતી હતી અને સંચાર હવે મંદ પડી ગયો કારણ કે સર્વ કેઈને સમૃદ્ધાવસ્થામાં જ ઉન્માદ થાય છે. મયૂરનાં પીંછા ખરવા લાગ્યાં અને હંસોમાં સિાન્દર્ય આવવા લાગ્યું. અથવા તે ઈર્ષ્યાળુ કાળનરેશ્વરનો સ્વભાવ જ એ છે કે એકનું ગૌરવ હરી લેવું અને બીજાને આપવું. કાદવ સર્વ શેષાઈ જવાથી માગે સુગમ થઈ ગયા; જેવી રીતે વિજયશાળી ભૂપતિ ચાર લોકોને ઉછેદ કરીને માર્ગોને સુગમ કરી દે છે એમ. અશ્વના મુખમાંથી નીકળતા ફણસમાન ઉજવળ કાશવૃક્ષેને, જાણે આ શરડતુના યશના અંકુ હાયની એમ, પુષ્પ આવ્યાં. અસન, કૂટજ, બાણ, સસછદ ઇત્યાદિ વૃક્ષે પણ જાણે એ શરન્ની શોભાને જોઈને રોમાંચિત થયાં હાયની એમ પુષ્પિત થયાં. જેમને ફળ આવ્યાં હતા એવી વાલુંકી વગેરે સર્વ વેલીઓ પોતપોતાના એ ફળને પત્ર વડે આછાદી રહી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #93 -------------------------------------------------------------------------- ________________ (84) શ્રી અભય કુમાર મંત્રીધરનું જીવન ચરિત્ર, જેમ એક પંખિણું પોતાનાં ઇંડાંને આચ્છાદીને રહે છે એમ. ચકચક્તિ થતા કણેથી વ્યાસ લીલા ઘાસની શ્રેણી જાણે પૃથ્વી મૃગની આંખો પર રહેલી તીજડિત નીલી અંગી–વસ્ત્ર હાયની એવી શોભી રહી. શબ્દ કરતાં સારસ પક્ષીઓનાં ટેળાં આકાશને વિષે ઉડી રહ્યાં હતાં તે જાણે ઉદાયન રાજાની કીર્તિને સ્વર્ગ સુધી પહોચાડવા જતાં હોયની! કઈ કઈ સ્થળે વળી નીલવણ શુકપક્ષીઓ પંક્તિબદ્ધ બેઠેલા દેખાતા હતા તે જાણે શરલક્ષ્મીએ રાજ્યના ઉત્સવમાં તોરણે બાંધી દીધાં હેયની એવા શોભતા હતા. - ' આવી આવી શરદુકાળની શેભા થઈ રહી હતી એને જોઈને, પછી રાજા ઉદાયન સકળ સિન્યને લઈને દશપુરથી નીકળી પોતાના દેશભણું ચાલ્યો. વિજય કરીને આવતો હતો એટલે રસ્તે એને લેકેએ ભેટ આપવા માંડી એ લઈને રાજ્યધાની પ્રત્યે આવી પહોંચ્યો. એટલે સદ્ય રાજ્યના અગ્રેસરોએ નગર સણગારાવીને એને પ્રવેશ મહોત્સવ કર્યો. કારણ કે એ પ્રસંગે એવું કરવું શેભે. રાજમાર્ગમાં સ્થળે સ્થળે તોરણ બન્ધાયાં, અને હાટે હાટે કસુઓની ધ્વજાઓ ફરકી રહી. બજારે સાફસુફ કરાવીને જળનો છંટકાવ કરવામાં આવ્યો. વિજય મેળવીને નગરમાં આવેલા એવા પિતાના મહારાજાના, નાગરિકો સર્વત્ર પ્રદપૂર્વક દર્શન કરી રહ્યા, અને મંગલિક વિદ્વાનોએ અનેક મંગલિક આશીર્વાદ આપ્યા. આવો આવો સત્કાર પામીને ઉદાયન ભૂપતિએ, ઈન્દ્ર જેમ પોતાની સુધમસભામાં પ્રવેશ કરે એમ, પિતાના મહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ પ્રજાજનો દર્શન-વંદન અર્થે આવવા લાગ્યા એમની સર્વની સાથે એણે બહુમાનપૂર્વક વાતચિત કરી. કારણ કે ઉત્તમ પુરૂષોએ પ્રેમ મેળવવો હોય તો મદ ત્યજી નમ્રતા જ દાખવવી જોઈએ. ધર્મ, અર્થ અને કામ–આ ત્રણ પુરૂષાર્થો પરસ્પર વિધી કહેવાય છે છતાં ત્રણ્ય આ પ્રમાણે આ મહીપતિમાં વિધરહિતપણે રહ્યા એ ખરેખર એક આશ્ચર્યકારક વાત થઈ. એકદા ઉદાયન રાજાએ પિષધશાળાને વિષે પિધવ્રત લીધું. અહો ! એવા રાજા જેવાની પણ ધર્મશ્રદ્ધા અવર્ણનીય છે. ભાગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉદાયના મહારાજાની સુંદર ભાવના, (85) વાનું જન વિશેષ વિશેષ ધર્મિષ્ટ થતા જાય છે એ કહેવત પ્રમાણે રાત્રે ધર્મજાગરણ કરતાં એને અતિ સુંદર વિચારો થયાં. “જે દેશ, નગર કે ગામમાં શ્રીમન્મહાવીર પ્રભુ પિતે વિચારતા હોય છે તે સર્વનાં ધન્યભાગ્ય સમજવા. અને એ ભગવાનના મુખકમળથી નીકળતાં ઉપદેશરસનું ભ્રમરની લીલાવડે પાન કરનારાઓ પણ ભાગ્યશાળી સમજવાં. વળી જેઓ જન્મમરણના ભય ટાળવાને, એ શ્રી મહાવીર પ્રભુની સમીપ સમ્યક્રશનપૂર્વકશ્રાદ્ધધર્મને અંગીકાર કરે છે એ પ્રશંસાને પાત્ર છે. રણક્ષેત્રને વિષે જેમ સુભટે વિજય પ્રાપ્ત થવાથી જે પ્રશંસાને પાત્ર છે તેનાથી પણ શ્રી મહાવીરસ્વામી પાસે સર્વવિરતિ ગ્રહણ કરનાર વિશેષ પ્રશંસાપાત્ર છે. શ્રી ધર્મવિધિમાં લખેલ છે કે– , ધજા નથમિ હિં, પત્તા વારો વિ નિવિવરવા . जम्हा ते जीवाणं, न कारणं कम्मबंधस्स // 1 // ... धन्नोऽहं जइ सामी, बीरजिणो इत्थ एइ विहरंतो।। तो सहलं नियजम्म, करेमि गिन्हिय समणधम्मं // 2 // " સારાંશ—જગતમાં તેઓને ધન્ય છે કે જેઓ બાલ્યાવસ્થામાં જ જિનદીક્ષા પામે છે કારણ કે તેઓ સંસારના છને કર્મબંધનું કારણ થતા નથી. જે સ્વામી શ્રી મહાવીર જિનેશ્વર વિચરતા વિચરતા હમણાં આ મારા નગરમાં પધારી નગરને અલંકૃત કરે તો હું ધન્ય થાઉં કૃતકૃત્ય થાઉં અને શ્રમણ ધર્મ–સર્વ દુ:ખને કાપનારી મેક્ષ સુખને આપનારી દીક્ષા અંગીકાર કરી મારા મનુષ્ય જન્મને સફળ કરૂં–મારા આત્માનો નિસ્તાર કરૂં. ' આવા આવા એ ઉદાયન ભૂપતિના વિચારે જાણુંને, હે અભયકુમાર, અમે એના પર ઉપકાર કરવાને કારણે, ચંપાપુરીથી વિહાર કરીને વીતભયનગરે આવ્યા. ત્યાં દેવોએ રચેલા સમવસરણને વિષે, ભવ્ય જીવોના ઉપકાર અર્થે ધર્મોપદેશ દેવા અમે સિંહા 1 આ પ્રમાણે શ્રી ઉદાયન મહારાજાની આ " બાલ્યાવસ્થામાં જેઓ દીક્ષાને પ્રાપ્ત થાય છે તેમને ધન્ય છે " ભાવના વાંચી સાધુઓ અને દીક્ષાઓ માટે સર્વોદા મૂકી શાર્ક વિરૂદ્ધ આક્ષેપો કરનાર લેખકો કંઈ વિચાર કરશે કે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #95 -------------------------------------------------------------------------- ________________ અને અનેક યા અને તેના પ્રિયભાષી ( 86 ) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, સનપર બેઠા. અમારા આગમનની વાત સાંભળીને ઉદાયનને ક્ષુધાતુર માણસને અનેક વિધ પકવાન્ન મળવાથી જે હર્ષ થાય-એનાથી અનન્ત ગણે હર્ષ થયે; અને તેથી અમારા સમાચાર આપનારને પુષ્કળ દ્રવ્ય આપી સન્તુષ્ટ કર્યો અને પ્રિયભાષી જીહા કામધેનુ સમાન મનવાંછિત આપનારી છે–એ પ્રત્યક્ષ કરી બતાવ્યું. પછી એ અન્ય સર્વ કાર્ય પડતાં મૂકી અત્યન્ત પ્રમાદ સહિત સકળ પરિવારને સાથે લઈને મહાન આડઅરપૂર્વક અમને વન્દન કરવા આવ્યા; અને અમારી પ્રદક્ષિણા કરી, નમી, વૈમાનિક દેવેની પાછળ બેઠે. કેમકે ધર્મને વિષે તેમજ કર્મને વિષે ક્રમ સાચવો સારે છે. અમે પણ ભવ્ય પ્રાણિઓને બંધ થવા માટે ધર્મનું વ્યાખ્યાન શરૂ કર્યું. કેમકે એથી તીર્થકર નામ કમનો અનુભવ થાય છે. રૂપ, સિભાગ્ય, લાવણ્ય, લક્ષ્મી અને રાજ્યની કૃપા-આટલાં વાનાં પુણ્ય કર્યું હોય તેજ પ્રાપ્ત થાય છે. પાપ કર્યો હોય એને, એથી વિપરીત એટલે કદ્રુપ, દુર્ભાગ્ય વગેરેને એગ થાય છે. પુત્રાદિ પરિવાર ગમે તેટલું ખરચે-વાપરે તોયે, પુણ્યશાળીનું દ્રવ્ય ખુટતું નથી. પણ નિપુણ્ય જનોનું તે, હેાય તે ચે જતું રહે છે. એ પર ભદ્રશ્રેણી અને એના પુત્ર અભદ્રનું દષ્ટાન્ત છે તે આ પ્રમાણે પૂર્વે કોઈ રત્નપુર નામનું મોટું નગર હતું. એ નગરમાં નાના પ્રકારના મૂલ્યવાન રત્નના સમૂહને સમૂહ જોવામાં આવતાં હતા એથી જાણે એ વિશાળ રત્નાકરસાગર હાયની એમ ભાસ થતો હતો. ત્યાં સર્વ નાગરિકેન શિરોમણિ ધનેશ્વર નામને એક શ્રેષ્ઠી રહેતો હતો. એ ઉદારતામાં બલિરાજા સમાન અને દ્રવ્યમાં કુબેરભંડારી તુલ્ય હતો. એને, બીજી લક્ષ્મીદેવી હાયની એવી, ઉદાર, સરલ, ધીરસ્વભાવી, ગંભીર પ્રકૃતિવાળી, મિષ્ટ બેલનારી અને દઢ મનની ધનશ્રી નામની પત્ની હતી. એ દંપતીને એક સાગર નામનો પુત્ર હતો. એ પુત્ર, જેમ સાગર અનેક મસ્યાથી ભરેલો છે એમ સર્વ દૂષણોએ પૂરે હતે. એને વળી બીજી નમદા હેાયની એવી જડના સહવાસવાળી, કુટિલ અને નીચગામી નર્મદા નામની સ્ત્રી હતી. ધનેશ્વર અને ધનશ્રી–અને પરમ જિન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #96 -------------------------------------------------------------------------- ________________ નિપુણ્ય ઉપર અભદ્ર શેઠનું છત ! (87) ભક્ત હતાં અને સાધુ વગેરેને પ્રતિફળની આશા વિના પુષ્કળ દાન દેતા. વળી અહોનિશ નિર્મળ શીલનું અનુપાલન કરતા, સદા તીવ્ર તપશ્ચર્યા આદરતા, નિત્ય અનિત્યાદિ બાર ભાવના અને વારંવાર ઉત્કૃષ્ટ વિભવ સહ તીર્થ યાત્રાએ જતા આવતા. આમ ધર્મ પરાયણ રહી પિતાનો મનુષ્યાવતાર સફળ કરતા. પરન્તુ એ આમ દ્રવ્યનો વ્યય કરતા એથી સાગરને અને એની સ્ત્રીને તે ઉલટું બહુ દુ:ખ થયું એટલે એ વિચારવા લાગ્યા-આ વૃદ્ધોની તો બુદ્ધિ નષ્ટ થઈ છે. જ્યાં ત્યાં આમ દ્રવ્ય ખરચી નાખે છે તો કદાચિત્ કાલેજ એમનું મૃત્યુ થયું તો પછી આપણે માટે રહેશે શું? જે બધું વાપરી નાખશે ને કંઈ નહિં રહેવા દે તો આપણે તે હાથમાં ઠીબકું લઈ ભીખ માગવી પડશે. આમ વિચારી એકદા એ દુબુદ્ધિ પુત્રે પિતાને કહ્યું–તમને તે શું વાયુ થયું છે કે સન્નિપાત ફાટી નીકળે છે કે કેઈ ગ્રહના પાસમાં સપડાયા છો કે તમારી બુદ્ધિજ ભ્રષ્ટ થઈ છે કે આમ રેજને રોજ આપી આપીને ધનને નાશ કરવા માંડે છે! તમે પિતા નહિં પરંતુ કુટુંબના વેરિ જાગ્યા છે. હવેથી જે એક કેડી પણ કદિ કેઈને આપી તે મારા જેવો કઈ બુરે નથી. એમ જાણજે. પણ ધનેશ્વરે તો પુત્ર પ્રતિબંધને ગ્ય નથી-એમ સમજીને અદ્ધ ભાગ લેકોના અધ્યક્ષ આપી પુત્રને મિત્ર બનાવ્યું. પછી તે એને વિરાગ્ય થયો એટલે અનેક ધર્મ સ્થાનમાં સવિશેષ વ્યય કરવા માં પણ એનું દ્રવ્ય ઘટવાને બદલે ઉલટું ધર્મની સાથેસાથ વૃદ્ધિ પામવા લાગ્યું. અનુક્રમે પોતાની છેલ્લી ઘડી આવી પહોંચી સમજીને જે હતું તે સમસ્ત દ્રવ્ય ઉત્તમ બીજની પેઠે સાત ક્ષેત્રમાં વાપરી અનશન આદરી, નવકાર મંત્રનું સ્મરણ કરતાં શુભ ધ્યાને મૃત્યુ પામી બેઉ સ્વર્ગે ગયા. પાછળ સાગરે તો પોતાનું ધન નહિં પોતે ભગવ્યું કે નહિં દીધું ને એમજ વિદ્યાની પેઠે નાસ પામ્યું. * ' આમ થવાથી એ બેઉ દુર્ભાગી પેટ ભરવા માટે લોકોને ઘેર કામ કરતા રહ્યા. પણું તોયે કેટલેક કાળે કંઈ વ્યાધિ થવાથી કામ કરવાને અશક્ત થઈ ગયા અને કોઈએ પણ એમને ખાવાનું દીધું નહીં. કારણ કે હાથ પગ ચાલતા હોય ત્યાં સુધીજ કંઈ મળવાનું P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #97 -------------------------------------------------------------------------- ________________ era ( 88 ) અભય કુમારે મળીશ્વર જીવન ચરિત્ર, હેય તો મળે છે. પછી તે દયામણું મોં કરીને હાથમાં ઠીબ લઈને ઘેર ઘેર ભીખ માગવા નીકળ્યા. શી વિધિની ગતિ! “અમારે ભીખ માગવી પડશે” એમ જે એમણે કહ્યું એ સર્વ ખરું પડયું. માટે કહેવાય છે કે સમજણવાળાએ પોતાની જીભે કદિ પણ પિતાને વિષે અશુલા શબ્દ કાઢવે નહીં. આમ દુ:ખમય જીવન વીતાડી બેઉ પોપિષ્ટ સ્ત્રી પુરૂષ દુર્ગાને મૃત્યુ પામી, કંઈ પણ પુણ્ય ઉપા ર્યું નહોતું તેથી દુર્ગતિમાં ગયા. જેટલો કાળ ધનેશ્વર અને ધનશ્રી સુખે સ્વર્ગમાં રહ્યા તેટલે કાળ એમના પુત્ર અને પુત્ર વધુએ ભવભ્રમણ કરતાં દુ:ખમાં કાઢ. શ્રેણીનો જીવ સ્વર્ગમાંથી દેવતાનું આયુષ્ય પૂર્ણ થયે, કાશપુર નગરમાં ભદ્ર નામે સમૃદ્ધિવાનું અને સર્વ શ્રેષ્ટ શ્રેષ્ઠી થયે. ધનશ્રીને જીવ પણ સ્વર્ગ થકી - વીને એ ભદ્રશેઠની લક્ષ્મી નામે ભાર્યપણે ઉત્પન્ન થયે. - હવે આ જ કાશપુર નગરમાં ધનચંદ્ર નામે એક ધનવાન શ્રેષ્ઠી રહેતો હતો. એને ધનવતી નામની બહુ ગુણવાન સ્ત્રી હતી. વાત એમ બની કે સ્ના અને કુમુદ્વતીને પરસ્પર પ્રેમ કહેવાય છે એજ પ્રેમ લક્ષ્મી અને ધનવતીની વચ્ચે બન્ધાય. પરન્તુ બેઉમાંથી એકેયને સંતાન નહોતું એટલે એમને ખેદ હતો. અનુકમે એકદા લક્ષ્મીએ મધ્ય રાત્રીએ એવું સ્વપ્ન જોયું કે અત્યન્ત તપેલા લાલચોળ અંગારા પિતાના મુખને વિષે પ્રવેશ કરે છે. " એવું જેવાથી મનમાં અતીવ વિષાદ થયો એટલે તે સતી શિરોમણિ (લક્ષમી) તત્ક્ષણ જાગી ગઈ. જાગીને એણે એ કુસ્વ નની વાત પતિને કહી. પતિ તો પોતાની સામાન્ય બુદ્ધિથી સ-, મજી ગયા કે એવા સ્વપ્નના અનિષ્ટ પરિણામ થાય છે. અથવા . તે એક બાળક હોય છે એ યે સમજે છે કે હંસ પક્ષી સુંદર અને કાક સુંદર નહિં. તે પ્રભાત થયે એણે સ્વપ્ન પાઠકને તેડાવીને એવા સ્વપ્નનું ફળ શું થવું જોઈએ એમ પૂછ્યું. પેલાએ પણ યથાર્થ–સત્ય હતું એજ કહ્યું. કેમકે વિદ્વાન કદિ વંચક હાય. નહીં. એણે એમ કહ્યું કે-હે શ્રેષ્ઠી, જે શાસ્ત્રમાં કહેલી વાત પ્રમાણુ હોય તે, આ સ્વપનનું ફળ એવું છે કે તમારે ત્યાં મહા-કુલક્ષણો, Jun Gun Aaradhak Tr11 P.P. Ac. Gunratnasuri M.S. Page #98 -------------------------------------------------------------------------- ________________ અભક શ્રેણીની કથા tunnirnirtinizzaziszerceceivecazkarritzaioni પારકે પુરો જીર્થના અને સર્વ કેને વી-એ પુત્ર થશે. તમારે એને જન્મોત્સવ કે અન્ય કંઈ પણ કરવું નહિ. એનું નામ “અભદ્ર” પાડવું અને એના પ્રત્યે આદરભાવ રાખવો નહિં. કેમકે સન્માનને પાત્ર તો ગુણિજનના ગુણ હોય. સ્વપ્ન પાઠકે આ . પ્રમાણે કહ્યું એ સાંભળી, સમજી, એને સન્માનપૂર્વક રજા આપી.. લક્ષ્મીને તો તે જ વખતે, પૃથ્વીની અંદર રહેલા નિધિમાં સર્પ આવીને રહે એમ, અતિ દુર્ભાગી સાગરનો જીવ ગર્ભમાં આવીને રહ્યો. પછી પૂર્ણ સમયે લક્ષ્મીને, છાયાને જેમ શનિશ્ચર પ્રસ એમ, સ્વપ્ન પાઠકે કહી બતાવેલા કુલક્ષણોવાળો પુત્ર પ્રસ. એનું માતપિતાએ “અભદ્ર” એવું નામ પાડયું. પુત્રને જન્મ મહોત્સવ ત ન થયે તો નહિં, પણ એનું એક સુંદર નામ પણ મને ? ન્યું નહીં. ક્યાંથી મળે? ભાગ્ય કેનાં લાવે? અને ભાગ્ય ન હોય, તે એ મળે પણ ક્યાંથી? . વળી આ પ્રમાણે ધનવતીને પણ સ્વપ્ન આવ્યું એમાં એને લોકોને આકાશમાં જેમ કેતુની રેખા દેખાય છે એથી, શ્યામવર્ણની ધુમાડાની શિખા દષ્ટિગોચર થઈ. એણે સદ્ય એ વાત પતિને કહી અને સ્વપ્ન પાઠકને કહી. સ્વપ્ન પાઠકે ઉત્તરમાં સર્વ પૂર્વ પ્રમાણેજ કહ્યું. ભેદ એટલે કે એને પુત્રી અવતરશે અને એનું “અલક્ષમી” એવું નામ પાડવું. હવે ધનવતીને નર્મદાનો જીવ ગર્ભે આવીને રહ્યો. પછી કાળ પૂર્ણ થયે એને પુત્રી પ્રસવી એનું નામ “અલહમી” પાડયું. એના લક્ષણે સર્વે અભદ્ર” જેવાં જ હતાં. “જે , યક્ષ એવુંજ બલિ’ એમ થયું. . . : : * અભદ્રને યોગ્ય અવસરે માતપિતાએ કળાચાર્ય પાસે અભ્યાસ કરવા મૂક્યું. કારણકે એઓ એના હિતચિંતક છે. પરંતુ બન્યું એમ કે કલાચાર્ય શિક્ષણ શીખવે પણ એ કંઈ શીખે નહિં, અને અન્ય શિષ્ય સાથે કલહ કર્યા કરે. જે ગુરૂ એને હિતકારક શિક્ષાના બે શબ્દો કહે તે એ તેજ વખતે સામે દુષ્ટ ઉત્તર આપે એટલે એણે એની ઉપેક્ષા કરી અને એમ થવાથી નિરક્ષર રહ્યો. કારણ કે શસ્ત્ર અને શાસ્ત્રાર્થનું જ્ઞાન પ્રાપ્ત થવું અધ્યાપકને આધારે છે. પિતાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #99 -------------------------------------------------------------------------- ________________ -- - - - - - - (9) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર એને ધનવતીની પુત્રી અલક્ષ્મી સાથે વિવાહ કર્યો. નિપુણ વિધિએજ જેને જે ચોગ્ય હતું તેને તે આપ્યું—એમજ સમજી લેવું. હવે આપ અભદ્ર તરુણવયે પહોંચે પણ અહંકાર એનામાં એટલે બધે હતો કે ડોક તો ઉંચી ને ઉંચી જ રાખતો, ભાગ્યહીન હતો છતાં પોતાને ભાગ્યશાળી માનવા લાગ્યો, હો તો પિતે ફક્ત વાચાળ, પણ જાણે વિદ્વાન હોય એમ વર્તવા લાગે; અને મૂર્ખ શિરોમણિ છતાં જાણે પિતે બધું જાણતો હોય એમ દેખાવ કરવા લાગ્યો. પછી ભદ્રશ્રેષ્ઠી પુત્રવધુ અલફિમકાને ઘેર તેડી લાવ્યા કેમકે ગમે તેવી–સારી નરસી વધુ હોય પરંતુ સાસરે તે સુંદરજ કહેવાય છે. પણ સાસરે આવી ત્યાં એનાં કુલક્ષણ દષ્ટિગેચર થયા વિના રહ્યાં નહિં. “આવ” કહેતાં જતી રહે “જા” કહેતાં આવીને બેસે, અને રસોઈ કરવા પેસે તે ઘેલછાને લીધે થાળી પણ ફેડે. ઘરની અંદરથી કચરો કાઢી નાખવાનું કહે તો બહાર સાવરણું ફેરવે, અને બહારના ભાગ સ્વચ્છ કરવાનું કહેતાં અંદર - વાળવા જાય. જળ ભરવા જાય ત્યાં અન્ય પનીહારીઓ સાથે તકરાર કરીને અથવા તો બેટું ફાડીનેજ ઘેર આવે. ચુલા પાસે મેકલી હોય તે સાડી સળગાવીને આવે. ને ન્યાય કે ન ધુએ–શરીરે મલિન ને વસ્ત્ર પણ એવાંજ. સાસુ એકવાર કંઈ કહેતો સો વાર - સામું બેલે. બ્રાહ્મણશ્રમણ આદિ યાચકને ઘરમાં પેસવા ન દે. કઈ સાધુ ચરી માટે ફરતા આવી ચઢે ને “ધર્મલાભ” કહે છે : એને કહે કે ધર્મલાભ ફેડ તારે માથે. કુટુમ્બનું પૂરું ન થઈ શકયું એટલે પાખંડી બનીને ઠીક પારકાં ઘર ભાંગવા ચાલી નીકળ્યા લે! કઈ વાર બ્રાહ્મણ ભિક્ષુક આવી એને “અખંડ સૌભાગ્ય’ દઈ “નારાયણ પ્રસન્ન” કહી યાચના કરે તો ઉત્તર આપે કે“ઈશ્વર પ્રસન્ન” તારે ત્યાંજ રાખ. અત્યારમાં તારે માટે તેણે ઠારી મૂકયું છે કે આવીને ઉભે છે? કઈ બ્રાહ્મણ આવીને વળી કહે કે–પૂર્ણ ત્રાદશી ને રવિવાર, પુષ્ય નક્ષત્ર ને શેભન ચેગ, બહેન, ભેજન કરા –તે એને ઉતર આપે કે—સવારના પહેરમાં આવ્યા તે કેણે રાંધી મૂકયું છે? પિલા જે કહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #100 -------------------------------------------------------------------------- ________________ અભદ્રના ભાવી સુચક ચિનહે. 1 ) કે “ત્યારે કણિક આપે” તે ઉત્તર આપે કે કણિક બજારમાં છે, જાઓ ત્યાં કોઈ વિખે વળી ગાયત્રીને પાઠ બોલતાં બોલતાં નિર્ભર જજ થઈ કણિક માટે ઉભા જ રહે ને ખસે નહિં તે એ “આ તે નિત્ય આવી આવીને મારા કાનજ ખાઈ જાય છે” એમ કહી . ચુલામાંથી બળતું ઉંબાડીયું લઈ આવી દેડીને દ્વિજની સન્મુખ ધરે. એટલે પેલાઓ પણ કલકલાટ કરી મૂકીને હસતા જાય ને કહેતા જાય કે શેઠના ઘરમાં કોણ કહે છે કે એ વહુ છે? કેઈક રાક્ષસણ આવી લાગે છે! કોઈવાર કોઈ ધુળીઆ બાવા ભિક્ષાથે આવે તે કહે કે–રાખ ચોળીને લંગોટ ભેર આવી કેમ ઉભા છે? લાગે છે ગધેડા જેવા ! આવાં આવાં એનાં નિત્યનાં આચરણ હતાં એથી લોકમાં એની બહુ નિન્દા થવા લાગી. એટલે ભદ્ર શ્રેષ્ઠીએ પણ મનમાંજ દુહાઈ એને પીયેર મેકલી દીધી. કારણ કે ખાલી ઘરને ભર્યું દેખાડવા માટે એમાં ચેરેને થોડા જ ૨ખાય છે? એવામાં એકવાર એમ બન્યું કે ભદ્રશેઠ રાત્રે શયામાં સૂતા હતા એ વખતે કઈ બે જણને એણે કલહ કરતા જોયા. એક બહાર ઉભે હતો એણે અંદર રહેલાને કહ્યું–અરે, તું બહાર નીકળી જા, હારે અંદર આવવું છે. ત્યારે સમય પૂરે થયે, હવે મારા સ્વામીનો વારો આવ્યો છે. એટલે અંદર રહેલ હતે એણે પૂછયું-તું કેણ છે ! તારે સ્વામી કેણ છે? પેલાએ ઉત્તર આ –હું અપુણ્ય છું ને અભદ્ર મ્હારે સ્વામી છે. એ સાંભળી અંદર રહેલે કહેવા લાગ્યું–હારે સ્વામી હજુ વિદ્યમાન છે ત્યાં તારે સ્વામી કેવી રીતે અંદર પ્રવેશ કરી શકશે? દીપક ઝગઝગાટ પ્રકાશતો હોય ત્યાં અન્ધકાર ક્યાંથી આવી શકે ? અપુણ્ય પૂછ્યું-તું કેણ, ને તારે સ્વામી કહે ? પેલાએ ઉત્તર આપેહું પુણ્ય ને મહારે સ્વામી ભદ્રશ્રેણી હે અપુણ્ય, જે તું અહિં આવ્યો તો તારા બુરા હાલ સમજવા. એ ઉત્તર મળવાથી બહાર રહેલો તણ પલાયન કરી ગયે. રાત્રીએ બનેલો આ વૃત્તાન્ત પ્રભાતે ભકશેઠે પોતાની સ્ત્રી શીલવતી લક્ષ્મીને કહી સંભળાવ્યું. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #101 -------------------------------------------------------------------------- ________________ -:: -- * 8 (2) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. - પણ શેઠે જેમ શય્યામાં રહ્યા છતાં બે પુરૂષને અસંવાદ - સાંભળે હતો એમ વળતે દિવસે શેઠાણીએ પણ રાત્રે પોતે શધ્યામાં હતી તે વખતે બે સ્ત્રીઓને પરસ્પર સંવાદ સાંભંન્યા એક સ્ત્રી બહાર ઉભેલી હતી. એણે અંદર રહેલીને કહ્યું–અલિ, તે બહાર નીકળ, હીરે અંદર આવવું છે. હવે મારી સ્વામિની- નો આ ઘરમાં આવીને રહેવાને વાર છે. જેતી નથી કે રાશીઓ પણ પોતપોતાના વારા પ્રમાણે સૂર્યને ભજે છે? એ સાંભળી અંદર રહેલીએ પૂછયું–તું કર્યું છે અને તારી સ્વામિની કેણ છે? પેલીએ ઉત્તર આપે-મારું નામ અસંપત્તિ, ને મારી સ્વામિની (અલક્ષમી એ સાંભળી અંદર રહેલીએ કહ્યું–જેનું નામ લેવાથી કે સુખ સંપત્તિમાં મગ્ન રહે છે એવી મારી ઉત્તમ સ્વામિની હજુ વિદ્યમાન છે ત્યાં તારા જેવી કુલટાનો અહિં પ્રવેશ કેવો? જે! મારું નામ સંપત્તિ છે. ને મારી સ્વામિનીનું નામ લક્ષ્મી છે–ચાદ રાખજે, ભુલતી નહિં. એ સાંભળી બહાર ઉભેલી સ્ત્રી સર્પિણની , જેમ એકદમ ચાલી ગઈ. * * આ વૃત્તાન્ત લક્ષમીએ પણ પ્રભાતે પોતાના પ્રિય પતિને . કહી સંભળાવ્યો. એટલે એણે કહ્યું–પેલા સ્વપ્ન પાઠકે કહ્યું હતું એ બધું સત્યજ કહ્યું હતું. અન્યથા આ બે પુરૂષોને, ને આ બે સ્ત્રીઓને આ સંવાદ ક્યાંથી થાય? નિશ્ચય આપણું પાછળ, આપણું પુત્રનું જ પ્રારબ્ધ સારું નથી. માટે આપણે એને માટે એક કોટિ સુવર્ણ ભૂમિને વિષે ભંડારી રાખીએ. શેષ છે એ ક્ષીણ થશે તેયે આ નિધાનને લીધે પુત્ર અને એની સ્ત્રી દુ:ખી નહિં થાય. એમ કહી નિધિને ભૂમિની અદર ભંડારી પુત્રને બોલાવી બતાવી કહ્યું–અમે વિદ્યમાન છીએ ત્યાં સુધી તું સ્વેચ્છાએ ખા, પી, ને આનન્દ કર. બીજુ દ્રવ્ય ખુટે નહીં ત્યાં સુધી ત્યારે આ નિધિને સ્પર્શ કરવો નહિં. શેઠે આ સર્વ કહ્યા પછી તો ભાઈ સાહેબ ઉલટા આડે રસ્તે ઉતર્યા. એનો દુરાચાર એટલે . વધી ગયા કે માંજરમાં ભ્રમર લપટાય એમ એ એક મદન મંજરી નાની વેશ્યાના કંદમાં ફસાયે. અન્ય સર્વ કાર્ય ત્યજી દઈને એ કુલટામાં આસક્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #102 -------------------------------------------------------------------------- ________________ અભદ્ર શેઠની સ્થિતિ. . (7) { થઈ રહેવા લાગે એવામાં કેટલેક દિવસે એના માતપિતા પંચ: - પામ્યા. ' - પરાપૂર્વથી બનતુંજ આવે છે, એમ માતપિતાના અવસાન પછી. સર્વ લક્ષણે પુરે હતે છતાં પુત્ર હતો એટલે એ અભદ્રભાઈ ઘરના માલિક થયો. ભાગ્યહીન રૂપાળાં અલક્ષ્મીબાઈ પણ ઘેર 5. વ્યાં. પતિ પત્નીને વિધિએ સરસ મેળ મેળવ્યો હતો. તે મે નો અમેળ કેમ બને? વળી પેલે પુરૂષ અપુણ્ય ને પેલી સ્ત્રી અસંપત્તિ રાહ જોઈ રહ્યાં હતાં એ ચે હવે એગ્ય અવસર પ્રાપ્ત થયો એટલે આવીને ઉભાં રહ્યાં ને જેગેજેગ મળે. અભદ્ર . વળી અધુરામાં પુરું મદન મંજરીને ઘરમાં લાવીને બેસાડી.. કુળ - મર્યાદા છેડી એને લાજ વળી શી ! “જેણે છેડી લાજ એને ત્રણ ભુવનનું રાજ” વૃદ્ધ સ્વજનેએ હિતૈષી થઈને એને બહુ બહુ સમજાવ્ય–ભાઈ અભદ્ર, આ વેશ્યાને ઘરમાં લાવી રાખી તે રૂડું નથી -કહેવાતું. ધનની હાનિ થાય છે, જોકે નિન્દા કરે છે તે ઉપરાંત તારા શરીરને પણ ક્ષય થાય છે. માટે ભલે થઈ આ વેશ્યાને છેડી દે જેથી તારૂં ભદ્ર કલ્યાણ થઈ જાય. પરંતુ શરમનો છાંટોય જેનામાં નહાતો એવો અભદ્ર ભદ્ર માગતો જ નહોતો, એટલે કહેવા લાગ્ય–અરે વૃદ્ધો, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તમે તમારું ઘર સંભાળે, મારું સંભાળનારે હું ક્યાં નથી ? એ સાંભળી શિક્ષા - આપવા આવેલા વિલનું હાં કરી સૌ સૌને ઘેર ગયા. અભદ્ર પિતાનો વહીવટ સંભાળી વ્યાપાર કરવા લાગે પર- તુ જે જે વ્યાપાર કરવા જાય એમાં અવળા પાસા પડે. એમ થવા લાગ્યું. એના ચતુષ્પદ–પશુ હતાં એ સર્વ એકદા વનમાંથી ચોર લેકો લઈ ગયાં. દાસદાસીઓના હસ્તક જે કંઈ ધન હતું એ એએજ ગળી ગયાં. જેમની પાસે લેણું હતું એ માગવા ગયો તો એમણે કાંઈ દીધું નહિં. ઉલટ તકરાર ને ઝઘડો કરવા લાગ્યા. ભેજન માત્ર પણ મહા કષ્ટ મળે એવી સ્થીતિમાં ભાઈ આવી પડયા. દેવ પ્રતિકુળ હોય ત્યાં બીજું થાય પણ શું? વેશ્યા મદનમંજરી પણ એને નિધન જાણીને મૂકીને જતી રહી. કેમકે જતી ન રહે તો ક્યાંક એનું કુળ લજવાય ખરું ને? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #103 -------------------------------------------------------------------------- ________________ , (94) શ્રી અભય કુમારે મંત્રીશ્વરનું જીવન ચરિત્ર ' . હવે તે એ શેકને સંતાપરૂપી મોટા સમુદ્રના આવર્તમાં પડે. એ આવતમાંથી કેમે નીકળી શકાય એમ ન રહ્યું. ઘરમાં રહ્યાં. હવે પિતે ને અલમી શેઠાણું, ને શેષમાં અપુણ્યને અસં- પત્તિ. બહુ દુઃખી થયે એટલામાં એને પેલા પિતાએ કહી રાખેલી ( નિધાનની વાત યાદ આવી. એ નિધાન ભૂમિમાંથી ખોદી કાઢી * હસ્તગત કરી પુન: મનુષ્ય થવાને વિચાર કર્યો. ધનરહિત નર પશુ કહેવાય છે એટલે ધન આવે તે પશુતા જાય ને માનવતા આવે. : એટલે રાત્રીને સમયે ભૂમિ ખોદવા માંડી તે કઈ અદષ્ટ નિષેધક . અવાજ આવ્યું. બાદત્ત ચકવતીએ પોતાનું ભેજન લેવાની બ્રા શ્રણને ના કહી હતી એમ એ અવાજે ના કહી છતાં ખેડ્યું એટલે અંદરથી નિધાનને બદલે સપની હારમાળા-ગુંછળાને ગુંછળા નીકળ્યાં ને એની આસપાસ વીંટળાઈ વળ્યાં, તથા એને દંશ દેવા લાગ્યા. સર્પોના પાશ અને દંશ બેઉએ એકત્ર મળીને એના શરીરમાંથી પ્રાણને હાંકી કાઢયા. સુવર્ણકટિન નિધાન તો કોઈ યક્ષે - પોતે હસ્તગત કરી પિતાને કબજે રાખે. ધન! ધન! તારા પ્રાર- ધ્વની બલિહારી છે કે, જેમને તારે ઉપભોગ નથી કરે એવાએને પણ તું અતીવ અતીવ પ્રિય છે ! પુણ્ય અને અપુણ્યનું ફળ દર્શાવનાર, ભદ્ર અને અભદ્રનું આ દષ્ટાન્ત શ્રવણ કરીને, હે પ્રાણીઓ, તમારે અપુણ્યને વિષવત્ ગણીને ત્યજી દેવું અને કેવળ પુણ્યજ ઉપાર્જન કરવાનો પ્રયત્ન કરો. આ પુણ્ય પ્રવર્તક અને નિવર્તક–એમ બે પ્રકારનું છે. દાન દેવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે એ પુણ્યનું ફળ કામગ છે માટે એ પુણ્ય પ્રવર્તક (એટલે મનુષ્યને પ્રવૃત્તિમાં મૂકનારૂં ); અને શીલ આદિથી જે પુણ્યની પ્રાપ્તિ થાય એ પુણ્યનું ફળ જન્મમરણનો ઉચ્છેદ છે માટે એ પુણ્ય નિવર્તક છે. હે અભયકુમાર, આ અમારે આપેલ ધર્મોપદેશ શ્રવણ કરીને ઉદાયન રાજાને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. એટલે એણે અમને વિજ્ઞાપના કરી કે “પ્રભે, હું ઘેર જઈને રાજ્યની વ્યવસ્થા કરી આવીને તમારી પાસે ચારિત્ર અંગીકાર કરીશ, અને આ સંસારની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉદાયન મહારાજાની દીક્ષા, (35) માયારૂપ બન્ધનને ત્રાડી નાખીશ.” ઘેર જઈને એણે બુદ્ધિપૂર્વક વિચાર કરી જે તે એને જણાયું કે પુત્ર અભીચિને રાજ્ય સેંપીશ તે મેંજ હાથે કરીને એને અગાધ દુ:ખમાં નાખ્યો કહેવાશે કેમકે આસક્ત થઈને રહેનારા રાજાઓને રાજ્યને અંતે નરક છે. માટે મારે ભાણેજ કેશી છે એને રાજ્ય આપું. જો કે કેશી પણ ભાણેજ અને એને રાજ્ય આપું એટલે એ યે નરકાધિકારી થશે. પણ અભીચિ નિકટને અને કેશી જરા દૂરને સંબંધી એટલે ફેર છે. એમ દલીલો કરી જઈ એક નિર્ણય ઉપર આવી ઉદાયને કેશીને રાજ્ય સોંપી, અઠ્ઠાઈ મહોત્સવ કરી, ધનદાન વડે યાચકોના મનોરથ પૂરી, હર્ષપૂર્વક પરમભક્તિ સહિત અમારી પાસે ચારિત્ર અંગીકાર કર્યું છે, અને અત્યારે એ ષષ્ઠ, અષ્ટમ, દશમ આદિ તીવ્ર તપશ્ચર્યા વડે, કિરણે વડે જેમ સૂર્ય જળને શેષવી નાખે છે એમ, પોતાની સપ્ત ધાતુઓને અત્યન્ત શાષવી રહ્યો છે. - એ ઉદાયનરાજા આ અવસર્પિણમાં અન્તિમ રાજર્ષિ થયે છે; યુગ પ્રધાનોને વિષે જેમ દુ:પ્રસભ અન્તિમ થઈ ગયો છે એમ. શ્રી વીર ભગવાને આ પ્રમાણે ચરમરાજર્ષિ ઉદાયનનું ચરિત્ર રાજગૃહી નગરીમાં અભયકુમાર મંત્રીના પૂછવાથી દેવ દાનવ અને શ્રેણિક રાજા વગેરેની બનેલી સંસદામાં વિસ્તાર સહિત અથેતિ કહી બતાવ્યું. - પછી અભયકુમારે હસ્તદ્વય જોડીને, કરતળમાં રહેલા આમળકફળની જેમ ત્રણે જગતને એકી વખતે જેઓ નીહાળી રહ્યા છે એવા વીરપ્રભુને, પૂછયું–હે દેવાધિદેવ, ત્યારે હવે એ ઉદાયન મુનિનું ભાવિ ચરિત્ર કેવું છે એ પણ આપ કૃપા કરીને કહો. કારણ કે રસિકજનાને કથાનકનો ઉત્તરોત્તર ભાગ સાંભળવાની સવિશેષ ઉત્કંઠા હોય છે. અભયકુમારની જિજ્ઞાસા તૃપ્ત કરવાને પ્રભુએ એ રાજર્ષિનું ભવિષ્યનું વૃત્તાન્ત કહ્યું કે આ પ્રમાણે - - હે અભયકુમાર, તપશ્ચર્યામાં પારણને દિવસે નીરસ, વિરસ, રૂક્ષ અન્સ અને કાળ પહોંચતા હોય એવા આહાર વડે શરીરને ટકાવી રહેલા અને કર્મરૂપી વૈરિએનું ઉમૂલન કરવાનો પ્રયત્ન કરી રહેલા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #105 -------------------------------------------------------------------------- ________________ ( 6 ) શ્રી અભય કુમા૨ મત્રીશ્વરનું જીવન ચરિત્ર, એ મુનિને સહાય કરવાને માટેજ હોયની એમ કઈ વ્યાધિ ઉત્પન્ન થશે. તો પણ એ વ્યાધિ ભેગવ્યા વિના અન્ય કોઈ પણ રીતે હઠે એવો નથી એમ સમજી એ પોતાનાં કાર્યો તો કર્યાજ કરશે. કેમકે શુરવીર સિનિક પ્રહાર પડે તો યે વીરવૃત્તિ મૂકતો નથી. વૈદ્યો પણ એ વ્યાધિનું કેઈ વારણ નથી એમ સમજી જઈ આનન્દિત મને એમને ઉપદેશ આપશે કે–હે મુનિ, ધર્મકરણી અર્થે શરીર તદુરસ્ત જોઈએ માટે તમે દધિ-દહીંનું સેવન કરે. એમ કરવાથી તમારે વ્યાધિ જશે અને પુન: તમારી પાસે આવશેજ નહીં. દેહ છે તો ધર્મ થશે. પાપહર્તા મુનિ પણ વિદ્યરાજેએ બતાવેલું એ ઔષધ પ્રાસુક અને સુલભ જાણીને ગૃહસ્થોના વાડા વિષેજ હોયની એમ ગોકુળને વિષે વિહાર કરશે. વિકૃતિનું સેવન , કરનારા છતાં વિકૃતિના પરિવર્જક મુક્ત ધર્મચક છતાં ધર્મચક ફેરવશે. . * એકદી, હે અભય, મમત્વના ત્યાગી એ ઉદાયન મુનિ વિચરતાં વિચરતાં એજ વિતભયનગરમાં આવશે. એમને આવ્યા જાણું, કેશીના, જાણે કંઠપાશ હાયની એવા, દુષ્ટ મંત્રીઓ કેશીને એમ સમજાવશે કે વ્રત પરીણામ ભગ્ન થવાથી ઉદાયન મુનિ પતે હવે તારું રાજ્ય લેવા આવ્યા છે. સ્વર્ગના રાજ્ય જેવું આ રાજ્ય એ . મણે ઉત્તમ વાસના ઉત્પન્ન થયેલી હોવાથી એકદમ ત્યર્યું હતું : શિયાળે બેરડીનાં બોર ત્યજ્યાં હતાં એમ. એ દષ્ટાન્ત આ પ્રમાણે છે: પૂર્વે કઈ વનમાં એક શિયાલ રહેતું હતું એણે રાત્રીને વિષે કેટલાક મનુષ્યને પરસ્પર એમ વાત કરતા સાંભળ્યા કે જે , પ્રાણી, પિતાને અત્યન્ત પ્રિય હોય એવી વસ્તુને નિયમ કરે એને નિશ્ચયે મહાપુણ્ય થાય. એ સાંભળીને શિયાળે પણ અભિગ્રહ કર્યો કે મારે પણ બોર ખાવાં નહિ કેમકે એ મને બહુ પ્રિય છે. કાર્તિક - માસ આવ્યા એટલે બરડીઓ ફાલી અને બેર પાક્યાં એ જોઈ શિયાળે પિતાનું મન મનાવ્યું કે મારે બેર ખાવાનો નિયમ છે, કંઈ સુંઘી જવાનો નિયમ નથી એમ કહી પાસે જઈ પ્રથમ એ બેર સુંધ્યાંઅને પછી પુત્રની જેમ, એને વારંવાર હર્ષ સહિત ચુંબન કર્યું. વળી પછી “મારે એ બાર મુખને વિષે ગળી જવાને : PP.AC.-Guiratnasufi M.S. * Jun Gun Aaradhak Trus૧ર. Page #106 -------------------------------------------------------------------------- ________________ દુષ્ટ માત્રીઓની શિખામણથી રાજર્ષિને અપાયેલ વિષ, (97), w નિયમ છે, કંઈ મુખમાં નાખવાનો નિયમ નથી એ સંકલ્પ કરી બેર ઓંમાં નાંખ્યાં, અને દાંત વગરનાની જેમ ચગળ્યાં. પછી ' આવાં દુર્લભ સ્વાદિષ્ટ બરની આગળ દેવતા પણ નિયમભ્રષ્ટ થઈ જાય તો મારા જેવાની શી વાત, માટે “પડો વા એ નિયમ પર એમ વિચારી શિયાળ હેંમાંના બાર ગળે ઉતારી ખાઈ ગયે. છે. આ શિયાળની જેમ ઉદાયનને પણ રાજ્ય ત્યાગ કર્યાને પશ્ચાત્તાપ થયો છે. માટે એ રાજ્ય લેવાને જ આવ્યા હશે. પૂર્વે કંડરીકમુનિ પણ રાજ્ય લેવાને આવ્યા હતા એ તમે નથી જાણતા? માટે એના લેશ પણ વિશ્વાસ કરશે નહિ. કેમકે બહસ્પતિ પણ કહી ગયેલ છે કે અવિશ્વાસ–એજ નીતિનું મૂળ છે. દુષ્ટ પ્રધાનોનાં એવાં વચન સાંભળીને એ કેશી કહેશે કે જે ઉદાયન રાજ્ય ગ્રહણ કરશે તો હું તો એને આપી દઈશ; ભરતે રામને આપ્યું હતું એમ સ્વામી પોતાનો અધિકાર પુનઃગ્રહણ કરે. એમાં સેવકે ક્રોધ શું કરે? આ મારા મામાં મારા સ્વામી છે અને હું તો સર્વદા એને સેવક છું. કેશીનાં એવાં વચન સાંભળીને એ દુરાત્મા સલાહકારે કહેશે કે રાજન, લીધેલું પાછું આપવું એ રાજાને ધર્મ નહિં. એણે પિતે તમને રાજ્ય આપ્યું નથી, તમારા કર્મો તમને આપ્યું છે. એમ ન હોય તો અભીચિને મૂકીને રાજ્યલક્ષ્મી તમારી પાસે કયાંથી આવે ? ગોત્રજો જેમ પોતાને હિસ્સે હઠ પૂર્વક લે છે એમ રાજ્ય પણ પિતા, કાકા, ભ્રાતા, પુત્ર કે ત્રિ. પાસેથી પડાવી લઈ લેવું કહ્યું છે. આ રાજ્ય પિતે પોતાની મેળે જ જાણે હાલી ચાલીને તમારી પાસે આવ્યું છે તે પાછું કેમ દેવાય ? એમ પાછું આપી દે છે એને લેકે પણ નિ:સત્વ ગણે છે. હે રાજન, અર્ધ રાજ્ય લઈ લેનાર સેવક ઉપેક્ષા કરવા એગ્ય નથી, તે આ તે સકળ રાજ્ય લેવા ધણું પિતે આવેલ છે તો એની તે કેમ જ ઉપેક્ષા થાય? આવાં આવાં કુમંત્રીઓનાં વચનો ઉપરથી, એ કેશીને ઉદાયન પ્રત્યે જે ભક્તિભાવ હશે એ ભક્તિભાવ જતો રહેશે. કુંકી ફંકીને કાન ભરવામાં આવે ત્યાં સારવાર પણ શી હોય? પછી તે અમાત્યને પુછશે કે “ત્યારે હવે કરવું શું” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #107 -------------------------------------------------------------------------- ________________ (98) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, ત્યારે એઓ એને કહેશે કે એને વિષ દેવું. કારણ કે વિષથી સરતું હોય તો શસ્ત્રનો ઉપયોગ શા માટે કરવો? તમારા મામા દહીંનો આહાર કરે છે તે એ દહીંમાં જ વિષ ભેળવવાવું. એમ કરશે એટલે લોકોમાં તમારો અવર્ણવાદ પણ નહિં થાય. પછી મામાએ પાળીપોષી મોટો કરેલે મામાને જ વૈરિ બનશે અને ગોવાળણી પાસે દહીંમાં વિષ ભેળવાવશે. પણ એ વિષ કેાઈ દેવતા સંહરી લેશે અને ઉદાયનને કહેશે કે તમને દહીં વિષવાળું જ મળશે માટે હવે દહીંનું મન કરશે નહિં. એ ઉપરથી ઉદાયન મુનિ, દહીં ઘણુંયે પથ્ય હોવા છતાં, એને ત્યાગ કરશે. કારણ કે વિવેકી જનોએ, પોતાના સંયમની જેમ જ, પોતાની જાતનું રક્ષણ કરવું કહ્યું છે. દહીં નહિં લઈ શકાયાને લીધે પાછો એનો વ્યાધિ વૃદ્ધિ પામશે. એટલે એ પુન: દહીંનો ઉપયોગ કરશે. કારણ કે સહેલા ઉપાયથી અર્થ સરતો હોય તો શા માટે એ ન કરી જે? પુનઃ ગોવાળણી દ્રવ્યના લેભે વિષમિશ્રિત દહીં આપશે. અને કઈ સમ્યગ્દષ્ટિ દેવી ત્રણત્રણવાર એનું અપહરણ કરશે; પણ ચેથી વખત પ્રમાદને લીધે અપહરવું ભૂલી જશે. અથવા તો સાવધમાં સાવધ પહેરેગીરને પણ વખતે ક્ષણવાર નિદ્રા આવી જાય છે. મુનિ એ વિષમિશ્ર દહીંને આહાર કરશે; અને વિષ તક્ષણ સર્વ અંગે વ્યાપી જશે એટલે પિતાનું અવસાન નજીકમાં છે એમ સમજીને, અને કેપ કે શેક-કંઈપણ દર્શાવ્યા વિના, મુનિરાજ જન્મમરણના ફેરા ટાળનારું અનશનવ્રત ગ્રહણ કરી, ઉલ્લાસ યુક્ત ચિત્તે ભાવના ભાવશે કે - | હે જીવ, તે શુદ્ધસિદ્ધાન્તરૂપ અમૃતરસનું જ સદા પાન - કર્યું છે તે હવે કોઈને ઉપર કશે પણ ક્રોધ ન કરીશ. મને ફલાણાએ વિષ દીધું છે એમ ન ધારીશ. એમ જ સમજજે જે પૂર્વે - ઉપાર્જન કરેલાં પાપાએ એ વિષ દીધું છે. પિતે ઉપાર્જન કરેલાં કર્મ શુભ હોય કે અશુભ હોય, પણ એ બધાંય ભેગવવા જોઈએ લોકમાં પણ લેણાની જ ઉઘરાણી થાય છે. હે જીવ, તારે તે આ - વિષ પ્રયાગ કરાવનારને જ ઉલ્લસિતચિત્તે ઉપકાર માનો કેમકે એ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhake Trust Page #108 -------------------------------------------------------------------------- ________________ બી ચરમ રાજર્ષિને મેક્ષ અને અભિચિનું કણિક પાસે ગમન (99) જ પોતાના કામકાજ પડતાં મૂકીને તારાં કર્મનો નાશ કરવા ઉદ્યત, થયે. સજજન વિના આવું પરેપકારનું કાર્ય કેણ કરે? વિષની ક્ષણિક અને અલ્પ પીડાને ભાવનાપૂર્વક સહન કરી લેજે કેમકે તે સંસારમાં ભ્રમણ કરતાં નરકાદિ અનેકવિધ દુ:ખ સહન કર્યા છે. અવાચક પશુઓ પર પ્રહાર પડવામાં બાકીયે રહે છે ? પરન્તુ એ અવતારમાં પરમ અજ્ઞાનને લીધે આવી કર્મની નિર્જરા નહીં થઈ હોય. હવે સર્વ સહન કરીને સમ્યક પ્રકારે કર્મની નિર્જરા, કર. કેમકે જે કર્મ અજ્ઞાની બહેકટી વર્ષમાં ન ખપાવી શકે એ કમ મન, વચન અને કાયાને પોતાને આધીન રાખનાર જ્ઞાની ઉચ્છવાસમાત્રમાં ખપાવે છે. આવી રમ્ય ભાવના ભાવતાં ભાવતાં ઉદાયનમુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે કેમકે ધ્યાન જેવું બીજું કંઈ નથી. પછી અઘાતી કર્મોને પણ ખપાવી દઈ એ માપવાસી મુનિરાજ શાશ્વત સુખનું સ્થાન મેક્ષ પ્રાપ્ત કરશે. પછી મુનિનું વિષ પ્રગથી મૃત્યુ થયું જાણુને દેવતા કેપયમાન થશે કેમકે સમ્યક્દષ્ટિ દેવ ઋષિમુનિની હત્યા સાંભળીને કપાયમાન થયા વિના રહેતા નથી. જાણે મહામુનિના ઘાતથી ઉત્પન્ન થયેલ સાક્ષાત્ પાપનો સમૂહ હાયની એવા ધુળના સમૂહથી , દેવતા નગરને પૂરી નાખશે. મનુષ્ય પણ નૃપતિ વગેરેને અન્યાય સહન કરશે. ત્યારે શિવતિ યહાં ઢંઢળો વિવેત વસ્તુ છે , page 789 વળી જે કુંભકારની વસતિમાં એ મુનિ રહ્યા હતા એ કુંભકારને દેવી ઉપાડીને સિતાપલ્લીમાં લઈ જઈ એની પ્રસિદ્ધિ, કરવા માટે “કુંભકારકૃત” એ નામનું સ્થાન બનાવશે. - વળી અભયકુમારે ભગવાનને પૂછ્યું–હે પ્રભુ, અભીચિકુમારનું ત્યારે શું થશે ? પ્રભુએ ઉત્તર આપ્યો-સાંભળ:– જ્યારે શ્રી ઉદાયન રાજાએ કેશીને રાજ્ય આપ્યું ત્યારે અભિ- * માનને લીધે અભીચિએ વિચાર્યું–મારા પિતા વિચારશીલ છતાં આવું અવિચારી કામ કેમ કરે છે? મને આશ્ચર્ય થાય છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #109 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, રાજમાર્ગ જેવી દેખીતી વાતમાં એ ભૂલ કેમ ખાય છે? રાજ્યની ધુરાને વહન કરવાને સમર્થ મારા જેવો ભક્તિમાન ઔરસપુત્રને મૂકીને એ બહેનના દીકરા કેશીને કેમ રાજ્ય આપે છે? લેકમાં સર્વત્ર ભાણે જ વગેરે વહાલા તે હોય પરંતુ કળારહિત વિપ્રની જેમ એઓ બહું તો ભેજનાદિના સત્કારને પાત્ર કહેવાય. ' - તિષીઓ અભીચિનક્ષત્રને ગણત્રીમાં લેતા નથી એમ મારા પિતાએ પણું મારા જેવા તેજસ્વી અને શક્તિમાનને ગણ્યા નહીં. પિતા સ્વામિ ઉઠીને જ જ્યાં અન્યાય કરે એમાં શું અપવાદ અથવા ઉત્તમ સુવર્ણાદિભાંડની અશુચિ ગણાતી નથી હવે મારાથી આ કેશીની મારા પિતાની જેવી સેવા થાય નહિં જે ઉઠાવું તે ઉદાયન રાજાના પુત્ર તરીકે મારી શેભા શી ! મારે માટે હવે વિદેશગમન કરવું શ્રેયસ્કર છે. કેમકે હંસ કાગડાના આધીનમાં રહે નહિં. વળી જે હું કદાપિ અહિં રહીશ તે ખળપુરૂષે મારે ઉપહાસ કરશે કે સુઈ રહેલા અજગરની જેવા અભીચિનું રાજ્ય કેમ જતું રહ્યું ? જેમનામાં માન લાજ કે પુરૂષાર્થ –કંઈ ન હોય એ જ પરાભૂત અવસ્થામાં શ્વાનની જેમ સ્વદેશમાં બેસી રહે. એમ વિચારીને એ હવે વિતભયનગરનો ત્યાગ કરીને એની માશીન. પુત્ર કુણિને ત્યાં જશે. કુણિક પણ એને ગૌરવ સહિત સાચવશે. કારણ કે મા અને માશીમાં અન્તર શું? કણિકને ત્યાં એ આન : ન્ટમાં પિતાને ઘેર રહેતો હોય એમ રહેશે. જોકે સ્વજનો શેાધે . છે એ એટલાજ સારૂ. શેક ત્યજી જીવાજીવના તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી શુદ્ધ ક્રિયા કરતો અને હરકોઈનાં કાર્ય કરી દેતો એ ત્યાં, બહુવર્ષ પર્યન્ત રહી શ્રાદ્ધ ધર્મ અંગીકાર કરશે. ઉદાયન અને પ્રભાવતીને પુત્ર એમ એટલું કરશે એ બહુ યેગ્ય કહેવાશે. પણ ધર્મ કાર્ય કરતો છતાં, ચન્દ્રમામાંથી કલંક જવાનું નથી. એમ. એના મનમાંથી પિતાસંબંધી કલુષતા જશે નહિં. પ્રાન્ત આરાધના કરી પિતે કરેલી ધર્મની ખંડનાનું સૂચવન કરતો હોયની એમ પંદર દિવસ અનશન કરી રહેશે. ઉપવાસને પંદરમે દિને એપિતૃગચર અપરાધ ખમાવ્યા વિના મૃત્યુ પામીને ભુવનપતિમાં મહદ્ધિક દેવતા PAP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયકુમારે કરેલી વીર સ્તુતિ અને દીક્ષા ભાવના. (101) થશે. એને ક્રોધને લીધે એને સદ્ગતિ મળશે નહિં. મહદ્ધિક દેવ છે તાનું એક પલ્યોપમનું આયુષ્ય પાળીને ત્યાંથી પાછા મહાવિદેહમાં આવી સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. . . . . . : - ' હે અભયકુમાર, આ પ્રમાણે અમે તને ઉદાયનરાજર્ષિનું ચરિત્ર ભૂતકાળનું અને ભવિષ્યમાં બનવાનું, તારી સન્મુખ કહી દીધું. " અભયકુમારે પણ કહ્યું- હે ભગવાન, આપનો મારાપર” ઉપકર થયો. અથવા તો આપની સુપ્રસન્ન દષ્ટિ કેની ઉપર નથી ? - પ્રભુનું ઉપદેશાત્મક વ્યાખ્યાન શ્રવણ કર્યાથી, જેના વ્રત ઉચ્ચારવાના પરીણામ થયા છે એવા અભયકુમારે, પછી ઉભા થઈ ત્રણ પ્રદક્ષિણા દઈ નમી, પ્રભુને વિજ્ઞાપના કરી:– . હે પ્રભે, આ અસારસંસારરૂ૫ સમુદ્રમાં અથડાતા પ્રાણીઓને આપ જહાજ સમાન છે; કષાયરૂપી અગ્નિથી તપી રહેલા પ્રાણઓને જળની જેમ ઠંડક આપનારા છો; મહા મેહરૂપી અન્ધકારથી જેમની દષ્ટિ વ્યાપ્ત થઈ ગઈ છે એવાઓને સૂર્ય સમાન પ્રકાશ આપનારા છો; કામરૂપી ગ્રહની સત્તામાં બંધાઈ રહેલાઓને ઉત્તમ મંત્રની જેમ મુક્ત કરનારા છો; અનેક શેક સંતાપરૂપી રજને વાયુની જેમ હરી લેનારા છે; જન્મ, જરા, મરણરૂપી કંદને અગ્નિની જેમ દગ્ધ કરનારા છે. વળી આપ એક બીજની જેમ સમસ્ત મંગળિકરૂપી અંકુરાને ઉત્પન્ન કરનારા છે. એક પ્રતિભૂ જામીનની જેમ આરોગ્યરૂપ અનેક સંપત્તિના અપાવનારા છે, સ્વર્ગ અને અપવર્ગના સુખો આપવાને શક્તિવાન છે. અરે અમારા સર્વ મનવાંછિત પૂર્ણ કરવામાં આપ તો એક અનન્ય કલ્પદ્રુમ જ છે, હું તો એક બન્દિવાનની જેમ હવે આ ભવનાં દુ:ખોથી મુંઝાઈ ગયો છું; એક દેધાદાર કે નિર્ધન કૌટુમ્બિક, કે બહુ કન્યાના પિતાની જેમ. વળી હવે મને આ ગૃહવાસ પ્રચંડ અગ્નિની વાળાથી બળી રહેલા ઘર જેવું જણાય છે. મારે મન કામ દુષ્ટ શત્રુ જે, સ્ત્રીઓ રાક્ષસીસમાન, ભેગેપભેગ રેગના ઘર, સંગ કાચના બીજ જેવા, લક્ષ્મી સિન્દર્યહીન અને રાજાની કૃપા વિષાદ જેવી છે. હવે તે હે પ્રભુ મને આ પારાપાર સંસારથી ગમે એમ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #111 -------------------------------------------------------------------------- ________________ (12) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, કરીને તારે, જે મારામાં દીક્ષાની ચેગ્યતા આપને જણાય દીક્ષા આપે. ' ' ' ', ' ' ' .. અભયકુમારનાં આવાં નિવેદપૂર્ણ વચને સાંભળી પ્રભુએ કહ્યું-તું આ અસારસંસારથી ઉઠેગ પામ્યો છે એ તારા જેવા વિવેકીને ચગ્ય છે. તારા જેવા બુદ્ધિમાને દીક્ષા લેવાને ચગ્ય છે જ; ચક્ષુવાળા પ્રાણીઓ મુખમંડનને લાયક છે એમ હે દેવાનાં પ્રિય, હે દઢ નિશ્ચયવાનું તારા મારામાં કંઈ વિઘ ન આવે. વળી હવે તું ક્યાંઈ આસક્તિ કરીશ નહિં. (aa અભયકુમારે પછી હું માતપિતાની પાસેથી અનુજ્ઞા મેળવું ત્યાંસુધી આપના પાદપંકજ સમીપ રહી જન્મ સફળ કરીશ” એમ શ્રી વીરને વિજ્ઞપ્તિ કરી પછી એમને નમી મેરૂસમાન અચળ મન કરી, હવે મને કયારે ચારિત્ર પ્રાપ્ત થશે એવા હર્ષાવેશથી રોમાંચિત થઈ પોતે ઘેર ગયે. ઈતિ શ્રી અભય કુમાર મંત્રીશ્વર જીવન ચરિમાં અગીઆર સ્વર્ગ સંપૂર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #112 -------------------------------------------------------------------------- ________________ ( 17 ) થી અક્ષય કુમારની દીક્ષા મહોત્સવ અથ બારમે સ. છે સદ્ય અભયકુમારે માતપિતાને વિજ્ઞપ્તિ કરી કે–શ્રી વીર . જિનેશ્વરે ઉદાયનરાજર્ષિને કહ્યું હતું કે “ધર્મમાં ઢીલ ઈ શી?” તે મારે પણ હવે વિના વિલમ્બ –ઢીલ કર્યા વિના ધર્મનું કામ કરવું છે–ત્રત લેવું છે. જે હું * રાજ્યને સ્વીકાર કરીશ તો વિલમ્બ થશે અને એ ધર્મનું કામ–દીક્ષા રહી જશે. અત્યારે શ્રી વીર તીર્થકર જેવા ગુરૂને વેગ છે, અને હું આપના જેવા:મહારાજાને પુત્ર હોઈ દક્ષા લઈશ એટલે ધર્મની સાથે કીર્તિ પણ પ્રાપ્ત થશે; માટે મને કૃપા કરી અનુજ્ઞા આપો તો સત્વર ચારિત્ર ગ્રહણકરી શ્રીવીરને શરણે જાઉં. આ લેકની જેમ પરલોકને હું ન સાધું તો મારા જે મૂર્ખ બીજે કણ? આપની કૃપાથી મેં જેમ આ લોકનાં સુખ ભેગવ્યાં છે તેમ શ્રી વીર પ્રભુની કૃપાવડે પરલોકનાં સુખ ભેગવવા ઈચ્છું છું કે - નિરન્તર માતપિતાની ભક્તિમાં અનુરક્ત, નિર્મળ-સરલ સ્વભાવી, બુદ્ધિચાતુર્યના ભંડાર, દીર્ધદષ્ટિ અને, લેકે જેનાં દર્શનથી પિતાને ભાગ્યશાળી માનતા એવા અભયકુમારના મારથ સાંભળીને એના માતપિતાએ શેકથી ગદ્ગદિત થઈ કહ્યું- હે વત્સ, જે રાજ્ય મેળવવાનાલેમથી બાપદીકર, કાકો ભત્રિજે, મામા ભાણેજ, ભાઈઓ અને મિત્રો એકબીજાના પ્રાણ સુદ્ધાં લેવા તત્પર થાય છે એવું સુંદર, મેંઘું રાજ્ય તું, આપતા છતાં પણ લેતા નથી અને કહે છે કે રાજ્ય સ્વીકારું તે દીક્ષા રહી જાય. પરન્તુ હે વિચક્ષણ પુત્ર તારા મનોરથ, યદ્યપિ કેવળ કલ્યાણરૂપ છે છતાં યે કોણ જાણે કેમ અમારા જ્હોંમાંથી “હા” નીકળતી નથી, પણ નકારરૂપ કઠેર શબ્દ નીકળે છે. માટે અમે વિદ્યમાન રહીએ ત્યાંસુધી થોભી જા, કે જેથી અમે નિરન્તર તારું વિકસ્વર વદનકમળ હર્ષપૂર્વક નીહા. ળતાં સુખમાં રહીએ. તું અમારા અવસાન પછી સુખે ચારિત્ર લેજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #113 -------------------------------------------------------------------------- ________________ (14) શ્રી અભય કુમાર મત્રો ઘરનું જીવન ચરિત્ર, માતપિતાનાં નિષેધાત્મક વચન સાંભળીને અભયકુમારે કમળ શબ્દમાં કહ્યું–સળ પૃથ્વીને આનન્દ “આપનારા તમારા જેવા પિતા અને સર્વ પ્રાણી પર વત્સલભાવ રાખનાર મારાં માતા મને જે આદેશ કરે છે એ સર્વ સુંદર વાત છે. કારણ કે માતપિતા નિત્ય પુત્રનું શ્રેય કરવામાં તત્પર હોય છે. પરન્તુ તમે મને જે “અમે વિદ્યમાન રહીએ ત્યાંસુધી...., ઈત્યાદિ પ્રેમપૂર્વક કહ્યું એ અનિશ્ચયાત્મક છે કેમકે આયુષ્યની ગતિ વિષમ છે. હું યુવાન, પ્રઢ કે વૃદ્ધ-કેઈનું જીવિત ભલે ઓછું કે વધતું, નિયત -ચોકકસ કરેલું નથી. બધું અનેકાંત છે માટે સમુદ્રનાં વાયુ પ્રેરિત તરંગની જેવું આયુષ્ય ક્ષણભંગુર છે, એમાં પ્રતિક્ષણ મૃત્યુની જ વાટ જોઈ રહેવાની છે. વળી મારા ચારિત્ર ગ્રહણ કર્યા પછી જ્યારે તમે મને સાધુનો સંપૂર્ણ આચાર પાળતો શ્રીમાન વીર પ્રભુની ભક્તિપૂર્વક સેવા કરતા જોશે ત્યારે તેમને જે હર્ષ થશે તે મારું ગૃહસ્થજીવન જોઈ થયેલા. હર્ષ કરતાં લક્ષગણે થશે. માટે પૂર્વે શ્રી નારાયણે જેમ સાંબપ્રદ્યુમ્ન વગેરેને પાસે રહી દીક્ષા અપાવી હતી એમ, મને પણ તમે અપા... 7 આ પ્રમાણે, અભયકુમારે અતિ ગાઢ આગ્રહપુર્વક માતપિતાને સમજાવ્યા, અને અને એમની સંમતિ મેળવી. સારા કામમાં સે વિઘો આવી પડે છે એ સમજી, લેશ પણ વિલંબ કર્યા વિના, અભયકુમારે, પિતાની અનુજ્ઞા લઈને પોતાના સર્વ આવાસમાં પિતા થકી અઠ્ઠાઈ મહોત્વ કરાવ્યો અને બહુમાનભક્તિપુરસ્સર આશ્ચર્યકારક સાધમી વાત્સલ્ય કર્યું. . . . . . . ... શ્રેણિક રાજાએ પણ પિતાના કુટુમ્બીપુરૂષોને તેડાવીને અભયકુમાર ચારિત્ર ગ્રહણ કરવાને છે એવા સુંદર પ્રસંગને લઈને નગર શણગારાવ્યું. એમણે, વૈદ્ય રેગીને દેહ શુદ્ધ કરે છે. એમ રાજમાર્ગ આદિ સર્વ સ્થળે સાફસુફ કરાવ્યા. અને વર્ષાદ કરે એ જળને છંટકાવ કરાવ્ય, વળી એની ઉપર સુગન્ધિ દ્રવ્ય તથા સુંદર પુપો કુંકુમ વગેરે છંટાવ્યાં. બજારે બજારે સુંદર મંડપની બેઠક કરવામાં આવી અને એ મંડપોને તરણ તથા 13 : P.P.Ac. Gunrathasuri M.S. Jun Gun Aaradhak Trust Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયકુમાર મંત્રી ઘરના દીક્ષા મહેસથ, (15) લાલકસુંબાના ઉલેચ બાંધવામાં આવ્યા વળી સર્વત્ર વિવિધરંગની, સિઁહ અશ્વ વગેરેની આકૃતિવાળી ધ્વજાપતાકાઓની પણ શોભા કરવામાં આવી. પછી અભયકુમારને ઉત્તમ સામગ્રી વડે રાજાએ અતિમ સ્નાન કરાવ્યું. કેમકે વત્સલતા બતાવવાનો એક સમય હતો. કોમળકરવાળા પુરૂષોએ એને સુગન્ધિ તેલનું મર્દન કર્યું. મર્દન કર્યા પછી વળી એમણે, એને વિષે સ્નેહભાવ ધરનારા છતાં મૃદુ પીઠી ચોળીને નેહ ઉતારી નાખ્યો. પછી સિંહાસન પર બેસાડીને એને એકસને આઠ કૃત્તિકા સોનારૂપા અને મણિમય કુંભ વડે એકી સાથે બબ્બે ત્રણત્રણ લઈને સ્નાન કરાવ્યું; દેવમંદિર પર જાણે મેઘ વર્ષાદ વર્ષાવતા હોયની એમ સ્નાન કરી રહ્યા પછી મૃદુ અને સૂક્ષ્મરૂંવાટીવાળા ગંધવસ્ત્ર વડે એનું શરીર લુછવામાં આવ્યું. અને એના કેશપાશને વસ્ત્રમાં વીંટીને નીચોવવામાં આવ્યા, તે વખતે એમાંથી જળ ટપકવા લાગ્યું તે જાણે અલ્પસમયમાં પિતાનો ત્રાટ-લેચ થવાને છે એના દુ:ખને લીધે આંસુ સારતાં હોયની! વળી એક આશ્ચર્યકારી કાર્ય કરવામાં આવ્યું તે એ કે એનું શરીર સુગંધયુક્ત હોવા છતાં પણ, એને સગે શીર્ષ ચંદનનું વિલેપન કરવામાં આવ્યું. વળી એના કેશને શોભીતી રીતે ઓળી ઠીકઠીક કરી એમાં પુષ્પ ભરાવવામાં આવ્યાં તે જાણે એમને તુરત જ લેચ થવાને છે માટે હર્ષ પૂર્વક એઓ સુવાસને અનુભવ કરી લે એટલા માટે જ હોયની એના મસ્તકે પુષ્પને મુગટ તથા વક્ષ:સ્થળપર પુષ્પને હાર પહેરાવવામાં આવ્યો તે જાણે પુણ્યલતમીના આદરસત્કારને અર્થે હોયની! એને જે વસ્ત્ર પહેરાવવામાં આવ્યાં તે પણ સર્વથા સુંદર–અશ્વલાલા જેવા મૃદુ, કુંક મારીએ ત્યાં ઉડી જાય એવાં હળવાં, જરીકસબથી ભરેલાં છેડાવાળાં, અને હંસસમાન નિર્મળ અને વેત પછી એનું ચંદન, અક્ષત, અને દધિ વગેરેથી કહુકમંગળ કરવામાં આવ્યું. વળી એને સસૈને સ્થાને ઉત્તત્તમ આભૂષણે પણ પહેરાવવામાં આવ્યાં મસ્તકે સર્વાલંકાર શિરોમણિ ચૂડામણિ ભાલપ્રદેશે વિશાળ મુકુટ, કણે sy P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #115 -------------------------------------------------------------------------- ________________ ( 106) શ્રા અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, મનહર કુંડળ, કંઠે સ્વર્ણ ગળચવ, હાર અદ્ધહાર રત્નાવાળી અને એકાવળી મેતીની માળા, બેઉ ભુજાએ અંગદ–કેયૂર અને ત્રીજી બાહુરક્ષિકા રાખડી, કળાંચીએ મણિજડિત વલય, અને હાથપગની આંગળીઓએ વજા રત્નાતિમુદ્રા. * આ પ્રમાણે શ્રેષ્ઠ વસ્ત્રાલંકાર પરિધાન કરી અભયકુમાર સ જ્જ થયે એટલે એને માતપિતાએ અશ્રુપૂર્ણ નયને જોઈ રહી, પૂછયું–હે પ્રિયંવદ વત્સ, કહે હવે તારે શું જોઈએ? એણે કહ્યું - મારે માટે રજોહરણ અને પાત્ર મંગા, શેષ વસ્તુઓ હવે શેષ નાગની જેમ દૂર રહો. સદ્ય રાજાએ બજારમાંથી કુત્રિકાપણથી લક્ષમૂલ્ય આપીને રજોહરણ અને પાત્રો અણાવરાવ્યાં. એજ વખતે, આ ખાસ પ્રસંગને માટે રાજાએ તૈયાર કરાવેલી, સહસ્ત્ર પુરૂએ ઉચકેલી એક શુભકારી શિબિકા આવીને ઉભી રહી, જેને જોતાંજ લેકોનાં ચક્ષુઓ થંભાઈ ગયાં. ઉપર મૂત્યવાન ઉલેચ અને પડદાને સ્થળે મેતીની ગુંથણીની લટકતી હારમાળાઓથી એ શેભી રહી હતી. ખંભે ખંભે અત્યન્ત સુંદર આકૃતિવાળી પુતળીઓ અને અગ્ર સ્તંભે સુઘટિત મનહર વિદ્યાધર વિદ્યાધરીનાં જોડલાંથી એ વિરાજી રહી હતી. મધ્ય ભાગમાં આવી રહેલા શ્રેષ્ઠ સિંહાસન, સર્વત્ર ઘમકતી સુંદર ઘુઘરીઓ, ચેદિશ મૂકેલા મહૉટા ગવા, અને મધુર ટંકાર સ્વરથી આકાશને પૂરી નાખતી ઘંટા-આ સર્વથી એ અનુપમ દીપી રહી હતી. ઉલ્લસિત કિરણવાળો સુવર્ણકળશ, અને મન્દ વાયુને લીધે ફરફરી રહેલી વેત ધ્વજાપતાકાને લીધે એ અતીવ ઝળકી રહી હતી. એના પર મનુષ્ય, હસ્તી, સિંહ, અશ્વ, ગાય, ચિત્તા, મયુર, પોપટ, વાનર, હંસ, મૃગ, મસ્ય, કિન્નર, ચામર આદિ પ્રાણીઓનાંચંપક, પ આદિ અનેક લતાઓનાં અને સ્વસ્તિક આદિ મંગળચિન્હોનાં–આળેખેલાં મનહર ચિત્રોને લીધે એ અદ્ભુત આપી રહી હતી. વિશેષ શું કહીએ ? અસામાન્ય શિલ્પકળાની એ એક 1 . 1 આ કુત્રિકાપણનો અર્થ જાણવાની ઈચ્છાવાળાએ શ્રી વિજયદાનસુરીશ્વરકૃત શ્રી વિવિધ પ્રશ્નોત્તરને 21 પ્રશ્નોત્તર જોવે. . . . . . વાળા તળી વરાળ મા કહી અછત Ad Guatnasuri M. Jun Gan Aaradhak Trust Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયકુમાર મંત્રીશ્વરની દીક્ષાને વરડે. (107) અપ્રતિમ પ્રતિમા હતી–સમાન ગુણવત્તાને લીધે દેવવિમાનની જાણે ન્હાની બહેન હતી! * આવી અનુપમ-વિશિષ્ટ રચનાવાળી એ શિબિકાને પ્રદક્ષિણ કરીને સમસ્ત વિધિને જાણ અભયકુમાર દેવેન્દ્રની જેવી લીલાથી એના પર ચઢી ગયે, અને સૂર્ય ઉદયાચળને અલંકૃત કરે એમ એણે સિંહાસનને અલંકૃત કર્યું, એ વખતે સકળ પ્રજાવમાં એને વિકસિત નેત્રે જોઈ રહ્યો. તરતજ હંસસમાન ઉજ્વળ વસોને લઈને એક પ્રઢ સ્ત્રી શિબિકાની પ્રદક્ષિણા કરીને, ઉપર ચઢી અભયકુમારની જમણી બાજુએ બેઠી, અને રજોહરણ તથા પાત્ર હાથમાં લઈ એવી જ એક બીજી મહતરા સી ચઢીને અભયકુમારની ડાબી બાજુએ બેઠી. વળી એક ત્રીજી સુંદર વસ્ત્રધારી, સગાસંપૂર્ણ અને દેવાંગના સમાન સિાન્દર્યવાન સ્ત્રી એની પાછળ બેઠી અને એને મસ્તકે છત્ર ધરી રહી. અન્ય પણ, સપ્રમાણ આકૃતિ અને રૂપલાવણ્યને લીધે અપ્સરાએજ હાયની એવી શંકા કરાવતી, બે સ્ત્રીઓ અભયકુમારની બને બાજુએ બેઠી, અને એને નાના પ્રકારના રત્ન તથા મણિઓએ જડેલા–સુવર્ણ દંડવાળા, ચંદ્રમાના કિરણોને સમૂહ હોયની એ ભાસ કરાવતા, ચામરે વીંજવા લાગી. એક તરૂણી વળી સ્વચ્છ જળપૂર્ણ સુવર્ણની ઝારી લઈને એની વાયવ્ય દિશાએ બેઠી. શ્રેષ્ટ શૃંગારમાં સ થઈ આવેલી એક વળી ઉત્તમ કાંચનના હાથાવાળે વીંજણે લઈ એને વાયુ ઢળતી અગ્નિકોણે બેઠી. . . . આમ સર્વ આવશ્યક વ્યવસ્થા થઈ રહી કે સદ્ય નૃપતિએ આજ્ઞા કરી એટલે સમાન વય અને રૂપાકૃતિવાળા તથા એક સરખા વસ્ત્રાભરણાથી શોભતા, સહસ્ર યુવાનોએ શિબિકા ઉપાડી. તત્ક્ષણ મસ્ય, ભદ્રાસન, આદર્શ વદ્ધમાન કુંભ શ્રીવત્સ, સ્વસ્તિક અને નંદ્યાવર્તઆ આઠ આગળ થયા. એની પાછળ હસ્તિ, સિંહ, અશ્વ વગેરેનાં ચિત્રામણવાળી અનેક વિવિધરંગી વજાપતાકા ચાલી. એની પાછળ રથ અને રથવાળા, એની પાછળ વળી અશ્વો અને અશ્વારે ચાલ્યા. અને બે બાજુએ હસ્તીઓ અને હસ્તીના મહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #117 -------------------------------------------------------------------------- ________________ (108) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, વતો ચાલ્યા. ત્યારપછી ઈવાકુન્ય-ભેગ–ઉગ્ર વગેરે કુળના સામન્ત પિતપોતાના વાહન પર આરૂઢ થઈ ચાલવા લાગ્યા. એમની પાછળ ભાલાવાળા, ધનુષ્યવાળા, દંડવાળા, તીરકામઠાવાળા, શક્તિવાળા અને મગદળવાળા ચાલવા લાગ્યા. એમની પછી વળી ઠેકતા કુદતા, હસતા, આનન્દ કરતા, એકબીજાથી આગળ નીકળવાને યત્ન કરતા પાયદળના માણસે ચાલ્યા. અને એમની એ પાછળ હેટા ધનવંત, સેનાનાયકે શ્રેષ્ટિ વર્ગ, સાર્થવાહ, મંત્રિઓ અને મંત્રીશ્વરે ચાલ્યા. તે પછી માર્ગને વિષે કેઈની દુષ્ટ દષ્ટિ ન લાગે એટલા માટે હેન, વારંવાર હર્ષ પૂર્વક અભયકુમારનાં લુણ ઉતારવા લાગી. અને માતા નન્દાએ પણ એને આશીર્વાદ આપ્યા કે-વત્સ અભયકુમાર તું બાહુબલિ, સનસ્કુમાર વગેરેની જેમ યાવતજીવ ચારિત્ર પાળજે. સિંહની જેમ ચાલી નીકળ્યો છે તો હવે વિહારમાં પણ સિંહત્વ દાખવજે. રાજલક્ષમીનો પરિત્યાગ કરીને તું પ્રવ્રજ્યા લેવા ઉદ્યત થયો છે એમાં તે નિશ્ચયે પૂર્વ પુરૂષના લુપ્તપ્રાય થઈ ગયેલા આચાર વ્યવહારનો ઉદ્ધાર કર્યો છે. અત્યારસુધી તેં દ્રવ્યશત્રુઓને તો બહુબહુ પરાજય પમાડયા છે. હવે ભાવશત્રુઓનો પરાજ્ય કરી વિજય પતાકા પ્રાપ્ત કરજે અને મેસાળપક્ષ તથા પિતૃપક્ષ–એમ બેઉ કુળને દીપાવજે. એટલામાં તે જય, જય, નન્દ, ન, આનન્દમાં રહેજે, વિજય પ્રાપ્ત કરજે એવા મંગલિક શબ્દો બારોટ–ભાટ-આચાર્યચારણ વગેરે વર્ગના લોકોના મુખમાંથી બહાર પડવા લાગ્યા નાન્દી, તૂરી આદિ વાત્રેનો નાદ સાંભળવા લાગ્યા અને અનેક જોવા લાયક દ–તમાસા થવા લાગ્યા–એમાં અભયકુમાર ઉત્તરાનક્ષત્રના મેઘ જેમ ધોધબંધ વષદ વરસાવે છે એમ, થોકબંધ દ્રવ્ય વેરતો, યશ-કીર્તિથી દિશાઓને પૂરતો હોયની એમ અથીજનોના મનોરથ પૂરતો, પિતાને મન્દિરેથી પરમપ્રેમપૂર્વક સમવસરણ ભણી ચાલ્યો. એટલે નગરની તરૂણ અને વૃદ્ધ-સર્વે સ્ત્રીઓમાં ખળભળાટ ઉઠે. કેમકે સ્ત્રીઓને કેતુક પહેલું છે. એ P.P. Ac.'Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #118 -------------------------------------------------------------------------- ________________ - સ્ત્રીઓને આલાપ અને લેકની ભાવના. (10) વખતે એમનામાં મહામહે આ પ્રમાણે આલાપ-સંલાપ થયા વાતો થવા લાગી - ' ', ', ' ' ? ? * હેન, તું ઉતાવળી ઉતાવળી ચાલી તે જરા મારી વાટ પણ નહિં જે ? અલિ! અભયકુમારને જોવાની બહુ ઉતકંઠાવાળી, પૂરાં વસ્ત્ર તો પહેર, આ તારા કેશ છૂટી ગયા છે એ તો બાંધી લે. સખી, તને તારા રૂપને બહુ ગર્વ છે પણ કોપડા વિના નહિ ચાલે. નિર્લજ, તને તારાં સાસરીની શરમ નથી આવતી? હે ગજગામિની, તને આ કુતૂહળ જેવા જવાની બહુ ઈચ્છા છે એમ તારાં વર્તન પરથી જણાય છે પરંતુ કાનમાંથી કુંડળ નીકળી ગયું એનું તે કંઈ ભાન નથી. અલિ સૈભાગ્ય મદઘેલી, કંઠમાંથી હાર નીચે પડી ગયે એ ધ્યાનમાં છે? અરે સ્થલગિ, અભયકુમારને જેવો હોય તો ઉતાવળી ઉતાવળી દેડ. અરે કુતૂહળ જેવા દોડતી આવનારી, ધ્યાન રાખીને બધું જોઈ લેજે. ફરી ફરી આવું જોવાનું નહિં મળે. અલિ મુગ્ધા, આમ ક્યાં સુધી નેત્ર વિકાસી વિકાસીને ત્યાં જઇ રહીશ ?. આ તારું કટિવસ્ત્ર ખસી જવાથી લોકો ઉપહાસ કરી રહ્યા છે એ એ તો ભાળ ! અરે નિર્લજ્જ, આ તારા વડીલ જોઈ રહ્યા છે ને તું કેમ દોડાદેડ કરી રહી છે? મને પણ તારાપર બહુ ક્રોધ થાય છે! અલિ પતિની માનીતી, તને કંઈ ધન વૈવનને બહુ ગર્વ આવી ગયો છે કે આવડું મોટુ ગવાક્ષ એકલી રેકી રહી છે? જ્યાં ત્યાં કેતુક જોવા જવા આવવામાંજ તારે જીવ છે–અન્યત્ર ક્યાંઈ પણ નથી. એટલે જ તારું શરીર આમ વધી જઈને અત્યન્ત સ્થળ થઈ ગયું છે એ વાત તારા લક્ષમાં નથી. અરે વૃદ્ધા, આખો જન્મારે કૈતુક જોઈ ઇને હજુ તપ્તિ ન પામી કે આમ વગ રૂંધીને સાની આગળ આવી ઉભી છે? અલિ ગર્વિષ્ટ તારી માતાએ કે કોઈએ તને કદિ પણ શિખામણ આપી છે કે નહિં? મારા જેવી વૃદ્ધાને અસહ્ય શબ્દપ્રહાર કરતી શા માટે વારંવાર ધક્કા મારે છે ? હે પંડિતા ! તું તે બહુ વાચાળ ઠરી! હવે તો તારે સવારે બંધ કર. આ અભયકુમાર આવ્યું અને હવે ધારી ધારીને જે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #119 -------------------------------------------------------------------------- ________________ (110) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. તે આ પ્રમાણે સ્ત્રીઓ વિવિધ વાર્તાલાપ કરી રહી હતી એવામાં અભયકુમાર નજદીકમાં આવ્યો. એટલે સકળ સ્ત્રી પુરૂષે તક્ષણ એકાગ્રચિત્ત જોઈ રહ્યા. તેથી એઓ જાણે નિશ્ચીત પત્થરના પુતળાં હોયની એવો દેખાવ થઈ રહ્યો. “જેણે ધર્મ, અર્થ અને કામ-એ ત્રણે પુરૂષાર્થો સાધાપૂર્વક રાજ્ય ચલાવી સર્વ જગત પર એક પોપકારજ કર્યો છે એવા આ અભયકુમાર પોતાનો મનુષ્ય જન્મ સફળ કરવા ચાલ્યા એમ કહી કહી હજારો લોકો એમને આંગળી ચીંધવા લાગ્યા. પદેપદ સહસ્ત્રપદ નેત્રે એમને જોઈ રહ્યા, તે જાણે કુમુદપુષ્પો ચંદ્રમાને, કે કમળપુષ્પ સૂર્યને જોઈ રહ્યાં હોયની ! ધન્ય છે એને ! ધન્ય છે એનાં ઉત્તમ લક્ષણેને, વિદ્વત્તાને, એનાં શાને, એનાં ધર્યને અને એની બુદ્ધિને ! કે સમૃદ્ધિથી ભરેલાં મનહર રાજ્યને જીર્ણપ્રાય રજજુની જેમ ત્યજી દઈને આજે, સર્વ સંપત્તિના મૂળ એવા શ્રીમાન્ મહાવીરની સમક્ષ દીક્ષા લઈ મેક્ષ પ્રાપ્ત કરવા ચાલી નીકળે છે! એ પ્રમાણે કહીને લોકો પ્રમેદપૂર્વક એની સ્તુતિ કરવા લાગ્યા. વળી આ અભયકુમારની જેવી આપણું પણ મતિ થાઓ કે જેથી આપણે પણ આ સંસાર સાગરને પાર પામીએ” એવા મનોરથપૂર્વક ધર્મિષ્ટ જો એની પ્રશંસા કરવા લાગ્યા. ઐહિક ફળની આકાંક્ષાવાળા વળી એમ કહીને એના ગુણોને અનુરાગ કરવા લાગ્યા કે એના સમાન ભવ્ય રૂપ, સુંદર કાન્તિ, આકર્ષક લાવણ્ય, અને ઉત્તમ સાભાગ્ય આપણને પણ પ્રાપ્ત થાય તો કેવું સારું ! એના સદ્દગુણોથી આકષચેલાં સ્ત્રી પુરૂષે વળી સૂર્યની જેમ એના ભણી પણ અંજલિ જોડી રહ્યાં હતા એ સિાને અભયકુમાર પોતે પણ સામું નમન કરી સત્કાર કરવા લાગે. વળી કોઈ કોઈ તે “હે સુબુદ્ધિ અભયકુ- - માર, તું ઘણા દિવસે પર્યન્ત, બહુ બહુ માસ પર્યન્ત, બહુ છમાસી પર્યન્ત, અનેક વર્ષો પર્યન્ત ચારિત્ર પાળજે એમ આશSવાદ દેવા લાગ્યા. આ પ્રમાણે પ્રજા વર્ગની પ્રશંસા, સ્તુતિ, અભ્યર્થના, આશીવદ આદિ મેળવતે, પ્રભાવના કરતો, ઉત્કૃષ્ટ ભાવના ભાવતો, સં - P.P. Ac. Gunratnasuri MS Gun Aaradhakru Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયકુમારની વિધિ પૂર્વક દીક્ષા ( 11 ) સારની અસારતા અને વિષયની કટુતા બતાવી આપતે, એક તરફથી અદ્વિતીય પ્રદ અને બીજી બાજુએ પરમ સંવેગ ધારણ કરતા, તથા પિતાનાં સર્વ ચિરંતન ઉત્તમ કાર્યોથી લોકોને ચમત્કાર પમાડતો અભયકુમાર, આગળ પોતે અને પાછળ પિતા–શ્રેણુક, તેથી જાણે પતે પિતાને સન્માર્ગદર્શક દીપક હોયની એમ, પ્રભુના સમવસરણની નજદીકમાં આવી પહોચે. - ત્યાં એનું સર્વોચ્ચ છત્ર દષ્ટિએ પડયું એટલે એ, વિધિજ્ઞ હોઈને, શિબિકામાંથી નીચે ઉતર્યો, તે જાણે વિમાનમાંથી ઈન્દ્ર ઉતર્યો હોયની ઉતરીને રાજા વગેરે સર્વ પરિવારસહિત મેક્ષ લક્ષ્મીના દ્વાર જેવા સમવસરણના દ્વાર સુધી પગે ચાલતો ગયો. ત્યાં પુષ્પ–તાંબુલ વગેરે સચિત વસ્તુઓને ત્યજી, ઉત્તરાસંગ કરી એણે એકચિત્તે અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં જિનેશ્વરના મુખકમળનાં એને દર્શન થયાં કે તરતજ એણે અંજળિ જોડી, જાણે કર્મના સમુદાયને જતાંજલિ આપતો હોયની એમ. પછી ' ત્રણ પ્રકારની શુદ્ધિને લીધે મનોહર જણાતા એ રાજપુત્ર અને સર્વ પરીવારે પુનઃ પુનઃ ભગવાનને નમન કરી, ત્રણવાર પ્રદક્ષિણ દીધી. , ત્યારપછી મગધરાજ શ્રેણિક અને રાણી–નન્દા આદિ સ્વજનોએ અંજળિ જેડી પ્રભુને નમી, સ્તુતિ કરી વિનંતિ કરી કે હે ભગવંત, તમે સચિત્તના ત્યાગી છે તોયે અમારી સચિત્ત ભિક્ષા સ્વીકરે–આ અભયકુમારને ગ્રહણ કરે. એમ કરશે એમાં અમે પણ તરી જઈશું. તીર્થકર મૂકીને અન્ય કયું ઉત્તમ પાત્ર છે (કે જેને અમે અભયકુમારને આપીએ—સોંપીએ) ? ' : ‘એ સાંભળીને, પાપકાર કરવામાં તત્પર એવા જગન્નાથ વીરસ્વામિએ કહ્યું–‘લાવે, લઈએ.”કેમકે ગુરૂઓ (શિષ્યનો) સંગ્રહ કરવામાં ઉદ્યત હોય છે. અભયકુમારેપણુ ઉભા થઈ નમીને પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે–હે સ્વામી, મારે સંસાર સમુદ્ર થકી વિસ્તાર કરે. એટલે જિનભગવાને પણ વામ ભાગે રહેલા એવા એ અભયકુમારના મસ્તક પર પોતાને હાથે વાસક્ષેપ કર્યો, તે જાણે પુણ્યના કણેનો ક્ષેપ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #121 -------------------------------------------------------------------------- ________________ (11) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, કર્યો હોયની ! પછી પ્રભુએ એને ચિત્યવંદન, પ્રદક્ષિણ આદિ વિધિ કરાવી કેમકે આવી વિધિ જિનભગવાનોથી જ ઉદ્ભવી છે. પછી, પ્રભુએ એને, શ્રેણિકે આગળ આણીને મૂકેલે વેષ અપાવ્યું, તે જાણે મેક્ષ મેળવી આપવાની ખાત્રી માટેનું બહાનું જ હોયની ! ગીતાર્થ મુનિઓએ એ વેષ એને ઈશાન દિશામાં લઈ જઈને પહેરાવ્યો; કેમકે ધર્મને વિષે પણ લજા મ્હોટી વાત છે. મુનિનો વેષ ધારણ કરીને ઇયોસમિતિ સાચવતો પ્રભુની સમક્ષ આવ્યો એ વખતે એ માનસરોવરમાં હંસ શેભે એમ સમવસરણમાં શાભી ઉઠયો. પછી ત્રિભુવનનાયકે પોતે એના મસ્તકના કેશ (ટુંપી ટપીને) દૂર કર્યા તે જાણે એના સર્વ—જૂનાધિક કલેશે દૂર કર્યા હોયની! વળી પછી એને પ્રભુએ રીત્યાચાર પ્રમાણે સામાયિકસૂત્ર ઉચ્ચરાવીને પંચમહાવ્રત ગ્રહણ કરાવ્યાં. એટલે હવે ગૃહસ્થ મટીને ત્યાગી સાધુ થયેલાને (અભયકુમાર મુનિને) ઈન્દ્રઆદિ દેવોએ અને શ્રેણિક વગેરે મનુષ્યોએ હર્ષપૂર્વક વંદન કર્યું. મુનિએ પણ એમને અનેક ઉત્તમ મનોરથને પૂર્ણ કરવામાં કુપવૃક્ષ સમાન–એ ધર્મ લાભ દીધા. પછી એણે અંજળિ જેડીને પ્રભુને નમી વિજ્ઞાપના કરી કે હે ભગવંત, હવે ધર્મ સંભળાવે એ પરથી પ્રભુએ દેવ દુન્દુભિના નાદ સમાન ગાજી ઉઠતી વાણી વડે, કર્મરૂપી તખ્તઓને કાતરી નાખવામાં કાતર સમાન–એવી ધર્મદેશનાનો આરંભ કર્યો:' ' . હે મહાભાગ આ રાશીલક્ષ જીવયનિવાળા સંસારમાં ત્રસનિનો અવતાર બહુ દુર્લભ છે. એમાં પણ પંચેન્દ્રિયતા દુર્લભ છે. એમાં વળી મનુષ્યત્વ, આર્યદેશમાં જન્મ, ઉત્તમકુળને ઉત્તમ જતિની પ્રાપ્તિ એટલાંવાનાં દુર્લભ છે. એમાં પણ ઉત્તમ આરોગ્ય ઇન્દ્રિયનું અક્ષતપણું અને સાધુનો યોગ દુર્લભ છે. એમાં પણ ધર્મ શ્રવણની રૂચિ થવી, એમાં પણ ધર્મ શ્રવણનો યોગ, એમાં પણ ઉત્તમ ક્ષાયિક ભાવ અને એમાં વળી સંસારનો ત્યાગ અને મુનિવ્રતનું ગ્રહણ દુર્લભ છે. એમાં પણ ઉત્તમ ક્ષાયિક ભાવ અને એમાં પણ કેવળજ્ઞાન દુર્લભ છે. એમાં પણ જરા, મૃત્યુ, શગ, શોક આદિ સર્વ વિપત્તિઓનો જ્યાં સર્વથા અભાવ છે એવું સર્વોત્તમ * P.P.A. Gunatnasuri M.S. Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયકુમારને દીક્ષા આપી ભગવાને આપેલ ઉપદેશ (113), . અને શાશ્વત સુખનું ધામ મોક્ષપદ તે સિાથી દુર્લભ છે. આમ સર્વવાનાં એકબીજાથી તર-તમતાએ કરીને દુર્લભ જ છે. છતાં પણ તેં તો, આ સર્વેમાંનું ઘણુંઘણું પ્રાપ્ત કર્યું છે ત્યારે હવે અન્ય. રહ્યું એ પ્રાપ્ત કરવાને માટે, આ પંચમહાવ્રત તે સ્વીકાર્યો છે . તેના સંબંધમાં સવિશેષ યત્ન કરજે. શેઠની રક્ષિકા-અને-રેહિણ પુત્ર વધુઓએ પાંચ શાળના કણના સંબંધમાં કર્યું હતું એમ તું પણ તારાં પાંચવતના સંબંધમાં કરજે એમને સાચવીને પાળજે . અને એમની વૃદ્ધિ કરજે, પ્રમાદ કરીને ઉઝિકાની જેમ તું એમને ત્યજી દેતો નહિં તેમ ભગવતીની જેમ એઓનું ખંડન પણ કરતો નહિ, એ સાંભળીને અભય મુનિએ પૂછયું–હે જગન્નાથ, . એ રેહિણી વગેરેનું શું વૃત્તાન્ત છે એ મને કૃપા કરીને કહો. પ્રભુએ પણ કહ્યું–હે સત્યવાન, સાંભળ:– - આ જ ભરતક્ષેત્રમાં પૂર્વે રાજગૃહ નામના નગરમાં કુબેરનાં જેટલી ધનસંપત્તિવાળો એક ધન નામે શ્રેષ્ટી વસતો હતો. એને એક આદર્શ મહિલા હોયની “એવી ધારિણે નામે પત્ની હતી. ધારિણીની કુક્ષિથી ગજદંત જેવા ઉન્નત અને ગુરૂદેવગિરિસમાન, લિષ્ટ ધનપાલ, ધનદેવ, ધનઘોષ અને ધનરક્ષક નામના ચાર પુત્રોને અનુક્રમે ઉઝિક, ભગવતી, રક્ષિકા અને રોહિણી નામની ચાર સુંદર સ્ત્રીઓ હતી. આવા પરીવારવાળા સુબુદ્ધિમાન શ્રેષ્ટીએ કેટલેક કાળ સુખે નિર્ગમન કર્યો. એકદી એ રાત્રીને છેલ્લે પહોરે નિદ્રામાંથી જાગ્રત થયો તે વખતે એને એવા વિચાર આવ્યા કે , જેવી રીતે અનેક લાયકાતવાળા પુરૂષોને લીધે ગૃહસંસાર નભે છે તેવી રીતે એવી જ લાયકાતવાળી સ્ત્રીઓ હોય તો એમનાથી પણ નિશ્ચય નો જાય. પરિજન ભજન કરી રહ્યા પછી પિતે ભજન કરે, એઓના સૂતા પછી પોતે સૂએ, અને પ્રભાતે એમના પહેલાં જાગ્રત થાય એવી ગૃહિણું ખરેખર ગૃહલક્ષ્મી જ કહેવાય. પિતાનાં સ્વજનો, અતિથિ, સેવકવર્ગ અને પશુઓની, બધી ચિતા પતે જ કરે એવી ગૃહિણી નિશ્ચયે ગૃહલક્ષ્મી જ કહેવાય. મારા પુત્રોની માતા આવી લાયકાતવાળી હોઈને જ, મારી આટલી ** P.P. Ac. Gunratnasuri M.S. 15 Jun Gun Aaradhak Trust Page #123 -------------------------------------------------------------------------- ________________ (24). અભયં કુમાર મારીરનું જીવન ચરિત્ર. . ' આખી જીન્દગી પર્યન્ત મારે ગૃહસંસાર રૂડી રીતે ચાલ્યા કર્યો છે કે કોઈની પણ ફર્યાદ આવી નથી. હવે મારી કઈ પુત્રવધુ એવી જ રીતે ગૃહન નિર્વાહ કરશે એ જાણવા માટે મારે એમની સર્વની પરીક્ષા કરવી જોઈએ. કેમકે ઘરનો આધાર સ્ત્રી પર છે. . - આવા આવા વિચારો એના મનમાં ઉદ્ભવ્યા એટલે પ્રભાતે ઉઠીને રાઈઓને બોલાવી રસાઈ કરાવી; વધુઓનાં પીયરી . તથા અન્ય નાગરિકોને પણ જમવા નોતર્યા અને સર્વને અનેક વસ્તુઓ આદરસહિત જમાડી. ધનને સાચવી એકઠું કરવાની ઈચ્છાવાળાઓનું પણ દિન લોકોને જમાડવાથી કંઈ ઘટી જતું નથી. જમીને મુખવાસ અત્તર; ગુલાબ લઈ, સ્નેહીઓ મંડપને વિષે બેઠા એટલે શેઠે પિતાની જયેષ્ટા પુત્ર વધુને પાસે બોલાવી એને પાંચ શાળના દાણું આપીને કહ્યું “પુત્રી, આ સર્વજનોની સાક્ષીએ અને આ કણ આપું છું એ હું જ્યારે માગું ત્યારે મને પાછા આપજે.” શ્વસૂરે કહ્યું એ સાંભળી કણ લઈ રજા માગી વધુ પિતાના ખંડમાં જઈ વિચારવા લાગી " મારા સસરાજીનું રૂપ અને અગપાંગ સંકોચ પામતા જાય છે સંકુચિત થઈ ગયાં છે એટલું જ નહિં પણ એની ગતિ પણ શિથિલ થઈ ગઈ છે, કેશ ખરવા લાગ્યાં છે, કાન કામ કરતા.નથી. મુખમાંથી મિષ્ટ : વચન ગયાં એની સાથે દાંત પણ ગયા છે. લાજ શરમ ગઈ એની સાથે. બુદ્ધિ પણ વંહી ગઈ છે; કરેળીઆના મુખમાંથી નીકળે છે એમ એના મુખમાંથી પણ લાળ નીકળ્યા કરે છે હાથ કૃશ થઈ જવાથી વલય હોટાં પડે છે, શિર પણ વૃક્ષની શાખાની જેમ હાલ્યા કરે છે એમ દિશ વૃદ્ધાવસ્થા પૂરી બેસી ગઈ છે. છતાં એમની આજ્ઞામાં એશ્વર્ય ન મળે. કોણ જાણે કેમ કોઈ એને આવું ન કરવા જેવું કરતાં વારતું નથી ? આડંબર તે બહુ કર્યો પણ આપ્યા ત્યારે પાંચ કણું! ચકલીની પાસે ભારે મટે ધડાકો કર્યો! દ્રવ્ય ખરચીને ઉત્સવ કર્યો પણ આપવા તો મળ્યા ફક્ત કણ! હણવો હતો એક ઉંદર માત્ર એમાં તે આખો ડુંગર ખોદ્યો ! સાળના પાંચ કશું આપીને એને તેં મને સૌની નજરમાં હલકી પાડી છે ! શું મારા P.P.Ac. Gunratnasuri Page #124 -------------------------------------------------------------------------- ________________ - - - --- વ્રતપાલન ઉપર રેહિણીની કથા : (115) બાપને ઘેર એવા કણ મેં નથી ભાવ્યા?. લોકોમાં ભારે ઉપહાસ કરાવનારા આ કહ્યું તો સાચવી રાખનારી નથી. જ્યારે એ માગશે ત્યારે એવા બીજા ઘણુએ છે એ આપીશ.” આમ વિચાર કરીને એણે એ કણ ફેંકી દીધા. . . . . . . . . . વળી શેઠે બીજી વધુને બોલાવીને એને પણ એજ પ્રમાણે પાંચ કણ દીધા. એ લઈને એ પણ વિચારમાં પડી. “શું આજે સસરાજી ભાન ભૂલ્યા વૃદ્ધ થયા એટલે બુદ્ધિ ગઈ? આટલે બધે નિરર્થક ખરચ એમણે શામાટે કર્યો? મદ્યપાન કરનારાઓ શિવાય આ નિરર્થક ખરચ કરનારા તે ક્યાંય ભાવ્યા નહિં! વળી દેખાવ તે આમ બહુ કર્યો, ને આપવાની વાત આવી ત્યાં કેમ કણજ મળ્યા ! આ તેં ‘ખાંડણયામાં ખાંડવાનું તો કંઈ નથી, ને સાંબેલાં આપ્યાં છે એના જેવું એક આશ્ચર્ય થયું છે. નથી કાંઈ વૃદ્ધિ કે નથી કંઈ વધામણાં એમાં આવા ખરચ કર્યો એ તે ખાલી મોંયે બચબચ કરવા જેવું થયું છે. હોમાં કંઈ મિષ્ટ વસ્તુ ખાતા હોઈએ ને બચબચા કરતા હોઈએ તે જાણે ઠીક. સસરાજીને ભાઈઓ, પુત્ર કે સાસુજી પણ કંઈ કહી શકતા લાગતા નથી. એ પતે એકલાજ જાણે મોટા સમજુ થઈ ફરે છે ! વૃદ્ધ થયા એટલે યુક્તાયુક્ત ગમે તે કરતા ફરે છે પણ એમને ગણે છે કોણ? કારણ કે બાળકને ને વૃદ્ધને સૈ સમાન લેખે છે. પરંતુ–એમ છતાંયે, એમણે સર્વની સમક્ષ મને કણ આપ્યા છે એ મારે ફેંકી દેવા યોગ્ય નહિં. એમ વિચારીને એ તો ઉપરથી ફેતરાં કાઢી નાખીને પાંચે કણ ખાઈ ગઈ–મનમાં એમ ધારીને કે જ્યારે માગશે ત્યારે બીજા કયાં નથી બહુ છે–એ આપીશ. તે પછી ત્રીજી વસ્તુને બોલાવીને એને પણ એજ પ્રમાણે કહીને શેઠે કણ આપ્યા. આ ત્રીજીમાં કંઈ બુદ્ધિ હશે એટલે એને એ પાંચ કણ લઈ એકાન્તમાં જઈ વિચાર્યું કે સસરાજીએ આમ કણ આપ્યા એમાં નિશ્ચય કંઈ કારણ હોવું જોઈએ. નહિં, તો આટલો આટલો ખરચ કર્યો છે ને સર્વ સમક્ષ મને દેવામાં પાંચ કણ મળે એમ હોય નહિ. માટે એમણે કહ્યું એમ મારે એ સારાવી Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #125 -------------------------------------------------------------------------- ________________ (116) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, તે રાખવા. આમ ચિન્તવીને એને એ પાંચ કણ એક વસ્ત્રના ટુકડામાં બાંધી દંઢ ગાંઠ વાળી. અને એ ગાંઠને પિતાના અભરકર્ણના કરંડિમાં સાચવીને મૂકી. એટલું જ નહિ પરંતુ એને તે હંમેશાં સાંજ સવાર બહાર કાઢી એની કોઈ પવિત્ર વસ્તુની જેમ આદરપૂર્વક ભક્તિ કરવાનું જારી રાખ્યું. તે પછી 1 છેવટે ચોથી પત્ર વધુને પણ બોલાવીને એને એજ સૂચનાપૂર્વક શાળના પાંચ કણ આપ્યા. આ વહુ, જેનું નામ હિણી હતું એ મહા ચતુર હોઈને વિચારવા લાગી. “મારા સસરાજીજેઓ બ્રહસ્પતિની જેવા બુદ્ધિસાળી, સમુદ્રની જેવા ગંભીર અને મેરૂસમાન બૈર્યવાન, છે, દીર્ધદશી છે, બહુશ્રુત છે એને ઘણું ઘણું જોયેલ અને જાણેલ છે તથા મનવાંછિત આપનાર ચિન્તામણિ જેવા અને મહાજનના શિરેમણિ છે-એમને મને સર્વ સ્વજનોની સમક્ષ શાળના પાંચ કણ આપ્યા એમાં નિશ્ચય કંઈ મહાન પ્રયોજન હોવું જોઈએ કારણ કે સત્પરૂષે જે કંઈ કરે છે એ પણ અમુક ફળને અનુલક્ષીને જ કરે છે. માટે આ બાબતમાં મારી મતિ એમ કહે છે કે આ પાંચ કોને મારે વવરાવીને થાય એટલી વૃદ્ધિ કરવી. આમ વિચારીને એને પિતાના ભક્તિમાન સહોદને બેલાવીને કહ્યું આ મારા શાળનાં દાણા છે તે તમે લઈ જઈને ધ્યાન રાખી તમારા ક્ષેત્રમાં વવરા–એમાંથી પુષ્કળ કણ નીપજશે. એ પરથી ભાઈઓએ બહેનનું વચન પ્રમાણ કરીને એ કણ લીધા, અને લઈને પોતાને સ્થાને ગયા. પછી વર્ષાકાળ આવ્યું અને પૃથ્વીપર સર્વત્ર જળ જળ થઈ રહ્યું ત્યારે એમણે એ પાંચે કણ કેઈ શુદ્ધ ક્ષેત્રના ક્યારામાં વવરાવ્યા. કેટલેક દિવસે એમાંથી જે કણ ઉત્પન્ન થયા એ સર્વ પુનઃ અન્યત્ર વવરાવ્યા. આમ વારંવાર યાચિત વવરાવતાં ને એમાંથી ઉત્પત્તિ કરાવતાં શાળનાં તો ડુંડાને ડુંડાં ઉગી નીકળ્યા. ઉદાર–ઉપાર્જક પ્રાણિનાં કર્મનાં બીજ હાયની એમ એને પ્રથમ પુષ્પો અને પાછળ ફળ આવ્યાં. અનુક્રમે એ ડુંડાં પાક પર આવતાં લણી લીધાં અને કસુંબાની જેમ પગતળે ખુંદાવ્યાં. એમાંથી એક પ્રસ્થપ્રમાણુ 9.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #126 -------------------------------------------------------------------------- ________________ : - તપાલન ઉપર રોહિણની કથા. (117) . મગધદેશની ઉત્તમ–પ્રખ્યાત શાળ નીકળી. એ બીજે વર્ષાકાળે પાછી વાવી. એમ પૂર્વની વિધિએ વવરાવતાં ને વળી કૃષિ આદિ કિયા કરતાં એમાંથી અનેક કુંભપ્રમાણુ શાળ તૈયાર થઈ. ભાગ્ય અનુકુળ હોય ત્યાં પછી શી ખામી ? પછી ત્રીજે અને એથે વર્ષે એજ ક્રિયાઓથી સહસ્ત્ર કુંભપ્રમાણું તૈયાર થઈ. પાંચમે વર્ષે વળી કંઈ પાર ન આવે એટલી તૈયાર થઈ. તે જાણે રેહિણને સર્વવધુમાં પ્રથમ પદ અપાવનારાં શુભ કર્મોની સમુહબદ્ધ હારમાળા હાયની ! છે. એવામાં કઈ અવસરે પુનઃ ધનાવહ શેઠે સમસ્ત નાગરિક તથા વધુઓનાં પીરીયાને તેડી જનાદિથી સત્કારી સર્વને મંડપમાં બેસાડયા. પછી ચારે વધુઓને ત્યાં બેલાવીને કહ્યું છે પુત્રીઓ, મેં તમને પૂર્વે શાળના પાંચ કશું આપ્યા હતા તે લાવે. ચારમાંથી એક-ઉક્ઝિકાએ તે ઘરમાં જઈ કઠીમાંથી પાંચ કણ લાવી સસરાજીના હાથમાં મૂક્યાં. એટલે એને શેઠે પૂછયું–હે પુત્રી, તને તારા માતપિતા ભાઈભાંડુ અને સાસુસસરાના સેગન છે–સત્ય કહી દે કે આ કણ પેલા જ કે બીજા ? એ સાંભળી એણે પિતાની - હતી એવી વાત સત્ય જણાવી દીધી; કારણ કે નિર્ગુણને પણ શપથ અલા સમાન છે. પછી ભગવતીએ પણ કોઠીમાંથી કણ લાવીને સસરાના હાથમાં મૂક્યા. કેમકે ફેંકી દીધેલી કે ખવાઈ * ગયેલી વસ્તુ પુનઃ કયાંથી લાવી શકાય? એને પણ, યથાવસ્થિત વાત કઢાવવાના પ્રયોગના જાણકાર વૃદ્ધ શેઠે અનેક શપથપૂર્વક પૂછયું એટલે એ પણ સર્વ હકીકત માની ગઈ. કેમકે વ્યન્તરે પણ આપેલા શપથને લેપ કરતા નથી. ત્રીજી રક્ષિકા નામની વધુ આવી એણે તો પોતે સાચવી મૂકેલા હતા એ પાંચ મૂળના કણે લાવીને સસરાને આપ્યા, શપથ આપીને પુછવા પરથી, એણે પોતાની વાત હતી તે નિવેદન કરી. હવે વારે આવ્યો ચોથી રેહિણીને. એણે સસરાને કહ્યું- હે પિતા, કૃપા કરી અને ગાડાં, બળદ, ઉંટ, ખચ્ચર વગેરે વાહનો મને આપો એટલે મારા શાળના -કણ તમને મંગાવી આપું. એ સાંભળીને પરમ પ્રીતિપૂર્વક શેઠે - પુછયું “હે પુત્રી, તું આ શું કહે છે? એટલે પેલીએ ઉત્તરમાં : Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #127 -------------------------------------------------------------------------- ________________ (118) શ્રી અભય કુમારે મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, પિતાને, મુનિના વૃત્ત જે ઉજવળ વૃત્તાન્ત અથેતિ કહી સંભલાવ્યા અને શ્રેષ્ઠીએ આપેલા બળદ-ખચ્ચર વગેરેને પોતાને પીયેર મેકલી શાળિના કણ મંગાવી આપ્યાં. ' ' . ' છે. આ સર્વપ્રકાર સાંભળી રહી શેઠે, ઉઝિકાના ભાઈભાંડુઓને, ‘ભ્રકુટી ચઢાવી ઉંચા નેત્રો કરી કહ્યું “આ તમારી પુત્રી અને મારી પુત્રવંધુ ઉઝિકા નામ પ્રમાણે ગુણવાળી છે એ નિર્લજના ચિત્તમાં પણું મારે લેશ પણ ભય નથી. એણે મારી આજ્ઞા ઉલ્લંઘન કરીને શાળના કંણે ફેંકી દીધા તે હવે એનું ફળ એને સદ્ય આપું છું. એને આજથી નિત્ય ઘર સાફસુફ કરવાનું, લીંપવાનું, તૃણ–ગમય ધુળ આદિ કચરે વાળવાનું, બાળકોની અશુચિ, વસ્ત્ર વગેરે ધોઈ સ્વચ્છ કરવાનું કામ સંપું છું. એણે મનથી પણ બીજા કશા કામની ઈચ્છા કરવી નહિં. હવે એને મારા ઘરમાં અન્ય કશે અધિકાર નથી. કેમકે પદવી ગુણાનુસાર જ મળે છે. માટે તે બધુઓ તમારે તમારી પુત્રીને શેઠ આવું નીચ કાર્ય સંપે છે એમ જાણું મારા પર લેશ પણ રેષકર નહિં. પછી ભગવતીના બધુઓને કહ્યું આ તમારી પુત્રીએ પણ મારી આજ્ઞા ઉથાપી છે. કેમકે એ નિર્ભયપણે શાળના કણ ખાઈ ગઈ. એને હું પીસવું–ખાંડવું–દળવું–રાઈ કરવી તથા વલેણું કરવું–એ કાર્યો સંપું છું. એ અન્ય કશાને ગ્ય નથી. અથવા તો કાન વગરનાને કુંડળ શેનાં હેય? વળી રક્ષિકાના " બધુઓને પ્રેમપૂર્વક કહ્યું–તમારી રક્ષિકાએ શાળના દાણું સાચવી રાખીને મારી આજ્ઞા યથાયોગ્ય પાળી છે. માટે હું એને મારા ઘરના સુવર્ણ-મણિ–મુક્તા–વસ્ત્ર વગેરેના ભંડાર ઍપું છું એણે એ ભંડાર રાત્રિદિવસ સાચવો. એગ્ય પદવી ન આપનાર પ્રભુ પણ દેવને પાત્ર કહેવાય. છેવટે રેહિણના બધુ વર્ગ સમક્ષ શેઠે પ્રમેદસહિતે કહ્યું “સર્વ ગુણરત્નના સાગર જેવી તમારી પુત્રીને યુક્ત વિચાર કરીને શાળના કણની વૃદ્ધિ કરી છે. માર્ગાનુસારિણી મતિ એનામાં છે એવી વિરલ મનુષ્યમાં જ હોય છે. માટે એને હું અત્યારથી મારા આખા ઘરની સ્વામિનીનું પદ આપું છું. એની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tru Page #128 -------------------------------------------------------------------------- ________________ ઘતપાલન ઉપર હિણીની કથાનો ઉપનય (11). આજ્ઞા શિવાય એક પણ વસ્તુ ઘરથી બહાર જય નહિં તેમ અંદર આવે પણ નહિં. એ સર્વથી ન્હાની છે છતાં એની જ આજ્ઞા સર્વ કેઈએ માનવી. કેમકે ગુણ હોય તો હેટા થવાય છે, વયથી મટા થવાતું નથી. સુધાકર ચન્દ્રમાને જેમ સર્વ નક્ષત્રમાં રિહિણું સન્માન્ય છે એમ મારા ઘરમાં પણ સર્વ વધુમાં એ સન્માન્ય છે. જેને મારી આ આજ્ઞાનું ખંડન કરવું હોય એણે એની આજ્ઞાનું ખંડન કરવું, અને જેને મારી આજ્ઞા માન્ય હોય એણે એની આજ્ઞા નિશ્ચયે માનવી. . . . . . . . . . . . * શ્રેષ્ઠીનાં આ વચન સર્વ કેઈએ નિધાનની જેમ સંગ્રહી રાખ્યા. લોકોએ પણ રોહિણીની એક દેવીની જેમ પ્રશંસા કરી " પાંચ દાણામાંથી, કૃષ્ણ ચિત્રાવેલીની જેમ અસંખ્ય નીપજાવી દીધાં એ હિણી વધુ ખરેખર એક રત્ન નીવડી. નિશ્ચયે. ભાગ્યવાનને ઘેર આવી વહું હોય છે. અથવા કામધેનુ કાંઈ જેને તેને ઘેર જન્મતી. નથી. ધનાવહ શ્રેષ્ઠીનાં પણ ધન્યભાગ્ય કે એના ઘરમાં આવી વહુ આવી છે. સમુદ્રદત તથા લક્ષ્મી વિષ્ણુ.શિવાય બીજે રહે પણ ક્યાં? * .. પછી શ્રેષ્ઠીના આદેશથી ગ્યરૂચિવાળી ચારે વધુએ પોતપિતાને કામે વળગી ગઈ. એ પણ આ પ્રમાણે સર્વ કાર્યની વ્યવ સ્થા થઈ જવાથી સુખે કર્મધર્મ કરવા લાગ્યો. કેમકે ધર્મ એવાઓ જ કરી શકે છે. કે જેમનું ઘર વ્યવસ્થાવાળું હોય છે. . ' ', , હે અભયમુનિ, તારા પૂછવાથી મેં આ ચાર વધુઓનું દષ્ટાન્ત કહી સંભળાવ્યું–હવે હું એને ઉપનય સમજાવું છું એ ચિત્તસ્થિર રાખીને સાંભળ: ?' . . . . . . . . . . . . . . . - રાજગૃહનગર જે નરભવ સમજે. ચાર પુત્રવધુએ કહી તે પ્રાણિઓની ચાર ગતિ સમજવી, અને જેવો ધનાવહ શ્રેણી કહ્યો એવા ગુરૂં સમજવા. પાંચ શાળના કણ એ પાંચ મહાવ્રત વધુઓનાં સગાસંબંધિ એ શ્રીયુત ચતુર્વિધ સંઘ. જેમ શેઠે, વધુઓનાં સ્વજનીના સમક્ષ પાંચ ક. આપ્યાં એમ ગુરૂ તને સંઘસમક્ષ વ્રત આપે છે. જેમ ઉઝિકાએ શાલિકણ ફેંકી દીધાં તો અશુચિ દૂર કરવા વગેરે કાર્ય કરવા થકી દુઃખી થઈ તેમ જે મુનિ સુખલંપટ - અને પોતાનાં વ્રત ત્યજી દે છે. એવાને લેકે પણ " અરે Jun Gun Aaradhak Trust Page #129 -------------------------------------------------------------------------- ________________ (12) શ્રી અક્ષય કુમાર મવીશ્વરનું જીવન ચરિત્ર 'તભ્રષ્ટ, દુરાશય, પાપિષ્ટ, તારું મુખ કેશુ જુએ, અમારી દષ્ટિથી દૂર થા” એમ કહીને નિંદે છે. અરે નિર્લજ, સર્વસંઘસમક્ષ તારે જ મુખે વ્રત ઉશ્ચરીને હવે એ ત્યજી દે છે એથી તને કંઈ લાગતું નથી ? એમ કહીને ઉપાલંભ દે છે. વળી પરલોકમાં પણ એને દુર્ગતિજન્ય પરમ દુ:ખ પડે છે. શાળના કણ ખાઈ જનારી ભગવતીને જેમ ઘરનાં હલકાં કાર્યો કરી કરીને તનમનથી સંતાપ થતો, એવી રીતે આજીવિકા નિમિત્તે વેષ ધારણ કરીને પણ જે માણસ વ્રત ખંડે છે. એ વિશેષ દુઃખી થાય છે. એવાને આલેકમાં નિન્દા અને પરલોકમાં નાના પ્રકારનાં કલેશ અનુભવવા પડે છે. અથવા તો અન્યાયથી સુખ હોય જ શાનું? ત્રીજીવધુ વિચક્ષણ રક્ષિકા જેમ શાળનાં દાણું સાચવી રાખવાથી શ્વશુર વર્ગ વગેરેને સંમાન્ય થઈ પડી, એમ જે માણસ મહાવ્રતો લઈને એને નિરતિચારપણે પાળે છે. એ પોતાના આત્માને વિસ્તાર કરવામાં તત્પર હાઈને આલોકમાં ધમિષ્ટજનેની પ્રશંસાને પાત્ર થાય છે અને પરલોકમાં સ્વર્ગ અને મેક્ષનાં સુખને પણ પ્રાપ્ત કરે છે. વળી જેમ શ્વશુરના ઘરની એકલી સ્વામિની થઈ, અને સમસ્તજનોની પ્રશંસા તથા સન્માન પામી તેમ જે ભવ્યજન વ્રતગ્રહણ કરીને એને હર્ષપૂર્વક અને એકપણ અતીચાર દેષ વિના પાળે છે એ એની જેમ સન્માન પામે છે; તથા ઉત્તરોત્તર ચઢતું સ્થાન–પ્રાપ્ત કરી અન્ય ભવ્યપ્રાણિઓને મહાવ્રત લેવરાવી એમની વૃદ્ધિ-પુષ્ટિ કરે છે. એવા મહાવ્રતધારીને જે આક્ષેપણુદિ ઉત્તમ કથા કહેતાં કરાવતાં આવડતી હોય તો એ મિથ્યાદષ્ટિ જીવને પણ પ્રતિબંધ પમાડી શકે છે, અને પોતે પણ સ્વદેશમાં તેમ પરદેશમાં પોતાના તીર્થમાં તેમ અન્યતીર્થોમાં, પોતે ન ઈચ્છતા હોય તો એ પરમ ખ્યાતિ પામે છે. સ્વર્ગ અને મનુષ્ય ગતિમાં ઉત્તમ કુલેમાં પ્રધાન સુખને અનુભવી અંતમાં અપવર્ગનાં પણ પૂર્ણ સુખ પ્રાપ્ત કરે છે. હે અભયમુનિ, હવે તારે પણ આ રક્ષિકા અને રેહીણીના ન્યાયે, શુભ સંપાદન કરવાને અર્થે પાંચ મહાવ્રત પાળવાં અને એને પિષી વૃદ્ધિ કરવી. Jun Gun-Aaradhak Trust Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયકુમારની માતાની દીક્ષા અનૈ મિક્ષ, (11) ગૃહસ્થાવાસમાં પણ યતિ જેવાં આચરણ પાળતે હાઈ જે સર્વ ક્રિયાનુષ્ઠાન જાણતો હતો એવા અભયમુનિએ પણ પ્રભુના આદેશને “નાથ ! મને આવો ઉપદેશ આપ્યા કરજે” એમ કહીને સત્કાર કર્યો. - પછી પ્રભુએ અભયકુમારના, પિતા શ્રેણિક રાજા વગેરે સંસારિક સંબંધીઓને ઉદ્દેશીને કહ્યું-લીલા માત્રમાં રાજ્ય સંપત્તિ ત્યજી ઉત્તમ પુરૂષને માગે એકદમ ચાલી નીકળે એવા અભયના પિતા તરીકે તમને પણ ધન્યવાદ ઘટે છે. વળી હર્ષપૂર્વક, લેશ પણ કલેશ કર્યા વિના તમે એને આ પ્રમાણે મહાગૌરવ સહિત દીક્ષા અપાવી એને માટે તે તમારી વિશેષ પ્રશંસા ઘટે. . ; . આવાં જિનભગવાનના ઉપકારક વચન સાંભળી શ્રેણીકરાજા એમને તથા અભયમુનિને નમીને, અભયનું જ સ્મરણ કરતો પિતાને સ્થાનકે ગયે. પ્રભુએ પછી અભયમુનિની ગણધરને સેંપણી કરી. અથવા તે એમાં શું? એમણે તો જગત આખાને અભય આપેલ છે. અભયકુમારની માતાનન્દા પણ હર્ષપૂર્ણ ચિત્તે વિચારવા લાગીમારા અભયને પૂરે ધન્યવાદ દેવે ઘટે છે, કેમકે એણે પિતાના રાજ્યની પિતાને ઈચ્છા નહિં છતાં પણ ચિરકાળ પર્યન્ત રાજ્યની ધુરા વહન કરી હવે તીર્થકરની પાસે વ્રત ગ્રહણ કર્યું. અથવા તે સાહસિક પુરૂષોની બેજ ગતિ હેય. કાંતે શ્રેષ્ઠ રાજ્યલક્ષ્મી, અને નહિં તે પછી પ્રવ્રજ્યા. પણ હવે જ્યારે હારા નન્દને જ વ્રત ગ્રહણ કર્યું છે ત્યારે મહારે સંસારમાં રહીને શું કરવું ? હું પણ પ્રભુ પાસે જઈ દીક્ષા લઉં. અથવા તો ગાય પતે. હોંશે હોંશે પોતાના બચ્ચાની પાછળ જાય છેજ. એમ વિચારી પોતાના સ્વામિનાથ શ્રેણિકરાજાની અનુજ્ઞા માંગી. કારણ કે બને ત્યાંસુધી સર્વના મનનું સમાધાન કર્યા પછી જ ધર્મ કરવો યોગ્ય છે. રાજાએ પણ નન્દાને સમ્મતિ આપી એટલે નન્દાએ પોતાની પાસે હતાં એ બેઉ દીવ્ય કુંડળ અને દેવતાએ આપેલ વસ્ત્રો હલ્લને તથા વિહલને આપી શ્રીમાન મહાવીર પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું AC. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust Page #131 -------------------------------------------------------------------------- ________________ ( 12 ) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. * પ્રભુએ એને પ્રવજ્યાની સાથે ઊપદેશ દઈ મહત્તરા સાધ્વીને સેંપી. કેમકે હંસી હંસીઓના સાથમાંજ શેભે છે. હવે રાજાની પિટ્ટરાણ મંત્રી પ્રભુની શિષ્યા અને સાધ્વી બનેલી નન્દા મહત્તરા આર્યાઓની વિયાવચ્ચ કર્યા કરતી, પાપકર્મોને ક્ષય કરતી, સર્વ કિયાનુષ્ઠાનને અભ્યાસ કરતી, જિનગુરૂની ઉપાસના કરતી હર્ષસહિત ચારિત્ર પાળવા લાગી. કારણ કે સજીને રાજ્યને વખતે રાજ્ય કાર્યભારમાં અનુરક્ત રહે છે, તેમ તપશ્ચર્યાનો પ્રસંગે ઉપસ્થિત થિયે તપશ્ચર્યામાંજ લીન રહે છે. એક ઉપવાસ, બે ઉપવાસ, ત્રણ ઉપવાસ, ચાર, પાંચ અને એથીયે આગળ વધીને અદ્ધ માસના, અને એક માસના ઉપવાસ કરીને શરીર શેષવવા લાગી. એમ કરતાં અનુક્રમે અગ્યાર. અંગસૂત્રોને અભ્યાસ કરી સર્વશ્રેષ્ઠ વિદુષી થઈ, વીશ વર્ષ પર્યન્ત દીક્ષા પાળી, ઘાતિ. કર્મોને હણી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી નંદા સાથ્વી મેક્ષે ગઈ. છે .. ..... !... હવે અહિં અભયમુનિએ પણ મુનિઓના હદયકમળને વિષે ભ્રમરની લીલાએ રહેતાં લીલા માત્રમાં અનેક શાસ્ત્રોને અભ્યાસ કર્યો અને નિરન્તર કંઈને કંઈ અભિગ્રહ રાખી, કમળની જેમ ઉપલેરહિત રહી સિદ્ધાંતો શીખી લઈ અસામાન્ય વિદ્વતા પ્રાપ્ત કરી. વળી જીવ આત્માની પેઠે અપ્રતિહત ગતિ, શંખની જેમ નિરંજન, વાયુની પેઠે અપ્રતિબદ્ધ, કૂર્મની જેમ ગુપ્તેન્દ્રિય, પક્ષીની જેમ વિમુક્ત, આકાશની જેમ નિરાશ્રય, ભારંડની જેમ અપ્રમત્ત, ખગીના શૃંગની જેમ એકાકી, વૃષભની જેમ દઢકાય, અગ્નિની જેમ સુદીસ, હસ્તીની જેમ ઉન્નત, સિંહની જેમ ઈર્ષ, ભાસ્કરની જેમ તેજસ્વી, ચંદ્રમાની જેમ શીતળ, સાગરની જેમ ગંભીર, મેરૂની જેમ નિષ્કપ, પૃથ્વીની જેમ સવસહ, અને શરદના જળની જેમ સ્વચ્છ રહી; શસ્ત્રાઘાત વિષદંશ કે શીતળ લેપ હરકેઈ કરી જનાર પર સમભાવ રાખી; કાષ્ટ અને મણિસુવર્ણદિને, તથા સ્વજન અને પરજનને એકજ દષ્ટિએ નિહાળી રાય અને રંક, વિદ્વાન અને મૂર્ખ, ધનવાન અને નિર્ધન, ભાગ્યવાન અને નિર્ભાગકિ, રૂપવાન અને કદ્રુપ-સર્વને સરખા ગણું; અને શબ્દ, રૂપ, રસ, ગંધ, અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #132 -------------------------------------------------------------------------- ________________ બાર સાધુની પ્રતિમા પયંત ગુણેનું વર્ણન. (13) સ્પર્શ—એ પાંચે ઈન્દ્રિયોના વિષયોના કડવા મીઠા અનુભવને વિષે સમતાભાવ ધારણ કરી–લેકેને આશ્ચર્યચકિત કરી નાખ્યા. બહુ શું કહેવું–ભવ કરવા પડે કે મોક્ષ પ્રાપ્ત થાય-બેઉ પર એ નિસ્પૃહ રહ્યો. અનેકવિધ દ્રવ્ય, ગ્રામનગર આદિ ક્ષેત્ર, સમય પ્રમુખ કાળ અને પર્યાયરૂપ ભાવને વિષે તથા બાલ્ય તરૂણ અને વૃદ્ધ અવસ્થાઓને વિષે કે અન્યત્ર પણ કયાંઈ એણે પ્રતિબંધ (મેહ) રાખેજ નહિં. અને પશુ માનવ કે દેવના કરેલા–અનુકુળ કે પ્રતિકુળ-અલ્પ કે મહાન ઉપસર્ગોને વજસમ ધૈર્યવડે સહન કરી લઈ પિતાની જાતને સર્વ સત્યવંત પ્રાણીઓને વિષે શિરેમણિ પુરવાર કરી આપી. અભયાષીશ્વરે એક અસંયમ, રાગદ્વેષરૂપી બેઉ બન્ધના અને મન વચન કાયા સંબંધી ત્રણ દંડ પરહરી દીધા. રસ, રિદ્ધિ અને સાતા વિષયક ત્રણે ગરવ ત્યજી દીધા. માયા નિદાન અને મિથ્યાત્વ સંબંધી ત્રણે શલ્ય કાઢી નાખ્યા. જ્ઞાન દર્શન અને ચારિત્રની કદિ પણ વિરાધના કરી નહિ. મન વચન તથા કાયાને કબજામાં રાખ્યાં. કોધ, માન, માયા અને લેભરૂપી ચારે કષા પર અંકુશ રાખ્યો. આહાર, ભય, પરિગ્રહું અને મૈથુન એ ચારે સંજ્ઞાઓ કાઢી નાખી. રાજ્ય, દેશ, સ્ત્રી અને ભેજનું વિષયક ચારે વિકથાઓ વિસારી દીધી. આર્ત કે વૈદ્ર ધ્યાન પડતું મૂકી ફક્ત શુકલ અને ધર્મધ્યાન પરજ ધ્યાન રાખ્યું. કાય, અધિકરણ, દ્વેષ, પરિતાપ અને વધથી થતી પાંચે ક્રિયાઓ-પાપાનુષ્ટનેને વિસર્જન કર્યો. ચક્ષુ, ઘાણ, જી હા, સ્પર્શ અને કર્ણ, એ પાંચે ઇંદ્રિયેના ગુણોને ઉપગ પડતો મૂકો. હિંસા, અસત્ય, ચોરી, મિથુન અને પરિગ્રહને દેશવટે દીધો. ઈર્યા ભાષા, એષણ, આદાન અને ઉત્સર્ગ આદિ સમિતિઓની સાથે સંબંધ દઢ કર્યો. પૃથ્વી, પાણિ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવોની રૂડી રક્ષા કરી. પિતાની વિચારસૃષ્ટિ પર કૃષ્ણ, નીલ કે કાપત લેશ્યાને પ્રકાશ ન પડવા દેતાં તેજ, પદ્ધ અને શુક્લ લેશ્યાને પ્રકાશ આ . આલોક, પરલેક, આદાન-ચેરી આજીવિકા, મરણુ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #133 -------------------------------------------------------------------------- ________________ ( 124) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, અપયશ અને અકસ્માત્ આ સાતે ભયની દરકાર પડતી મૂકી. જાતિમદ, કુળમદ, બળમદ, રૂપમદ, તપમદ, ઐશ્ચર્યમદ, જ્ઞાનમદ અને લાભમદ એ આઠે ત્યજી દીધા. સ્ત્રી પશુ અને નપુંશકથી સંત વસંતિ, સ્ત્રી જાતિની કથા, સ્ત્રીઓનાં અંગેપાંગનું નિરીક્ષણ, સ્ત્રી જે આસન ઉપર બેઠેલી તેના ઉપર બેઘડીની અંદર બેસવું, ભીંતને આંતરે રહેલા દંપતીને હાસ્યવિનોદનું શ્રવણ, પૂર્વ ભેગવેલા વિષયસુખનું સ્મરણ, નિત્ય સ્નિગ્ધ આહાર અને પ્રમાણથી અધિક આહાર–આટલાં વાનાં પરિહર્યા. વળી નવ પ્રકારે બ્રહ્મચર્ય પાળતા આ અભયકુમાર મુનિશ્રીએ શરીરને પણ શોભાવવાની વાત વિસારી મૂકી. સરલતા, મૃદુતા, ક્ષમા, નિર્લોભતા, સત્યભાષણ, સંયમ, તપ, પરિગ્રહ, ત્યાગ, બ્રહ્મચર્ય અને શોચ એ દશ પ્રકારને ધર્મ ઓળખી એ પ્રમાણે વર્તન રાખ્યું. વળી દર્શન, વ્રત, સામાયિક, વિષધ, કાત્સર્ગ, બ્રહ્મચર્ય, સચિત્ત વસ્તુને ત્યાગ, આરંભનો ત્યાગ, આદેશનિર્દેશનો ત્યાગ, ઈચ્છાનો ત્યાગ અને સાધુરૂપતા આ અગ્યાર શ્રાવકની પ્રતિમાઓ કહેવાય છે તેના તથા બાર સાધુની પ્રતિમા, 1 ભિક્ષ પ્રતિમા–અભિગ્રહ વિશેષ પહેલી પ્રતિમા એક માસની તેમાં હમેશાં આહાર તથા પાણીની એક દત્તી લેવા કલ્પ, દત્તી એટલે એકી સાથે જેટલો આહાર દાતાર આપે તેમાં ધારા ન ત્રુટે તેનું નામ દતી 1, બીજી પ્રતિમા બે માસની તેમાં બે દત્તી લેવી કપે 2, ત્રીજી. ત્રણ માસની તેમાં હમેશાં આહારની અને પાણીની ત્રણ દત્તીજ લેવી કલ્પે 3, ચોથી પ્રતિમા ચાર માસની તેમાં હમેશાં ચાર દત્તી લેવી કલ્પ ૪,પાંચમી પાંચ માસની તેમાં પાંચ દત્તી લેવી કલ્પ 5, છઠી છ માસની તેમાં છ દત્તી લેવી કપે 6, સાતમી સાત માસની તેમાં સાત દત્તી લેવી કલ્પ 7, આઠમી પ્રતિમા સાત દિવસની તેમાં એકાંતર ચઉવિહાર ઉપવાસ નગરની બહાર ઉત્તાન આસને ઘોર ઉપસર્ગ સહન કરવા 8, નવમી સાત દિવસ એકાંતર ચઉવિહાર ઉપવાસ નગરની બહાર ઉભુટુક, વક્રાષ્ટશાયી અથવા ડાયટિક આસન ઉપસર્ગ સહન કરવા 9, દશમી સાત દિવસની એકાંતર ચઉવિહાર ઉપવાસ ગાદેહિક અથવા વીરઆસન 10, અગ્યારમી એક અહોરાત્રિની ચઉવિહાર છઠ 11, બારમી ચઉવિહીર અઠમથી એક રાત્રિની 12, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #134 -------------------------------------------------------------------------- ________________ તેત્રીશ આશાતના વર્જક પર્વત ગુણેનું વર્ણન (15): તેર કિયા સ્થાન, ચાદર જીના સ્થાન પંદર પરમાધાર્મિક, સેળ શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયને એ સર્વને સંપૂર્ણ જ્ઞાતા. સત્તરપ ભેદી સંયમના નિર્દોષ પાલણહાર. 1 અર્થ ક્રિયા 1, અનર્થ ક્રિયા 2, હિંસા ક્રિયા 3, અકસ્માત ક્રિયા 4, દૃષ્ટિ વિપર્યાસ ક્રિયા પ, મૃષા ક્રિયા 6, અદત્તાદાન ક્રિયા 7, અધ્યાત્મ ક્રિયા 8, માન ક્રિયા 9, મિત્ર ક્રિયા 10, માયા ક્રિયા 11, લેભ ક્રિયા 12, અને ઈર્યાપથિકા 13 આ તેર ક્રિયાસ્થાનો છે. - 2 અપર્યાપ્ત સમ પૃથ્વીકાયાદિ પાંચ થાવર 1, પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ પાંચ થાવાર 2, અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયાદિ પાંચ થાવર 3, પર્યાપ્ત બાદર પૃથ્વી કાયાદિ પાંચ થાવર 4, અપર્યાપ્ત બે ઇંદ્રિય 5, પર્યાપ્ત બે ઇંદ્રિય 6, અપર્યાપ્ત નેઈદ્રિય 7, પર્યાપ્ત ત્રેઈદ્રિય 8, અપર્યાપ્ત ચતુરિદ્રિય 9, પર્યાપ્ત ચતુરિંદ્રિય 10, અપર્યાપ્ત અસંજ્ઞી પંચેંદ્રિય 11, પર્યાપ્ત અસંક્ષી પચેંદ્રિય 12, અપર્યાપ્ત સંસી પંચુંકિય 13, અને પર્યાપ્ત સંની પંચેંદ્રિય 14, આ જીવોના ચઉદ સ્થાન છે. - 3 અંબે અંબઋષિ, સામ, સબલ, રૂદ્ર, ઉપદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધન, કુંભ, વાલુ વૈતરણી, ખરશ્વર અને મહાઘોષ નામના પંદર પરમાધાર્મિક ભુવનપતિના અસુરનિકાયના દેવો છે. તે ત્રણ નરક . પૃથ્વી સુધી ક્રિડા કરવા જાય છે ત્યાં નરકના જીવોને નાના પ્રકારના - . દુઃખ આપે છે. જ સમય-સ્વ સમય પરસમય પરૂપણા 1 સ્વ સમય બોધ વૈતાલિયછદપનિબદ્ધ 2, ઉપસર્ગ 3, સ્ત્રી પરિઝા 4, નરક વિભકિત 5, શ્રી મહાવીરસ્તવ 6, કુશીલ પરિભાષા છે, વીર્ય 8, ધર્મ 9, સમાધિ 10, માર્ગ–નાન દર્શન અને ચારિત્રરૂપ ભાવ ભાગ 11, સમવસરણ 12, યાથી તથ્ય 13, ગ્રંથ-બાહ્યાİતર ગ્રંથને પરિત્યાગ 14, આદાનીય જ્ઞાનાદિ ગ્રહણ 15, ગાથા ષડક પ્રથમના પંદર અધ્યયનમાં વિધિ પ્રતિ ધ દ્વારા જે જે અર્થો કહ્યા છે તે પ્રમાણે આચરણ કરે તે સાધુ હોય એવો ઉપદેશ છે. 5 પૃથ્વીકાય સંયમ 1, અપકાય સંયમ 2, અગ્નિકાય સંયમ 3, વાયુકાય સંયમ 4, વનસ્પતિકાય સંયમ 5, બે ઈદ્રિય સંયમ 6, તે ઇન્દ્રિય સંયમ 7, ચતુરિદ્રિય સંયમ 8, પંચેન્દ્રિય સંયમ , અજીવ સંયમ 10, પ્રેક્ષા સંયમ 11, ઉપેક્ષા સંયમ 12, પ્રમાર્જના સંયમ 13, પારિષ્ટાપનિકા સંયમ 14, મન સંયમ 15, વચન સંયમ 16, કાય સંયમ 17. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #135 -------------------------------------------------------------------------- ________________ (26) શ્રી અભય કુમાર મળીશ્વરનું જીવન ચરિત્ર. અઢાર પ્રકારે બ્રહ્મચર્યના નિરતિચારપણે પાલણહાર, ઓગણીસ શ્રી જ્ઞાતા સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયના જાણકાર થયા. વીસ અસમાધિ સ્થાન અને એકવીસ સબલાસના વર્જક બાવીસ પરિસહના જિતનાર. ત્રેવીસ સૂત્રકૃતાંગ, સૂત્રના અધ્યયનના જાણચોવીસશ્રી દેવાધિદેવની આજ્ઞાપાલક પાંચ મહાવ્રતોની પચવીશ ભાવનાના ભાવનાર. છવીસ શ્રી દશા કલ્પ વ્યવહાર સૂત્રના ઉદ્દેશ કાલોના જાણકાર. સાધુના સત્તાવીસ ગુણે બીરાજમાન. અઠાવીસ શ્રી આચાર પ્રકલ્પ અધ્યયનના જાણ થયા. ઓગણત્રીસ પાપના ઉપાદાનભૂત શ્રત પાપ મૃત તેને પ્રસંગ-આસેવન, પાપ ગ્રુત પ્રસંગના તથા ત્રીશ મેહનીય સ્થાનના વર્જક. એકત્રીસ સિદ્ધ ગુણના જાણકાર. બત્રીસ ચૅગ સંગ્રહના જાણકાર, તેત્રીસ ગુરૂની આશાતનાના વર્જક. ' આવા આવા અનેક વિશિષ્ટ ગુણવાળા અભયમુનિએ નિત્ય ભક્તિપૂર્વક શ્રી વીરપ્રભુના ચરણ કમળની, સેવા અને નિઃસ્પૃહ મને સાધુઓની વિયોવચ્ચ કરવામાં તત્પર રહી પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જન કર્યું. અસાધારણું ગ્રહણ શક્તિની સાથોસાથ પ્રશ 1 તિર્યંચ અને મનુષ્ય સંબંધી મન વચન અને કાયાએ કરીને મૈથુન સેવવું સેવાવવું અને સેવતાને સારો જાણો એ નવ ભેદ ઔદારિકના તથા ભવનપતિ આદિ દેવ સંબંધી મૈથુન મન વચન અને કાયાએ કરીને સેવવું સેવાવવું અને સેવતાને સારું જાણવું એ નવ ભેદ વૈક્રિયના મળી અઢાર. પ્રકારે અબ્રહ્મચર્યને સર્વથા ત્યાગ. - 2 શ્રી મેઘકુમાર 1, સંઘાટક-ધન્ના સાર્થવાહ અને વિજયચોરને એક બંધન વડે ભેગા બાંધ્યા 2, મયૂરાંડક 3, ક૭૫ 4, શૈલક-થાવરચ્ચા પુત્ર શિષ્ય શુકપરિવ્રાજક શિષ્ય શેલક રાજર્ષિ 5, તુંબક૬, રોહિણી-શાળીના પાંચ દાણુની વૃદ્ધિ કરનારી 7, શ્રી મલ્લીનાથ 8, માકંદી શ્રેષ્ટીના પુત્ર જિનપાલિત અને જિનરક્ષિત 9, ચંદ્રમાં 10, દાવદ 11, ઉદક-નગરની ખાઈનું શુદ્ધ જળ બનાવનાર સુબુદ્ધિમંત્રી 12, મંડુક નંદમણિકારશ્રેણી 13, તેતલી પુત્ર મંત્રી 14, નંદીફળ 15, અપરકંકા-દ્રોપદી અધિકાર 16, અશ્વ 17, સુસુમારદારિકા 18, શ્રી પુંડરિક અને કંડરિક 19. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયકુમાર મુનિશ્વરે કામદેવ રાજાનું કરેલ વર્ણન, (127) : અને ત્યાગ કાર્ય કરવે જગત . " સ્ય વિનયગુણ પણ હોવાથી એણે શીધ્ર અગ્યારે અંગ સૂત્રથી તથા અર્થથી ધારી લીધા–આધીન કર્યા. એમ કરતાં એક વખત પ્રભુની આજ્ઞા લઈ ગીતાર્થ મુનિએના પરિવાર સાથે અભયમુનિએ ભવ્ય જીવોના પ્રતિબંધને અર્થે પૃથ્વી પર એકાકી વિહાર કર્યો. એમાં એક પ્રસંગે મુગ્ધ, મધ્યમ અને બુદ્ધિમાન શ્રોતાઓની સભામાં ગંભીર નાદે દેશના આપતાં એમણે કહ્યું કે-હે મહાનુભાવ શ્રોતાઓ! મેહરાજાને પાત્ર અને રાગને પ્રસિદ્ધ પુત્ર જે કામદેવ–એને આધીન રહેનારા પ્રાણીઓ અનેકાનેક રીતે પીડાય છે. માટે એવા પાપને હેતુભૂત આશ્રવનો તમારે પરિત્યાગ કરવો. અને સ્વર્ગ તથા મેક્ષનાં સુખ આપનાર જે સંવર–એનો આશ્રય કરવો આવશ્યક છે. એ દુષ્ટ મકરધ્વજકામદેવને નિગ્રહ કરવાને, ત્રણ જગતમાં એકલે વીર ગણુત સંવરજ શક્તિમાન છે. એ ઉપર એક દષ્ટાન્ત આપે. - સર્વ નગરોમાં શ્રેષ્ઠ ભુવના ભેગ નામે નગર છે. ત્યાં લેકે સ, જાણે શાસ્ત્ર સમુદ્રમાં રહેતા હોયની એમ રહે છે, એમાં કર્મરૂપી ઉપાધ્યાયે પઢાવેલા ઉત્તમ તેમ અધમ પ્રાણરૂપી નટપાત્ર, અહર્નિશ, જાતિ તેમજ વેશ બદલી બદલીને નવા નવા પાઠે લઈ, નવે રસ–અને વિવિધ અભિનય–થી ભરપૂર નાટક કરી રહ્યા છે. ત્યાં, ત્રણે જગતને જેણે મેહિની લગાડી દીધી છે એવા મેહરાજાને પિત્ર, અને વશીકરણમાં ચતુર એવા રાગકેસરિને મહાન અભિલાષાદેવીની કુક્ષિએ ઉત્પન્ન થયેલ પુત્ર, પ્રસિદ્ધ મકરધ્વજ નામે રાજા છે. વિષ્ણુ, શિવ અને બ્રહ્મા આદિ દેવ અને દાનવો સુદ્ધાં એની આજ્ઞા, મયુરે જેમ કલગી ધારણ કરે છે એમ, મસ્તક પર ધારણ કરી રહ્યા છે, અને પ્રજ્ઞસી રેહિણું વગેરે સેંકડો વિદ્યાઓના બળથી ઉન્મત્ત, અસાધારણ સભાગ્યવાળા વિદ્યારે પણ મીઠું બોલી બેલીને, અબળા સ્ત્રીઓના ગુલામેની જેમ, એને ચરણે નમી રહ્યા છે. તો પછી એમની આગળ તૃણપ્રાય ગણતા આ પૃથ્વી પરના રાજાઓ કે સાધા રણ મનુષ્યની તો વાત જ શી કરવી? અરે! અજ્ઞાન મૂક પશુઓ પણ એ મકરધ્વજ-કામદેવને આધીન છે! ખરેખર એની વશીકરણ શક્તિ અજા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #137 -------------------------------------------------------------------------- ________________ ( 128) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, યબ છે. એના ગ્રાહામાં આવેલા યમની જિન્હા જેવી વિકરાળ જવાળા વિસ્તારતા અગ્નિમાં પણ લીલામાત્રમાં પ્રવેશ કરે છે. એના વચન માત્રથી પ્રાણુઓ અનેક મત્સ્યથી ભરેલા ઉછળી રહેલા મેજાએથી ભયંકર દેખાતા એવા સમુદ્રમાં, જાણે એક સાધારણ સરોવરમાં ઉતરતા હોયની એમ, પ્રવેશ કરે છે. એના પંજામાં સપડાયેલા પ્રાણીએ, કદલીવનમાં પ્રવેશ કરતા હોયની એમ, રમતા રમતા ધનુષ્ય–ખર્શ વગેરેને લીધે ભયંકર દેખાતા રણક્ષેત્રમાં પણ ઉતરી - પડે છે. આ જગતમાં પ્રાયે એવું કંઈ નહિ હોય કે જે એની આજ્ઞા અમાન્ય કરવાનું ઈછે. એના જેવા મહારાજાના વંશના શાસનમાં કંઈ પણ અસંભવિત નથી. એ કામદેવને એના જેવાજ - ગુણવાળી રતિ નામે ભાર્યા છે-એ પણ એનું મહેદ્ ભાગ્ય. કેમકે અનુરૂપ સ્ત્રી મળવી બહુ વિરલ છે. સકળ જગને આશ્ચર્યમાં ગરકાવ કરી નાંખે એવું તે એ રતિનું સિાન્દર્ય છે. અને એને - લીધે જ એ સર્વ રૂપવતી સ્ત્રીઓમાં દષ્ટાન્તાસ્પદ થઈ પડી છે. શંભુને જેમ ગોરી વિના ચેન પડતું નથી તેમ કામને એના વિના પળ માત્ર પણ ચેન પડતું નથી. વળી આ કામરાજાને સ્પર્શન, ધ્રાણ, નયન શત નામે ચાર બળવાન સુભટે છે. એના સેનામાં એક રસના નામની રણશરી સ્ત્રી છે. સ્ત્રી પણ કઈ કઈ પુરૂષત્વવાળી હોય છે એમાં કંઈ આશ્ચર્ય નથી. શેષ સુભટેથી અસાધ્ય એ પરપુરપ્રવેશ એને સ્પર્શન નામને સુભટ વિનાશ્રમે કરી શકે છે; નિર્મળસ્વચ્છ સ્ફટિકને વિષે પ્રતિબિમ્બ પ્રવેશ કરે છે એમ. નવનીત સમાન કમળ સ્ત્રીના અંગ–તૂલ આદિ વસ્તુઓજ એને : ગમે છે. બાવળ કે કાચ વગેરેનું તો એ નામ પણ લેતો નથી. - જ્યારે એ કેમળ વસ્તુઓને સ્પર્શ પ્રાપ્ત કરે છે ત્યારે તે જાણે પિતે હે પરાક્રમ કર્યું હેયની એમ માને છે અને માહિતી વિદ્યાવાળાની જેમ સકળ જગતને મુગ્ધ બનાવી દે છે. વળી એને ઘાણ સુટ વિતાઠ્ય પર્વતની એકાન્ત-નિર્જન ગુહામાંજ હે- યની એમ એની નાસિકાના વિવરમાં વર કરીને રહેલો છે–ત્યાં એને કુંકુમ-કેસર, કપૂર, કસ્તૂરી, પુષ્પ વગેરેને ઉત્તમ સુગંધ P. PAC. Gunratnasuri Sun Aaraanak in Page #138 -------------------------------------------------------------------------- ________________ કમળવાનું છે. સવારના સુખ અને અન્ય મકરધ્વજ રાજાના ઘાણ આદિ સુભટેનું પરાક્રમ, (129) પ્રાપ્ત થવાથી એ, ખાવાનું મળવાથી બાળકે કરે છે એમ હર્ષપૂર્વક નાચવા કુદવા માંડે છે. પરંતુ જે કયાંથી દુર્ગધ આવી તે, ભિક્ષુક આવે છે ત્યારે ધનવંતો પિતાનાં ઘરનાં દ્વાર બંધ કરી દે છે એમ, નાસિકાના દ્વાર બંધ કરી દે છે. અને વિષના ગધથી અભિવાસિત કરીને શત્રુઓના આશ્રય નાશ કરવામાં આવે છે . એમ એ દુન્યને સુગંધ વડે ક્ષણ માત્રમાં નાશ કરે છે. એ કામરાજાના ત્રીજા સુભટ ચક્ષુરાજનું કાર્ય સકળ વિશ્વ પર ચિદિશ નજર રાખવાનું છે. અન્ય સુભટના સંચારનો એનીજ દષ્ટિ પર આધાર છે; કિયાને (આધાર)-જ્ઞાન દષ્ટિ પર છે એવી રીતે. લોકોનું રૂપ નીહાળવાની લાલસાવાળે એ મુખરૂપી પ્રાસાદના - નેત્રરૂપી ગવાક્ષેપર બેસી રહી સ્ત્રીઓનાં અંગોપાંગ અને અન્ય પણ સુરૂપ વસ્તુઓ જોઈ જોઈને અત્યન્ત હર્ષ પામે છે; મિષ્ટ મેદો જોઈને ક્ષુધાતુર બ્રાહ્મણે રાજીરાજી થાય છે એમ. એમાં જો કેઈ અંધ, પંગુ આદિ કુરૂપ પ્રાણું નજરે પડ્યું તો એના સંકમણના ભયને લીધેજ હાયની એમ એ દષ્ટિ–ગવાક્ષે સદ્ય બંધ કરી દે છે. એ ગર્વિષ્ટ ચક્ષુરાજમાં વળી એટલી બધી શક્તિ છે કે એ, દષ્ટિ વિષ સર્પની જેમ, શત્રુઓને રૂપદર્શન માત્રથી જ બાળીને ભસ્મ કરી નાખે છે. કામમહારાજાને પોતાના કાર્યમાં સાવધાન એ જેથી સુભટ શ્રાત એને ચર હાયની એમ ગુપ્તપણે શ્રવણરંધ્રોમાં બેસી રહે છે. ત્યાં પિશાચની જેમ અદશ્ય રહીને એ સમસ્ત લેકેનું બેસવું ચાલવું સાંભળ્યા કરે છે. એમ કરતાં જે જે સાંભળવામાં આવે એ પિતાને અનુકૂળ હોય તો તો બળભદ્રની જેમ તલ્લીન થઈને સાંભળ્યા કરે; પરન્તુ જે કંઈ પ્રતિકૂળ લાગ્યું તો, પિત્તના વ્યાધિવાળે જેમ તિખા પદાર્થોને નિન્દાપૂર્વક ત્યજી દે છે એમ એ સાંભળવું ત્યજી દે છે–બંધ કરે છે. એ સ્વરમાણથી લીલા માત્રમાં અખિલ જગતને વશ કરે છે; પરશુરામે જેમ ઉપરશુવિદ્યા વડે સર્વ જગતને સ્વાધીન કર્યું હતું એમ. વળી જે રસના છે એ મધુર, તિક્ત વગેરે સર્વ રસોને સ્વાદ જાણનારી છે અને શત્રુનાં સૈન્યને ભેદવાની શક્તિવાળી છે અને સર્વ 90 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #139 -------------------------------------------------------------------------- ________________ (17) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર બધુ વર્ગને–ચારે સુભટને સંમાન્ય છે. આ રસના દંતપંક્તિરૂપી પાડવાળા મુખ પ્રાસાદને વિષે ઘટિકારૂપી પડદામાં ઉ રહેનારી જીલ્ડારૂપી ખાટ પર રહે છે. વિવિધ સ્વાદિષ્ટ રસ પ્રાપ્ત થાય તો એ બહુ રંજન પામે છે. વળી એ સ્વછંદ-ચારિણીની ચેષ્ઠિત સર્વ પિતાને મનગમતું એ પ્રાશન કરે તો જ દમ્ વગેરે ચારે સુભટ આબાદ રહી શકે છે કેમકે મૂળમાં છટકાવ હોય તો જ વૃક્ષને પત્ર, પલ્લવ, પુષ્પ અને ફળ આવે છે. રસના અન્ન ગ્રહણ કરે નહિં તો ચારે સુભટો મઢ પડી જાય છે. એમનો સર્વના આ સમવાય ખરે જ આશ્ચર્યકારક-અસાધારણ છે. વિશેષ શું કહેવું? - એક રસનામાં જીવન હોય તે જ સ્પર્શન આદિ ચારે સુભટો જીવતા રહે છે. આવી અનુપમ પ્રશસ્ત લાયકાતવાળાએ પાચેને છળ, દ્રોહ, પ્રમાદ વગેરેની સંગાથે મકરધ્વજ રાજાએ ત્રણે જગપર વિજય મેળવવાને મોકલ્યા. એમણે પ્રથમ દેવતાઓ પાસે, નારકીના જી. પાસે, તેમ તિર્થ પાસે પોતાના કામદેવરાજાનું ચકવતીત્વ. શાસન સ્વીકારાવ્યું. ત્યાંથી એ મનુષ્યલેકમાં ઉતર્યા અને એમને અત્યન્ત ભય ઉપજાવ્યું. અકર્મભૂમિના ત્રાજુ જીવોને કુટિલપણે વશ કરી એમની પાસે અનંગ-કામદેવ રાજાની આણ કબુલ કરાવી. પણ એવા મુગ્ધજીવોને છળવા એમાં દુષ્કર હતું પણ શું? વળી પછી ધમધર્મના વિવેકના જ્ઞાનવાળા કર્મભૂમિના માનવો પર પણ શીધ્ર વિજ્ય મેળવ્યું. મૂખ લેકેને વશ કરવામાં વાર પણ કેટલી લાગે ? એમની સન્મુખ પેલાઓએ પોતાના સુંદર વિષયે ખડા કરીને એમને લેભાવ્યા. જાણતાં છતાં પણ લેભાઈ પાશમાં પડનારા ધર્મો પૃથ્વીપર નથી એમ નથી. - એમ ગામેગામે અને નગરનગરે લેકેને ફસાવતા અને સર્વ જગને તૃણપ્રાય ગણતા ફરતાં ફરતાં, અહંતપ્રભુએને કીર્તિસ્તંભ હાયની એ વૃતવાળી વેતશિલાઓએ ચુકત અત્યન્ત ઉચ વિવેકગિરિ એ કંદર્પરાજના સુભટોની દષ્ટિએ પડયો. - સર્વદુર્ગને શિરોમણિ એ વિવેકગિરિ પર આરૂઢ થયેલા પ્રાણીઓને મેહરાજાને બાપ આવે તોયે ફસાવી શકતો નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #140 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર ધર્મ રાજા અને એમના પરિવારનું વર્ણન (171) કૈલાસપર જેમ અલકાપુરી આવેલી છે એમ એ ગિરિપર સુકાળ આરોગ્ય અને સારાજ્ય પ્રવર્તતાં હોવાથી શ્રેષ્ટપદવીએ પહોચેલું જૈનપુર નામે નગર છે સચ્ચારિત્ર અને સન્ક્રિયારૂપી શીત્તેરશીતર કોઠાઓવાળે એને એક કોટ છે. એ કોટને અનેક આગમરૂપી કાંગરા છે. કેટની આસપાસ વળી સિદ્ધાન્તરૂપી શ્રેષ્ઠ સમુદ્ર છે સમુદ્રને ક્ષમારૂપી પાળે છે. જેમ આક્ષેપણું આદિ ચાર જાતની કથાઓ છે એમ કેટને ચાર મુખ્ય દરવાજા છે. પ્રત્યેક દરવાજાને મિથ્યાવચન ત્યાગ-અને-સાવદ્યવચન ત્યાગ-રૂપી બએ દ્વાર (કમાડ) છે; અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી ચાર કુંભે છે. ધર્મગછરૂપી ઉત્તમ બજારો છે, સદ્ધરૂપી ધનથી એ બજાર ભરેલાં છે. સદ્ધર્મ આચરનારા આચાર્યોરૂપી શ્રેષ્ઠીઓ ત્યાં વસે છે. ભવ્યપ્રણીરૂપી ગ્રાહકે ત્યાં જાય આવે છે. એ નગર સમસ્તસ્થતિને પાલનહાર, સાધુ-મુનિઓને રક્ષક અને પાપિચ્ચેનો શાસનકર્તા ચારિત્ર ધર્મ નામે રાજા છે. એ રાજાને સર્વવિરતિ અને દેશવિરતિ નામે, અત્યન્ત કરૂણરસથી ભરેલાં હૃદયવાળી બે સ્ત્રીઓ છે. રાજારાણુને યતિધર્મ અને ગૃહસ્થ ધર્મ રૂપ માતપિતા છે. પિતાનાં જેવાં આચરણવાળા બે પુત્રો અને માતાનાં જેવાં ચારિત્રવાળી એક પુત્રી છે. સધ નામનો સર્વોત્કૃષ્ટ મંત્રી છે જેના આપેલાં ઠરાવ-ફેંસલા પ્રલયકાળે પણ ફરે નહિં એવા છે. વળી સમ્યક્ર ન નામે એને પરાક્રમી સેનાપતિ છે, જે દેશના પાટનગરમાં રહ્યો રહ્યો પણ શત્રુના અન્ત:કરણને કમ્પાવે છે. સંયમ વગેરે એના સામો છે. રાજાની સેના પણ બળવતી છે, સેવકવર્ગ પણ સ્વામને અનુસરી ચાલનારે છે. આ સર્વને ઉંચી ડેક કરીને જોઈ રહેલા પેલા કામદેવના સ્પર્શન વગેરે સુભટ વાનરની જેમ દોટ મૂકીને એકક્ષણમાં ગિરિની એક ધાર ઉપર ચઢી ગયા. અને સંવરને જોઈને મનમાં આશ્ચર્ય પામી, પતે વિદેશી હોવાથી શોભાતા ક્ષેભાતા, એના એક સેવકને પૂછવા લાગ્યા–આ માણસોની વચ્ચે સર્વનો સ્વામી હોય એવો દેખાય છે એ કણ છે બૃહસ્પતિ કરતાં પણ વિશેષ બુદ્ધિમાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #141 -------------------------------------------------------------------------- ________________ (13) શ્રી અભય કુમાર મંત્રીશ્વેરનું જીવન ચરિત્ર, અને વકતૃત્વશાલી–એવા એ સેવકે ઉત્તર આપ્યો–એ. ચારિત્રધર્મ નૃપતિનો કોટવાળ છે, એનું નામ સંવર છે. ખરેખર શત્રુઓરૂપી દાવાગ્નિને શાન્ત કરવામાં સંવરનું જ કામ સારે છે. ચારિત્રધર્મ ભૂપતિના એ સંવર સેવકને પણ જ્યારે તમે જાણતા નથી ત્યારે બીજું તે તમે શું જ જાણતા હશે? એ સાંભળી અત્યન્ત ગર્વથી કુલી રહેલા પેલાએાએ કહ્યું-એકછત્રા પૃથ્વીનાથ મકરધ્વજકામદેવ વિના અન્ય કોઈ રાજા “સ્વામી’ શબ્દથી સંબોધાતો અમે તે જાણ્યું નથી. શું સૂર્ય વિના અન્ય કઈ દિવસપતિ કહેવાય ખરે? એ સાંભળી સંવરના સેવકે કહ્યું-મકરધ્વજને ને ચારિત્ર ધર્મને સંબંધ છે?, રણશીંગડું કુંકાય ત્યાંજ પલાયન કરી જાય એ ભાળ્યો તારે મકરવજ રાજ! અમારે તો અકેક સુભટ સુદ્ધાં સહસ્ત્રબદ્ધ શત્રુઓની સામે ટકકર ઝીલે એવો છે! ચારિત્ર ધર્મના વીર્યની વાતજ જૂદી છે! મેહરાજાને કે એણે યુદ્ધમાં કચરી નાખીને કણકણ કરી નાખે છે! વળી અમારા સ્વામીના બળથી જ એની સેનાને નાશ કરી અનન્ત પ્રાણીઓ અત્યારે નિવૃત્તિ પુરીને પ્રાપ્ત થયા છે ! શ્રેષ્ઠ સહાય મળે તો પછી શું અધુરું રહે? એ સાંભળીને કામના સ્પર્શન આદિ સુભટએ પૂછયું–તમે બહુ પ્રશંસા કરી રહ્યા છો એ ચરિત્ર ધર્મનું, ત્યારે, સૈન્ય કેટલું? કહો. . . - એ પ્રશ્નને સંવરના સેવકે ઉત્તર આપે કે–તમારામાંથી ફક્ત શ્રોત્રજ એ સાંભળે. શ્રોત્ર શિવાયના અન્ય બહેરા જેવા છે એમની સાથે વાત શી કરવી ? આ સાંભળી શ્રોત્ર સાવધાન થયે એટલે સંવરના સેવકે કહ્યું–અમારા ચારિત્ર ધર્મરાજાનું સિન્ચ તો સકળ જાતમાં વિખ્યાત છે. જે–એને યતિધર્મ નામે મહાબળવાન યુવરાજ કુમાર છે, એ જન્મે ત્યાંજ શત્રુઓ એટલા બધા ભયભીત થયા કે એમણે પ્રાણ છાંડયા. વળી એને ગૃહસ્થ ધર્મ નામે એક શૂરવીર લઘુપુત્ર પણ છે. એના ઉદયથી પણ વૈરિએનું સિન્ય સૂર્યના ઉદયથી કૈરવવન સંકોચ પામે છે એમ, સંકોચ પામી ગયું છે. એને સધ નામે એક મહામંત્રી છે એના યુક્તિયુક્ત કાયે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Xaradna Trust Page #142 -------------------------------------------------------------------------- ________________ : ધતિધર્મ જામી પરિવારનું વર્ણન. (13) રૂપી મંત્રો વડે શત્રુ વર્ગ સર્ષની જેમ ખીલાઈ જઈને પિતાના સ્થાનથી આઘા પાછો થઈજ નથી શકતો. સમ્યક્ત્વ નામે એક રાજમાન્ય ધુરંધર અમાત્ય પણ છે. એણે એ રણક્ષેત્રને વિષે પોતાનું સમગ્રબળ વાપરીને શત્રુઓને નિબજ કરી દીધા છે. વળી પુણ્યાદય નામે સેનાપતિ છે એ યુદ્ધમાં ઉતરે છે ત્યાં તો સમગ્ર પ્રતિપક્ષીઓ સમુદ્ર પાર પલાયન કરી જાય છે. પંચમહાવ્રત એના મુખ્ય સામનો છે–એ મેરૂપર્વતની જેમ ત્રણે લેકને વિષે વિસ્તરીને રહ્યા છે. યતિધર્મ કુમારને વળી, જાણે નવીન કલ્પવૃક્ષે હાયની એવા ક્ષમા આદિ અંગરક્ષકે છે. સંયમ નામને સામન્ત અને એના સત્તર મહાશુરવીર સુભટો એ યતિધર્મની વળી સાથે ને સાથે જ રહેનારા પરિચારકે છે. - ' ચારિત્ર ધર્મ રાજાને વળી, ઉપર વર્ણવ્યા પ્રમાણેના પદવીધરે ઉપરાંત, બાર સૂર્યસમાન તેજસ્વી ગૃહસ્થ ધર્મ નામના ભક્તિમાન સુભટે પરિચર્યા કરનારા છે. વળી એને ચાર લોકપાળ સમાન ચાર સ્વભેદ સુભટોએ યુક્ત, શુકલધ્યાન નામે મંડળાધિપતિ સેવક છે. ત્રણ જગતને વિષે અદ્વિતીય વીર એવો એ મંડળાધિપતિ જે કઈવાર પણ કપાયમાન થયે તો મેહરાયના એક પણ માણસને છેડે નહિં. એ જ પ્રમાણે એક ધર્મધ્યાન નામે મંડળિક છે એને એ ચાર સુભટે છે જેમની સંગાથે યુદ્ધ કરતા પરાજય પામેલા મેહરાયના માણસો હજુ ખાટલે ને ખાટલે છે. ચિત્ત પોષક સતેષ નામે એને એક ભંડારી છે એ નિઃસ્પૃહપણે ધર્મના ભંડારનું રક્ષણ કરે છે. જ્ઞાનદાન પ્રમુખ દાનભેદ એના મતંગજો છે, જેની ગર્જનાના શ્રવણ માત્રથી જ શત્રુનું સૈન્ય નાસી જાય છે. વળી અઢાર હજાર શીલાંગ નામે પદાતિઓ છે–એમનામાં અનેક પણ અનેક શત્રુઓને ભારે પડે એવો છે. તીણ પ્રકૃતિવાળા અનેક જાતિના તપ એના તેજી અ છે-એએ પણ નિકાચિત કર્મરૂપી શત્રુઓનો સંહાર કરી નાખે છે. વળી અનિત્યતા આદિ (બાર) wવનારૂપી રથો છે જેમાં રહીને સુભટો સુખેથી શત્રુ પર પ્રહાર કરી શકે છે. કાળપાઠ આદિ એના શબ્દવેધી ધનુષ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #143 -------------------------------------------------------------------------- ________________ ( 134) શ્રી અભય કુમારે મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. ધારીઓ છે જેઓ વાખાણ વડે લીલા માત્રમાં શત્રુઓને વીંધી નાંખી શકે છે. - એની સેનાના સૈનિકે જ નહિં, પણ એનું સ્ત્રી સિન્ય સુદ્ધાં બળવત્તર છે. સૂર્યની સામે દષ્ટિ ટકી શકતી નથી એમ એ સ્ત્રી સૈન્ય સામે પણ શત્રુ વગર ટકી શકતો નથી. એકલી મનગુણિજે શત્રુના સિન્યમાં ભંગાણ પડાવે એવી એની શક્તિ છે. શત્રુ ન હાલી શકે કે ન ચાલી શકે એવી રીતે એને ગુપ્તિને વિષે રાખે છે. કાયગુપ્તિ અને વચ્ચે ગુપ્તિ એ મને ગુપ્તિની વળી ઉત્તર સાધિકાઓ છે. મન ગુપ્તિમાંથી નાસી જવાનો પ્રયત્ન કરનારા શત્રુ વ ને એ બેઉ બંધનમાં જકડી લે છે. સમિતિ નામની પાંચ સ્ત્રીઓ તો એવી છે કે એ રણક્ષેત્રને વિષે આવી ઉભી રહે છે ત્યાં જ, સિંહણને જોઈ મૃગલા ફાળ ભરતા નાસી જાય છે એમ, શત્રુઓ પલાયન કરી જાય છે. શીલરૂપી બખ્તરથી સજજ થયેલી નવ બ્રહ્મચર્ય ગુપ્તિઓ છે એએ, કેઈનાથી ગાં ન જાય એવા કામને, નવી નવી ગતિ વડે હરાવી દે છે. અગ્યાર અપ્રતિમ ઉપાસક પ્રતિમાઓ છે એ જાણે રૂદ્ર-શિવ–ની દષ્ટિએ હાયની એમ શત્રુપર પડીને એને ઘાણ કાઢી નાખે છે. જેની સામે નજર પણ ન કરાય એવી બાર ભિક્ષુ પ્રતિમા છે એમની આંગળ, હિમ બાર સૂર્યો આગળ તાપથી જેમ ઓગળી જાય છે એમ, અજ્ઞાનાન્ધકાર શત્રુ ગળી જાય છે. વિશેષ શું કહું ? અમારા ચારિત્ર ધર્મ ભૂપતિના સિન્યમાં મદ્યપાન નિષેધ આદિ બાળસૈનિકો છે એમને પણ કઈ પરાસ્ત કરી શકે એવું નથી. સામા પક્ષના એક સેવક જેવાનાં આવાં વચનો સાંભળીને, કામદેવના સેવકે ક્રોધથી લાલચોળ થઈ ગયા અને એમની દેહકંપવા લાગી. અને તો પણ ભીષણ ભ્રકુટી ચઢાવી કહેવા લાગ્યા - અમારો મકરધ્વજ રાજા તો પછી–અમને એકલાને જ પૂરે પડી શકે એ તે કઈ દેવ, દાનવ, મનુષ્ય કે તિર્યંચ પણ અમારી નજરમાં નથી.” પરન્તુ પેલાએ કહ્યું–અમારા ચારિત્ર ધર્મ રાજા અને એના પરિવારને, કેઈ પણ પરાજયે કરી શકે એમ નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #144 -------------------------------------------------------------------------- ________________ અનશન આદિ સુભટનુ સ્પર્શન આદિ સાથે યુદ્ધ. (135) એ તો મરચાં ચાવવાં છે, ચણા ફાકવાના નથી, અમારા સંવર કોટવાલનેજ જે તમે જીતો તો જાઓ અને તમારે સર્વથા વિજય કબુલ કરીશું. નહિતર એમ કહેશું કે તમારે ગર્વ સર્વ વૃથા છે. એ સાંભળી મકરધ્વજ-ફામદેવ–ના સ્પર્શ વગેરે પાંચે સેવક સંવરની આગળ ગયા કેમકે કાંટે (અન્ય) કાંટાને સહન કરી શક્તો નથી, એને જડમૂળમાંથી ઉખેડી કાઢવા તત્પર થાય છે. એમણે જોયું તો સંવર ઉચિત આચરણ વસ્ત્રથી દેહ ઢાંકીને પ્રથમ આસન પર બિરાજેલો હતો. એના કટિભાગમાં દંડત્રયવિરમણ ખંજર રહી ગયું હતું. વિવેક ખર્શ અને અપ્રમાદ ઢાલ એની પાસે પડેલાં હતાં. માથે પરિગ્રહત્યાગ છત્ર ધરવામાં આવ્યું હતું. દક્ષિણ ભુજ વિષે શુકલેશ્યા બાહુરક્ષક બાંધેલું હતું. કાંડાપર સુવર્ણની ચળકતી પલેયા પચી, અને પગમાં સમભયાભાવ વીરકટક શેભી રહ્યાં હતાં. વિધવિધ પંડિતો એની બિરૂદાવલિ બેલી રહ્યા હતા અને અનશન આદિ યોદ્ધાઓ એની આજ્ઞા ઉઠાવવા તૈયાર બેઠા હતા. આમ હોવાથી સંવર જાણે સાક્ષાત્ વીર રસ હાયની એ પેલાઓની દષ્ટિએ દેખાય. ' સ્પર્શ આદિ પાચેને જોઈને તત્ક્ષણ સંવરના સુભટો તો આગળ આવવા પડાપડી કરતા યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. કારણ કે એમને સદા યુદ્ધનું જ ચિન્તવન હોય છે. એ વખતે અનશન કહેવા લાગ્યું “અરે સુભટે, તમે રહેવા દ્યો. ગર્વને લીધે જેમની ડાક ઉંચીને ઉંચીજ રહેલી છે એવા આ શત્રુઓની સામે, મારા ઉનેદરત્વ આદિ બધુઓને લઈને, આજ તો હુંજ યુદ્ધ કરવા ઉતરીશ જેવી રીતે પાંડેને લઈને કેશવ-કૃષ્ણ કૈરાની સામે ઉતરી પડયા હતા. એમ તમારે ફક્ત એટલું કરવું કે અમારામાંથી કેઈનમાં કદાપિ શત્રુના દારૂણ શસ્ત્રનું શલ્ય ભરાય તે તત્ક્ષણ આલોચના આદિ દશ સંદેશ વડે તેને નિ:શલ્ય કરે-શલ્ય દૂર કરવું; પ્રાસાદ-મહેલની નીચેની ભૂમિની જેમ.” સંવર તો એનું ભુજબળ જાણતો હતો એટલે એણે તત્ક્ષણ એની વાતને સ્વીકાર કર્યો. સેવકોના પરાક્રમ નજરે જોયાં હોય એટલે સ્વામી એમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #145 -------------------------------------------------------------------------- ________________ ( 136) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, - નામાં વિશ્વાસ રાખ્યા વિના રહેજ કેમ? પછી સંવરની આજ્ઞા માગી સદ્ય કવચ ધારણ કરી શસ્ત્રો લઈ અનશન વગેરે ચાલ્યા ત્યાં પ્રવચને એમને કહ્યું “એક મર્મની વાત છે એ સાંભળતા. જાઓ. આ મકરધ્વજના દાઢી મૂછવાળા સુભટોમાં પણ કર્તાહર્તા તો સ્ત્રી રસનાજ છે. એમને સર્વને જેર એ રસનાનું જ છે, એના જેર પરજ બધા નાચી કુદી રહ્યા છે. માટે જે તમારે વિજયની આકાંક્ષા હોય તે એકલી એ રસનાને જ જીતી લેવી. સપની વિષ ભરેલી દાઢજ ઉખેડી લેવી–અન્ય દાંત ભલેને રહ્યા.” એ પરથી અનશન પુનઃ કહેવા લાગ્યા “રસનાનેજ જીતવાનું કહેતા હો તો, હું એકલેજ એ કાર્ય કરીશ. રંડાને જીતવી એમાં સહાયક–પરિ ચ્છદ શા જોઈએ ? માટે તમે સર્વ બધુઓ પોતપોતાને સ્થાને રહે.” પણ એ યુદ્ધને માટે ટમટમી રહેલા એ બધુઓ કહેવા લાગ્યા...હે ભ્રાતા, અમે તે રણક્ષેત્રમાં તારી સંગાથે આવ્યા વિના નહિં રહીએ. - આ પ્રસ્તાવ બની રહ્યો છે ત્યાં તો મકરધ્વજના સ્પર્શન આદિ સેવકે સામા આવી દેહાવાસ રણક્ષેત્રમાં ખડા થઈ ગયા. પણ એ વખતે સંધ્યા સમય હતો એટલે બેઉ પક્ષેએ સંમત થઈ વળતા દિવસ પર યુદ્ધ મુતવી રાખ્યું. અને પાછળ હઠીને રાત્રે બેઊ પોતપોતાના સ્થાનમાં ગયા. અદ્ધ રાત્રીને સમયે કામદેવના છળ વગેરે સેવકોએ સ્પશનને કહ્યું “અત્યારે શત્રુના સૈન્યમાં છાપ મારીને યશ મેળવ. એ સાંભળીને ૫શન સ્તંભ, દંભ, છળ, દ્રોહ વગેરે પરિવાર સહિત “મારે મારે” કરતો અનશન વગેરે પ્રતિ પક્ષીઓની નજદીક ગયો. તત્ક્ષણ, જેના સર્વ કલેશ ટળી ગયા છે એ કાયકલેશ સુભટ પિતાના લોચસહન, આતપ સહન આદિ બધુઓ સહિત ઉઠીને સામે ઉભો રહ્યો. બેઉ પક્ષે વચ્ચે ઘેર યુદ્ધ મચી રહ્યું એમાં, કુવાદીના હેતુઓની જેમ, બેઉના શસ્ત્રાસ્ત્રો પૂરાં થઈ રહ્યાં. પછી તો અનશન અને સ્પશન મલે મલ્લની જેમ સામસામા યુદ્ધમાં ઉતર્યા. એમાં અનશને સ્પશન પર પ્રહાર કરી ક્ષણમાત્રમાં ભૂમિપર પાડી દીધો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #146 -------------------------------------------------------------------------- ________________ પશન અને ૨સ મામૈ અનશને આદિએક પાજય, (137) ગ્રીષ્મઋતુમાં જે સદા કપુર અને ચંદનનું વિલેપન કરતા હતા અને વીંજણાના સુખદાયક વાયુનું સેવન કર આનન્દમાં રહેતા હતો એવા સ્પશનને અનશને અગ્નિ જેવી લૂ વાતી હતી એવા, તપી રહેલા સૂર્યના તાપમાં ઉભે રાખે; પામાથી પીડાતો માણસ શરીરે ઔષધી ચેપડી તડકામાં રહે છે એમ. સ્નાન સમયે સ્વ૭ કરી સ્પર્શન જેને તેલનો અભંગ કર્તા અને કસ્તુરી આદિથી સુવાસિત કરતો એ જ એના સ્મશ્ર તથા મસ્તકના કેશને અનશને ઉખેડી નખાવ્યા–ટુંપાવી નખાવ્યા. રૂની નરમ શય્યામાં સદા પઢતો એવાને આજે અનશનના અમલમાં ખાડાખડીઓવાળી ખાલી જમીન પર સૂઈ રહેવાનો વખત આવ્યા. પૂર્વે જે માતેલા સાંઢની પેઠે મેકળે ફર્યા કરી શીલભ્રષ્ટ થતો એને જ કાયલેશના આદેશથી બ્રહ્મચર્ય પાળવું પડયું. જેને એક દિવસ પણ ન્હાયાધોયા વિના ચાલતું નહિં એને આજે આંખની પાંપણ સરખી ધોવાનું પણ મળ્યું નહીં. આટલી દુર્દશા જાણે ઓછી હોય એમ, કયાઈથી શેષભરી સંલીનતાએ આવીને એને પડયાપર પાટુ મારી; એના પ્રતિબંધને લીધે એને ઠંડીથી હેરાન થતા માણસની જેમ અંગે પાંગો સર્વે સંકેચવા પડયાં, અને એમ કરીને કાચબાની જેમ પડયા રહેવું પડયું. આ વખતે, પોતાના એક બધુ-સૈનિકને આમ આપત્તિમાં આવી પડેલે જઈ, અત્યન્ત ગર્વને લીધે પોતાને વીરશિરોમણિ સમજતી રસના સકળ વિશ્વને પિતાને આધીન માની વૃથા કુલાતી કુલાતી મોખરે આવી કહેવા લાગી “સ્પશન પડે, પણ જ્યાં સુધી હું ઉભી છું ત્યાંસુધી તમારો વિજય કહેવાય નહિં. કેમકે, અન્ય સર્વસ્વ ગયું હોય તોયે, જ્યાંસુધી રત્નગર્ભા વસુન્ધરા અક્ષત હોય ત્યાંસુધી રાજ્ય ગયું કહેવાતું નથી. સંધિવિગ્રહપૂર્ણ શાસ્ત્રના વિષે જેમ લક્ષણવિદ્યા મૂળ છે તેમ કામરાજાના પણું સંધિવિગ્રહપૂણે રાજ્યમાં હું જ મૂળ છું.” અક્ષત રહેલી રસના આમ કહેતી આવી એટલે ચારિત્રધર્મરાજાને અતીવ દઢ અને વિસ્તારવંત છાતીવાળે દર્ય સુભટ જેણે પૂર્વે અનેક ઉગ્ર દિAC. Gunratnisuri M.S. Jun Gun Aaradhak Trest Page #147 -------------------------------------------------------------------------- ________________ (138) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, '. શત્રુઓને પણું નસાડી મૂકયા હતા, એની સાથે યુદ્ધમાં ઉતર્યો. સર્વ કોઈને આયાસ પમાડનારી ગર્વિષ્ટ રસનાએ ઔદયને તો એક પામર જેવો ગણું રણક્ષેત્રમાં એક તરણાની જેમ કાઢી નાપે. આમ થવાથી અનશન નામનો મહાયોદ્ધો રસનાની સામે આવી ઉભે. કેમકે રસના ભલે એક સ્ત્રી જાતિ હતી પરન્તુ સંમુખ આવી યુદ્ધમાં ઉતરી હતી એટલે એનું સ્ત્રી જાતિત્વ ગણવામાં શેનું લેવાય ? બેઉનું ચિરકાળ યુદ્ધ ચાલ્યું પરંતુ કોઈ હાર્યું જીત્યું નહિ. કેમકે સરખે સરખાનો જય કે પરાજય તëણ થતો નથી. અનશને એને બે, ત્રણ, ચાર, પાંચ આદિ ઉપવાસ વડે મર્મપર પ્રહાર કરી કરીને જર્જરિત કરી નાખી; એક તર્કશાસ્ત્રી અન્ય તર્કશાસ્ત્રીને કરે એમ. વચ્ચે કૃપા કરીને અનશને એને જરા છેડી તે વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ બેઊ સહાદાએ એને કદર્થના કરવામાં મણા રાખી નહિં, કારણ કે ક્રોધાવિષ્ટ સ્થીતિમાં, સામે સ્ત્રી છે કે પુરૂષ છે એ જોવાતું નથી. વળી એની સકળ લકને રંજાડવાની પ્રકૃતિ સાંભરી આવવાથી અનશને એને પુનઃ પોતાના ગ્રાહ્યમાં લીધી–ભજનથી વિમુખ રાખી. કારણ કે દુષ્ટને શિક્ષા આપવી એ કંઈ અયોગ્ય નથી. પણ એમ થવાથી એ બિચારી બહુ કૃશ થઈ ગઈ એથી પુન: દયા લાવી એને જેવું તેવું–અરસ, વિરસ, રૂક્ષ, તુચ્છ પણ કંઈ (ભજન) અપાવરાવ્યું. વળી એને નમસ્કારનું, પિરૂષીનું, સાદ્ધપરૂષીનું, કે પુરિમાદ્ધનું–એમ વખતોવખત પ્રત્યાખ્યાન કરાવ્યું. કેઈ વાર આંબિલ કરાવ્યું, કેઈવાર એકાશન કરાવ્યું તો કઈવાર નિવિકૃતિ કરાવી વળી વચ્ચે વચ્ચે અકેક દિવસ અન્ન પાણુ કેવળ ત્યાગ કરાવી ઉપવાસ પણ કરાવ્યો-અને એમ કરીને પુનઃ એને કૃશ કરી નાખી; કારણ કે એના જેવી શત્રુનું કાર્ય સારનારીને વિશ્વાસ છે? આમ પિતાના સ્પર્શન અને રસના બેઉ સુભટ બધુઓને પડયા જોઈને ભયભીત થયેલા ચક્ષુ, શ્રેત્ર અને ધ્રાણ સુભટ ચિન્તવવા લાગ્યા “શત્રુઓએ તો આપણા બેઉ બધુઓને મૃતપ્રાય કરીને વિજય મેળવ્યો. આવા ત્રણ જગતના મલ્લ જેવાને પરા Jun Gun Aaradhak Trust Page #148 -------------------------------------------------------------------------- ________________ સ્પન અને રચનાને કારાગૃહમાંથી મુકિતને ઉપાય(૧૩) જ્ય કર્યો તો આપણું શું ગજું? માટે હવે આપણે યુદ્ધમાં ઉતરવું નહિ, અન્યથા આપણું પણ એમના જેવી ગતિ થશે. ચટપટ બીજાને ભક્ષ કરવાની શક્તિ વાળી ચામુંડા જેવીનો પણ જ્યાં ભક્ષ થઈ જાય ત્યાં એના રાંક યક્ષ સુભટ શું જેર કરી શકે ? જે આપણે સર્વ શત્રુના હાથમાં સપડાયા તો પછી કામરાજા પાસે જઈને વીતકવાર્તા કહેશે કેણ? માટે આપણે હવે ક્યાંક ગુપચુપ ભરાઈ રહીએ. એમ કરતાં જે કંઈ યુક્તિ હાથ આવશે તે આપણ બેઉ બધુઓને છોડાવીને આપણું રાજા પાસે લઈ જઈશું. એ બેઉ વિના આપણે રાજાજીને શું હાં બતાવીશું ?" : આમ વિચારીને એઓ ત્યાંજ ચેરની પેઠે ક્યાંક ભરાઈ બેઠા. ' પછી અનશન વગેરે વિજયી સુભટો સ્પર્શન અને રસેનાને બન્દીવાન કરી કારાગ્રહમાં નાખી, રાગનિગ્રહ તથા Àષનિગ્રહ નામના પહેરેગીરને અને સાથે ધર્મ જાગરિકોને એ બેઉની ચેકી કરવા રાખી સંવર પાસે ગયા. ' હવે ઘાણ વગેરે ત્રણ પરાજિત પક્ષના છુટા હતા એ સુભટે કારાવાસમાં પડેલા સ્પશન અને રસનાની મુક્તિનો ઉપાય ચિન્તવવા લાગ્યા, એમ કરતાં બહુ કાળ વીત્યા. એવામાં એકદા જંગલ : રાત્રી હેયની એવી એક શ્યામ વર્ણની ઘુણયમાન નેત્રોવાળી કોઈ સ્ત્રી ત્યાં ફરતી એમની દષ્ટિએ પડી. એટલે, બેરડીને જોઈ શગાલો હર્ષ પામી એની આગળ જાય એમ એઓ પણ “અહાનિદ્રા હેન, તમારાં ઘણે દિવસે દર્શન થયાં” એમ કહેતા એની પાસે ગયા અને “આજ તો અજવાળું થયું, અજવાળું થયું” એમ બોલી એને ચરણે પડયા. પણ મહેોટા મોટા રાજાઓ સુદ્ધાં સ્ત્રીની આગળ દંડવત્ પ્રણામ કરતાજણાયા છે એટલે એમાં કંઈ આશ્ચર્ય નહિં. નિદ્રાએ પણ “અક્ષત રહે, અજરામર રહો” એમ કહી વસ્ત્રના છેડા વડે ભાઈઓનાં લુંછણાં ઉતાર્યા. પણ હેને એમના મ્હ ઊતરી ગયેલા જોયાં એટલે એનું કારણ પૂછતા ભાઈઓએ ઉત્તર આપ્યો–બહેન, એ તો અમારા ગ્રહ હાલ વાંકા છે તારે કંઈ વિશેષ પૂછવું નહિં. નિદ્રાએ કહ્યું–ભાઈઓ, માતાતુલ્ય ગણીને મને તમારું દુ:ખ જણાવો હું વિરક્ત સાધુની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #149 -------------------------------------------------------------------------- ________________ (140) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, જેમ દુઃખીને દિલાસો આપનારી છું એ સાંભળી પેલાઓએ ઉંડા નિ:શ્વાસ મૂકી મૂકીને રપશન રસનાને કારાગ્રહમાં પડવા સુધીને વૃત્તાંત એને કહી સંભળાવ્યું. અને એજ પિતાના ખેદનું મૂળ છે એમ જણાવ્યું. વળી વિશેષમાં એ કહ્યું કે અમે અમારે પ્રમાદ નામને ચતુર દૂત ત્યાં મેકલ્યા હતા એણે ત્યાંનું સમસ્ત સ્વરૂપ સમ્યક્ પ્રકારે જાણી આવીને અમને કહ્યું છે– સ્વામી, તમારી આજ્ઞાથી હું ત્યાં ગયે તે મેં બે પુરૂષ અને એક સ્ત્રીને પહેરો ભરતા જોયા. એઓ પરસ્પર વાતચિત કરતા હતા એમાંથી મેં એમના નામ જાણું લીધા છે. સ્ત્રીનું નામ ધર્મજાગરિકો; અને પુરૂષોનાં નામ રોગનિગ્રહ તથા Àષનિગ્રહ વાયુ ઉખ હોય એમ સ્ત્રી તો લવસવાટ કર્યા જ કરે છે, અને એથી અને પુરૂષના નિમેષ માત્ર પણ નેત્ર મીંચાતાં નથી. એકની સાવધાનતાને લીધે અન્ય બેઉ પણ સાવધાન છે. આમ બાબત છે એટલે કારાગ્રહમાંથી બેઉને છુટકે થવો મુશ્કેલ છે. જે કઈ રીતે ધર્મજાગરિકાને થાપ આપી શકીએ તે બેઉ બીજામાં તો કંઈ નથી. કારણ કે ધુતતા સર્વ સ્ત્રી જાતિમાં વસેલી છે; પુરૂષ તો જડ જેવા છે. માટે જે એ ધર્મજાગરિકોને છળી શકીએ તે આપણા બેઉ દ્ધાએ સદ્ય બહાર નીકળી શકે. અન્યથા એઓ કારાગૃહમાં પડયા પડયા સડશે. આ પ્રમાણે અમારા દૂત પ્રમાદે અમને કહેલું તે હે બહેન, તને કહી સંભળાવ્યું છે. હવે તો તારી કૃપા હાય તો આ વિપત્તિ અમે ઓળંગી શકીએ એમ છે . * દયદ્ર હૃદયવાળી નિદ્રાએ કહ્યું-ભાઈઓ, ખિન્ન ન થશે. એ પાપિઝા ધર્મજાગરિકા તો બાળકની જેમ ક્ષણમાં છેતરાઈ જશે. પેલાએ કહ્યું- હે નિદ્રા હેન, શૂળી પર ચઢાવેલાને પણ સુખદાયી તારા જેવી અમારી ચિન્તા કરનારી હોય ત્યાં અમારે કષ્ટ રહેજ નહિં. એમણે આમ કહીને આકાશમાં ચઢાવી એટલે એ પણ શીધ્ર ધર્મજાગરિકા પાસે ગઈ. સ્વાભાવિક વિર છતાં બેઉ પરસ્પર મળ્યાં. દુઇ નિદ્રાએ વંચનાને પાઠ ભજવ્યું–હૈ દેવિ, આ તારી દાસીની પણ દાસી–તારા ચરણની રજ તારા દર્શને આવી .P. Ac. Gunratnasari M.S. Page #150 -------------------------------------------------------------------------- ________________ મકરધ્વજ રાજાની યુદ્ધની તૈયાશ. (14). છે. મારા પરમભાગ્ય ચિરકાળે પણ તારાં દર્શન થયાં. ચિન્તામણિના દર્શન જેવાં તારા દર્શનથી મને અત્યન્ત આનન્દ થયો છે. આવાં ચિત્તરંજન શબ્દથી પેલી તે લેવાઈ ગઈ અને એને પિતાની ભક્તા માની બેઠી. વળી નિદ્રાએ કહ્યું–હે માતા, તારાં નેત્રો દોષિત જણાય છે છતાં આવા પાપી બન્દીવાનની ચેકી કરવા શા માટે જાગરણ કરે છે? આ મારી પાસે નેત્રના વ્યાધિને ટાળનારું વિમળાજન છે તે લે. એમ કહીને એને છળથી વિમળાંજનને બદલે મેહનાંજન આપ્યું એ પેલીએ આંર્યું. એટલે શીધ્ર સ્વાપ આવીને ઉભો રહ્યો; વશવતી ચેટક આવીને ખડું થઈ જાય એમ. મેહનાંજન અંજાયાથી કાં આવવા માંડયાં. અને એથી બેઉ પહેરેગીર પણ સૂઈ ગયા. કહેવત છે કે એક છિદ્ર પડયું એટલે અનેક અનર્થો ઉત્પન્ન થાય છે. તક્ષણ છળ અને પ્રમાદ આવી પહોંચ્યા–એમણે, વૈદ્ય જેમ રેગીના અપકારક રસને દૂર કરે છે એમ, સ્પશન તથા રસનાના બન્ધન શીધ્ર દૂર કર્યા–ત્રેડી નાખ્યા. પછી ઘાણ વગેરે ત્રણ સુભટો ત્યાં સંતાઈ રહેલા હતા એમણે આવીને બેઉને ઉપાડી ઝોળીમાં નાખી ઘર ભેગા કર્યા. અને લંઘન આદિ વડે મૃતપ્રાય શુષ્ક થઈ ગયા હતા તેમને પુષ્ટ કરવાના ઉપાય કરવા માંડયા. કારણ કે પીડા તો બધુઓને જ હોય. પછી એમણે મકરધ્વજ રાજાજીને જઈ પ્રણામ કરી પિતાને પરાજય થયાની વાત કહી સંભળાવી. કેમકે દુ:ખની વાત સ્વામીને કહેવાની હોય છે. મકરધ્વજ તો એ સાંભળીને અગ્નિની જેમ પ્રજવલિત થયો. " દુરાત્મા સંવર તે કેવો ઠર્યો કે પોતાના પરિજનો પાસે આ બધાને માર ખવરાવ્યો? અહો એણે પરાધીનપણે એવું વર્તન ચાલવા દઈને નિશ્ચયે, અસહ્ય જવાળા કાઢતા અગ્નિને પિતાની ભુજાઓ વડે આલિંગન દેવાની હામ ભીડયા જેવું કર્યું છે ! મદોન્મત્ત ગજરાજના કુંભસ્થળને ભેદી નાખનાર મૃગપત્તિસિંહને સૂતો જગાડયા જેવું કર્યું છે ! મેઘ અને ભ્રમરના જેવા શ્યામ ફણિવરની ફણાને હાથવતી ખજવાળવાની મૂર્ખતા–ભરેલી અભિલાષા કરી છે ! મારા જેવા અદ્વિતીય મલ્લની સાથે વિગ્રહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #151 -------------------------------------------------------------------------- ________________ (૧૪ર) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. આદર્યો છે તે એનો દુર્મદ હું આજ ક્ષણે ઉતારી નાખું છું.” આમ ઉચ્ચ સ્વરે ગર્જના કરીને એણે યુદ્ધની ભેરી વગાડવાને આદેશ કર્યો કે જેથી સુભટે શીધ્ર તૈયાર થઈ જાય અને સંવર પર ચઢાઈ લઈ જવાય. આ ન ભરીને નાદ થયે કે તëણ એને મિથ્યાત્વ નામનો અમાત્ય અને કષાય નામના સેળ મંડળાધીશે તયાર થઈ ગયા. મહાવતોએ વિકરાળ નાગસમાન દુવ્યસન આદિ હસ્તીઓ તૈયાર કર્યા, અશ્વાએ પાનભક્ષણ આદિ અવે તૈયાર કર્યા અને રથિન કેએ નિત્યવાસના આદિ વિશાળ અને ઉંચા રથ તૈયાર કર્યા. આશ્રદ્વાર વગેરે પાયદળ ચકચક્તિ ખો લઈને તૈયાર ઉભું, અને અકાળપાઠ વગેરે ધનુર્ધારીએ પણ રણમાં ઝુઝવા તત્પર થયા. આ પ્રમાણે ચતુરંગી સેના લઈને ગર્વિષ્ટ મકરધ્વજ મહાસાગરની જેમ ગજરવ કરતો ઉતાવળે ચાલી નીકળ્યા. એની આગળ પાપોદય સેનાપતિ, પાછળ મિથ્યાત્વ અમાત્ય, અને બેઉ બાજુએ કષાય મંડળેશ્વરે ચાલવા લાગ્યા. અનુક્રમે કામરાજા અને એનું અસંખ્ય સૈન્ય પૃથ્વી તથા આકાશ પ્રદેશને પૂરી નાખતું દેહાવાસ રણક્ષેત્રને વિષે આવી પહોંચ્યું. અહિથી એણે, રાજનીતિને અનુસરીને, મૃષાવાદ નામને દત સંવર પાસે મેકલ્યા. એ દૂતે જઈને કહ્યું–હે સંવર, હું કામરાજાને દૂત છું. મારા રાજાજીએ કહેવરાવ્યું છે કે અમારા અત્યન્ત વલ્લભ સેવકેને, ગ્રહણને દિવસે શ્વાનને મારકૂટ કરવામાં આવે છે એમ, તમારા સેવકોએ મારકૂટ કરી હેરાન હેરાન કરી નાખ્યા છે એ દોષ બદલ તમે જ શિક્ષાને પાત્ર છે, કારણ કે સેવકના અપરાધનો દંડ સ્વામીએ સહન કરવો એવો પ્રચલિત રિવાજ છે. માટે જે તમારે રાજ્ય અને દેશનો ખપ હોય, સુખની ઈચ્છા હોય અને તમારા પ્રાણ તમને વહાલા હાય તો સત્વર આવીને અમારી ક્ષમા માગે. તમારે અપરાધ તો બહુ મોટો છે પણ જો તમે આવીને અમને નમશે તો અમે તત્ક્ષણ તમારા પર પ્રસન્ન થઈશું; કારણ કે, મહાત્માએનો કેપ સામે પક્ષ નમી પડ્યા પછી શાન્ત થઈ જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #152 -------------------------------------------------------------------------- ________________ સંવ૨ાજાના મુભટે કામદેવના દૂતનું કરેલું અપમાન. (13) અમારી જે માણસ નિરન્તર સેવાભક્તિ કરે છે એના પર અમે ઉનો વા પણ વાવા દેતા નથી. પરંતુ કોઈ માણસ અભિમાનથી દેરાઈ અમારી અવજ્ઞા કરે છે તો એને અમે દુ:ખી કરવામાં કંઈ પણ ઉણપ રાખતા નથી; કેમકે શક્તિવંતનું એ લક્ષણ છે. જે ધણુની છાયા પણ કેઈને નમતી નથી અને જે વળી ધણીના પણ ધણી જેવા છે એવાઓ પણ અમારૂં શાસન માન્ય રાખે છે, અષ્ટમાન થઈએ તો રાજ્યના રાજ્ય દઈ દઈએ, અને રૂઠીએ તો ભિક્ષા મંગાવીએ એવી અમારી શક્તિ છે માટે અમારૂં શાસન માન્ય રાખો. એથી તમને વિપુલ લક્ષ્મીની પ્રાપ્તિ થશે. . . - મકરધ્વજ-કામરાજાને દૂત આટલું બેલી બંધ રહ્યો કે સંવરને સત્યજલ્પ સેવક સંવરને આશ્ચર્ય પમાડતો કહેવા લાગ્યો ટિટ્ટભની જેવું તારું વાચાળપણું દીઠું! તારું મિથ્યાજ૫ નામ યથાર્થ જ પાલું લાગે છે કેમકે જે હાંમાં આવ્યું તે તું બોલી નાખે છે! મકરધ્વજના પાપી વિશ્વવંચક વહાલાઓને અમે જીવતા જવા દીધા એ બહુ ભૂલ કરી છે. તારા કામરાજાનું મહાસ્ય પામર માનવોની સભામાં જઈને કહે. ગાલનાં પરાક્રમનાં વર્ણન શગાલેના ટોળામાં જ સારાં લાગે. મુખે મધુર સ્વાદ દેખાડીને મસ્યભાર મસ્યાને કષ્ટ દે છે તેમ તારે કામરાજા પણ મુગ્ધજનને લેભાવીને દુઃખી કરે છે. અમારા જેવા એ સર્વ જાણુનારાની સમક્ષ એના વાત્સલ્યનાં વર્ણન બહુ ક્ય-હવે બસ કર. માતાની આગળ સાળનું વર્ણન કરવાનું હોય નહિં. તારા રાજાના પિતા રાગકેશરી અને પિતામહ પ્રસિદ્ધ જગન્દ્રોહી મહામહ પણ અમારા સંવરેદેવના હાથનો માર ખાઈ પલાયન કરી ગયા છે તો પછી તારા રાજાનું તે ગજું જ શું? વળી સર્પને જઈને સેંથે લેવાની શકિત ધરાવનારને એક તુચ્છ ગળીને ભય છે હોય? માટે જે તારો સ્વામી પોતાની શકિત અણુવિચારીને મારા સ્વામી સાથે યુદ્ધ કરવા આવશે તો એ નિઃસંશય આવશે એ જ લાગશે, અને અમારે થડે પાણીએ જ કાસળ જશે. જે પગે આવ્યો એ જ પગે એને શીધ્ર નાસી ગયા સિવાય બીજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #153 -------------------------------------------------------------------------- ________________ (14) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, આશ્રય નહિં રહે. વળી અન્ય સુભટો પણ કહેવા લાગ્યા–અરે મિથ્યાજ૫, તું આમ ગમે એમ બેસે છે તેથી તારે તો વધ જ કરે જોઈએ. પરંતુ તે એક દૂત તરીકે અહીં આવેલ છે એટલે તને જવા દઈએ છીએ. અમે તે કયારના સજજ થઈ રહ્યા છીએ. તારા સ્વામી પર અમે વિજય નહિં મેળવી શકીએ તોયે અમારા હાથની ખરજ તો ભાંગશે જ. એ સાંભળી દૂત કંઈ પ્રત્યુત્તર આપવા જતો હતો એવામાં એમણે એને ગળે પકડી કાઢી મૂક. દૂતે જઈને સર્વ વાત મકરધ્વજને કહી એટલે કયારનો ધુંધવાઈ રહેલો એનો ક્રોધાગ્નિ એનાં વચનરૂપી વાયુથી પ્રેરાઈ પ્રવલિત થયે; અને એક દ્વિજ સર્વ સામગ્રી લઈને હવન કરવા જાય એમ પોતાનું સર્વ સિન્ય લઈને યુદ્ધ કરવા ગયો. સંવર કોટ્ટપાળ પણ સકળ સેના સહિત કટિબદ્ધ થઈને સામે આવી ઉભે. કારણ કે સિંહ હોય છે એ અન્યને સહન કરતો નથી. એમનું યુદ્ધ જેવાને ગગનમાં દેવતાઓ અને વિદ્યારે કંઈ ઉત્સવ નીરખવાને હાયની એમ હર્ષ સહિત એકત્ર થયા. કારણ કે સર્વ પ્રાણીઓને પ્રાય: કુતુહળ જોવું બહુ ગમે છે. એટલામાં તો . કાયર પુરૂષનાં હૃદયને થડકાવી નાખનારાં ભયંકર રણવાજિંત્રો બને સિન્યમાં વાગવા લાગ્યાં. - દુર્જયશત્રુની સાથેના યુદ્ધમાં, ચકવતી રાજા જેમ ચકને મેખરે રાખે છે તેમ ચરિત્રધર્મ ભુપતિએ જેને સિન્યને મેખરે રાખેલ છે; વળી જે સૈન્યમાં હોય છે તે જ રણક્ષેત્રમાં ચારિત્ર ધર્મ ભુપતિનું ચિત્ત સ્વસ્થ રહે છે અન્યથા દેલાયમાન થઈ જાય છે; એવા નિરહંકાર વગેરે ચતુરબંદિજને સંવરના પક્ષના સુભટેને ઉત્સાહિત કરવા લાગ્યા કે—હે સિનિક! જેણે મેહરાજાના પુત્ર રાગના તનુજ મકરધ્વજને મુખ થકી જ પરાજ્ય કરીને એનાં કુંભ અને ધ્વજા હરી લીધાં છે; અને જે એક જ પ્રહારથી શત્રુઓને માટીની જેમ ચુરી નાખી શકે છે;એવા સંવરદેવના તમે સેવકે છે. તમે પોતે પણ પૂવેર * યુદ્ધમાં અનેકવાર જય P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust Page #154 -------------------------------------------------------------------------- ________________ - સવારે અને મકરધ્વજના સુલટેનું યુદ્ધ. (15) મેળવ્યું છે. માટે અગારે તો રણક્ષેત્રમાં એવું પરકમ દશ-. વજો કે તમારું ચંદ્રમાસમાના નિર્મળ કુળ દીપી ઉઠે, અને પાપી. શત્રુઓનાં માં કાળા થાય. સામા પક્ષમાં પણ અડુંકાર આદિ દુષ્ટ બન્ડિજનોએ હાથ ઉંચા કરી કરીને પોતાના સિનિકેને શર ચઢાવ્યું કે– સુભટો ! શત્રના સિનિકોને જે માથાની શળિ જે છે; અને સેનાને વિષે જે હાજર હોય છે તો જ મેહરાજા સુખે. સૂએ છે; જેના સતત ફેંકાતા શર વડે જર્જરિત થઈ જઈને. શત્રુઓ પુન: રણે ચઢવાનું નામ પણ લેતા નથી; અને જેને હનુમાનની પેઠે પહેલા જ દુર્જયશત્રુઓની સમક્ષ મેલવામાં આવે છે;–એવા મકરધ્વજરાજાના તમે સેવકે છે. તમે પોતે થે તમારા અસહ્ય ભુજદંડવડે પશુઓ, માનવ દેવ અને દાનવોને સુદ્ધાં વશ કર્યો છે. આ પાંચસાત જેનપુરવાસીઓ પોતાની સ્થિતિ નહિ ઓળખીને, પોતાને શૂરવીર માનતા, કાન ખાઈ જાય છે એઓ, સર્વ જગના પ્રાણીઓ પર વિજય મેળવનારા તમારા જેવાની આગળ, સમુદ્રમાં જેવી સાથવાની મુઠ્ઠી હોય એવા છે. તમારી આટઆટલી લાયકાતો છતાં જો તમે એમને હાથે શિસ્ત ખાસ તો તમે સમુદ્રને સમુદ્ર તરી જઈને એક અપ ખાબેચીયામાં બુડી ગયા કહેવા માટે અત્યારે ચિત્ત દઢ રાખીને એવી રીતે યુદ્ધ કરો કે તમારા પૂર્વજોનું નામ દીપકની જેમ દીપી નીકળે. - આમ કહી કહીને બન્દિજને જેમને શર ચઢાવી રહ્યા છે એવા ઉભય પક્ષના ગર્વિષ્ટ દ્ધાઓ ભયંકર ક્રોધ કરતા સામસામા આવી ઉભા. કર્ણપર્યંત લાવી લાવીને ધનુષ્યધારીઓએ તીને એ સતત મારે ચલાવ્યો કે ત્યાં વગરતંભને શર મંડપ થઈ રહ્યો. હસ્તલાઘવકળાવાળા એ ભાથામાંથી તીર લઈ પ્રત્યંચાપર ચઢાવી ખેંચીને એવી રીતે બાણ છેડતા કે ખબર જ પડે નહિં એકધારે વરસતા વર્ષાદની ધારા જેવી બાણાવળિ સતત છુટતી જ રહી એથી આચ્છાદિત થયેલું આકાશ જાણે તીડાથી ભરાઈ ગયું હેચની એવું દેખાવા લાગ્યું. સુભટોએ લેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #155 -------------------------------------------------------------------------- ________________ લોથલના હાથમાં કારમાં મારી મા નચાવતા ની (1) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, માત્ર પણ અટક્યા વિના છેડવા માંડેલા બાણે વડે પૂરાઈ ગયેલ રણક્ષેત્ર જાણે કાશપુષ્પોથી ઉભરાઈ જતું વન હોયની એમ શેાભી રહ્યું. હસ્તિ દન્તુશળના પ્રહારે પર્વતો સહન કરે છે એમ ખડૂગના પ્રહાર સહન કરતા પાયદળના સુભટો પણ રણમાં સુઝવા લાવ્યા. એમાં ખો પરસ્પર અથડાવાથી એમાંથી ઉડી રહેલા અગ્નિના તણખાઓને લીધે જાણે દ્વાઓના મંગળકલ્યાણ અર્થે નીરાજનાવિધિ થતી હોયની એ ભાસ થઈ રહ્યો. તરવારથી લડતા સૈનિકોની તરવારના અગ્રભાગ એકબીજા સાથે મળવાથી જાણે જયશ્રીએ વડુમણિના તારણે રચીને લટકાવી લીધા હાયની એ દેખાવ થઈ રહ્યો. સુભટે વારંવાર ખ નચાવતા નચાવતા ફેરવી રહ્યા હતા એથી જાણે ત્યાં વિદ્યુલ્લતા ઝબકારા મારી રહી હોયની એમ પ્રતીતિ થતી હતી. દ્ધાઓના હાથમાં પંક્તિબદ્ધ રહી ગયેલી ઉત્તમ પ્રકારની ઢાલેને લીધે ત્યાં જાણે કપિશીર્ષકનું તારણ બની રહ્યું હાયની એમ ભાસ થતો હતો. દીર્ધ ભુજાવાળા સુભટોએ પ્રતિપક્ષીના પ્રહાર ઝીલવાને પિતાપતાની ઢાલે ઉંચે ધરી રાખી હતી એથી જાણે એમનાં મસ્તક પર છત્ર ધરવામાં આવ્યા હાયની એ દેખાવ થઈ રહ્યો હતો. વળી બેઉ સેનાઓમાં એ પ્રમાણે ઢાલની હારને હાર રહી ગઈ હતી. એ જાણે સૂર્ય અને ચંદ્રમાની પંક્તિબદ્ધ શ્રેણિ હેયની એવી શોભતી હતી. અશ્વારે પણ હર્ષ સહિત સામસામા ભાલાઓ ફેંકી ફેંકીને પોતાની ચિરકાળની યુદ્ધે ચડવાની હોંશ પૂરી કરતા હતા. કેટલાકના હાથમાં ભાલા ઉંચા ઉભા રહી ગયા હતા એ જાણે ઊંચે આકાશમાં રહેલા તારાઓને પરેવવાને અર્થે હોયની અથવા બ્રહ્માંડને ઈંડાની જેમ સદ્ય ફેડી નાખવાને માટે હાયની! વળી કઈ કેઈએ સામસામા ધરી - રાખ્યા હતા એ ભાલાઓ જે પ્રકાશના કિરણો ફેંકતા હતા તે જાણે કાળરાત્રીના પ્રાણહારક ક્ટાક્ષે હાયની એવા જતા હતા. મહાવતાએ યાચિત સ્થાને રાખેલા હસ્તીઓ પર આરૂઢ થયેલા સિંહસમાન બળવાન, સાંમત્તે પણ પોતાના અસ્ત્રો ફેંક્તા અને પ્રતિપક્ષીના ચુકાવતા, યુદ્ધને એક જાતનો ઉત્સવ માની રણક્ષેત્રમાં સુઝતા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી સર્વર અને મકરવજનું યુદ્ધ . (147) હતા. વિમાનમાં રહેલા દેવતાઓ હાયની એવા રથિકે પણ રથમાં રહીને, રમતાં રમતાં યુદ્ધ કરવા લાગ્યા. વળી દંડેદંડવાળાએ શક્તિએ શક્તિવાળા, મુગરે મુદગરવાળાઓ અને તેમરે તેમરવાળાઓ પરસ્પર લડવા ઉતરી પડયા હતા. - આ પ્રમાણે યુદ્ધ કરતા સંવર અને અનંગના સિન્યામાં તક્ષણ શસાસ્ત્રો એવી રીતે ઉડવા લાગ્યા કે કાયર હતા એ તો ઉડી ગયા. જેમનામાં શૂરાતન હતું એ જ ગિરિનદીના પૂરની જેમ ઉંડા મૂળવાળા શત્રુરૂપી વૃક્ષોને પણ ઉખેડી નાખતા અહિં તહિં પરિભ્રમણ કરવા લાગ્યા. એમ કરતાં સંવરના સૈનિકોના અનંગના સૈન્યપર એવા પ્રહારો પડયા કે એ લાજ મૂકીને દશે દિશાઓમાં નાસી ગયું. એ વખતે આકાશમાં રહેલા દેવતા અને વિદ્યાધરેએ હર્ષસહિત જયનાદ કરીને સંવરના સૈન્યપર પુષ્પ વૃષ્ટિ કરી. પિતાના સિન્યમાં ભંગાણ પડયું જોઈ મમત્વ પુત્રની સાથે વેદેદય રથમાં રહેલો મકરધ્વજ હાસ્ય કવચ ધારણ કરી, વામહસ્તમાં ધનુષ્ય અને અન્ય હસ્તમાં બાણ લઈ મન્મત્ત બની રણમાં ઉતર્યો. તરત જ એણે ધનુષ્યની પ્રત્યંચાને એવી રીતે આકષી કે એનાથી ઉત્પન્ન થયેલ રણકાર શબ્દથી એણે આકાશને ગજાવી મૂકયું; પાઠ કરતાં છાત્રે મઠને ગજાવી મૂકે એમ. ત્વરિતપણે સતત્ વિશ્રાન્તિ વિના બાણધારા છોડતો પંચબાણ સૈનિકે શીધ્ર નાસી જવા લાગ્યા. કહેવત છે કે શેરને માથે સવા શેર હોય છે. તે વખતે “અહો ! આણે એકલાએ વિજય મેળવ્યો એ જ ખરો શરવીર” એમ કહીને દેવ વગેરેએ એ પુષ્પધન્વા અનંગપર પુષ્પવૃષ્ટિ કરી. આમ પિતાના સૈન્યની અવદશા થઈ ઈને સંવર લેશ પણ ક્ષોભ પામ્યા સિવાય લડવા ઉતર્યો. કેમકે કોઈવાર ધણીનોયે વારો આવે. નિર્મમત્વ નામના જયેષ્ઠ પુત્રની સંગાથે સવેગ રથમાં બેસી, દમન કવચ ધારણ કરી અભિગ્ર- . હગ્રહ શર, તથા પૂર્વે વર્ણવેલાં ઢાલ કૃપણ, હુરિકા આર્દિ શાસ્ત્રો અને બ્રહ્મચર્યરૂપી ઉન્નત દંડ સાથે રાખી લડવા લાગ્યા. દઢ લડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #157 -------------------------------------------------------------------------- ________________ (148) શ્રી અભય કુમાર મંત્રીધરનું જીવન ચરિત્ર. યક શક્તિવાળા બેઉ પ્રતિપક્ષીઓએ કર્ણ પર્યન્ત લાવી લાવીને સામસામા બાણની વૃષ્ટિ આદરી પ્રત્યંચા તાણું પિતપોતાના ધનુષ્યને ટંકારવ કરી એવાં શર મૂકવા માંડયાં કે સૂર્યના કિરણોને પણું આચ્છાદિત કરી નાખ્યા. બન્ને પોતપોતાનાં શર વડે પરસ્પરનાં શોને કાપતા કાપતા બહુ સમય સુધી લડ્યા; વિવાદમાં વાદીઓ સામસામાની દલીલ ત્રોડી નાખતા લડ્યા કરે છે એમ. જયશ્રી પણ સંદેહમાં પડી કે સંવરને વરું કે મકરધ્વજને વરું? એટલામાં તો અનંગે છેડેલા તીર્ણશો વડે સંવરનું કવચ ભેદાયું અને શલ્ય અંદર પેઠું. ' I શલ્યપ્રહારથી અત્યન્ત કે પાયમાન થઈ સંવરે અદ્ધિચંદ્રાકાર શરે છોડી અનંગરાજના ધ્વજ અને છત્ર, પદ્મનાળની જેમ વિના શ્રમે ખંડિત કર્યો. વળી એક સુરાકાર શર વડે ભિક્ષુ-સાધુના મસ્તકની જેમ, એના મસ્તકને મુંડી નાખ્યું, અને બીજા શરથી એના ધનુષ્ય અને દેરી બેઉ છેદી નાખ્યાં. પિતે ગર્વિષ્ટ હતો છતાં દઢ વૈરાગ્ય મુગર વડે શત્રુના વેદેદય રથને ભાંગીને ભુકો કરી નાખે. એટલે કંદર્પ હાથમાં ભય ખર્શ લઈ સંવરની સામે થયે; રાવણ વાલિન સામે થયો હતો એમ. સંવર પણ તક્ષણ વીરવૃત્તિને અનુસરી, રથ છોડી ભૂમિપર રહી વિવેક તરવારવડે એની સાથે લડવા લાગ્યા. બેઉ પોતપોતાની તલવાર વારંવાર નચાવતા નચાવતા વચ્ચે ઢાલ લાવી એકબીજાના પ્રહાર ચુકાવવા લાગ્યા એટલામાં, સુથાર ઘણ વડે શિલાને તોડે એમ કંદર્પ ખડ્ઝને ગાઢ પ્રહાર કરી સંવરની ઢાલ ભાંગી નાખી. ત્યાં તો યુદ્ધકળા નિપુણ સંવરે પોતાની વિવેક તલવાર વડે અનંગના ખડ્રગને છેદી નાખ્યું. એટલે મકરધ્વજે પોતાની જુગુપ્સા છુરિકા કાઢી; કેમકે શાર્યવૃત્તિ કઈ અલોકિક વસ્તુ છે. પુન: સંવરે પણ વીરાચારને અનુસરી ખર્ગ ત્યજી દીધું, અને દંડેત્રયવિરતિ ઝુરિકા હાથમાં લીધી. આ સર્વ યુદ્ધને વિષે છુરિડાદ્ધ બક વિષય હાથી દેવતાઓ વિસ્મય રહિત એ જોઈ રહ્યા. એમાં સંતરે અનંગની ધુરિકા પર un Gun Aaradhakro Page #158 -------------------------------------------------------------------------- ________________ સંવરને જય અને ચારિત્ર રાજાને નમસ્કાર (149) એવી રીતે પ્રહાર કર્યો કે એ છુરિકાનું પાનું પડી ગયું અને હાથમાં ફક્ત મુઠ રહી. એ વખતે પણ સંવરે તે યુદ્ધનીતિને અનુસરીને પોતાની બુરિકા પડી મૂકી. હવે અન્ય શસ્ત્રોના અભાવે વરશિરોમણિ સંવર અને જગદ્ધીર કંદર્પ ઉભયે મલ્લયુદ્ધ આદધું. એ દેવતાઓ પણ સવિસ્મય નીરખી રહ્યા. આ યુદ્ધમાં શત્રુના ગ્રાહમાં પિતે ન આવતાં ધ્યાન રાખી સંવરે કંદર્પને ભૂમિપર પાડી દીધે. કારણ કે ચત ધર્મસ્તતો ગયા “આ સંવર સકળ વિશ્વને વિષે એકાકી વીરપુરૂષ છે. એને જય થયો છે, એને વિજય થયો છે. કેમકે એણે કામમલ્લનું માન કસુંબાની જેમ ચગદી નાખ્યું છે–” આવા સ્તુતિનાં વચને કહી દેવતા તથા વિદ્યાધાએ સંવર પર ઉત્કૃષ્ટ પુષ્પની વૃષ્ટિ કરી. સ્વયંવરા કુમારીની પેઠે જયશ્રીએ પણ એના કંઠમાં હર્ષ સહિત વરમાળ આપી તારા ભક્તની સામે હું નજર પણ નહિં કરું, હું તારો દાસ છું” એમ જીવિતાથી કંદર્પ દાંતમાં તરૂણું લઈ પુનઃ પુન: સંવરને કહેવા લાગે એટલે એને છોડી મૂક્યો. કારણ કે ક્ષત્રિય કદિ પડતાપર પ્રહાર કરતા નથી. પછી સર્વ પરિચ્છદ જેનો છિન્ન ભિન્ન થઈ ગયો છે એવો એ કંદર્પ લજજાને લીધે નીચું જોતો ગુપ્તપણે પોતાના સ્થાનમાં જઈ રહ્યો. . ઘેર ગયા છતાં લજજાને કારણે પિતામહ મેહને કે પિતા રાગને પણ મળે નહિ. કેમકે વીરપુરૂષોને લજજા મહાટી વાત છે. પિતામહ અને પિતા બેઉ પોતાની મેળે એની આગળ ગયા અને એને પ્રતિબંધનાં શબ્દો કહેવા લાગ્યા–અરે ત્રણજગતના વીર, ધીરતાના ધરણીધર, યુદ્ધમાં કેઈવાર જય થાય છે ને કઈ વાર પરાજ્ય પણ થાય છે માટે હે વત્સ, પ્રાકૃત મનુષ્યની પેઠે ખેદ કરીશ નહિં. આ પ્રતિબંધ સાંભળીને કામ પરાજ્યનું દુઃખ વિસારી દઈ પોતાના માજશેખના કાર્યમાં વળગી ગયે. અહિં સંવર વીર પણ રણક્ષેત્ર ખાલી કરીને. હર્ષ સહિત ચારિત્રધાન રાજાધિરાજને વંદન કરવા ગયો. જતાં માર્ગમાં પગલે પગલે બન્ટિજનોએ ઉંચા હાથ કરી કરીને સ્તુતિ કરી કે-હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #159 -------------------------------------------------------------------------- ________________ (15) શ્રી એભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, ચારિત્રધર્મ ભૂપતિના સાક્ષા-સ્મૃતિવંત પ્રતાપ ! શત્રુઓરૂપી કૈરવવનને સંકેચનાર ચંદ્રમા ! કામમલ્લ પરાજ્ય કરીને તે નિશ્ચયે તારા ભુજબળને સાર્થક કર્યું છે. હે ધરાધીર મહાવીર સંવર! તારે જ્ય થાઓ આવાં સ્તુતિના શબ્દો શ્રવણ કરો કરતે રાજાધિરાજ ચારિત્રધર્મ પાસે પહે; અને એને ચરણે પ. “આ વળી શી વાત છે” એમ એમણે આશ્ચર્યસહિત પૂછવાથી સર્વ વાતને જાણુ સદાચાર પ્રતીહાર હતો એણે વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી, આ સંવર કેટવાળ આપના ચરણકમળમાં નમે છે. અહિં આવતાં વેતજ એણે કામમલને પરાજ્ય કર્યો છે. આપનું કે આપના મહત્તમ–અમાત્ય આદિના સ્વરૂપનું એને પ્રથમ લેશ પણ જ્ઞાન ન હોવા છતાં મને ભૂ-કંદર્પ સાથે યુદ્ધ કર્યું છે. એ વીર શિરોમણીએ આપણા મકરધ્વજ શત્રુને લીલા માત્રમાં જીતીને મૃતપ્રાય કરી નાખે છે.” એ સાંભળીને ચારિત્ર રાજાએ હર્ષમાં આવી જઈ સંવરને લઈને પુનઃ પુનઃ આલિંગન કર્યું. ચારિત્રધર્મ ભૂપતિએ વળી એના સ્કંધની સુવર્ણ પુષ્પવડે પૂજા કરી. આ પ્રમાણે રાજાએ સુદ્ધાં જેનું ગૌરવ વધાર્યું છે. એ સંવર સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની હયાતિપર્યન્ત પોતાના પદનું પ્રતિપાલન કરશે. - આ પ્રમાણે નાના પ્રકારના અર્થદાનવડે જગને સમૃદ્ધ કરતા અભયમુનિએ ધર્મરૂપી પ્રાસાદના શિખર પર કળશ ચઢાવ્યા દીક્ષાના દિવસથી આરંભીને વધતી વધતી શ્રદ્ધાવડે ચારિત્ર પાળતા પાંચ વર્ષ પૂરાં થયાં એ વખતે એને પિતાના પર્યન્તસમય સૂઝી આવ્યું. અથવા તે આ સમયની પૂર્ણ ભાગ્યશાળી જીવોનેજ ખબર પડે છે. પર્યન્ત સમય નજીક છે. એમ જાણું અભયકુમારે પ્રભુને નમીને એમની અનુજ્ઞા મેળવી સકળસંઘની ક્ષમા માગી હર્ષ સહિત અનશન આદર્યું. સમતારૂપી અમૃતકુંડમાં નિમગ્ન એવા એ મુનિએ, એ અવસરને રાધાવેધના ક્ષણસમાન સમજીને આ પ્રમાણે આરાધના કરી-અરિહંત, સિદ્ધ, સાધુ અને અરિહંતે કહેલ ધર્મ એ ચારનું મારે શરણ છે. મારાં દુષ્ટકૃત્યેની હું નિન્દા કરું , અને સુકૃત્યની અનુમંદના કરું છું. શ્રી રૂષભદેવથી આરંભીને Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયકુમાર મુનિશ્વરની અન્ય આરાધના. (151) શ્રી મહાવીર પર્યન્ત સર્વ તીર્થ ને તથા અપક્ષેત્રમાં પણ સર્વ તીર્થકરોને મારા નમસ્કાર છે, વળી શ્રી મહાવીર વર્તમાન તીર્થકર હોવાથી અને મારા તો ધર્મદાતાર હોવાથી એમને મારા પુનઃ પુન: નમસ્કાર હો. એ અરિહંતપ્રભુએજ મારું શરણ હો, એએજ મારા મંગળિકરૂપ થાઓ. એઓ વજાના પંજર જેવા છે એટલે એમને પામવાથી મને કઈ પ્રકારનો ભય રહેવાને નહિં. વળી અનન્ત વીર્ય, અનન્ત દર્શન, અનન્ત સુખ, અનન્ત જ્ઞાન અને અનન્ત સમ્યક્ત્વના ધણ સર્વ સિદ્ધભગવાનને મારા નમસ્કાર હિ. અષ્ટકર્મોને હણું પરમ પદ પામ્યા છે અને લેકના અગ્ર ભાગે રહેલા છે એવા એ સિદ્ધભગવાન મારા શરણરૂપ અને મંગળિકકર્તા છે. વળી જ્ઞાન, દર્શન અને ચારિત્રથી અલંકૃત અને અહર્નિશ કિયાકાંડમાં નિરત એવા સાધુઓને મારા નમસ્કાર હો. એઓ પાંચ મહાવ્રતયુક્ત, શાન્ત, દયાવંત અને જિતેન્દ્રિય છે. એ સર્વે મારા શરણરૂપ અને મંગળિકરૂપ થાઓ. કર્મરૂપી વિષને ઉતારનાર મહામંત્ર સમાન અને કષ્ટરૂપી કાષ્ટને દાવાનલ સમાન એવા જિનેન્દ્રભાષિત ધર્મને પણ મારા પુનઃ પુનઃ નમસ્કાર હો. આ લેકનું તેમજ પરલકનું સર્વ કલ્યાણનું કારણરૂપ એ એ ધર્મ મારા શરણરૂપ અને મંગળિકરૂપ થાઓ. આ પ્રમાણે ચાર શરણે અંગીકાર કરીને, હવે એમની જ સાક્ષીએ મારાં પાપોની નિન્દા કરું અને મારાં સુકૃત્યોની અનુમોદના કરૂં. આઠ પ્રકારના જ્ઞાનાચારને વિષે જે કઈ અતિચાર થયેલ હોય તે હું નિન્દુ છું. ગણું છું. અને વસરાવું છું. નિશક્તિ આદિ આઠપ્રકારના દશનાચારના સંબંધમાં પણ જે કઈ અતિચાર મારાથી થઈ ગયે હોય એને વારંવાર ત્રિધા ત્રિધા-મન વચન અને કાયાએ કરેલ હોય. કરાવેલ હોય છે. અનુ મેદના કરેલ હોય તેને નિજું . મેહથી કે લેભથી મારાથી કોઈ સૂક્ષ્મ વા બાદર જીવહિંસા થઈ ગઈ હોય એને પણ ત્રિધા ત્રિધા ત્યજી છું. હાસ્ય, કેપ, ભય , કે લોભને વશ થઈને મારાથી કંઈ અસત્ય બેલાયું હોય તે સર્વ હું નિન્દુ છું. અને ગણું . રાગથી કે દ્વેષથી, કેઈનું સ્વલ્પ કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #161 -------------------------------------------------------------------------- ________________ (152) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, બહુ દ્રવ્ય મેં ઉચાપત કર્યું હોય એવા કાર્યને પણ હું નિકું . દેવ, મનુષ્ય કે તિર્યંચની સ્ત્રી સાથે રોગગ્રસ્ત થઈ મેં કદિ મિથુન સેવ્યું હોય તેને હું વારંવાર નિંદું . પુત્ર મિત્ર કલત્ર આદિ બધુવર્ગ પર કે અન્ય પરજનો પર, દ્વિપદો પર, ચતુષ્પદો પર, ધન-ધાન્ય–જન કે વન પર તથા ઉપકરણોપર કે દેહપર કે હરેક કેઈ વસ્તુપર મને કંઈપણ મેહ થયેલ હોય તો તે પણ હું પુનઃ પુનઃ નિંદું . ચતુર્વિધ આહારમાં કઈપણ પ્રકારનો આહાર રાત્રિને વિષે લીધો હોય તે પણ હું નિન્દુ છું. વળી માયામૃષાવાદ રતિઅરતિ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ કલહ, પૈશૂન્ય વરપરીવાદ, અભ્યાખ્યાન અને મિથ્યાત્વશલ્ય–આ સર્વ પાપસ્થાનકને પણ હું નિંદું . ત્રણ કરણ અને ત્રણ યુગથી અન્ય પણ કેઈ અતીચાર, દર્શનાચાર કે ચારિત્રાચાર સંબંધમાં, મારાથી થઈ ગયેલ હોય તે પણ હું નિન્દુ છું. –ગણું છું. વળી બાહા તપ સંબંધી કે અલ્યન્તર તપ સંબંધી પણ કોઈ અતીચાર મનવડે, રમાં ભ્રમણ કરતાં મિથ્યાહને લીધે શુદ્ધ માર્ગને છોડીને અશુદ્ધની પ્રરૂપણ કરી હોય કે મિથ્યાત્વ લાગે એવાં શાસ્ત્રોની પ્રશંસા કરી હાય-એવાં સર્વ પાપચરણેનું હું પ્રાયશ્ચિત્ત લઉં છું. વળી યંત્ર, ઉખલ, મુશળ, ઘંટી, ખાંડણ, ધનુષ્ય, શર, ખડ્ઝ આદિ જીવહિંસક અધિકરણે મેં ક્ય કરાવ્યાં હોય તે પણ હું ત્રિવિધ ત્રિવિધ ગણું છું–નિ છું, અને વિસનું છું. મેં જે જે દેહ અને ઘર ગ્રહણ કરીને પછી મૂકી દીધાં હોય તે સર્વ પણ હું આત્મપરિગ્રહ થકી વિસર્જી છું. કષાય કરીને કેઈની પણ સાથે મેં જે કંઈ વેર બાંધ્યું હોય તે પણ સર્વ હું પડતું મૂકું છું. નરગતિમાં રહીને નારકને, તિર્યંચગતિમાં તિયને, મનુષ્યાવતારમાં માનવને અને દેવભવમાં દેવતાઓને મેં મદાંધ થઈને કઈ જાતની કદર્થના કરી હોય તે સર્વની હું ક્ષમા યાચું છું. અન્ય અન્ય ગતિવાળા મેં અન્ય અન્ય ગતિવાળાઓને જે કંઈ વ્યથા.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #162 -------------------------------------------------------------------------- ________________ w wwwww શ્રી અભય કુમાર મંત્રીધરની અંત્ય આરાધના. (153) ઉપજાવી હોય તે સર્વને પણ હું માનું છું, મારે તો સની સાથે મૈત્રી જ છે. સર્વ જી મારા સ્વજન થઈ ગયા છે અને એ જ સર્વ પરજન પણ થયા હશે. સર્વ જીવો મારા મિત્રરૂપ બન્યા હશે તેમ તેજ સર્વ અમિત્ર એટલે વૈરી પણ થયા હશે. માટે રાગ કે દ્વેષ કયાં કરાવે ? હું તો મારે ક્ષેમકુશળ દેહે, બધુવ અને અન્ય પણ જે જે સુસ્થાનને વિષે ઉપર્યુક્ત તે સર્વની અનુમોદના કરું છું. સમગ્ર જીવસૃષ્ટિને અર્થે જે ઉત્તમ તીર્થ પ્રવર્તેલ છે અને જે ઉત્કૃષ્ટ માર્ગ પ્રરૂપેલે છે તે સર્વેની પણ હું અનુમોદના કરું છું. જિનભગવાનના અથવા હરકોઈ બીજાના પ્રકૃષ્ટ ગુણે અને પરોપકાર વૃત્તિની હું અનુમોદના કરું . નિષ્પન્ન છે સર્વ કૃત્યે જેઓનાં એવા સિદ્ધભગવાનની સિદ્ધતા અને જ્ઞાનાદિરૂપતાની પણ હું અનુમંદના કરું છું. નિરન્તર ક્રિયાકાંડમાં પ્રવૃત એવા અનુયોગી આચાર્યોના સર્વે અનુગાદિક વ્યાપારની પણ હું અનુમોદના કરું છું. કિયારક્ત અને પરોપકાર તત્પર ઉપાધ્યાયના સિદ્ધાન્ત શિક્ષણની પણ અનુમોદના કરું છું. અપ્રવૃત્ત અને સામ્યભાવી એવા સમસ્ત સાધુસમાજની સમાચારીની પણ હું અનુમોદના કરૂં છું. વળી ગૃહસ્થ એ જે શ્રાદ્ધ સમાજ છે એમનું પ્રભુપૂજન, વૃતધારણ, ધર્મશ્રવણ તેમજ દાનાદિ વ્યાપારની પણ હું અનુમોદના કરું છું. ભદ્રક પરિણામી શેષજીવોના પણ સદ્ધર્મ બહુમાનાદિ વ્યાપારની પણ હું અનુમોદના કરૂં છું. હવે હું યાજજીવ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરૂં છું–અનશનવૃત લઉં છું. અને એમ કરીને અન્ય ઉશ્વાસે દેહુમુક્ત થઈશ. આ ધ્યાનમગ્ન અવસ્થામાં વળી અભયમુનીએ પંચપરમેષ્ટિ નમસ્કારને કે શ્રી વીરતીર્થકરને ચિત્તમાંથી લેશ પણ દૂર કર્યા નહિં. એમ કરતાં કરતાં શુભતર ભાવ થવાથી દુષ્કર્મરૂપ પોતાના દાવાગ્નિને પ્રશાન્ત કરી નાખી, માન અને મેહરૂપી સર્પનો પ્રતિઘાત કરી, ગુણીજનોના આભૂષણભૂત અભયમુનિએ સાધુધર્મ પર ધ્વજારોપણ કર્યું અર્થાત્ એને પૂર્ણ દીપાવ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #163 -------------------------------------------------------------------------- ________________ (154) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. પ્રાતે શુદ્ધ ને શુદ્ધ ધ્યાનમાં જ મૃત્યુ પામી અભયમુનિ પ્રવર સુખમય એવા “સ્વાર્થસિદ્ધ”ને વિષે તેત્રીસ સાગરોપમની આયુષ્ય સ્થિતિ અને એક હસ્તની કાયાવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી કોઈ અત્યન્ત નિર્મળ શ્રાવકકુળને વિષે જન્મ લઈ વ્રત ગ્રહણ કરી પ્રાન્ત અભયમુનિ નિશ્ચયે મેક્ષ પામશે.' ઇતિ શ્રી બુદિનિદાન મગધ દેશના મંત્રીશ્વર શ્રી અભય કુમારનું ચરિત્ર સંપૂર્ણ. સંપૂર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust