SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જીવત શ્વામીની પ્રતિમા સાથે સુણ ગુટિકાનું હરણ, (5) ' પરસ્પર મળી ગયાં; ચતુર તુણનારાથી તુાયલા બે વસ્ત્રો પર- . ૫ર મળી જઈ એકરૂપ થઈ જાય છે એમ. પછી પરમ પ્રેમ પૂર્વક ચંડપ્રદ્યોતન નરપતિએ કહ્યું–હે મૃગનયની સુંદરી, હવે તું : મારે નગરે ચાલ જેથી હું દેશ-કાળ અને થીતિને અનુસરીને તારા સર્વે અભીષ્ટ મને પૂર્ણ કરું. દૂર રહલાઓનાં તો જવાં અને આવવાં પૂરતાં જ કાર્યો થાય; એમાં કંઈ એમને વિશેષ સ્વાર્થ સિદ્ધ થાય નહીં, દેવદત્તાએ ઉત્તર આપે-હે સ્વામિનાથ હું આવવાને તૈયાર છું. પરંતુ મારી એક વાત સાંભળે-જેમ ઝુંટણુક પશુ મનુષ્યની ઉમાવિના જીવી શકતો નથી એમ હું મારા દેવાધિદેવની પ્રતિમા વિના રહી શકું એમ નથી. માટે શ્રીખંડની–ચંદનની એક અન્ય પ્રતિમા કરાવીને લાવે. અધિકારીના આ દેશના જે ચેટિકાનેએ આદેશ એણે પણ માન્ય કર્યો અને અન્ય પ્રતિમા કરાવવા માટે ચેટિક પાસેની પ્રતિમા નીરખી નીરખીને જોઈ, કેમકે એમ જોયા વિના એવી બીજી કરાવવી એ . કેવી રીતે બની શકે ? છે . પછી તે પ્રેમસાગરમાં નિમગ્ન એવા એ દંપતીએ યથેચ્છ વિલાસસુખ અનુભવ્યું અથવા તે નવીન વસ્તુ પ્રાપ્ત થયે સર્વ કોઈને એને વિષે રાગ થાય છે જ. જેણે આકાશમાર્ગ ઉલંઘન કર્યો છે એવું અને સ્વપતારપરિચ્છેદ વાળ રાજા, રાત્રી વીત્યે,, ચંદ્રમા જેમ પશ્ચિમ દિશાએ પહોચે છે એમ, પિતાની નગરીએ આવી પહો. આવીને સદ્ય, પિતે જોઈ હતી એવી પ્રતિમાના અનુસારે અન્ય ચંદનમયી ઉત્કૃષ્ટ પ્રતિમા બનાવરાવીપછી લક્ષમી પતિ કૃષ્ણ વાસુદેવ કૌસ્તુભ મણિને ધારણ કરે છે એવી રીતે એ નવી બનાવરાવેલી પ્રતિમાને, હૃદયપર ધારણ કરી ચંડપ્રદ્યોતન અનલગિરિ હસ્તીપર આરૂઢ થઈ પાછે ઉદાયન રાજાને નગરે આવ્યું, આવીને, દેહધારી મોહિની મંત્ર હાયની એવી એ પ્રતિમા ચટિકાને સેપી–આપી. ચેટિકા દેવદત્તાએ પણ અવન્તીના સ્વામી આ ચંડપ્રદ્યોતનને વિષે પિતાનું મન આસક્ત થયેલ હોવાથી, ઉદાયન રાજાના મહેલમાં જે શ્રેષ્ટપ્રતિમા હતી એ લઈ લીધી
SR No.036404
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1930
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size115 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy